સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 16 January 2017

Statue of Unity Sardar Patel

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

Statue of Unity Sardar Patel

ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરવા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભવ્‍ય સ્‍મરણાંજલિ આપવા સરદાર વલ્લભભાઈ પટેલની  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'નું સરદાર સરોવર બંધ પાસે નિર્માણ થશે. 

સરદાર સરોવર બંધથી નીચાણવાસમાં ૩.૩ર કિ.મી.ના અંતરે સાધુ બેટ પર તેનું નિર્માણ કરવામાં આવનાર છે.
સમગ્ર વિશ્વમાં અજોડ બની રહેનારી આ પ્રતિમાને યોગ્‍ય અને અત્‍યંત સાર્થક બની રહે તેનું નામ આપવામાં આવ્‍યું ‘‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'' ૧૮ર મીટરની ઉંચાઇ સાથેની આ પ્રતિમા સમગ્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે. તે વિશ્વપ્રસિદ્ધ અમેરિકાની સ્‍વતંત્રતા દેવીની પ્રતિમા ‘‘સ્‍ટેચ્‍યુ ઓફ લીબર્ટી''ની ઉંચાઇથી આશરે ત્રણ ગણી ઉંચાઇ ધરાવતી હશે.
ધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય આકર્ષણો: આ એક યાદગાર પ્રતિમા છે જેની સાથે દેશનો અજોડ ભૂતકાળ જોડાયેલો છે અને એક લોખંડી શક્તિનું પ્રતિક પણ છે. આથી આ સરદાર પટેલના જીવન પર આધારિત એક સંગ્રાહાલય અને રીસર્ચ સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. 
આ રીસર્ચ સેન્ટરમાં કૃષિ ટેકનોલોજી,ગુડ ગવર્નસ અને દેશના વિકાસ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રતિમાના ઉપર જવા માટે લીફ્ટની પણ સુવિધા છે જેથી લોકો સરદાર સરોવર ડેમના રમણીય દ્રશ્યને પોતાની આંખોમાં કેદ કરી શકે. 
'ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો સંદેશ: 'ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી' દેશના સંવાદિતા અને અખંડીતતાનો સંદેશ આપે છે. દેશની યુવાન પેઢીમાં રાષ્ટ્વાદ અને એકતાનો સંદેશ મળે અને સરદારના એકતાના પ્રયાસોને યાદ રાખે એ મુખ્ય સંદેશ છે.


સરદારના નેતૃત્વના ગુણો દ્વારા લોકોમાં એકતા બનાવી શકાય અને પૂતળાની મજબૂતાઈ જેટલી જ મજબૂતાઈ દેશના લોકોમાં આવે તેમજ ભારતનો મહાન ઈતિહાસ અને તેમની જન્મભૂમી માટે તેમણે આપેલા જીવનનો ભોગ અને તેમની દેશભક્તિને લોકો જીવનભર યાદ રાખે. 
182 મીટરના સ્ટેચ્યુમાં 35 હજાર ટન સિમેન્ટ, 3725 ટન સ્ટીલ અને 15000 ટન બ્રોન્ઝ વપરાશે. ઉપરાંત આમાં પૂરાં 35 હજાર ટન સિમેન્ટ વપરાશે. ઉપરાંત સ્ટ્રકચરલ સ્ટીલ 3725 ટન વપરાશે તથા કલેડિંગ મટિરિયલ એટલે કે બ્રોન્ઝ 1500 ટન વપરાશે. 
 
Source:-http://khodaldham-kagvad.blogspot.in/2014/06/statue-of-unity-sardar-patel.html

Lokhandi Purush Sardar Vallabhbhai Patel -- 31 October Sardar Patel Jam-Jayanti -- First Deputy Prime Minister Of India -- Sardar Vallabhbhai Patel Quotes In Gujarati With Images -- Sardar Vallabhbhai Patel Speech -- Sardar Vallabhbhai Patel Speech In Hindi -- Son Of Sardar Vallabhbhai Patel Dahyabhai Patel -- Daughter Of Sardar Vallabhbhai Patel Maniben Patel


પ્રમાણિકતા અને રાષ્ટ્રીયતા થી છલોછલ અને એકતા અને અખંડીતત્તાના શિલ્પી - સરદાર પટેલ

સાચો નેતા કેવો હોય? એ સરદાર વલ્લભભાઇ પટેલ જેવો હોય. એ સતત પોતાના સાથીઓની કાળજી રાખે અને એની વાણી એવી હોય કે ઢીલો માણસ ટટ્ટાર થઇ જાય. એ નેતાની હાજરીમાં સૂતેલો માણસ બેઠો થઇ જાય, બેઠેલો માણસ ઊભો થઇ જાય, ઊભેલો માણસ ચાલવા લાગે અને ચાલતો માણસ દોડવા લાગે!
ભારતના સરદારઅને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, બાંધી દડીનું શરીર. અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ. બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ, નિશ્ચયબળ,લોખંડી ઇચ્છાશક્તિ, પ્રા‍માણિક ચારિત્ર્ય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ.
હૈદરાબાદનો નિઝામ ભારતમાં જોડાવા માટે તૈયાર ન હતો. જો એનું ચાલ્યું હોત તો આજે હૈદરાબાદ એક નાનું છતાં સાર્વભોમ રાષ્ટ્ર હોત. નિઝામે તો ભારત અને  હૈદરાબાદમાં બે એલચીની નિમણુંક થાય તેવો પ્રસ્તાવ પણ મૂકેલો. સરદારે યોગ્ય સમયે લશ્કરી કાર્યવાહી ન કરી હોત તો! નિઝામના હૈદરાબાદને એમણે ભારતના પેટમાં ચાંદુંતરીકે ઓળખાવેલું. સરદાર ન હોત તો આજના આપણા દેશના નકશાનો આકાર જુદો હોત. હવે આવા સમર્થ સરદાર પટેલ દેશને ક્યારે મળશે?
'સરદાર' માત્ર એક વ્યક્તિની ઓળખ નથી. 'સરદાર' એ ગૌરવવંતા ગુજરાતની ઓળખ છે. પ્રમાણિકતાનું જ્વલંત ઉદાહરણ એટલે 'સરદાર'. ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન-ગૃહપ્રધાનનું મૃત્યું સમયે બેન્ક બેલન્સ માત્ર R 250ની આસપાસ હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના એક સમયના પ્રમુખ અને દેશના નાયબ વડાપ્રધાન પાસે મૃત્યું સમયે ન હતું કોઇ ફાર્મ હાઉસ કે પોતાની માલિકીનું મકાન. કરમસદ ગામમાં પિતાની જમીન પણ પોતાને નામે ન હતી. જંગમ મિલ્કતને બદલે તેમની પાસે ખાદીના ચારેક જોડી કપડા હતા, બે જોડી ચંપલ, નાનો રેડિયો, લોંખડની પેટી વગેરે હતા. નિષ્કિંચન સરદાર પટેલનું જીવન સંપૂર્ણ પારદર્શક હતું અને તેઓ પાઇ પાઇનો હિસાબ રાખતા. દરરોજ રાત્રે દિવસભરનો હિસાબ-કિતાબ જનતા સમક્ષ જાહેરમાં મુકી દેતા હતા.

'ગુજરાત વિદ્યાપીઠ' તથા હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસના આર્થિક ભાર વહનનો સંપૂર્ણ જવાબદારી સરદારે ઉપાડી હતી. જેનો પાઇ...પાઇ...નો ચોખ્ખો હિસાબ સરદાર રાખતા. સરદારે પોતાના મૃત્યુ પૂર્વે કોંગ્રેસ પક્ષના R 35 લાખની થેલી અને હિસાબ-કિતાબ મણિબબેનને સોંપી દીઘો. સાથે સૂચના આપી કે તેમણે આ નાણા અને હિસાબ જવાહર લાલજીને રૂબરૂમાં સોંપી દેવો. સરદારના મૃત્યું પછી મણિબહેને આજ્ઞાપાલન કર્યુ અને એ જમાનાની માતબર રકમ જવહારલાલ નહેરૂને સોંપી દીધી પરંતુ નહેરૂ કે તે પછીના શાસકોએ ક્યારેય મણિબહેનની દરકાર સુદ્ધા લીધી નહીં અને કરૂણ અવસ્થામાં મણિબહેન અમદાવાદમાં મૃત્યું પામ્યા.

મણિબહેને જવાહરલાલ નહેરૂને R 35 લાખ તથા હિસાબ - કિતાબ સોંપ્યાનો આખો પ્રસંગ શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયને પોતાના જીવન ચરિત્રમાં આપ્યો છે. આ અંગે ડો. કુરીયને મણિબહેનને પુછ્યુ હતું કે, નહેરૂ તમને શું કહેશે તેવી તમારી અપેક્ષા હતી? પ્રત્યુત્તરમાં મણિબહેને કહ્યું કે તેઓ કદાચ કહેશે કે હવે હું સરદારના મૃત્યું પછી કેવી રીતે રહીશ?શું મને મદદ કરવા તેઓ કંઇક કરી શકે તેમ છે? પણ એમણે કંઇ પણ પુછ્યું જ નહીં! જવાહરલાલ નહેરૂની મલુકાત પછી મણિબહેન નિરાશ થયા.
પાછળથી મણિબહેન આપબળે સાસંદ થયા હતા અને સામાન્ય માનવીની જેમ જ જીવ્યા હતા. જીવનના અંતિમ દિવસોમાં મણિબહેન માટે એ સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે સગવડો ઉભી કરી. આજે તો સરદાર પટેલ અને મણિબહેન જેવા નિઃસ્વાર્થ, પ્રમાણિક અને સમર્પિત લોકોની યાદ ઇતિહાસના પૃષ્ઠોમાં જ રહી ગઇ છે.
કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર થોડું વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનું આપણને પુનિત દર્શન થયું હોત. પરંતુ ભારતના એ ભાગ્યવિધાતાને પરમાત્માનું તેડું વહેલું આવ્યું. ઈ. ૧૯૫૦ ડિસેમ્બરની ૧૫મી તારીખે દિવસ ઊગ્યો અને સરદારનો જીવનસૂર્ય આથમી ગયો.
આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!

એકતા અને અખંડીતત્તાના શિલ્પી ભારતના ભડવીર સરદાર વલ્લભભાઈ પટેલને શત શત વંદન.
Source:-http://khodaldham-kagvad.blogspot.in/2005/10/Sardar-vallabhbhai-patel-sardar-vallabhbhai-patel-images-sardar-vallabhbhai-patel-speech-sardar-vallabhbhai-patel-quotes-quotes-in-gujarati-with-images-first-deputy-prime-minister-of-india-sardar-patel-maniben-patel-dahyabhai-patel-vithalbhai-patel.html



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://khodaldham-kagvad.blogspot.in/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાગવડ - Pranpatish Mahotsav Khodaldham 1008 Kundi Havan 21-01-2017 Saturday - Khodaldham rath yatra - ખોડલધામ મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા 2017

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાગવડ - Pranpatish Mahotsav Khodaldham 1008 Kundi Havan 21-01-2017 Saturday - Khodaldham rath yatra - ખોડલધામ મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા 2017

પધારો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
કાગવડ,તા.જેતપુર

ગુજરાતની ગૌરવવંતી બાબતમાં વધારો થાય તેવો ઉત્સવ ખોડલધામ મંદિરના પરિસરમાં ઉજવાઈ રહ્યો છે. વિશ્વ અજાયબીમાં આવી જાયે તેવો તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. 

100 એકરમાં બનેલા આ મંદિર 17મી જાન્યુઆરીના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. આ ઉત્સવ 21મી જાન્યુઆરી સુધી ચાલશે.


તારીખ ૨૧-૦૭-૨૦૧૬ને શનિવારે કાગવડ શ્રી ખોડલધામ મંદિરે  પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે જેમાં ૧૦૦૮ કુંડનો હવન થનાર છે.



સૌરાષ્ટ્રના તિર્થધામ સમા ખોડલધામની વિશેષતા જોઈએ તો મંદિરમાં 238 નંગ પિલર છે. 54 છતમાં ભાતભાતની ડીઝાઈન છે.


252 ફૂટ મંદિરની પહોળાઈ અને 298 ફૂટ મંદિરની લંબાઈ સાથે 159 ફૂટ મંદિરની ઉંચાઈ છે. 129 નંગ પટેલ પેનલ મુકાઈ છે

123 ધરતીપુત્ર પટેલની મુર્તિઓ મુકાઈ છે. સાથે 21 માર્બલની વિવિધ દેવી, દેવતાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે.


મંદીરમા ૧૪ કુળદેવી ની મૂર્તિઓ ની સ્થાપના કરાશે.ઉપરાંત મંદિરની ફરતે ૬૦૦૦ મૂર્તિઓ કંડારાશે.૧૩૩.૬ ફૂટની ઉંચી દીવાલ પર ૨૦ ફૂટનો ધ્વજ દંડ રહેશે .

ભૂકંપપ્રુફ બાંધકામમા લોખંડ ને બદલે પવિત્ર તાંબાનો ઉપયોગ કરાયો છે .મહત્વની વાત એ છે કે જગતિ ઉપર લેવા પટેલ સમજની સંસ્કૃતિ દર્શાવાય છે.





સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવના પ્રતીક સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરના નિર્માણકાર્ય પાંચ વરસ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે.



રૂા.60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂા.130 કરોડનું દાન મળ્યું છે. ત્યારે આગામી તા.17 થી 21-જાન્યુઆરી-2017માં ખોડલધામમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.



ખોડલધામ મંદિર રાજસ્થાનના બંસી પહાડપુર વિસ્તારમાંથી નિકળતા કુદરતી ગુલાબી પથ્થરોમાંથી બનાવાયું છે. સોમપુરા શિલ્પ શાત્રી વિપુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજસ્થાન ઓરિસ્સાના કારીગરોએ કોતરકામ કર્યું છે. મંદિરના બહારના ભાગે 650 મુર્તિઓ મુકવામાં આવી છે.



ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ ઉંડે પછી જમીનથી 18 ફૂટ ઉંચે પહેલો ભાગ છે. 288 બીમ મુકાયા છે. કુલ ઉંચાઈ 138 ફુટ છે.

નવ પ્રવેશદ્વાર, 3 દિશામાં ઝરૂખા છે. શિખરમાં 8 ફૂટનો વિરાટ સિંહ બિરાજે છે. જે મંદિરના રક્ષક તરીકે કામ કરે છે. પુરાણો પ્રમાણે વેદ પુરાણ, ભાગવત કૃષ્ણલીલાની પ્રતિમાઓ કંડારવામાં આવી છે.

ખોડલધામ વિશ્વનું પહેલું એવું મંદિર બનશે કે તેના મુખ્ય પ્રવેશ દ્વાર પર સતત રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે. રાષ્ટ્રધ્વજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ફરકાવવામાં આવશે. મંદિર વિશાળ લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે.



એક જ્ઞાતિ દ્વારા બનાવવામાં આવેલ મંદિર રાષ્ટ્રને સમર્પિત થશે. બીજું મંદિરના નીચેના ભાગમાં ફરતે ખેડૂતોની પ્રતિમા મુકવામાં આવી છે. જાણે કે પટેલ સમાજે મંદિરને ઉપાડી લીધુ હોય. જે ભક્તિ દ્વારા એકતાની શક્તિ ખોડલધામના સૂત્રને સાર્થક કરે છે.


ખોડલધામ મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા, 3 લાખ લોકો રાષ્ટ્રગીત ગાશે.





  • ખોડલધામ મંદિરમાં બેનમૂન સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે. મંદિરમાં બહારના ભાગે 600 મૂર્તિઓ લાગશે. ઉપરાંત રામાયણમહાભારત અને ભગવદ્દ ગીતાના પ્રસંગો પણ કંડારીને મૂકાઇ રહ્યા છે.
  • ખાસ વાત છે કે ખોડલધામ મંદિરમાં પગથિયાંની આજુબાજુ જગતીના ભાગમાં પટેલ પેનલમૂકવામાં આવી છે. જેમાં લેઉવા પટેલ સમાજની સંસ્કૃતિ કંડારીને દર્શાવાઇ રહી છે. આવી 125 પેનલ મૂકવામાં આવી રહી છે.
  • 112 પિલર અને બાવન બીમ સાથે મંદિરની શિખર સહિતની ઊંચાઇ 133.6 ફૂટની થશે. તેના ઉપર 20 ફૂટનો ધ્વજદંડ રહેશે.




  • ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની સ્થાપના કરાશે
  • ભવ્યમંદિરમાંખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે
  • જેમાં મા અંબા, મા વેરાઇમા મહાકાળીઅન્નપૂર્ણા માતામા ગાત્રાળમા રાંદલબુટભવાની માતાબ્રહ્માણી માતામોમાઇ માતામા ચામુંડામા ગેલ અને શિહોરી માતાની સ્થાપના કરવામાં આવશે.
  • ઉપરાંત રામદરબાર, શિવમંદિર તથા રાધાકૃષ્ણ મંદિરનું પણ નિર્માણ થશે.
  • સાથેસાથે 52 શક્તિપીઠની પ્રતિકૃતિ મૂકાશે.



  • ખોડલધામમંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.
  • જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો કરોડ રૂપિયાનો અને સમિયાણા ડોમરસોઇઘર વગેરે માટે કરોડનો મળીને કરોડની વીમો ઉતારવામાં આવ્યો છે.
  • રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મળીને કુલ 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.



238 સ્તંભ પર ઊભું થયું છે મંદિર. મંદિરમાં આવેલા જગતી, કણપીઠ અને મંડોવર લેવલ શું છે? આવો જાણીએ.

જગતી લેવલ
  •  મંદિરની શરૂઆતમાં નીચેની કક્ષાએ એટલે કે જગતી લેવલે પટેલ સમાજના ઇતિહાસની કોતરણી કરવામાં આવી છે. જેમાં પટેલ સમાજની ઉત્પતિ અને હાલની પરિસ્થિતિ સહિતનો ઇતિહાસ કોતરણીમાં દર્શાવવામાં આવ્યો છે.
કણપીઠ લેવલ
  •  મંદિરના 18 પગથિયાઓ ચઢ્યા બાદ કણપીઠ લેવલ પર મહાભારત, ભાગવત ગીતા, શિવપુરાણ અને કૃષ્ણ ચરિત્રને શિલ્પકામથી કંડારવામાં આવ્યા છે. જે જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.
મંડોવર
  •  કણપીઠથી ઉપરની કક્ષાએ શિવ-પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા સહિતની અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે. મંદિર પરિસરની પણ ડિઝાઇન એ પ્રકારની રાખવામાં આવી છે કે ગમે તે ખૂણામાંથી પણ માતાજીની પ્રતિમાના દર્શન થઇ શકે છે.
વિશેષતા
  •  - 60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ
  • - મંદિર 17 ફૂટ જમીનની અંદર
  • - મંદિરની ધ્વજા સહિત કુલ ઉંચાઇ 159 ફૂટ
  • - મંદિરમાં કુલ 238 સ્તંભ છે
  • - શિલ્પકલામાં કુલ 15 ડિઝાઇન આવેલી છે, જેમાં 30 પ્રકારની કોતરણી કરવામાં આવી છે
  • - મંદિરમાં કુલ 21 મુખ્ય મૂર્તિઓ મળીને કુલ 650 જેટલી મૂર્તીઓ
  • -ખોડિયાર માતાની મુખ્ય મૂર્તિ 5 ફૂટ 7 ઇંચની છે, અન્ય 20 જેટલી મૂર્તીઓ ત્રણ ત્રણ ફૂટની રહેશે
  • આ ઉપરાંત મંદિરની ચોતરફ શિલ્પકલા પણ અદભૂત કરવામાં આવી છે. મંદિરમાં બંસીપહાડપુરના બંસીપાલ પર્વત મળીને કુલ 2 લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ઓરિસ્સાના એક હજારથી વધારે કારીગરો દ્વારા શિલ્પકામ કરવામાં આવ્યુ છે.
50 વિઘામાં શક્તિવન
  • 1.    કાગવડ વિસ્તારને લીલોછમ બનાવવાનો લક્ષ્યાંક છે.
  • 2.    મંદિરના પરિસર સહિત આજુબાજનો વિસ્તાર લીલોછમ બનશે.
  • 3.    ખોડલધામમાં 50 વીઘામાં શક્તિવન બનાવવામાં આવશે.
  • 4.    જેમાં 40 હજાર વૃક્ષો વવાશે.  
  • 5.    મંદિર નજીક શક્તિવન ઉપરાંત મંદિર સુધી પહોંચવાની ચારેય દિશાના રસ્તે વડલીમડોપીપળ સહિતના વૃક્ષો વવાશે.
  • 6.    આ ઉપરાંત આયુર્વેદિક વૃક્ષોનું પણ રોપણ કરાશે.
  • 7.    મંદિરની આસપાસ જંગલ ખાતાની જમીનમાં પણ ખોડલધામ સમિતિ વૃક્ષારોપણ કરી ઉછેર કરશે. છેલ્લા ત્રણ મહિનાથી 200 કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. 

આવી છે વ્યવસ્થા
  •  -1500 વિઘા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા
  • -55 હજારથી વધારે સ્વયંસેવકો
  • -એક કલાકમાં બે લાખ લોકોને જમવાની વ્યવસ્થા
  • -1008 યજ્ઞશાળામાં બેસવાની વ્યવસ્થા
  • -21 ફુૂટ લાંબું સ્ટેજ
  • -150થી વધારે સીસીટીવી કેમેરા
  • -1100થી વધારે પોલીસ બંદોબસ્ત
  • -108 કરોડનું વીમા કવચ
  • મિની હોસ્પિટલ ઊભું કરાશે, 70 ડોક્ટર રહેશે ખડેપગે

21 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને લોકો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે. 

આ દિવસે લેઉવા પટેલ સમાજ વધુ એક વિશ્વ વિક્રમ પણ નોંધાવા જઇ રહ્યો છે.





જેમાં એક સાથે લાખોની સંખ્યામાં ઉમટેલા લેઉવા પટેલ સમાજના લોકો રાષ્ટ્રગીતનું ગાન કરીને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડશે.

આ દિવસે કાગવડમાં 15 લાખથી વઘારે જનમેદની એકઠી થાય તેવા અંદાજો લગાડવામાં આવ્યા છે.




પ્રાણ પ્રતિષ્ઠા બાદ મા ખોડલની મહાઆરતી પણ થશે. જેના માટે ખાસ કાશીથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે.
માતા ગંગાની આરતી જેવી મહાઆરતી કરવામાં આવશે. ખોડલધામ રથ રાજકોટ સહિત કાઠિયાવડમાં ફરી રહ્યો છે. તેના કિલોમીટરનો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે.
   ખોડલધામ - કાગવડ ખાતે આનંદ ની હેલીઓ...
આવો સાથે મળીને આ ઐતહાસીક ઘડીના સાક્ષી બનીયે..
જય ખોડલ.... જય ભોજલરામ...



માં ખોડલ તમને આમંત્રણ આપે છે. તો આવો પધારો વિરાટ કાર્ય માં સહભાગી થવા.
શ્રી ખોડલ ધામ પધારવા માટે બધા પટેલ ને ભાવ ભર્યું નિમંત્રણ છે.


 
Source:-http://khodaldham-kagvad.blogspot.in/2017/01/pranpatish-mahotsav-khodaldham-1008.html

Shree Khodaldhma Kagvad

અંનતકાળ માટે થઈ રહેલું ભવ્ય અને એતિહાસિક મંદિરનું નિર્માણ
ખોડલધામ કાગવડ મંદિર  -- ફક્ત મંદિર નહીં, જીવનના હેતુની ઇમારત
શ્રી ખોડલધામ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી પર વીરપુર પાસે કાગવડ ખાતે આકાર લઇ રહ્યું છે. ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી મા ખોડલનું ભવ્યતમ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.
 
 ભક્તિ દ્વારા એકતાની શક્તિ

ચાલો એક બનીએ, એકમેકના બનીએ
Source:-http://khodaldham-kagvad.blogspot.in/



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://khodaldham-kagvad.blogspot.in/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/