સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 27 August 2015

હિંસાથી કોઈનું ભલું નહીં થાય, ગુજરાતીઓ શાંતિ જાળવેઃ મોદી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

હિંસાથી કોઈનું ભલું નહીં થાય, ગુજરાતીઓ શાંતિ જાળવેઃ મોદી

વીડિયો અપીલ કરી રહેલા વડાપ્રધાન મોદી
પટણા: ગુજરાતમાં ફરી વળેલા હિંસાચક્રના લગભગ 18 કલાક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ પ્રક્રિયા વ્યક્ત કરી હતી. મોદીએ તેમની વીડિયો અપીલમાં લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી હતી. બીજી બાજુ, જેડીયુએ હાર્દિક પટેલને સમર્થન વ્યક્ત કર્યું છે તથા ટિકિટ આપવાની તત્પરતા પણ દાખવી છે. 
 
વડાપ્રધાન મોદીની પ્રથમ વખત પ્રતિક્રિયા

અનામત આગની આગમાં સળગતા ગુજરાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, હિંસાથી કોઈનું ભલું નહીં થાય. ગુજરાતીઓ શાંતિ જાળવે. તેમણે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી છે. મોદીએ કહ્યું હતું કે, સહુ સાથે મળીને રાજ્યનો વિકાસ કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ અને કરતા રહ્યાં છીએ. વિકાસ દ્વારા છેવાડાના માનવીનો વિકાસ થઈ શકે છે. હિંસા દ્વારા ક્યારેય કોઈનું ભલું નથી થતું. તમામ લોકો શાંતિ રાખે. 
 
દરેક સમસ્યાનો ઉકેલ વાતચીતથી આવી શકે છે. લોકશાહીની મર્યાદાઓનો આપણે સૌએ સ્વીકાર કરવો જોઈએ. હું તમામને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું. હિંસાના માર્ગે ક્યારેય કશું વળતું નથી. વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવીએ. ગુજરાતને નિરંતર નવી ઊંચાઈએ લઈ જવા પ્રયત્ન કરીએ અને પોષક બનીએ. મોદીના વીડિયો અપીલ સમયે પાછળ સરદાર પટેલ તથા મહાત્મા ગાંધીની તસવીર ઉડીને આંખે વળગતી હતી. મોદીએ તેમની અપીલમાં ગુજરાતનો ઉકેલ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ તરીકે કર્યો છે. 



Source :-http://www.divyabhaskar.co.in/news/NAT-nitish-kumar-express-solidarity-with-patel-agitation-hardik-5094931-NOR.html

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday 22 August 2015

૨૩મીએ અમદાવાદમાં ઓબીસીનું શક્તિ પ્રદર્શનઃ પોલીસે મંજૂરી આપી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

૨૩મીએ અમદાવાદમાં ઓબીસીનું શક્તિ પ્રદર્શનઃ પોલીસે મંજૂરી આપી

- સુભાષબ્રિજ પાસે મહાધરણાં ૧૪૬ જ્ઞાાતિના પ્રતિનિધીઓ હાજર રહેશે

- પછાત -આદિવાસી વિસ્તારમાં લોકો લાવવા તૈયારીઓ શરૃ કરાઇ

૧૦ હજાર ઠાકોર-ક્ષત્રિય ગ્રામ સમિતિને કામગીરી સોંપાઇ
અમદાવાદ , શુક્રવાર
૨૫મીએ પાટીદારોએ અનામતની માંગણી સાથે અમદાવાદમાં જોરદાર શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ શરૃ કરી છે તો બીજી તરફ, ઓબીસીમાં નહી સમાવી અનામત નહી આપવાના મુદ્દે ૧૪૭ જ્ઞાાતિઓ વતી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાએ ૨૩મીએ અમદાવાદના સાબરમતી આરટીઓ સર્કલ પાસે મહાધરણાંનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. જોકે, પોલીસે મહાધરણાંની મંજૂરી આપી દેતાં પછાત-ઓબીસી વર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહે તે માટે ધમધમાટ શરૃ થયો છે.
સાબરમતી આરટીઓ સર્કલ પાસે ૨૩મીએ સવારે ૧૦ વાગે સબકો સંમતિ દે ભગવાનના નારાં સાથે મહાધરણાંનો કાર્યક્રમ શરૃ થશે. સવારે ૯ વાગે ગુજરાત ઓબીસી સમાજની તમામ જ્ઞાાતિઓની પ્રતિનિધીઓ ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે ત્યાર બાદ મહાધરણાંનો પ્રારંભ થશે.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, રાજ્યભરમાં ૧૦ હજાર ક્ષત્રિય ઠાકોર ગ્રામ સમિતિને કામગીરી સોંપી દેવાઇ છે. નર્મદા, ડાંગ, સાબરકાંઠા સહિતના આદિવાસી-પછાત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો મહાધરણાં જોડાશે. અમદાવાદ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમા માર્ગો પર ક્ષત્રિય ઠાકોર સેનાના સ્વયંસેવકો માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં કોઇપણ રાજકીય પક્ષના નેતાને સ્ટેજ પર બેસવા દેવામાં આવશે નહીં. મહાધરણાંના મામલે પોલીસ સાથે બેઠક યોજાયા બાદ લેખિત મંજૂરી આપી દેવાઇ છે. મહાધરણાંને પગલે ૨૩મીએ સાબરમતી વિસ્તારમાં ટ્રાફિક ચક્કાજામ થશે. આયોજકોએ મોટી સંખ્યામાં લોકો આવે તેવો દાવો કર્યો છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday 17 August 2015

૨૫મીએ પાટીદારો તાકાત દેખાડશે, સરકાર સાથે કોઇ મંત્રણા નહીં ઃ હાર્દિક પટેલ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

૨૫મીએ પાટીદારો તાકાત દેખાડશે, સરકાર સાથે કોઇ મંત્રણા નહીં ઃ હાર્દિક પટેલ

સરકાર સાથે આરપારની લડાઇ

પાટીદારોને OBCમાં સમાવેશ નહીં ત્યાં સુધી આંદોલન જારી રાખવા SPGનું એલાન

મહારેલી ગુજરાતમાં ઇતિહાસ સર્જશે
અમદાવાદ , રવિવાર
આવતીકાલે સોમવારે ગુજરાત સરકારે અનામતના મુદ્દે રચેલી સમિતી વિવિધ જ્ઞાાતિઓના આગેવાનોને સાભળશે. પાટીદાર આંદોલન સમિતીએ પાટીદારોને ઓબીસીમાં સમાવેશ નહીં કરાય ત્યાં સુધી આંદોલન જારી રાખવા એલાન કર્યું છે. એટલું જ નહીં, સરકાર સાથે કોઇપણ મંત્રણા કરવા સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ કારણોસર હવે અનામતની આગ આગામી દિવસો વધુ જલદ બને ેતેવા એંધાણ સર્જાયાં છે. પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છેકે, ૨૫મીએ અમદાવાદમાં પાટીદારો તેમની તાકાતનો પરચો દેખાડશે. આ મહારેલી ગુજરાતના ઇતિહાસની મોટી રેલી બની રહેશે. એસપીજીના એલાનને પગલે અનામતનું કોકડુ વધુ ગુંચવાયું છે
હાર્દિક પટેલે જણાવ્યું કે, ઓબીસીમાં પાટીદારોને સમાવો એ માંગણી જયાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાટીદારો આંદોલન જારી રાખશે. પોલીસની મંજૂરી મળે કે ન મળે ૨૫મી મહારેલી યોજાશે જ. સરકાર ગમે તેટલાં પ્રયત્નો કરે રેલી થઇને જ રહેશે.૨૫મી સુધી ગુજરાતમાં એક કરોડ પાટીદારોનું અનામતના મુદ્દે સમર્થન મળશે.મહારેલીમાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન એવુ હશે કે, સરકારના છાતીના પાટિયા બેસી જશે. હવે સમાધાનનો પ્રશ્ન જ નથી. સરકાર સાથે ચર્ચાનો તો સવાલ જ પેદા થતો નથી. એસપીજીના એલાનને પગલે પોલીસ ખુદ ચિંતામાં મૂકાઇ છે. હવે અમદાવાદમાં ૨૫મીએ યોજાનારી રેલીમાં ૪૦ લાખ લોકો ઉમટી પડે તો શહેરમાં શુ સ્થિતી થાય તે માટે પોલીસ અત્યારથી વિચારમાં મૂકાઇ છે.


હાર્દિક પટેલ પર પોલીસની વોચ, પાટીદાર આંદોલનકારીઓ પર નજર
પાટીદાર આંદોલનને વેગ આપતાં પાટીદાર આગેવાનો પર પોલીસે નજર રાખી છે. સરકારના આદેશને પગલે વિરમગામમાં પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલના નિવાસસ્થાને કોણ કોણ આવે છે તેના પર પોલીસે વોચ ગોઠવી છે. પળપળની વાત આઇબી વિભાગ સરકારને મોકલી રહી છે.સેન્ટ્રલ આઇબીએ પણ અહેવાલ મેળવી રહી છે. પાટીદાર આગવાનોની હલનચલન પર નજર રાખવામાં આવી રહી છે. ૨૫મી પહેલાં જ આ પાટીદારો આગેવાનોને નજરકેદમાં લઇ લેવામાં આવે તેવી પોલીસે તૈયારીઓ કરી છે. જોકે, બીજી તરફ, એસપીજીએ સ્પષ્ટરીતે જણાવ્યું છેકે, જો પાટીદાર આંદોલનકારીઓની ધરપકડ કરાશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડશે તો તેની જવાબદારી સરકારની રહેશે. પાટીદાર આંદોલનકારીઓની પોલીસે યાદી તૈયાર કરી છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

આંદોલનમાં સ્વયંભૂ ઉમટતાં પાટીદાર યુવાનો સરકાર માટે ચિંતા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આંદોલનમાં સ્વયંભૂ ઉમટતાં પાટીદાર યુવાનો સરકાર માટે ચિંતા

ભાજપ અને સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી

સરકાર એક મોરચે ડેમેજ કન્ટ્રોલ કરે ત્યાં સંઘાણી અને નલિન કોટડિયાના મુદ્દે દોડવું

ગાંધીનગર, રવિવાર
ગુજરાતમાં પટેલોને અનામત મળવું જોઈએ તેવી માંગણી સાથે શરૃ થયેલું પાટીદાર અનામત આંદોલન બરાબર જોર પકડી રહ્યું છે ત્યારે સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે. સરદાર પટેલ ગુ્રપને મળવા બોલાવવાનો તખ્તો ઘડીને ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે ત્યાં પુરૃષોત્તમ રૃપાલાનું વિવાદી નિવેદન, નલિન કોટડિયાની રાજીનામાની ઓફર અને સંઘાણીને અનામત મુદ્દે બોલતાં અટકાવવાનો નવો મોરચો ખુલી જાય છે. અનામત પ્રથાનો ભોગ બનેલા પટેલ યુવાનોમાં સરકાર પ્રત્યે રહેલો આક્રોશ સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં વણિક, બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય, લોહાણા સહિતના જનરલ વર્ગમાં આવતી તમામ જ્ઞાાતિના લોકો વર્ષોથી અનામત પ્રથાનો ખરાબ રીતે ભોગ બનતાં આવ્યાં છે. આ પીડામાંથી જન્મેલું પટેલ સમાજનું અનામત માંગણીનું આંદોલન હાલ પુરવેગમાં આવી ગયું છે. પટેલ સમાજને ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે શરૃ થયેલું આંદોલન માત્ર દોઢ માસના ગાળામાં એટલું પ્રસરી ગયું છે કે હવે તેને રોકવું ઘણું મુશ્કેલ છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના બેનર હેઠળ હાર્દિક પટેલની આગેવાનીમાં આ આંદોલનનો પ્રારંભ થયા બાદ હવે ખુદ હાર્દિક પટેલ કબુલી રહ્યા છે કે કયાં રેલીઓ નીકળે છે અને કોણ આયોજન કરે છે તેની તેમને પણ જાણ નથી હોતી. પાટીદાર યુવાનોની અનામતનો ભોગ બનવાની પીડા જ તેને આંદોલનમાં ખેંચી લાવે છે. તેથી ખુદ પોતાના હાથની હવે વાત ન રહી હોવાનું હાર્દિક કબુલે છે. અને સરકાર માટે હાલમાં આ જ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કારણ કે કોઈ એક કે બે સંગઠન દ્વારા આંદોલન ચલાવાતું હોય તો તેને અટકાવવું સરકાર માટે શક્ય છે. પરંતુ જ્યાં આંદોલન સ્વયંભૂ બની ગયું હોય ત્યાં સરકારે કેટલા સ્થળે આડા હાથ દેવા જાય.
પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત નહીં તો મત નહીંનું એલાન કરીને ભાજપ સહિતના પક્ષો સામે નગારે ઘા કરી દીધો છે. આગામી બે માસમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રખે ને પાટીદારો ભાજપનો સાથ છોડી દે તો? આ વિચાર માત્રથી સરકાર ધુ્રજી જાય છે. ત્યારે આંદોલનને તોડી પાડવા માટે સરકારે ભાગાલ પાડો અને રાજ કરોની નીતિ અપનાવી આવતીકાલે સોમવારે સરદાર પટેલ ગૃપને ચર્ચા માટે બોલાવ્યું છે.
પરંતુ સરકાર એક મુદ્દે ડેમેજ કન્ટ્રોલ કરે ત્યાં બીજા નવા ચાર મોરચા ખુલી જાય છે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પુરૃષોત્તમ રૃપાલાએ પાટીદાર અનામત આંદોલન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકાર ઉથલાવી દેવાનું ષડયંત્ર છે. પરંતુ થોડા જ કલાકોમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.
આ મુદ્દો હજુ સળગતો હતો ત્યાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા હાલમાં ભાજપ સાથે છે. તેમણે એવું કહ્યું કે પટેલોને અનામત મળવું જોઈએ. જો સમાજના આગેવાનો કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું. દરમિયાનમાં આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે પટેલ સમાજના કાર્યક્રમમાં ભાજપના દિલીપ સંઘાણી અનામત મુદ્દે બોલવા ગયા તો લોકોએ હૂરિયો બોલાવીને તેમને બોલતાં અટકાવી બેસાડી દીધા હતાં. આમ, સરકારે આ ત્રણેય મુદ્દાની તપાસ કરીને તેના ડેમેજ કન્ટ્રોલ માટે દોડવું પડયું છે.


એક તરફ સરકાર કહે છે અનામત નહીં મળે, બીજી તરફ ચર્ચા માટે બોલાવે છે
પાટીદાર અનામત આંદોલનને લઈને સરકાર કેટલી વ્યાકૂળ થઈ ગઈ છે તેની સાબિતી સરકારના બે વિરોધાભાસી નિર્ણયો આપી રહ્યા છે. એક તરફ મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એવી સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે પટેલોને અનામત નહીં જ આપવામાં આવે. બીજી બાજું આંદોલનકારીઓ અને વિવિધ સમાજના અનામતની માંગણી કરતાં આગેવાનોને મળવા માટે, ચર્ચા કરવા માટે નિમંત્રણ પાઠવી રહી છે. ત્યારે બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે જો સરકાર અનામત આપી જ શકે તેમ ન હોય તો ચર્ચા કરવા માટે પણ શું કામ બોલાવે છે. તેનો એકમાત્ર મતલબ આંદોલનકારીઓને મુર્ખ બનાવવાનો છે.


ધારીમાં ભાજપના ધારાસભ્ય કોટડિયાની સાફ વાત
...તો હું ભાજપમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા અચકાઇશ નહીં
૪૦ વર્ષથી પટેલ સમાજનો આગેવાન રહ્યો છું તેથી સમાજની પડખે રહીશ

ધારી, રવિવાર
ધારીમાં આજરોજ પટેલ વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં ભાજપના ધારાસભ્ય નલિન કોટડીયાએ પાટીદારોના અનામત પ્રશ્ને ચાલતા આંદોલન સંદર્ભે તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરી જરૃર પડયે ભાજપમાંથી રાજીનામુ આપી દેવા પોતે તૈયાર છે તેમ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાટીદારોને અનામતનો લાભ મળવો જોઇએ તે પ્રશ્ને ચાલતા આંદોલન સંદર્ભે આજરોજ ધારીમાં પટેલ સમાજના સંમેલનમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા ધારી-બગસરાના ભાજપના ધારાસભ્ય નલિન કોટડીયાને વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રશ્ન પુછી તમે પાટીદાર સમાજની સાથે છો કે નહીં તે મુદ્દે ચોખવટ કરવા જણાવ્યું હતું તેથી આ સંદર્ભે ધારાસભ્ય કોટડીયાએ જણાવ્યું કે છેલ્લા ૪૦ વર્ષથી હું પાટીદારોના પ્રશ્ને લડતો રહ્યો છું. પટેલ સમાજે જ મને મોટો કર્યો છે. અનામત આંદોલનના પ્રશ્ને હું મુખ્યમંત્રીને મળી આવ્યો પણ છું અલબત્ત અત્યારે સરકાર પણ આ મુદ્દે વાટાઘાટની ફોર્મ્યુલાથી પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરે છે પરંતુ તેમ છતાં હું પાટીદાર સમાજની પડખે જ રહીશ. તેમજ જરૃર પડશે તો ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા અચકાઇશ નહીં તેમ જણાવ્યું હતું.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday 14 August 2015

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતીઓ ખાસ ચેતે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતીઓ ખાસ ચેતે

પોરબંદરમાં મહિલા કાનુની શિબિર યોજીને યુવતીઓને વિવેકબુધ્ધિથી

ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપાયેલું માર્ગદર્શન

પોરબંદર,તા.૧૩
સોશ્યલ મીડીયામાં પોતાની તસ્વીર હોંશેહોંશે વહેતી કરતી યુવતીઓએ વાત જાણી લે કે, સોશ્યલ મીડીયામાં કાંઈ પર્સનલ રહેતું નથી અને સાર્વજનિક થઈ જાય છે. તેથી ફેસબુક અને વોટ્સએપ જેવા મીડીયાનો ઉપયોગ કરતી યુવતીઓએ આ બાબતે ખાસ ચેતવાની જરૃર છે.
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગ તથા સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમથી મહિલા સુરક્ષા દિવસની ઉજવણીનાં ભાગરૃપે ગુરૃકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ઉપરોકત મુજબનો સુર આ શિબિરમાંથી ઉઠવા પામ્યો હતો. જેમાં જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા, જીલ્લા વિકાસ અધિકારી તથા નાયબ પોલીસ અધિક્ષક, પોરબંદર બાર એસોસીએશનનાં પૂર્વ પ્રમુખ તથા એડવોકેટ તથા એસ.ઓ.જી.નાં પોલીસ ઈન્સ્પેકટર તથા મહિલા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને મહિલા હેલ્પલાઈન ૧૮૧ની ટીમ તથા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મહિલા સશક્તિકરણ શા માટે, લીગલ સર્વિસ ઓથોરીટીની ભૂમિકા, મફત કાનુની સહાય, ભરણપોષણને લગહતા અને ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતા કતાયદાની વિગતવાર માહિતી પુરી પાડેલી. ત્યારબાદ ટીન્સ એન્ડ ટેકનોલોજી તથા સાયબર ક્રાઈમ અગેન્સ્ટ વિમેન વિષય પર વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલું. આ પ્રેઝન્ટેશનમાં ફેક આઈ.ડી. સોશ્યલ મીડીયાની અસરો અને તકેદારી માટેની વિવિધ પાસાઓની રજુઆત કરવામાં આવેલી તથા આઈ.ટી.લો. ૨૦૦૦ની માહિતી પુરી પાડેલી હતી.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday 13 August 2015

અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડાશે

જૂનાગઢમાં મહારેલી યોજીને પાટીદાર સમાજે ઠાલવેલો આક્રોશ

મેંદરડામાં કાલે પાટીદાર સમાજ તેમજ ઉનામાં ૧૭મીએ સવર્ણ સમાજોની મૌનરેલી

કાલાવડ, જેતપુર, ઉપલેટામાં પણ પાટીદાર સમાજે રેલી કાઢીને આપેલું આવેદનપત્ર, લાલપુર અને મોરબીમાં કારડીયા - રાજપૂત સમાજ મેદાને

(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, બુધવાર
સૌરાષ્ટ્રમાં અનામત આંદોલનને આગળ ધપાવતા આજે પાટીદાર સમાજે જૂનાગઢ, કાલાવડ, જેતપુર અને ઉપલેટામાં મહારેલી યોજી હતી. હવે મેંદરડામાં ૧૪મીએ પટેલ સમાજ અને ઉનામાં ૧૭મીએ બ્રહ્મ, રઘુવંશી અને સોની સમાજ મૌનરેલી કાઢશે. આજે લાલપુરમાં ક્ષત્રિય સમાજ અને મોરબીમાં રાજપુત સમાજે મેદાને આવીને આવેદનપત્ર આપ્યું હતું.
જૂનાગઢમાં આજે પાટીદાર સમાજની મહારેલી સમયે સરદાર પટેલ સેવાદળનાં પ્રદેશ કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલન પાટીદારો માટે છે. જો અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડવામાં આવશે. પછી જેઓ જવાબદાર હશે તેમણે પરિણામ ભોગવવા પડશે. આ આંદોલનની અવગણના કરવામાં આવશે તો સરકારે તેનું પરિણામ ભોગવવું પડશે. કમળને ખીલવી શકીએ તો ઉખાડી પણ ફેંકશું. હાલ સરકારમાં ૫૦ ધારાસભ્યો તથા મુખ્યમંત્રી પાટીદાર સમાજનાં છે. જો અમારી માંગણી ને ધ્યાને નહી લેવાય તો રાજીનામાની માંગણી કરશું. તા.૨૫નાં અમદાવાદમાં આંદોલન થશે. જેમાં ૪૦ લાખ લોકો ઉમટી પડશે.
ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ આ મુદ્દે રજૂઆત કરાશે કે ભાજપ કોંગ્રેસ આજીવન તમારી સાથે નહી રહે સમાજ સાથે રહેશે. તેથી પાટીદાર ધારાસભ્યોને પણ અનામત આંદોલન અંગે સમર્થન આપવા માંગ કરાશે.
જૂનાગઢમાં આજે પાટીદાર અનામત મહારેલી યોજાઈ હતી. જે સવારે નવ વાગ્યે શિવમ પાર્ટી પ્લોટ ખાતેથી શરૃ થઈ હતી. આ રેલીમાં જિલ્લા ભરમાંથી ૧૫ હજારથી વધુ પાટીદારો જોડાયા હતાં. આ વિશાળ રેલી ગિરીરાજ રોડ, બસ સ્ટેન્ડ, વૈભવ ફાટક , તળાવ દરવાજા, સરદાર બાગ થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. રેલીનાં લીધે સરદારબાગ, તળાવ દરવાજા, બસ સ્ટેન્ડ રોડ પર ટ્રાફીક સર્જાયો હતો. કલેકટર કચેરીએ રેલી પહોંચ્યા બાદ જયાં સરદાર પટેલગુ્રપનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
* કાલાવડમાં પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગુ્રપ દ્વારા સમસ્ત પટેલ સમાજને ઓબીસી કેટેગરીમાં સમાવી અનામતનો લાભ આપવાની માંગણી સાથે આજે વિશાળ રેલી નિકળી હતી. સવારે ૧૦ વાગ્યે ધોરાજી રોડ ઉપર બાપા સિતારામની મઢુલીથી નિકળેલી રેલી સિનેમા રોડ, ગ્રેઈન માર્કેટ રોડ થઈ સરદાર પટેલની પ્રતિમાએ પહોંચી હારતોરા કર્યા બાદ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી પહેલા આગેવાનોએ અનામત મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો.
* જેતપુરમાં લેઉવા પટેલ સમાજ અને સરદાર પટેલ ગુ્રપની આગેવાનીમાં આજે અનામતની માંગણી સાથે તાલુકાભરનાં પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી. સરદાર ચોકથી શરૃ થઈ તિનબત્તી ચોક, કણકીયા પ્લોટ, જૂનાગઢ રોડ પર થઈ તાલુકા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે આગેવાનોએ જરૃર પડયે જલદ આંદોલન છેડવા પણ ચીમકી ઉચ્ચારી હતી. આંદોલનને સુન્ની મુસ્લિમ જમાત અને બ્રહ્મસમાજે ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત આજે બ્રહ્મસમાજ દ્વારા પણ ભિક્ષાવૃત્તિ કરતા બ્રાહ્મણોને અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું હતું.
* ઉપલેટામાં અનામતની જોરદાર માંગણી સાથે આજે બપોરનાં અહિંનાં બસ સ્ટેન્ડ ચોકથી શહેર તેમજ તાલુકાનાં આજુ બાજુનાં ગામડાનાં અંદાજે ૨૦ હજાર પાટીદાર ભાઈ બહેનોની જંગી મેદની સાથે રેલી નીકળી હતી. જે શહેરનાં મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતદારને આવેદન પત્ર આપેલું હતું. આ રેલીમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર  હતી.
* મેંદરડામાં પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગુ્રપ દ્વારા તા.૧૪મીએ સવારે ૭ વાગ્યે પ્રથમ પટેલ સમાજ ખાતે વિશાળ સભા યોજવામાં આવશે. બાદમાં જંગી રેલી યોજીને મુખ્યમાર્ગો પરથી થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. આ તકે પાટીદાર સમાજ ધંધા - રોજગાર બંધ રાખીને સભા - રેલીમાં જોડાઈ અનામતની માંગને બુલંદ બનાવશે.
* ઉના શહેર અને તાલુકા બ્રહ્મસમાજ ઉપરાંત રઘુવંશી સમાજ, સોની સમાજ પણ અનામત આંદોલનમાં જોડાઈને આગામી તા.૧૭મીએ સોમવારે રોષભેર મૌન રેલી કાઢી પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપશે. આ મહારેલીનાં આયોજન માટે ઉનામાં વિવિધ સવર્ણ સમાજનાં આગેવાનોએ હાજર રહીને મંતવ્યો વ્યક્ત કર્યા હતાં.
* લાલપુર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા અનામતની માંગણી સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, રાજવી ક્ષત્રિય સમાજે આઝાદીથી આજ સુધી અનેરી દેશભાવના બતાવી છે. અગણિત જમીનો અને સંપત્તિ સરકારને સોંપી છે. પરિણામે અત્યારે ક્ષત્રિય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઈએ.
* મોરબીમાં અખીલ ગુજરાત રાજપુત યુવાસંઘ દ્વારા સનસીટીની માંગ સાથે આજે સવારે જીલ્લા કલેકટરે આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યું હતું કે, વર્તમાન અનામત પ્રથાનાં કારણે રજપુત સમાજ તેમજ સામાન્ય શ્રેણીમાં આવતી તમામ જ્ઞાાતિઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. વ્યવસ્થાનો લાભ મેળવતા લોકો અનામત ઉપરાંત જનરલ કેટેગરીમાં આવતા હોય છે. આથી પ્રવેશ પ્રક્રિયા કે ભરતી પ્રક્રિયામાં જે વિદ્યાર્થી સામાન્ય શ્રેણીમાં આવી જાય તો અનામત શ્રેણીમાં અન્યને લાભ મળે છે. આથી વધુ અન્યાય થાય છે, જેનો ઉકેલ લાવવો જોઈએ.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday 7 August 2015

સરકાર સાથે કોઇ ચર્ચા નહીં અનામતની જાહેરાત સુધી આંદોલન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકાર સાથે કોઇ ચર્ચા નહીં અનામતની જાહેરાત સુધી આંદોલન

પાટીદાર આંદોલન સમિતિનો જવાબ

૨૩મીએ ભાજપ-કોંગ્રેસના પાટીદાર MLA, કોર્પોરેટર, હોદ્દેદારો આંદોલનને સમર્થન આપશે

અમદાવાદમાં ૨૩મીએ ભાજપ-કોંગ્રેસના પાટીદાર MLA, કોર્પોરેટર, હોદ્દેદારો આંદોલનને સમર્થન આપશે
અમદાવાદ , ગુરૃવાર
પાટીદારોને અનામતમાં સમાવેશ કરવાના મુદ્દે આંદોલન હવે ધીરે ધીરે વેગીલું બની રહ્યું છે. પાટીદાર આંદોલન સમિતીએ એવો દાવો કર્યો છેકે, તા.૨૩મી એ ગુજરાતના સાત પાટીદાર ધારાસભ્યો, ૧૪ કોર્પોરેટરો , ૨૨ તાલુકા પંચાચતના ડેલિગેટ અને બે જિલ્લા ડેલિગેટો આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કરશે.
અમદાવાદમાં ૨૩મીએ આયોજિત એક દિન સમાજ કે નામ કાર્યક્રમમાં આ મુદ્દે જાહેરાત કરાશે. અત્યાર સુધી આંદોલનને પાછલા બારણે પ્રોત્સાહન મળી રહ્યું હતું પણ હવે આંદોલનને સમર્થન કરનારાં જાહેરમાં આવશે તે મુદ્દે અત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપ સરકારના ઘણાં પ્રયાસો છતાંયે પાટીદાર આંદોલનના સમર્થકો જરાયે મચક આપવા તૈયાર નથી. પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલે એવો આક્ષેપ કર્યો છેકે, સરકાર પાટીદારમાં ભાગલા પાડીને આંદોલન તોડી પાડવામાં પ્રયાસો કરી રહી છે. સરકાર ગમે તેટલાં હવાતિયા મારે પણ પાટીદાર સમાજમાં ભાગલા નહીં પડાવી શકે. અમે અનામત મેળવીને જંપીશું . જયાં સુધી સરકાર અનામત નહી સ્વિકારે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. તેમણે એવો દાવો કર્યો કે, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય,કોર્પોરેટરો,જીલ્લા-તાલુકા પંચાયત સહિત સંગઠનના હોદ્દેદારોનુ સમર્થન મળી રહ્યું છે. આ તમામ લોકો ૨૩મીએ આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કરશે.


હવે પોસ્ટકાર્ડ વૉર ઃ મોદી અને આનંદીબેનને પોસ્ટકાર્ડ મોકલાશે
પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી સાથે રાજ્યભરમાં પટેલો આંદોલન ચલાવી રહ્યાં છે. હવે પાટીદાર આંદોલન સમિતીએ પોસ્ટકાર્ડ વૉર શરુ કરવા નિર્ણય કર્યો છે. પાટીદાર પટેલો અનામતની માંગણી અંગે ઘેર ઘેરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પોસ્ટકાર્ડ લખશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday 5 August 2015

સૌરાષ્ટ્રમાં અનામતની માંગ ઉગ્ર બની, આજે રાજકોટમાં પાટીદાર રેલી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રમાં અનામતની માંગ ઉગ્ર બની, આજે રાજકોટમાં પાટીદાર રેલી

જસદણમાં પાટીદારોની, જામજોધપુરમાં લોહાણાં સમાજની રેલી નિકળી

બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ, કોળી-ભરવાડ સમાજ પણ મેદાનમાં

ટંકારામાં કાલે, જામજોધપુરમાં છઠ્ઠીએ, કેશોદમાં ૧૦મીએ અને જૂનાગઢમાં ૧૨મીએ રેલી
(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, મંગળવાર
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં અનામતની માંગ બૂલંદ બની રહી છે. ઠેર-ઠેર રેલી યોજવામાં આવી રહી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, લોહાણાં, કોળી, ભરવાડ, મુસ્લીમ સમાજમાંથી પણ અનામતની માંગ ઉઠવા લાગી છે. આજે જસદણમાં પાટીદારોની તો જામજોધપુરમાં લોહાણાં સમાજની રેલી નિકળી હતી. આવેદનપત્રો આપવામાં આવ્યા હતાં. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળનાં નેજા હેઠળ કાલે બહુમાળી ભવન ચોકથી પાટીદારોની વિશાળ રેલી નિકળશે. કલેકટર કચેરીએ જઈ આવેદનપત્ર અપાશે. ટંકારામાં પાંચમીએ, કેશોદમાં ૧૦મીએ અને જૂનાગઢમાં ૧૨મીએ પાટીદારોની રેલીના આયોજનો થયા છે. જામજોધપુરમાં છઠ્ઠીએ બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળનાં નેજા હેઠળ કાલે સવારે ૧૦-૩૦ કલાકે બહુમાળી ભવન ચોક, સરદાર પટેલની પ્રતિમા પાસે પાટીદારો મોટી સંખ્યામાં એકત્ર થશે. સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૃપે કલેકટર કચેરી જઈ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જસદણમાં જય સરદાર સેવા દળનાં નેજા હેઠળ ચિતલીયા રોડ પરનાં સરદાર ચોકમાં સવારે ૧૦ કલાકે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. બાદમાં અહીંની રેલી સ્વરૃપે એસ.ટી. રોડ, મોતી ચોક, ટાવર ચોક, એસ.ટી. સ્ટેશન સહિતનાં માર્ગો પર ફરી પ્રાંત અધિકારીની કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં જસદણ-વિંછીયા ઉપરાંત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં. જામજોધપુરમાં લોહાણાં સમાજ દ્વારા અનામતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે લોહાણા મહાજન વાડીથી રેલી કાઢવામાં આવી હતી. મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવાયું હતું. આ રેલીમાં જ્ઞાાતિનાં આગેવાનો, હોદેદારો જ્ઞાાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
ટંકારા શહેર તથા તાલુકા યુવા પાટીદાર વિદ્યાર્થી સંગઠ્ઠન તથા પાટીદાર હિત રક્ષા સમિતિ દ્વારા તા.પં.નાં સવારે લતીપર ચાર રસ્તા ખાતેથી મૌન રેલી યોજી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપશે. કેશોદમાં જય સરદાર પટેલ ગુ્રપ દ્વારા તા. ૧૦નાં સવારે ૯ કલાકે વેરાવળ રોડ, સોરઠ ટાયર નજીકથી બાઈક રેલી કાઢવામાં આવશે. જેમાં શહેર, તાલુકાનાં અને તાલુકા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે. એક દિવસ કામ-ધંધા બંધ રાખી રેલીમાં જોડાવા ગુ્રપનાં હોદ્દેદારો દ્વારા પાટીદારો જોગ અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢમાં સરદાર પટેલ ગુ્રપનાં નેજા હેઠળ તા. ૧૨નાં બુધવારે સવારે ૯ કલાકે શિવમ પાર્ટી પ્લોટ ખાતેથી મહારેલી કાઢવામાં આવશે. આ રેલી ગિરીરાજ રોડ, એસ.ટી. સર્કલ, વૈભવ ચોક, તળાવ દરવાજા, સરદાર બાગ થઈ કલેકટર કચેરીએ પહોંચશે. જ્યાં આવેદનપત્ર આપવામાં આવશે. આ રેલીમાં જૂનાગઢ શહેર, તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે દશ હજાર પાટીદારો જોડાય તેવો અંદાજ છે. સરદાર પટેલ ગુ્રપનાં ભાવેશ માખેસણાએ જણાવ્યું હતું કે, અનામત માટે આંદોલન છતાં સરકાર અવાજ નહીં સાંભળે તો અન્યાય સામે રાજ્ય સ્તરે રસ્તા રોકો આંદોલન, બંધ સહિતનાં કાર્યક્રમો આપવામાં આવશે.
ઉપલેટામાં ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મસમાજે પણ અનામતની માંગ સાથે આંદોલનમાં ઝૂકાવ્યું છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની વાડી ખાતેથી બ્રહ્મસમાજ- ક્ષત્રિય સમાજની સંયુક્ત રેલી નિકળી હતી. મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. જાફરાબાદ તાલુકાનાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મનુભાઈ વાંજાએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વસતા કોળી સમાજના શીડયુઅલ ટ્રાઈબમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં વસતા કોળી સમાજનો સમાવેશ કેમ કરાતો નથી. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદરથી ઘોઘા સુધીનાં સાગરકાંઠે વસતા તમામ કોળી સમાજનો એસ.ટી.માં સમાવેશ કરવો જોઈએ. બાબરા તાલુકા મુસ્લીમ લઘુમતી સમાજના આગેવાન મુસાભાઈ જીવાભાઈએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી લઘુમતી સમાજને અનામતની માંગ કરી છે. ભરવાડ સમાજે પણ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી ભરવાડ સમાજને અનામત આપવા માંગ કરી છે. જામનગર રઘુવંશી સમાજે પણ અનામત આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. જો માગણી નહીં સ્વિકારાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જામજોધપુર તાલુકા સમસ્ત બ્રહ્મઉત્કર્ષ મંડળ દ્વારા અનામતની માંગ સાથે તા. ૬નાં સાંજે ૪-૩૦ કલાકે બ્રહ્મસમાજની વાડીથી રેલવે સ્ટેશન પાસે થઈ મામલતદાર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવશે. રાજકોટ બ્રહ્મસેના દ્વારા તા. ૫ના રોજ અનામતની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતકરવામાં આવશે. સાવરકુંડલામાં પટેલ વાડી ખાતે આજે તાલુકાનાં પાટીદાર યુવક મંડળની મિટીંગ મળી હતી. જેમાં પાટીદાર સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદારોને અનામતની માંગ સાથે તા. ૭ના શુક્રવારે રેલી કાઢી, આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/