સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 7 March 2016

આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આતંકીઓ ઘૂસ્યાના ભયથી દેશભરમાં હાઈ એલર્ટ

- ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં જડબેસલાક સુરક્ષા

- પાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ભારતને ઘૂસણખોરીની બાતમી આપતાં આઇબી સતર્ક

પ. ભારતના તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતો બંદોબસ્ત
કોલકાતા એરપોર્ટને ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતાં એલર્ટ
(પીટીઆઈ)                      નવી દિલ્હી, તા.૬
ગુજરાત સરહદેથી દેશમાં પાકિસ્તાનના દસ આતંકવાદી ઘૂસ્યા હોવાની ગુપ્તચર અહેવાલો પછી રાજધાની દિલ્હી સહિત પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.  ગુપ્તચર તંત્રે આપેલી જાણકારી મુજબ, મહાશિવરાત્રીના તહેવારને પગલે આતંકવાદીઓ કોઈ મોટા હુમલાને અંજામ આપે એવું પણ બની શકે છે. આ કારણોસર કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને સાબદાં રહેવાનું પણ સૂચન કર્યું છે.
ભારતમાં પાકિસ્તાન સરહદેથી તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી ઘૂસ્યાની બાતમી ભારતને પાકિસ્તાને જ આપી હતી. પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર નસીર ખાન જંઝુઆએ જ સોમવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને આ માહિતી આપતા કહ્યું હતું કે, મહા શિવરાત્રીના તહેવારના પગલે કેટલાક આતંકવાદીઓએ ગુજરાતમાંથી ઘૂસીને મોટો હુમલો કરવાનું આયોજન કર્યું છે.
પશ્ચિમી રાજ્યોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમી પછી નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની ચાર ટીમ પણ તૈનાત કરાઈ છે. આ દરમિયાન પોલીસે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં ગુપ્ત તપાસ હાથ ધરી છે. કચ્છ જેવા સરહદી શહેરમાં પણ કેટલાક સ્થળે દરોડા પડાયા હતા. એટલું જ નહીં, દેશના તમામ સંવેદનશીલ સ્થળો, ઔદ્યોગિક વિસ્તારો અને મંદિરોમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.
આ દરમિયાન કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ૨૪ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. કોલકાતા પોલીસના જણાવ્યાનુસાર, આ ઈ-મેઇલ જર્મનીથી એરપોર્ટ મેનેજરના ઈ-મેઇલ એડ્રેસ પર મોકલાયો હતો. આ કારણોસર કોલકાતામાં પણ એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને મંદિરો જેવા મહત્ત્વના સ્થળોએ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી પછી  સરકારી મકાનો, ગીચ વિસ્તારો, મંદિરો અને ભરચક બજારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પઠાણકોટ એરબેઝ પરના હુમલા પછી દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા છે અને સરહદો પણ અભેદ્ય છે. જોકે, આ વખતે તૈયબા અને જૈશ એ મોહમ્મદના દસ આતંકવાદી દિલ્હીમાં ઘૂસ્યાની બાતમી પછી પેટ્રોલિંગ વધારાયું છે અને તમામ મહત્ત્વના સ્થળોએ સીસીટીવી પણ ગોઠવાયા છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલ જુદી જુદી રીતે સુરક્ષાની સ્થિતિ સંભાળી રહ્યા છે, જેથી અસમાજિક તત્ત્વો પર પણ પૂરતી નજર રાખી શકાય.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday 3 March 2016

અનામત અથવા OBC આપો રાજસ્થાન પેટર્ન નહીં ચાલે - દલિત આદિવાસી તથા મુસ્લિમ સમાજ માટે શહેરમાં છાત્રાલય અથવા આશ્રમ બનાવવામાં આવે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામત અથવા OBC આપો રાજસ્થાન પેટર્ન નહીં ચાલે

- પાટીદારોએ ૨૭ મુદ્દા જાહેર કર્યા

- ૧૦ દિવસમાં સરકાર ૨૭ મુદ્દા પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

(પ્રતિનિધિ દ્વારા)        સુરત, બુધવાર
પટેલ સમાજને અનામત અથવા ઓબીસી આપો, રાજસ્થાન પેટર્ન નહીં ચાલે, તમામ યુવાનો પરના કેસો પાછા ખેંચો, પટેલ નિગમ અથવા આયોગ બનાવો, પોલીસ દમનનો ભોગ બનેલાને ૧૫ લાખનું વળતર આપો... આવા ૨૭ મુદ્દાઓ આજે સુરતમાં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પાસ દ્વારા રજૂ કરાયા હતા. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં દસ કન્વીનર્સ હાર્દિક પટેલને મળવા લાજપોર જેલ ગયા હતા. તેઓની હાર્દિક પટેલ સાથે એક કલાક મિટીંગ ચાલી હતી.

એ મિટીંગ બાદ પાસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં હાર્દિકે આપેલા ૨૭ મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ૧૦ દિવસમાં સરકાર અમારા ૨૭ મુદ્દાઓ પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે. હાર્દિકે આપેલા ૨૭ મુદ્દા પાસ દ્વારા સાંસદ વિઠ્ઠલ રાદડીયા અને અન્ય મધ્યસ્થીઓને તથા સુરતના અગ્રણીઓને અપાયા છે. હાર્દિક સાથે મળવા ગયેલા કન્વીનર્સે સમાધાન અને આગળની રણનીતિ વિશે પણ ચર્ચા કરી હતી. જેમાં જો ૧૦ દિવસમાં નિર્ણય નહીં આવે તો રાજપીપળાથી સરદારના મૂળ વતન કરમસદ સુધીની કળશયાત્રા કાઢવાનું આયોજન પણ છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકનાં ૨૭ મુદ્દાઓમાં અનામત સિવાય અન્ય જ્ઞાાતિ અને સામાજીક મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

કોર્ટ મેરેજ માટે બંનેમાંથી કોઈ એકના માતા-પિતાની સહ જરૃરી
ધ કોર્ટ મેરેજ માટે બંનેમાંથી કોઈ એકના માતા અથવા પિતાની સહી જરૃરી હોવી જોઈએ. ધ ૨૧ નંબરના આ મુદ્દો વિચિત્ર છતાં વિચારવા જેવો છે. હાર્દિકે આ મુદ્દો કેમ લખ્યો? એની પાછળ પણ કંઈક કારણ અને તર્ક હોવું જોઈએ એવુ બુધ્ધિજીવીઓ કહી રહ્યા છે. પણ એટલુ ચોક્કસ છે આ ૨૭ મુદ્દા માટે હાર્દિકે ખૂબ મગજ કસ્યુ છે.

હાર્દિકનું અનામત બજેટ ૨૭ મુદ્દા જાણે યોજના!
હાર્દિકે ૨૭ મુદ્દામાં પટેલ સમાજ અનામત સાથે અન્ય મુદ્દાઓ પણ લીધા છે. સારી છાપ ઉભી કરવા કે ખરેખર હૃદયથી એ ખબર નહીં, પણ અમુક મુદ્દા ઘણા અસરકારક અને બધાનુ ભલુ થાય તેવા પ્રકારના છે, જેમાં ખેડૂતો માટે હાર્દિકે ખૂબ સારી ભાવના રાખી છે. ખેડૂતોના વીજ-પાણીના પ્રશ્નો તથા વ્યાજમુક્ત લોન, દલિત આદિવાસી, મુસ્લિમ, કોળી સમાજ વગેરે માટે વિચાર્યુ છે.

પાટીદારોની ૨૭ માંગણીઓ...
૧. પટેલ સમાજને અનામત આપો અથવા ઓબીસી આપો રાજસ્થાન પેટર્ન પ્રમાણે નહીં ચાલે
૨. તમામ યુવાનો પરનાં કેસો પાછા ખેંચો
૩. પટેલ નિગમ અથવા આયોગ બનાવો
૪. પોલીસ દમનનો ભોગ બનેલાને ૧૫ લાખનું વળતર અને સુરેન્દ્રનગર દલિતોની હત્યા થઈ તેમને ૧૦ લાખનું વળતર
૫. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનની હત્યા કરનાર પોલીસ પર કાર્યવાહી
૬. ખાનગી શાળા કોલેજમાં મેરિટ પ્રથાનો અમલ કરવો
૭. રોસ્ટર પધ્ધતિને નાબૂદ કરવામાં આવે
૮. રાજ્યમાં ૧૦ વિદ્યાર્થી ઓછી જમીન ધરાવનારા પરિવાર માટે સહાય નિગમ બનાવવામાં આવે જ દરેક જ્ઞાાતિ માટે ઉપયોગી બને, આ પરિવારને એસસી એસટીના લાભ મળે
૯. ખાનગી શાળામાં કોલેજમાં મેનેજમેન્ટ સીટ તેમજ ડોનેશન સીટ પર સરકાર ૮૦ ટકા રાહત આપે
૧૦. રાજ્યના તમામ તાલુકામાં બે સરકારી શાળા, વિશાળ તાલુકામાં સરકારી કોલેજ બનાવાઈ
૧૧. તમામ જાતિના યુવાનો માટે વગર વ્યાજે ધંધા માટે લોન
૧૨. રાજ્યની કંપનીઓમાં રાજ્યમાં ૮૦ ટકા રાહત આપે
૧૩. રાજ્યની સરકાર વધુમાં વધુ રોજગારી ઉભી કરે
૧૪. રાજ્યના ૫૦૦ એમબીબીએસની સીટમાં વધારો કરે
૧૫. ખાનગી શાળા કોલેજમાં ડોનેશન બંધ કરવામાં આવે
૧૬. ખેડૂતોને ભાવ પર તાત્કાલિક નિર્ણય લે
૧૭. ખેડૂતની મંજૂરી તથા સહી વગર જમીન સંપાદન કરવામાં ન આવે
૧૮. ખેતરની માલિકીમાં હાઈવોલ્ટેજ વીજ થાંભલા મૂકવા માટે યોગ્ય વળતર દર મહિને અપાય અને ખેતરના છેડે લગાવવામાં આવે
૧૯. ખેડૂતને સંપૂર્ણ કરમુક્ત લોન આપો
૨૦. ખેડૂતના મુખ્ય પ્રશ્નો જેવા કે પાણી વીજળી અને જનાવર મુદ્દે યોગ્ય નિર્ણય લેવાય
૨૧. કોર્ટ મેરેજ માટે યુવાન અથવા યુવતીના માતા અથવા પિતાની સહી જરૃરી હોવી જોઈએ
૨૨. રાજ્યની બહેનોની ખાનગી કે સરકારી હોસ્ટેલોની ફી સરકાર ૬૦ ટકા ભરે
૨૩. રાજ્યના સંપૂર્ણ વ્યસન મુક્ત કરવામાં આવે, બુટલેગરો માટે કાયદેસરની આવક ઉભી કરવામાં આવે
૨૪. દલિત આદિવાસી તથા મુસ્લિમ સમાજ માટે શહેરમાં છાત્રાલય અથવા આશ્રમ બનાવવામાં આવે
૨૫. ઠાકોર કોળી સમાજની જમીન હડપ કરતા જમીન માફિયા તથા ઉદ્યોગપતિ રોકવા માટે રાજ્ય જમીન અધિકારી સમિતિની રચના કરવામાં આવે
૨૬. રાજ્યમાં કરવામાં આવતી સરકારી નોકરી માટેની ભરતીમાં પ્રવેશ ફી માફ કરવામાં આવે
૨૭. વિધવા બહેન માટે સરકારી નોકરીમાં સ્થાન આપવામાં આવે



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday 1 March 2016

કૃષિ ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડની ફાળવણી : ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય - ભાડે રહેતા લોકોને લાભ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કૃષિ ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડની ફાળવણી : ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

- દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતોને પ્રમાણમાં રાહત

- એગ્રી-ક્રેડિટ ટાર્ગેટ ૯ લાખ કરોડ

આપણે ખેડૂતો પાસેથી ઘણુ લઇ રહ્યા છીએ માટે પરત કરવાની પણ ફરજ આપણી જ છે : જેટલી
૧૨ રાજ્યોમાં ખેડૂતો માટે પોર્ટલ બનાવાશે
(પીટીઆઇ)             નવી દિલ્હી તા. ૨૯
દેશમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતોની સંખ્યાનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી સરકાર પાસે ખેડૂતો આ બજેટમાં ઘણી આશા રાખીને બેઠા હતા, જોકે પ્રમાણમાં તેમની કેટલીક આશાઓ પુરી થાય તેવું આ બજેટ છે. નાણા પ્રધાન અરૃણ જેટલીએ કૃષી ક્ષેત્રે ૪૪,૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં વધીને બેગણી થાય તે હેતુથી આ સેક્ટરમાં આટલા નાણા ફાળવવામાં આવ્યા છે તેમ નાણા પ્રધાન જેટલીએ જણાવ્યું હતું.
દેશમાં ઘણી જમીન એવી છે કે જે પડતર છે, નાણા પ્રધાને દાવો કર્યો હતો કે આ નાણાકિય વર્ષમાં સરકાર ૮૬,૦૦૦ હેક્ટર જમીન કૃષી ક્ષેત્રે લાવશે. આ ઉપરાંત ૧૨ રાજ્યોમાં ખેડુતો માટે પોર્ટલ પણ બનાવવામાં આવશે જેથી ઇન્ટરનેટના ઉપયોગ વડે ખેડૂતો કૃષીથી વધુ માહિતગાર થાય.
જેટલીએ જણાવ્યું હતું કે પાંચ લાખ એકર ખેતરમાં બાગાયતી ખેતી પર ધ્યાન આપવામાં આવશે. જેટલીએ જણાવ્યું હતંુ કે આપણે ખેડુતો પાસેથી ઘણુ લઇ રહ્યા છીએ તેથી પરત કરવાની પણ ફરજ બને છે. સિંચાઇ યોજના માટે નાબાર્ડ ૨૦,૦૦૦ કરોડ રૃપિયા આપશે. આગામી ત્રણ વર્ષમાં કેમિકલ ખાતરથી ખેતીને મુક્ત કરવી દેવામાં આવશે. ખેડુતો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે માટે પશુધન હાટના નામે એક ઇ પોર્ટલ પણ શરૃ કરવામાં આવશે.
નાણા પ્રધાન અરૃણ જેટલીએ આશા વ્યક્ત કરી હતી કે નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬માં કૃષી ક્રેડિટ ટાર્ગેટ ૮.૫ લાખ કરોડ હતો, જે નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં અત્યાર સુધીનો સૌથી ઉંચો ૯ લાખ કરોડ હશે. ખેડુતો પરથી લોનની ચૂકવણીનું ભારણ ઘટાડવા માટે સરકારે ૧૫૦૦૦ કરોડ રૃપિયાની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.


૧૪ કરોડ ખેડૂતોને મળશે સ્વાસ્થ્ય કાર્ડ : કચરામાંથી ખાતર બનાવાશે
સરકારે ખેડુતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ આપવાની જાહેરાત કરી છે. આશરે ૧૪ કરોડ ખેડુતોને આ કાર્ડ વર્ષ ૨૦૧૭ સુધીમાં આપવામાં આવશે. જેટલીએ જણાવ્યું હતું કે ખાધ્ય સુરક્ષા યોજનાને પહોંચી વળવા માટે દેશના ખેડૂતોનું મોટુ યોગદાન છે.  સાથે સરકારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઇ દરમિયાન જે કચરો ભેગો થાય છે તેમાંથી ખાતર બનાવવાની પણ જાહેરાત કરી હતી.

કૃષી ક્ષેત્રે વ્યાજ છુટ માટે ૧૫,૦૦૦ કરોડની ફાળવણી
ખેડુતો પર વ્યાજનો બોજ વધી રહ્યો છે જેને પગલે આ વખતના બજેટમાં કૃષી લોનને પણ આવરી લેવામાં આવી છે. સરકારે આ વખતે ૧૫,૦૦૦ કરોડ રૃપિયા કૃષી લોન પર વ્યાજની છૂટ માટે ફાળવ્યા છે. જ્યારે નવા પાક વીમા યોજના માટે ૫,૫૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી છે. સાથે દાળના ઉત્પાદનને પ્રોત્સાહન માટે ૫૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે.

એચઆરએ કપાતની મર્યાદા રૃ. ૬૦ હજાર કરાતાં ભાડે રહેતા લોકોને લાભ

- કરવેરા માળખું સરળ કરવા કુલ ૧૩ સેસ નાબૂદ

- પહેલીવાર ઘર ખરીદનારને રૃ. ૩૫ લાખ સુધીની લોન પર વાર્ષિક રૃ. ૫૦ હજારની રાહત

પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કિમ હેઠળ આવતા ઉદ્યોગોના ટર્નઓવરની મર્યાદા રૃ. એક કરોડથી વધારીને બે કરોડ કરાઈ
(પીટીઆઈ)      નવી દિલ્હી, તા.૨૯
નાણા મંત્રી અરુણ જેટલીએ વ્યક્તિગત કરદાતા માટે હાઉસ રેન્ટ એલાઉન્સની મર્યાદા પ્રતિ વર્ષ રૃ. ૬૦ હજાર સુધી કરી દીધી છે, જે અત્યાર સુધી રૃ. ૨૪ હજાર હતી. જેટલીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં ૮૦જીજી હેઠળ ઘરના ભાડા માટે અપાતા ભથ્થાની મર્યાદા વધારાઈ છે, જેનાથી નાના-મોટા તમામ પગારદારોને ફાયદો થશે.
આ ઉપરાંત રૃ. ૩૫ લાખ સુધીની લોન પર વધારાના કરવેરાની રાહત પ્રતિ વર્ષ રૃ. ૫૦ હજાર સુધી કરાઈ છે. જોકે, આ નિયમ રૃ. ૫૦ લાખથી ઓછી કિંમતનું ઘર ખરીદનારા તેમજ પહેલીવાર ઘર ખરીદનારા કરદાતાઓને જ લાગુ પડશે. આ બજેટમાં ૮૭એ હેઠળ કરવેરા પરના વળતરની મર્યાદા રૃ. બે હજારથી વધારીને રૃ. પાંચ હજાર કરાઈ છે. એટલે કે, પાંચ હજાર સુધી કરવેરો ભરવાનો થતો હશે તો તે આપોઆપ માફ થઈ જશે.
નાણા મંત્રીએ રૃ. પાંચ લાખ સુધીની આવક ધરાવનારને રૃ. ત્રણ હજાર સુધીની જવાબદારીમાંથી રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યાર સુધી આવકવેરા કાયદાની કલમ ૪૪એડી હેઠળ રૃ. એક કરોડનું ટર્નઓવર ધરાવતી તમામ કંપનીઓ આવી જાય છે, પરંતુ હવે આ મર્યાદા રૃ. બે કરોડ સુધીની કરાઈ છે. આ કારણોસર ૩૦ લાખ નાના ઉદ્યોગકારોને લાભ થશે. રૃ. ૫૦ લાખની ગ્રોસ રિસિપ્ટ ધરાવતા બિઝનેસ પ્રોફેશનલનો નફો ૫૦ ટકા ગણવામાં આવશે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના 'ઓપ્શન' ૦.૦૧૭થી વધારીને ૦.૦૫ ટકા કરાયો છે.
આ બજેટમાં વિવિધ મંત્રાલયોએ લાદેલા કુલ ૧૩ સેસ નાબૂદ કરાયા છે કારણ કે, તેમાંથી માંડ રૃ. ૫૦ કરોડનું ભંડોળ મળતું હતું. બિનનિવાસી ભારતીયો માટે પાન કાર્ડ સિવાયના દસ્તાવેજોને મંજૂરી અપાઈ છે, જ્યારે આવકવેરા માટે ટીડીએસ પ્રોવિઝનનું સરળીકરણ કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત આવકવેરાના રિટર્નનું રિવિઝન કરવાની સેન્ટ્રલ એક્સાઈઝ એસેસીઝને પણ સુવિધા કરી અપાઈ છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/