સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 5 August 2015

પાટીદારોમાં સરકારને બેસાડવાની તાકાત છે તો ઉથલાવી પણ શકે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારોમાં સરકારને બેસાડવાની તાકાત છે તો ઉથલાવી પણ શકે છે

૨૫મીએ અમદાવાદમાં ગુર્જરવાળી થશે

માનસિકતા પાટીદારોએ દુર કરી અનામત મેળવવી જરૃરી છે

ભાજપ રાષ્ટ્રભક્ત અને કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહી છે તે માનસિકતા પાટીદારોએ દુર કરી અનામત મેળવવી જરૃરી છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
ગુજરાતમાં જે સરકારને પાટીદારો બેસાડવાની તાકાત ધરાવે છે તે પાટીદારોમાં આવી સરકારને ફેંકી દેવાની પણ તાકાત છે તેવો હુંકાર આજે વડોદરામાં મધ્ય ગુજારાતના પાટીદારોના યોજાયેલા સંમેલનમાં હાર્દિક પટેલે કર્યો હતો. રાજ્યમાં પાટીદારોને અનામત અપાવીનેજ યુવાનો જંપશે તેવા ઉલ્લેખ સાથે તેમણે ઓગષ્ટ મહિનો ક્રાંતિનો છે અને  ૨૫ મી ઓગષ્ટે અમદાવાદમાં ૨૫ લાખ પાટીદારો ગુર્જરવાળી કરશે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા માટેનું વિશાળ સંમેલન પ્રથમ વખત યોજાયુ હતું. આ સંમેલનમાં હાજર રહેલા આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે હાલ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને હક્ક મળે તે માટે આંદોલન ચાલે છે આપણે ઓબીસીમાં જઇશુ તો આવનારી પેઢીને સારી જગ્યાએ પહોંચાડી શકીશું. ૧૦ વર્ષમાં માત્ર ૪૬૫ પટેલોને નોકરી મળે છે જે શરમજનક વાત છે. આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ ૪૪ ધારાસભ્યો અને સંસદસભ્યો પણ પાટીદારો છે.
સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં પાટીદારોને સંબોધતા હાર્દિકે જણાવ્યુ હતુ કે ભાજપમાં રાષ્ટ્રભક્ત અને કોંગ્રેસમાં રાષ્ટ્રદ્રોહી છે તે માનસિકતા દુર કરવી જોઇએ. ૨૦ વર્ષમાં કોઇ આંદોલન ગુજરાતમાં સફળ રહ્યુ નથી આ એક માત્ર આંદોલન છે જેમાં સ્વયંભુ પાટીદારો અનામત આંદોલનમાં ઉમટી રહ્યા છે તેમણે જણાવ્યુ હતુ કે અનામત મળવી હોય તો મળે પરંતુ પાટીદારો એક જરૃર થઇ ગયા છે લેઉઆ, કડવા એક થાય તો શું થાય તે સરકાર સમજી ગઇ છે આ લડાઇ આવનારી પેઢી માટે છે. ૨૫મી ઓગષ્ટે ૨૫ લાખ પાટીદારો અમદાવાદ આવવાના છે અને તે દિવસથી ગુર્જરવાળી થવાની છે. જો સરકાર અનામત નહી આપે તો સમગ્ર રાજ્યમાં રસ્તા રોકો તેમજ રેલ રોકો આંદોલન થશે. ભાજપ કે કોંગ્રેસ અથવા ખોડલધામ સહિતની ધાર્મિક સંસ્થાઓ હોય પરંતુ માત્ર યુવાનોનો ઉપયોગજ કર્યો છે તેવો સીધો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજ્યમાં ૭૦ ટકા પાટીદારો ગરીબ છે સહકારી ક્ષેત્રે લાખો-કરોડો રૃપિયાની લોન પટેલોના નામે ચાલે છે પટેલો પોતાના ખેતરો ગીરવે મુકી પોતાના સંતાનોને ભણાવે છે અને ઉચ્ચ અભ્યાસ હોય કે નોકરી મેળવવાની હોય પરંતુ અનામતના કારણે પાછળ હંમેશા રહે છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment