સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 7 July 2018

પાટીદારોને અનામત નહીં મળે: અલ્પેશ, હાર્દિકે કહ્યું - તેનું કોઈ મહત્વ નથી - 6 માસનો ગર્ભ ધરાવતી પત્નીને તરછોડી દેનાર પતિ કોર્ટમાં હાજર ન થતા વોટ્સએપથી સમન્સ બજાવાયું - બિનઅનામત વર્ગ માટે લાભનો પટારો ખૂલે એટલી જ વાર - રેપના ગુનેગારોમાં ૯૫ ટકા ઓળખીતા કે સગા હોય છે - રાજદ્રોહ કેસ : હાર્દિકને ૨૧ સુધીની મહેતલ આપી દેવાઈ - ધોરાજીનાં ભાડેર ગામમાં જીવણભાઇ સાંગાણીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો-પટેલ સમાજ દ્વારા ઇન્કાર - ધોરાજીના ભંડેર ગામે આધેડની હત્યાના ઘેરા પડઘા: પાટીદાર સમાજમાં રોષ બાદ પીએસઆઇની બદલી - વરસાદ વગર ધરતીપુત્રો ધોવાઈ ગયા કપાસનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ - દિલ્હીમાં પરિવારના ૧૧ લોકોની આત્મહત્યામાં સંડોવણી બદલ તાંત્રિક મહિલાની ધરપકડ - બિગબજાર, રિલાયન્સ મોલમાં વેચાતા ખાદ્યપદાર્થોમાં જીવાતો! - અલ્પેશ, જિજ્ઞેશ, હાર્દિકની જનતા રેડ સામે ગુનો, ત્રણેય નેતા ધરપકડ વહોરશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


પાટીદારોને અનામત નહીં મળે: અલ્પેશ, હાર્દિકે કહ્યું- તેનું કોઈ મહત્વ નથી

હજુ ગુરુવારે જ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ ભેગા થઈને દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયા હતા
ગાંધીનગરઃ દારૂબંધીના અભિયાનમાં પાસ પાસ કન્વીનર હાર્દિક પટેલ અને ધારાસભ્ય તેમજ ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર ભલે ખભેખભા મિલાવીને કામ કરતા હોય, પણ પાટીદારોને ઓબીસી અનામત મુદ્દે અલ્પેશનો સૂર વિરોધાભાસી છે. પાટીદાર અનામત મુદ્દે પોતાના નિવેદનમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસી અનામત નહીં મળે તે વાસ્તવિકતા છે. પાટીદારોને ઓબીસી અનામત અાપવી શક્ય નથી, તેમના માટે બીજી વ્યવસ્થા કરી શકાય.
અલ્પેશનું નિવેદન વ્યક્તિગત કોંગ્રેસે કંઈ કહ્યું નથી: હાર્દિક
આ મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું હતુંકે, અલ્પેશના નિવેદનનું કોઈ મહત્વ નથી, કોંગ્રેસ આવું કહેશે તો તેની સામે લડી લઈશ. અલ્પેશનું નિવેદન વ્યક્તિ ગત હોઈ શકે છે. હજુ સુધી કોંગ્રેસ પક્ષ તરફથી પાટીદાર અનામત મુદ્દે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી. પણ જો અલ્પેશે કોંગ્રેસ તરફથી આ પ્રકારનું નિવેદન કર્યું હોય તો પછી તો પાટીદાર અનામત આંદોલન બાબતે જે કરવાનું થશે તે કરીશ. પાટીદારોને ઓબીસી અનામત અપાવવા માટે હું સરકાર હોય કે વિપક્ષ એની સામે લડી લેવાના મૂડમાં છું. હજી પણ પાટીદારોને ઓબીસી અનામત અપાવવા માટેનું મારું આંદોલન ચાલુ છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંધારણીય રીતે પાટીદાર સમાજને ઓબીસી અનામત મળે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત મુદ્દે જ હાર્દિકે કોંગ્રેસને ટેકો આપ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે આ તમામ નેતા એક સાથે હતા. હવે તેમના સૂર બદલાઈ રહ્યા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-patidars-will-not-get-reservation-in-obc-alpsh-hardik-said-that-they-have-no-importance-gujarati-news-5911269-NOR.html?ref=ht

6 માસનો ગર્ભ ધરાવતી પત્નીને તરછોડી દેનાર પતિ કોર્ટમાં હાજર ન થતા વોટ્સએપથી સમન્સ બજાવાયું

ઘરેલું હિંસાચારના કેસમાં ત્રણ મુદતથી હાજર નહીં રહેતા આરોપીને કોર્ટના આદેશથી વોટ્સએપથી સમન્સ બજાવાયું
 અમદાવાદઃ ઘરેલું હિંસાના કેસમાં છેલ્લી 3 મુદતથી હાજર નહી રહેતા આરોપી પતિને વોટસએપ દ્વારા સમન્સ બજાવવા માટે એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.આર.પટેલે આદેશ કર્યો છે. અને વધુ સુનાવણી 18 જુલાઇના રોજ રાખી છે. વોટસએપ દ્વારા સમન્સ બજાવવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મણિનગરમાં રહેતી 24 વર્ષીય નેહાબાલાએ મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને સમાજ સુરક્ષા અધિકારી સમક્ષ તેના પતિ અને સાસરિયા વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ 17 માર્ચ 2017 ના રોજ ચાંદખેડાના સુમિતસિંહ સાથે તેના લગ્ન થયા હતાં. લગ્ન દરમિયાન તેના પિતાએ ઘરવખરીના સામાન, સોના-ચાંદીના ઘરેણાં અને રૂ.9 લાખ આપ્યા હતાં.
તેમ છતાં તેના પતિ અને સાસરિયાઓ દહેજમાં ગાડીની માંગણી કરી માનસિક-શારીરિક ત્રાસ આપતા હતાં. નેહાબાલાએ કરેલા આક્ષેપ મુજબ એને જયારે 6 માસનો ગર્ભ હતો ત્યારે તેના પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. નેહાબાલાએ કરેલી અરજીને ધ્યાને રાખી સમાજ સુરક્ષા અધિકારી કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. કોર્ટે કેસ દાખલ કરી નેહાબાલાના પતિ સુમિતસિંહ સહિતના લોકોને સમન્સ કાઢયા હતાં. કોર્ટે 3 વાર કાઢેલા સમન્સ બજવણી વગર પરત આવતા હતાં. આથી ફરિયાદી નેહાબાલાના એડવોકેટ અનિલ કેલ્લાએ ઉચ્ચ કોર્ટના ચુકાદાઓ ટાંકી આરોપીઓ સામે વોટસએપ અને કુરિયર મારફતે સમન્સ કાઢવા અરજી કરી હતી.

જેમાં એવી રજૂઆત કરેલી કે, આરોપીઓને કોર્ટે 3 વાર સમન્સ કાઢયા છે. પરંતુ તેમના ઘરે સમન્સ બજવણી થયા વગર પરત આવે છે. જેના કારણે કાનૂની કાર્યવાહી વિલંબીત થાય છે. આરોપીઓને સોશિયલ મિડીયા વોટસએપ અને કુરિયર દ્વારા સમન્સ બજવણી કરવામાં આવે જેથી કરી તેઓ કોર્ટમાં હાજર થાય. 
વોટેસએપ સમન્સ બજાવ્યાના પુરાવા રજૂ કરાશે 
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે વોટ્સએપ અને કુરિયર દ્વારા સમન્સની બજવણી કરવાના હુકમ મુજબ ફરિયાદી નેહાબાલાના ભાઇએ તેમના મોબાઇલ ફોન પરથી આરોપીઓને વોટ્સએપ કર્યા હતાં. અને તેમના વોટ્સએપ મળી ગયા હોવાના પુરાવા કોર્ટમાં રજૂ કરાશે. જેમાં વોટ્સએપ કરેલ સમન્સની મોબાઇલમાંથી પ્રિન્ટ કાઢી કોર્ટને આપવામાં આવશે. તેમજ કુરિયર દ્વારા પણ સમન્સની બજવણી કરાઈ છે. અને એ અંગેનો પુરાવો પણ કોર્ટમાં રજૂ કરાશે. 
કોર્ટનો સમય બચાવવા વોટ્સએપથી સમન્સ 
ફરિયાદના એડવોકેટ અનિલ કેલ્લાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સમન્સની બજવણી કરવા પોલીસ જાય છે ત્યારે આરોપી ઘરે હાજર હોતા નથી અથવા તો જાણી જોઈને સમન્સ સ્વીકારતા હોતા નથી. જેના કારણે ફરિયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે અને કોર્ટનો પણ સમય બગડે છે. બીજી તરફ કોર્ટમાં કેસોનો ભારણ ઘટાડવા માટે વોટ્સએપથી સમન્સની બજવણી થાય તો આરોપી કોર્ટ સમક્ષ હાજર રહી શકે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-court-had-been-ordered-on-what-app-to-victim-gujarati-news-5911273-NOR.html?ref=ht

બિનઅનામત વર્ગ માટે લાભનો પટારો ખૂલે એટલી જ વાર
 ઉજળિયાત વર્ગના જુવાનિયાઓ માટે આકર્ષક યોજનાઓ આવી રહી છે રાજકોટ તા. ૬: બિનઅનામત જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે કનિદૈ લાકિઅ સરકાર સરકારી નોકરીમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ સહિત કેટલાક લાભ આપવા માંગે છે. સરકાર દ્વારા લાંબા સમયથી જેની તૈયારી થઇ રહી છે તેવી યોજનાઓ-રાહતો કનિદૈ લાકિઅ ટૂંક અકિલા સમયમાં જ જાહેર થશે. બિનઅનામત જ્ઞાતિઓમાં આવતા વિદ્યાર્થીઓને અનામત વર્ગની જેમ નોંધપાત્ર શૈક્ષણિક સહાય-પ્રોત્સાહન મળે તેવા કનિદૈ લાકિઅ સરકારના પ્રયાસો છે. શિક્ષણ ઉપરાંત ધંધા-રોજગારી માટે પ્રોત્સાહન અપાશે. સ્કોલરશીપ, અકીલા સબસીડી, લોનમાં વ્યાજ રાહત વગેરે બાબતો વિચારાધીન કનિદૈ લાકિઅ છે. બિનઅનામત આયોગ મારફત લાભ અપાશે. બિનઅનામત વર્ગ માટેના લાભની જાહેરાતમાં વિલંબ સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137878

રેપના ગુનેગારોમાં ૯૫ ટકા ઓળખીતા કે સગા હોય છે
 પાડોશીઓ - સંબંધીઓ અને મિત્રોથી જ મહિલાઓ સલામત નથી? નવી દિલ્હી તા. ૬ : તાજેતરમાં અમદાવાદ યુવતિએ સામુહિક કનિદૈ લાકિઅ બળાત્કારના ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે પણ એક વિગત આંખે ઉડીને વળગે એવી છે કે, કનિદૈ લાકિઅ જે યુવાનો પર અકિલા આરોપ લાગ્યો છે તે ભોગબનનારના મિત્રો-પરિચિત છે. નાની બાળકીથી માંડી વૃદ્ઘા સુધી તમામ વય જૂથની મહિલાઓ અસલામત છે. આપણા પરિવારમાં કનિદૈ લાકિઅ મા-બાપ અને વડીલો ચિંતિત છે કે ઘરની બહાર ભણતી કે કામ કરતી દીકરીઓનું અકીલા શોષણ ના થાય. મહિલાઓને રાત્રે મોડા સુધી બહાર નહીં ફરવાનું કનિદૈ લાકિઅ સૂચન વારંવાર કરવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે ભારતની મહિલાઓ પોતાના ઘરમાં જ કેમ સુરક્ષિત નથી? જન્મ પૂર્વે ભૃણહત્યા એ તો કહેવાતા આધુનિક કનિદૈ લાકિઅ ભારતનો મહિલાઓ પરનો અમાનવીય અત્યાચાર છે. પરંતુ જન્મ બાદ  સ્ત્રી માતા-પિતાને ત્યાં, સાસરે, પાડોશમાં, સગાંઓનાં ઘરમાં એમ પરિચિતોની આસપાસ પણ કનિદૈ લાકિઅ અસલામત છે. આ કડવી પણ સ્વીકારવી પડે એવી વાસ્તવિકતા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના વર્ષ ર૦૧પના અહેવાલમાં છતી થઈ છે. 'વસુધૈવ કુંટુંબકમ'ના નારા કનિદૈ લાકિઅ લગાવતા ભારતીઓને આઘાત અને આશ્યર્ય થાય, કે દેશમાં મહિલાઓ પર થતાં બળાત્કારના આરોપીઓમાં ૯પ ટકા તો બળાત્કાર પીડિતાઓના પરિચિત જ હોય છે. વર્ષ કનિદૈ લાકિઅ ર૦૧પમાં દેશભરમાં મહિલાઓ પર બળાત્કારના કુલ ૩૪,૬પ૧ બનાવો બન્યા. તેમાંના ૩૩,૦૯૮ એટલે કે ૯પ ટકા કિસ્સાઓમાં ગુનેગારોને પીડિતા ઓળખતી હતી. સૌથી વધુ બળાત્કારીઓ પાડોશી છે એ વાસ્તવિકતા 'પાડોશીને પણ પ્રેમ કરો' એ ભગવાન ઈસુનો ઉપદેશ આપણાથી કેટલા જોજનો દૂર છે એની પ્રતીતિ કરાવે છે. ૯પ૦૮ (ર૮.૭ર ટકા) બનાવોમાં બળાત્કાર કરનાર પાડોશી હતા. તેનો અર્થ એ થયો કે ભારતનો પ્રત્યેક ચોથો બળાત્કારી પીડિતાનો પાડોશી છે. આ આંકડા આપણા સમાજ જીવનનાં એક એવા પાસાને સપાટી પર લાવે છે જે પાડોશી ધર્મ પર પ્રશ્નાર્થ મૂકે છે. પાડોશી બાદ બળાત્કારીઓનો એક એવો સમૂહ છે જે આજની કિશોરીઓ અને યુવતીઓનું શોષણ કરે છે અને તે પણ પ્રેમ અને લાગણીના ઓઠા હેઠળ. વર્ષ ર૦૧પમાં ૭૬પપ દુષ્કર્મના કિસ્સાઓમાં આરોપીએ એવી મહિલા પર બળાત્કાર કર્યો જેને તેણે લગ્નનું વચન આપ્યું હતું. પ્રથમ પ્રેમ અને નિકટતા કેળવી, જન્મો જન્મ સાથે રહેવાના વચન આપનારા કેટલાક પુરુષોએ પ્રેમિકાનું જાતીય શોષણ અને બળાત્કાર કર્યા. આમ પાડોશી અને પ્રેમી એ બંને પાત્રો જેના પર  સ્ત્રીઓ સૌથી વધુ વિશ્વાસ રાખતી હોય તે આજના ભારતના પ૦ ટકા બળાત્કારી આરોપી છે. બાળકી હોય કે વૃદ્ઘા હોય કે પછી કિશોરી કે યુવતી, એ તમામ, પરિવારના લોહીના સગાં એવા પુરુષો પાસે સલામત જ હોય એ સ્વાભાવિક છે પરંતુ ભારતમાં વર્ષ ર૦૧પમાં ૪૮૮ કિસ્સાઓમાં દુષ્કર્મ આચરનાર પીડિતાના દાદા, પિતા, ભાઈ અને પુત્ર હતા. ૪૮૮ બનાવો અને તે પણ એક વર્ષમાં અર્થાત્ પ્રતિદિન એકથી વધારે આરોપીઓ શોષિત મહિલાના પરિવારના જ સભ્યો છે. આવી ઘટનાઓનો માનસશા સ્ત્રીઓ તો અભ્યાસ કરે જ પરંતુ જનસામાન્ય માટે એ અત્યંત આઘાતજનક છે કે આજની ભારતીય મહિલા પોતાના જ ઘરમાં અસુરક્ષિત છે, અસલામત છે, શોષિત છે. નજીકના કૌટુંબિક સગાઓથી માંડી નજીકના સંબંધીઓ તેમજ લીવ ઈનમાં રહેતી મહિલાઓના પાર્ટનર અને પૂર્વ પતિ દ્વારા પણ દુષ્કર્મ આચરવામાં આવે છે. પોલીસના ચોપડે નોંધાયેલી હકીકતો એક તરફ સૌને ચિંતામાં મૂકી દે છે. બીજી તરફ આ હકીકતો કિશોર અને કિશોરીઓના ઉછેરમાં કેવી તકેદારી રાખવી જોઈએ એ દિશામાં ચિંતન કરવા સૌને પ્રેરે છે. (3:50 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137884

રાજદ્રોહ કેસ : હાર્દિકને ૨૧ સુધીની મહેતલ આપી દેવાઈ
 ફટકાર બાદ હાર્દિક-ચિરાગ પટેલ કોર્ટમાં હાજર : ૨૧મી જૂલાઇ સુધીમાં હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાંથી રાહત મેળવવા કનિદૈ લાકિઅ મહેતલ : મહેતલ બાદ રાજદ્રોહ કેસમાં ચાર્જફ્રેમ અમદાવાદ,તા. ૬ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજયમાં હિંસા, કનિદૈ લાકિઅ તોડફોડ અને કોમી અકિલા વૈમનસ્ય ફેલાવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા પાસના કન્વીનર હાર્દિક પટેલને ગત મુદતે કોર્ટે કનિદૈ લાકિઅ લગાવેલી ફટકાર બાદ આજે હાર્દિક પટેલ અને ચિરાગ પટેલે બંને કોર્ટ સમક્ષ રૂબરૂ અકીલા હાજર રહ્યા હતા. હાર્દિક પટેલના વકીલ તરફથી રાજદ્રોહ કેસમાં કનિદૈ લાકિઅ ચાર્જફ્રેમ કરવાના તબક્કામાં વધુ એક મહિનાની મુદત માંગતા કોર્ટને વિનંતી કરાઇ હતી કે, આ કેસમાં તેમની નામંજૂર થયેલી ડિસ્ચાર્જ અરજી સામે તેમણે કનિદૈ લાકિઅ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ સમક્ષ અરજીઓ કરેલી છે, તેથી ત્યાંથી કોઇ હુકમ કે રાહત આવે ત્યાં સુધી ચાર્જફ્રેમ કરવામાં ના આવે. જો કે, એડિશનલ કનિદૈ લાકિઅ સેશન્સ જજ ડી.પી.મહિડાએ આરોપીઓને તા.૨૧મી જૂલાઇનું અલ્ટિમેટમ આપતાં સાફ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, તા.૨૧ જૂલાઇ સુધીમાં હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાંથી કનિદૈ લાકિઅ તમારે જે રાહત જોઇએ તે મેળવવાની ત્યાં સુધીની મહેતલ આપવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટ ખૂબ જ મહત્વના અને સંવેદનશીલ એવા રાજદ્રોહના કનિદૈ લાકિઅ આ કેસમાં તેઓની વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું પરંતુ તેની બજવણી બાદ પણ હાર્દિક પટેલ કેસની સુનાવણી દરમ્યાન સામાજિક કામોનું બહાનુ ધરી હાજર નહી રહેતાં રાજય સરકાર તરફથી નવી અરજી કરી તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માંગણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ તરફથી અગાઉ આ કેસનું કામ તાત્કાલિક બોર્ડ પર લેવા, તેની વિરૂધ્ધ જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ રદ કરવા અને કેસની સુનાવણી દરમ્યાન તેને હાજર રહેવામાંથી મુકિત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આકરા વલણ સાથે આ ત્રણેય અરજીઓ ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન આરોપી હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી અને ઘણી મુદતોથી આ કેસમાં અદાલત સમક્ષ હાજરી આપવામાં આવતી નથી. જામીન આપતી વખતે અદાલતની શરતોમાં પણ કેસના ટ્રાયલ વખતે આરોપીએ દર મુદતે હાજર રહેવાની સ્પષ્ટ તાકીદ કરાતી હોય છે. સુપ્રીમકોર્ટે પણ આ અંગે ચુકાદાઓ જારી કરેલા છે ત્યારે આરોપીઓ દ્વારા રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને અતિમહત્વના કેસની સુનાવણીને ભારે હળવાશથી લેવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. આરોપીના બેજવાબદાર વલણને લઇ ચાર્જફ્રેમનો તબક્કો વિલંબિત થઇ રહ્યો છે. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ગત મુદતે હાર્દિક પટેલ સહિતના આરોપીઓને ફટકાર લગાવી આજની મુદતે હાજર રહેવા કડક તાકીદ કરી હતી. જેના અનુસંધાનમાં આજે હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ કોર્ટ રૂબરૂ હાજર રહ્યા હતા પરંતુ દિનેશ બાંભણીયા કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. જેના કારણે કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આરોપીપક્ષને તા.૨૧ જૂલાઇ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ અદાલત દ્વારા રાજદ્રોહ કેસમાં ચાર્જફ્રેમ કરવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરાઇ હતી. હાર્દિક પટેલ તરફથી હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પડતર અરજીનું કારણ ધરી એક મહિનાની મુદતની માંગણી કરવામાં આવી હતી, તે પણ કોર્ટે ધરાર ફગાવી દીધી હતી અને તા.૨૧ જૂલાઇ સુધીની જ મહેતલ આપી હતી. (8:16 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/06-07-2018/81992


ધોરાજીનાં ભાડેર ગામમાં જીવણભાઇ સાંગાણીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો-પટેલ સમાજ દ્વારા ઇન્કાર
 રવિવારે શ્રધ્ધાંજલી સભામાં આંદોલનાત્મક કાર્યક્રમોની રણનીતિ કનિદૈ લાકિઅ ઘડાશે ધોરાજી તા. ૬ :.. ધોરાજીના ભાડેર ગામે ખેડૂત પટેલ જીવણભાઇ છગનભાઇ સાંગાણીને બુધવારે તેઓ તેઓની વાડીએ બાઇક લઇને ગયેલ અને વાડીએથી પરત કનિદૈ લાકિઅ ઘેર  આવતા અકિલા હતા ત્યારે બપોર પછી તેમનું સ્કોપીઓ કારમાં બંધુકના નાળચે અપહરણ કરાયાના એકાદ કલાકમાં જ ઘાતકી હત્યા કરી અને માથા સહિતના ભાગે કનિદૈ લાકિઅ ગોળીઓ મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે ૭ શખ્સો વિરૂધ્ધ હત્યા અકીલા અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધેલ હતો. ભાડેર ગામે કનિદૈ લાકિઅ જમીન વિવાદ મામલે પંદર દિવસ પહેલા રવજા ગામના મુસા સંધી નામના શખ્સની હત્યાના આરોપી તરીકે ભાડેર ગામના આરોપી તરીકે ભાડેર ગામના જેન્તીભાઇ સાગાણી કનિદૈ લાકિઅ સહિતના નામો લીધેલ હતાં અને આજ વિવાદમાં બુધવારે સાંજે પાંચ વાગ્યે જીવણભાઇ છગનભાઇ સાંગાણી પોતાની વાડીએથી ભાગ્યાના ઘર તરફ આવતા હતા ત્યારે કનિદૈ લાકિઅ કારમાં આવેલ શખ્સોએ જીવણભાઇના માથામાં એક રાઉન્ડ ગોળી મારી અપહરણ કરી મારી નાખી લાશને જૂનાગઢના ધંધુસર નાદરખી રોડ પર નાખી નાસી ગયા. આ અંગે કનિદૈ લાકિઅ મૃતકના પરીવારના હરીભાઇ છગનભાઇ સાંગાણી, પાટણવાવ પોલીસમાં ફરીયાદ પાટીદાર સમાજ દ્વારા ભાડેર ગામે ખેડૂત પટેલની હત્યા સામે  પટેલ સમાજના વેપારીઓ, કનિદૈ લાકિઅ રાજકીય અગ્રણીઓ અને ખેડૂતો અને મહીલાઓ સહિતના બહોળી સંખ્યામાં ધોરાજીની પોતાની કચેરીએ આવેદન પાઠવી હત્યા અને અપહરણના બનાવને વખોડી કાઢયો હતો અને આવેદનમાં જણાવેલ હતું કે ભાડેરના ચોકકસ જ્ઞાતીના લોકો દ્વારા જેન્તીભાઇ સાંગાણીની જમીન પચાવી પાડવા વેતરણ કરતા હોય અને નામદાર કોર્ટમાં જમીન વિવાદમાં મનાઇ હુકમ છે. જમીન પચાવી પાડવા રવજા ગામના માથાભારે શખ્સોનો ઉપયોગ કરી પટેલ પરીવારના ઘરને દબાવા શરૂ કરેલ અને ઝઘડા દરમ્યાન મુસા સંધીનું મોત થયું હતું આ બનાવ બાદ નિર્દોષ એવા જીવનભાઇ છગનભાઇ સાંગાણીની મૃતક મુસા સંધીના ભત્રીજા જુસબ અને ભાડેર ગામના લોકોએ બીનકાયદેસર ટોળણી રચી અપહરણ કરી ઘાતકી રીતે મારી લાશ ફેંકી દિધી અને હજુ સુધી હત્યાના આરોપી પકડાયા નથી. આવેદન આપવા આવેલા ધોરાજી પંથકના સમાજના આગેવાનો અને મૃતક પરિવારના સ્વજનોએ ધોરાજીના ડે. કલેકટરને આવેદન આપવા આવેલ ત્યારે ભાડેર ગામે જીવણભાઇ સાંગાણી નામના ખેડુત પ્રોૈઢની બંધુકના ભડાકે હત્યા બાદ તેમના પરિવારજનો જુનાગઢની સરકારી હોસ્પિટલથી લાશે ફોરેન્સીક પીએમ  માટે જામનગર ખસેડાઇ અને ધોરાજી ડે. કલેકટરને જણાવેલ કે જયાં સુધી હત્યાના આરોપી ન પકડાય ત્યાંસુધી લાશ નહી સ્વીકારાય એવી જાહેરાત કરેલ છે. મૃતદેહનું જામનગરમાં પોસ્ટમોર્ટમ બાદ જુનાગઢ હોસ્પિટલમાં રાખેલ છે. પટેલ સમાજ દ્વારા મૃતકના આત્માને મોક્ષાર્થે ધારાજીના શ્રી લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે તા. ૮ ને રવિવારે સાંજે ૪ કલાકે પ્રાર્થના સભા યોજાશે જેમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી શ્રધ્ધા સુમન અપર્ણ કરશે. (11:55 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/06-07-2018/90862


ધોરાજીના ભંડેર ગામે આધેડની હત્યાના ઘેરા પડઘા: પાટીદાર સમાજમાં રોષ બાદ પીએસઆઇની બદલી 
કલેક્ટરને આપ્યું આવેદનપત્ર :હત્યારાની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહ કનિદૈ લાકિઅ સ્વીકારવા ઇન્કાર   ધોરાજીના ભડેર ગામે એક માથાભારે શખ્શ દ્વારા એક આધેડની હત્યા બાદ આ હત્યાને લઇને પાટીદાર સમાજમાં રોષની લાગણી પ્રસરી કનિદૈ લાકિઅ છે.જેમાં પાટીદાર અકિલા સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપ્યુ છે. આ સાથે જ્યાં સુધી હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ કનિદૈ લાકિઅ મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે  બીજી તરફ ભાડેરની મહિલાઓએ પાટણવાવના પીએસઆઇ વિરુદ્ધ આક્રોશ વ્યકત કરતા જિલ્લા પોલીસવડા અંતરિપ સુદે કનિદૈ લાકિઅ પીએસઆઇની બદલી કરી નાખી છે. (11:27 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/06-07-2018/90821


વરસાદ વગર ધરતીપુત્રો ધોવાઈ ગયા કપાસનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ
 - 'કોરામાં વાવેતર' કરવાની પ્રથા ભારે પડશે - ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો પ૦ ટકા વાવેતર ઉપર પાણી ફરી વળશે મોટાભાગના ખેડૂતોએ ફરી વાવણી કરવાનો વારો આવશે અમદાવાદ, તા. 6 જુલાઇ, 2018, શુક્રવાર આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હોવાછતાં પુરતો વરસાદ વરસતો નથી. ખરીફ સિઝનના વાવેતરનો યોગ્ય સમય હવે હાથમાંથી નિકળી ગયો છે. ત્યારે ધરતીપુત્રો વરસાદ વગર ધોવાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ વવાતા કપાસના પાકનું હજ્જારો વિઘાનું વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો પ૦ ટકા જેટલા વાવેતર ઉપર પાણી ફરી વળશે. મોટાભાગના ખેડૂતોએ ફરી વખત વાવણી કરવાનો સમય આવશે. ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ખેડૂતોને દગો દીધો હોય તેમ હજુ સુધી રાજયનો અડધાથી વધારે વિસ્તાર કોરો રહી ગયો છે. રાજ્યમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં બે-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે, દરિયા પટ્ટીથી જમીન ઉપર ૩૦-૪૦ કિ.મી. અંદરની તરફ જોઈએ તેવો વરસાદ પડયો નથી. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ વવાતા કપાસનું અત્યાર સુધીમાં ૪.૯ર લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોનો કપાસ તરફનો ઝોક વધ્યો છે. માટે કપાસનું વાવેતર વધવાની ધારણા અગાઉથી હતી. કપાસનું અત્યાર સુધીનું થયેલુ વાવેતર નિયમીત વાવેતર નથી! કૃષિ તજજ્ઞાોના કહેવા પ્રમાણે કપાસના પાક સંદર્ભે થોડા વર્ષોથી ખેડૂતોએ 'કોરામાં વાવેતર' કરવાની પ્રથા અપનાવી છે. એટલે કે વરસાદ પડયા વગર જ ખેડૂતો ખેતરમાં કપાસનું બિયારણ વાવી દે છે. સંભવિત વરસાદની ગણતરી કરીને ૧પ-ર૦ દિવસ પહેલા ઉનાળામાં તપેલા ખેતરમાં સીધા જ કપાસનું વાવેતર કરી દેવાય છે. બાદમાં નિયત સમયે વરસાદ પડે એટલે આપમેળે ખેતરમાં છોડ ઉગવા માંડે છે. જો સમયસર વરસાદ પડે તો આ પ્રથા ખુબ સારી છે. પાકનો ઉગાવો સારો આવે છે. યોગ્ય સમયે કાપણી અવસ્થા આવી જાય છે. પાકની ગુણવત્તા સારી રહે છે. મજુરો ન મળવા સહિતની સમસ્યામાંથી છુટકારો મળે છે. પરંતુ સમયસર વરસાદ ન થાય તો વાવેતર નિષ્ફળ જવાથી ખેડૂતોએ મોટી નૂકશાની સહન કરવાનો વારો આવે છે. આ વર્ષે તેવું જ બન્યું છે. વરસાદ ન પડતા ખેતરોમાં બિયારણ બળી ગયું છે, તો વળી ક્યાંક હળવા ઝાપટા વચ્ચે ભેજના કારણે બિયારણમાંથી કૂંપણો ફૂટી નિકળી હોય તો તે હવે પાણીના અભાવે કે તડકો પડતા બળી જશે. એકંદરે સ્થિતિ એવી પેદા થઈ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોએ કોરામાં કરેલું બધુ જ વાવેતર નિષ્ફળ જશે. વિઘે રૃ.એક હજારની સીધી નુકશાની કપાસનું કોરામાં વાવેતર એટલે કે વરસાદ પહેલા જ સુકી જમીનમાં વાવેતર કરી દેવાની પ્રથા આ વખતે નિષ્ફળ ગઈ છે. હજ્જારો ખેડૂતો આ પ્રથા મુજબ જ વાવેતર કરે છે. કપાસના વાવેતરમાં વિઘે રૃ.૪૦૦નું બિયારણ અને રૃ.રપ૦નું ખાતર જોઈએ છે. આ ઉપરાંત મજુરી અને અન્ય ખર્ચ ગણવામાં આવે તો વિઘે એકાદ હજાર રૃપિયામાં કપાસનું વાવેતર પડે છે. વાવેતર નિષ્ફળ જાય તો ખેડૂતોએ વિઘે એક હજાર રૃપિયાની નુકશાની વેઠવી પડશે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા આંકડા અનુસાર ર૪ લાખ વિઘામાં કરતા વધારે જમીનમાં વાવણી થઈ છે. તે પ્રમાણે નુકશાનીનો આંકડો કરોડો રૃપિયામાં પહોંચે તેમ છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/fear-of-failure-of-cotton-sowing

દિલ્હીમાં પરિવારના ૧૧ લોકોની આત્મહત્યામાં સંડોવણી બદલ તાંત્રિક મહિલાની ધરપકડ
 - મહિલાએ સ્ટિંગમાં તાંત્રિક વીધિની વાત કબુલી - બધાને લટકવાનું કહેનારા લલિતે છેલ્લે કોન્ટ્રાક્ટરને જ ફોન કર્યો હતો: પોલીસ સાઇકોલોજિકલ ઓટોસ્પાઇ રિપ નવી દિલ્હી, તા. 6 જુલાઇ, 2018, શુક્રવાર દેશભરમાં ચકચાર જગાવનાર દિલ્હીના એક જ પરિવારના ૧૧ લોકોના મોતના મામલે નવા ખુલાસા થઇ રહ્યા છે. આ પરિવારે કેટલીક તાંત્રીક વીધીમાં આવીને અને ઘરના એક નાગરીકના સપનાને સાચુ માનીને માત્ર વહેમ અને ભ્રમમાં રહીને જીવ ગૂમાવ્યો હતો. આ મામલે હવે એક મહિલા તાંત્રીકનું નામ સામે આવ્યું છે. આ આખો પરિવાર જે ઘરમાં રહેતો હતો તેને બનાવનારા કોન્ટ્રાક્ટરની બહેર એક તાંત્રીક છે અને તે ભાટીયા પરિવારના સંપર્કમાં હતી. આ મહિલા તાંત્રીકનો દાવો છે કે તે ભુત પ્રેત ભગાવે છે. પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ કરી રહી છે. આ મહિલાનું નામ ગીતા મા છે અને તેણે દાવો કર્યો છે કે ભાટીયા પરિવારને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. સ્ટિંગ ઓપરેશનમાં મહિલા આ વાત કબુલ કરતી ઝડપાઇ ગઇ છે. બીજી તરફ આ સમગ્ર કેસમાં સાઇકોલોજિકલ ઓટોસ્પાઇ હાથ ધરવામાં આવશે. આ ઓટોસ્પાઇમાં જે પણ લોકો માર્યા ગયા તેઓએ કેમ આત્મહત્યા કરી તેનું કારણ જાણવાનો પ્રયાસ થાય છે જેમાં મૃતકોનું સ્વાસ્થ્ય રિપોર્ટ, પરિવાર અને મિત્રોના ઇન્ટરવ્યૂના આધારે એક અનુમાન તૈયાર કરાય છે. પોલીસે સીસીટીવી કેમેરાની ક્લીપો પણ મેળવી છે જેમાં ભાટીયા પરિવારના કેટલાક લોકો દુકાનેથી ટુલ ખરીદતા પણ જોવા મળે છે. આ ટુલનો ઉપયોગ તેઓએ ગળે ફાસો ખાધી વખતે કર્યો હતો. હાલનો ઓટોસ્પાઇ રિપોર્ટ જણાવે છે કે આ દરેકે ગળે ફાંસો ખાઇને જીવ ગૂમાવ્યો હતો. જોકે આવુ કેમ કર્યું તેનું કોઇ ચોક્કસ કારણ બહાર નથી આવ્યુ માત્ર એટલી જાણકારી મળી છે કે પરિવારના એક વ્યક્તિના એક સપનાને ધ્યાનમાં રાખીને આખા પરિવારે ભ્રમમાં આવી પોતાનો જીવ લઇ લીધો. લલિત નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે સ્વર્ગસ્થ પિતાજી સપનામાં આવ્યા હતા અને તેમણે બધાને ગળે ફાંસો લગાવી લટકવાનું કહ્યું છે. તેઓ આપણને બચાવી લેશે. અને મોક્ષ પણ મળશે. લલીતના આ સપનાને સાચુ માનીને દરેકે એમ કર્યું અને જીવ ગૂમાવ્યો, આ અંગેનો ઉલ્લેખ ઘરમાંથી મળી આવેલ લખાણમાં પણ છે. પોલીસે હાલ દરેક પુરાવાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. પોલીસે પરિવારના ૧૧ લોકોના ફોનની પણ તપાસ કરી છે. તેઓએ છેલ્લે કોને ફોન કર્યો હતો તેની વિગતો મેળવી લીધી છે. જેમાં એ પણ સામે આવ્યું છે કે લલિતે છેલ્લે ઘરના કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો. અને ઘરના કોન્ક્ટ્રાક્ટરની બહેન જ તાંત્રીક વીધી કરી રહી છે.   લોકો અમને વિચિત્ર દ્રષ્ટીએ જોવા લાગ્યા છે : મૃતકોના પરિવારજનો જે પરિવારે આત્મહત્યા કરી હવે તેના અન્ય કેટલાક સભ્યો મીડિયા સામે આવી રહ્યા છે અને પોતાની આપવીતી વ્યક્ત કરી રહ્યા છે. આવા જ એક પરિવારજને મીડિયાને જણાવ્યું હતું કે મારા પરિવારે આવુ પગલુ ભર્યું હોવાથી અને તેેમના મોતને લઇને સતત રહસ્ય ઉભુ કરવાને કારણે હવે અમારી સાથે તેમને જોડીને જોવામાં આવે છે. અને અમારા પર પણ આવી જ શંકાની દ્રષ્ટીથી જોવામાં આવે છે. મૃત્યુ પામેલાની એક પૌત્રી વીશાખાએ જણાવ્યું હતું કે અમારા પરિવારના ૧૧ લોકો મૃત્યુ પામ્યા જેને એટલે મોટો મુદ્દો બનાવી દેવાયો કે અમે અમારુ દુ:ખ પણ વ્યક્ત ન કરી શક્યા. અમને આવા સમયે આ દુ:ખની ઘડીમાં પણ એકલા નથી મુકવામાં આવતા. મારો આખો પરિવાર ખુશ હતો કેમ કે ઘરમાં નાની દિકરીના ઔલગ્ન હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/tantric-woman-arrested-for-involvement-in-11-family-suicides-in-delhi

બિગબજાર, રિલાયન્સ મોલમાં વેચાતા ખાદ્યપદાર્થોમાં જીવાતો!
 - રાજકોટ મનપાના ચેકિંગમાં ખુલી મોલની મેગા લાપરવાહી - નામ બડે, દર્શન છોટે: લોટમાં ધનેડાં, ફ્રી મકાઈ અખાદ્ય, બટર-ચીઝમાં ફૂગ, કેમિકલ પદાર્થ - બન્ને મોલને નોટિસો, હજુય નહીં સુધરે તો ફૂડલાયસન્સ થશે રદ રાજકોટ,તા. 07 જુલાઈ 2018, શનિવાર રાજકોટમાં છેલ્લા સપ્તાહથી રેંકડીઓમાં વેચાતી ખાદ્યચીજોના ચેકીંગમાં ત્યાં નાની-મોટી બેદરકારી નજરે પડી હતી જે સિલસિલામાં આજે મનપા દ્વારા શહેરના રીંગરોડ પર બીગબજાર અને રિલાયન્સ મોલમાં ચેકીંગ કરતા મોટા મોલમાં મોટી લાપરવાહી અને જનઆરોગ્ય સાથેના ચેડાં ખુલ્લા પડયા હતા. ખાદ્ય પદાર્થોમાં ફૂગ વળી ગઈ હતી, જીવાતો હતી, જાળવણી બરાબર ન્હોતી અને છતાં ગ્રાહકોને વેચવા માટે રાખી હતી! મનપાએ બન્ને સ્થળેથી ૨૫૦ કિલોથી વધારે વાસી, સડેલા પદાર્થોનો નાશ કર્યો છે અને બન્ને મોલને નોટિસ ફટકારી છે. આ અંગે વધુમાં આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે રિલાયન્સ મોલમાં ફૂડ વિભાગની ટીમે વિરલભાઈ શેઠની હાજરીમાં મોલમાં વેચાતા ખાદ્યપદાર્થોનું ચેકીંગ કરાયું હતું. જેમાં ફ્રૂટ સડેલા અને શાકભાજી પર ફૂગ વળી ગઈ હતી. બેવરેજીસ ફૂલાઈને લીક થયું હતું. અણુલ બટર વગેરે ૪ સે.તાપમાને સ્ટોર કરવાનું હોય છે તેવું તેના પર લખેલું હોય છે છતાં તેથી ઉંચા તાપમાને સ્ટોર કરાતા બગડી ગયું હતું. કોલ્ડડ્રીંક્સની બોટલો પણ વાસી હતી અને ખાદ્યચીજોમાં જીવાતો હતી. આવી ખાદ્યચીજોમાં શક્તિ ડેટ્સ ખારેક, કીવી, પીળા કેપ્સીકમ સાડા છ કિલો, ફૂગવળેલા પીચના ૧૪ પેકેટ્સ, સ્પ્રાઈટ,સેવનઅપ,કોકાકોલા વગેરેના કૂલ ૩૩ પેક્ડ ટીન, લીકેજ થયેલો આઈસ્ક્રીમ સાડાત્રણ કિલો વગેરેનો નાશ કરાયો છે. જ્યારે બીગબજારમાં તપાસ કરતા જીવાતવાળો અને સડેલી ખાદ્યચીજો મોટી માત્રામાં મળી આવી હતી. સ્થળ પર મેનેજમેન્ટના જવાબદારોની સ્વેચ્છાએ તેનો નાશ કરાયો હતો. ૧૪૦ કિલો ઘંઉનો લોટ જેમાં જીવાતો પડી ગઈ હતી! ૧૦ કિલો સડેલા કેળા, ૫ કિલો સડેલી ખારેક, પેક્ડ મકાઈના ૫૨ પેકેટ્સ કે જેમાં અસંખ્ય જીવાતો ખદબદતી હતી, ડ્રાઈફ્રૂટના ૧૨ પેકેટ પણ અખાદ્ય અને વાસી હોય આ ચીજોનો નાશ કરાયો છે. ખીરુ બનાવવાની જગ્યાએ પણ સ્વચ્છતા જળવાતી ન્હોતી. ચોંકાવનારી વાત એ છે કે મોલમાં ફીનાઈલ, સાબુ જેવા કેમીકલ પદાર્થોની સાથે ખાદ્ય ચીજો રખાયા હતા! સામાન્ય ગૃહિણી પણ જ્યારે ખાદ્યચીજો ખરીદે ત્યારે તેને ટોઈલેટ-બાથરૃમ ધોવાના કેમીકલના શીશાની સાથે બેગમાં ન નાંખે. આઈસ્ક્રીમના ટુટેલા બોક્સ પણ વેચાણમાં રાખ્યા હતા. મનપાએ જણાવ્યું કે આજે બન્ને મોલને નોટિસો ફટકારી છે અને થોડા સમય બાદ ફરી ચેકીંગ કરાશે ત્યારે જો આવી બેદરકારી નજરે પડશે તો ફૂડ લાયસન્સ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. મોટા મોલ કે હોટલમાં લોકો ક્વોલિટીની ખાત્રી સાથે ખાદ્યચીજો ખરીદતા કે આરોગતા હોય છે પણ ત્યાં લોલંલોલ અત્યંત ગંભીર બાબત છે. મનપાએ આવું ચેકીંગ મોટી રેસ્ટોરાં હોટલોમાં પણ કરવાની જરૃર છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/big-bazaar-and-reliance-mall-sold-pests-in-food

અલ્પેશ, જિજ્ઞેશ, હાર્દિકની જનતા રેડ સામે ગુનો, ત્રણેય નેતા ધરપકડ વહોરશે

ત્રણેય યુવા નેતાઓ વિરૂધ ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસવાનો અને ટ્રેસ પાસિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ગાંધીનગર: શહેરના સોલા વિસ્તારમાં બનેલા લઠ્ઠાંકાડની ઘટના બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી તથા પાસનાં અધ્યક્ષ હાર્દીક પટેલે ટોળા સાથે પહોંચી જઇને ગાંધીનગર સેકટર-27 એસપી ઓફિસ સામેનાં એક મકાનમાં રેડ પાડી હતી. આ ઘટના બાદ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ત્રણેય યુવા નેતાઓ વિરૂધ ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસવાનો અને ટ્રેસ પાસિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય નેતાઓ આજે સાંજે 5 વાગે સામે ચાલીને ધરપકડ વહોરશે.

અલ્પેશે મિડીયા સમક્ષ દારૂનું વેચાણ ચાલતુ હોવા મુદ્દે તિખી પ્રતિક્રીયા આપી હતી

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી તથા પાસનાં અધ્યક્ષ હાર્દીક પટેલે ટોળા સાથે પહોચી જઇને ગાંધીનગર સેકટર-27 એસપી ઓફિસ સામેનાં એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં 400-400 મીલીની બે થેલીમાં દારૂ જેવું લાગતું પ્રવાહી મળી આવ્યા બાદ અલ્પેશે મિડીયા સમક્ષ ગુજરાતમાં દારૂબંધી છતા વેચાણ ચાલતુ હોવા મુદ્દે તિખી પ્રતિક્રીયા આપી હતી. જયારે બીજી તરફ જેનાં ઘરમાંથી કથિત દારૂ પકડાયો હતો તેમણે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કોઇ અજાણ્યો યુવક ઓસરીમાં કોથળી મુકવા આવ્યો હતો. તેમને કંઇક પુછીએ તે પહેલા નિકળી ગયો હતો અને આ ટોળુ ધસી આવ્યું હતું.

આદિવાડા વિસ્તારમાં રહેતા કંચનબેન ઝાલાને ત્યાં દરોડો પાડ્યો

આ રેડને લઇને પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ગાંધીનગર શહેર તથા આસપાસનાં વિસ્તારો એક સમયે દેશી દારૂનાં અડ્ડા ગણાતા હતા. પરંતુ છેલ્લા 3 વર્ષથી પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સ્થિતીમાં ઘણો સુધારો થયો છે. ત્યારે ગુરૂવારે બપોરે 3 વાગ્યાનાં અરસામાં અલ્પેશ ઠાકોર, હાર્દીક પટેલ તથા જીગ્નેશ મેવાણીએ ટોળા સાથે આદિવાડા વિસ્તારમાં રહેતા કંચનબેન ઝાલાને ત્યાં દરોડો પાડ્યો હતો. ટોળાએ આખા ઘરમાં તપાસ કરતા કથીત દારૂની બે કોથળીઓ મળી આવી હતી. દરોડાની જાણ થતા પોલીસ તથા મીડિયા પણ દોડી ગયુ હતુ. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે સરકાર પ્લાસ્ટીકને પકડવા મહેનત કરી રહી છે. પરંતુ દારૂ પકડતી નથી. દારૂ પ્લાસ્ટીકનાં જ પાઉચમાં મળે છે. લોકોને સાથે રાખીને પાડવામાં આવેલા આ દરોડામાં દારૂ મળે તે સરકાર અને પોલીસ દારૂબંધીની દિશામાં બેદરકાર છે તે સાબિત કરે છે. તેવો આક્ષેપ કરાયો હતો.
પહેલા ધંધો કરતા હતા એકાદ માસથી બંધ કરી દીધો છે: કંચનબહેન ઝાલા

અલ્પેશ દ્વારા જે ઘરમાંથી દારૂ મળ્યો છે ત્યાં દારૂ વેચાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે તે મકાન માલીક કંચનબેન ઝાલાએ ત્યારે જ મિડીયાને જણાવ્યુ હતુ કે પહેલા અમે ધંધો કરતા હતા પણ એકાદ માસથી બંધ કરી દીધો છે. જે કોથળીઓ મળી તે કોઇ યુવક ઓસરીમાં ઘુસીને મુકી ગયો હતો.

કોથળીઓ મુકનારા યુવક પ્રવિણ ભરવાડની પુછપરછ થશે: એસપી

ગાંધીનગર એસપી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ કે દારૂબંધી બાબતે અમે સખત કામ કરી રહ્યા છે. જે બે કોથળી દારૂ મળ્યો તે યુવક રેડ પહેલા જ મુકી ગયો હોવાનો કંચનબેનનો દાવો છે. તે યુવક વિરમગામનો વતની પ્રવિણ લક્ષ્મણ ભરવાડ નામનો યુવક હોવાનું સામે આવ્યુ છે. તેમની પુછપરછ કરાશે અને તપાસ કરીને ગુનો દાખલ કરાશે.
અલ્પેશ અને હાર્દિકની કારને પોલીસે રોકી હતી

ઇન્ફોસીટી પાસેથી બ્લેક ફિલ્મવાળી બે ફોર્ચુનર કાર નિકળતા રૂટીનમાં વાહન ચેકીંગ તથા ટ્રાફિક નિયમનું કામ સંભાળતી ઇન્ફોસીટી પોલીસે રોકાવી હતી, નંબર પણ વંચાય તેવા ન હોવાનો પોલીસનો દાવો છે. પોલીસે કાર રોકાવતા તેમાં અલ્પેશ ઠાકોર અને હાર્દીક પટેલ જ બેઠા હતા. બ્લેક ફિલ્મ અંગે દંડનીય કાર્યવાહી કરતા બંનેએ તથા તેમની સાથેનાં લોકોએ પોલીસ સાથે બોલાચાલી કરીને હોબાળો કર્યો હતો. જો કે પોલીસે પોતાની ફરજનાં ભાગે રૂપે બંને ફોર્ચુનર કારના ચાલક કોર્ટનો મેમો પકડાવી દીધો હતો.આ ઘટના બાદ થોડો સમય મામલો ભારે ગરમાયો હતો. પણ બાદમાં વિવાદ શાંત થઈ ગયો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-trace-passing-offense-against-hardik-patel-alpesh-thakor-and-jignesh-mevani-gujarati-news-5911397-PHO.html?ref=ht&seq=1


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. get the latest happy independence day wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

    get the latest happy good morning wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

    get the latest happy birthday wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

    ReplyDelete