સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 7 August 2015

સરકાર સાથે કોઇ ચર્ચા નહીં અનામતની જાહેરાત સુધી આંદોલન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકાર સાથે કોઇ ચર્ચા નહીં અનામતની જાહેરાત સુધી આંદોલન

પાટીદાર આંદોલન સમિતિનો જવાબ

૨૩મીએ ભાજપ-કોંગ્રેસના પાટીદાર MLA, કોર્પોરેટર, હોદ્દેદારો આંદોલનને સમર્થન આપશે

અમદાવાદમાં ૨૩મીએ ભાજપ-કોંગ્રેસના પાટીદાર MLA, કોર્પોરેટર, હોદ્દેદારો આંદોલનને સમર્થન આપશે
અમદાવાદ , ગુરૃવાર
પાટીદારોને અનામતમાં સમાવેશ કરવાના મુદ્દે આંદોલન હવે ધીરે ધીરે વેગીલું બની રહ્યું છે. પાટીદાર આંદોલન સમિતીએ એવો દાવો કર્યો છેકે, તા.૨૩મી એ ગુજરાતના સાત પાટીદાર ધારાસભ્યો, ૧૪ કોર્પોરેટરો , ૨૨ તાલુકા પંચાચતના ડેલિગેટ અને બે જિલ્લા ડેલિગેટો આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કરશે.
અમદાવાદમાં ૨૩મીએ આયોજિત એક દિન સમાજ કે નામ કાર્યક્રમમાં આ મુદ્દે જાહેરાત કરાશે. અત્યાર સુધી આંદોલનને પાછલા બારણે પ્રોત્સાહન મળી રહ્યું હતું પણ હવે આંદોલનને સમર્થન કરનારાં જાહેરમાં આવશે તે મુદ્દે અત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપ સરકારના ઘણાં પ્રયાસો છતાંયે પાટીદાર આંદોલનના સમર્થકો જરાયે મચક આપવા તૈયાર નથી. પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલે એવો આક્ષેપ કર્યો છેકે, સરકાર પાટીદારમાં ભાગલા પાડીને આંદોલન તોડી પાડવામાં પ્રયાસો કરી રહી છે. સરકાર ગમે તેટલાં હવાતિયા મારે પણ પાટીદાર સમાજમાં ભાગલા નહીં પડાવી શકે. અમે અનામત મેળવીને જંપીશું . જયાં સુધી સરકાર અનામત નહી સ્વિકારે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. તેમણે એવો દાવો કર્યો કે, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય,કોર્પોરેટરો,જીલ્લા-તાલુકા પંચાયત સહિત સંગઠનના હોદ્દેદારોનુ સમર્થન મળી રહ્યું છે. આ તમામ લોકો ૨૩મીએ આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કરશે.


હવે પોસ્ટકાર્ડ વૉર ઃ મોદી અને આનંદીબેનને પોસ્ટકાર્ડ મોકલાશે
પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી સાથે રાજ્યભરમાં પટેલો આંદોલન ચલાવી રહ્યાં છે. હવે પાટીદાર આંદોલન સમિતીએ પોસ્ટકાર્ડ વૉર શરુ કરવા નિર્ણય કર્યો છે. પાટીદાર પટેલો અનામતની માંગણી અંગે ઘેર ઘેરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પોસ્ટકાર્ડ લખશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment