સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 5 August 2015

સૌરાષ્ટ્રમાં અનામતની માંગ ઉગ્ર બની, આજે રાજકોટમાં પાટીદાર રેલી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રમાં અનામતની માંગ ઉગ્ર બની, આજે રાજકોટમાં પાટીદાર રેલી

જસદણમાં પાટીદારોની, જામજોધપુરમાં લોહાણાં સમાજની રેલી નિકળી

બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ, કોળી-ભરવાડ સમાજ પણ મેદાનમાં

ટંકારામાં કાલે, જામજોધપુરમાં છઠ્ઠીએ, કેશોદમાં ૧૦મીએ અને જૂનાગઢમાં ૧૨મીએ રેલી
(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, મંગળવાર
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં અનામતની માંગ બૂલંદ બની રહી છે. ઠેર-ઠેર રેલી યોજવામાં આવી રહી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, લોહાણાં, કોળી, ભરવાડ, મુસ્લીમ સમાજમાંથી પણ અનામતની માંગ ઉઠવા લાગી છે. આજે જસદણમાં પાટીદારોની તો જામજોધપુરમાં લોહાણાં સમાજની રેલી નિકળી હતી. આવેદનપત્રો આપવામાં આવ્યા હતાં. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળનાં નેજા હેઠળ કાલે બહુમાળી ભવન ચોકથી પાટીદારોની વિશાળ રેલી નિકળશે. કલેકટર કચેરીએ જઈ આવેદનપત્ર અપાશે. ટંકારામાં પાંચમીએ, કેશોદમાં ૧૦મીએ અને જૂનાગઢમાં ૧૨મીએ પાટીદારોની રેલીના આયોજનો થયા છે. જામજોધપુરમાં છઠ્ઠીએ બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળનાં નેજા હેઠળ કાલે સવારે ૧૦-૩૦ કલાકે બહુમાળી ભવન ચોક, સરદાર પટેલની પ્રતિમા પાસે પાટીદારો મોટી સંખ્યામાં એકત્ર થશે. સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૃપે કલેકટર કચેરી જઈ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જસદણમાં જય સરદાર સેવા દળનાં નેજા હેઠળ ચિતલીયા રોડ પરનાં સરદાર ચોકમાં સવારે ૧૦ કલાકે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. બાદમાં અહીંની રેલી સ્વરૃપે એસ.ટી. રોડ, મોતી ચોક, ટાવર ચોક, એસ.ટી. સ્ટેશન સહિતનાં માર્ગો પર ફરી પ્રાંત અધિકારીની કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં જસદણ-વિંછીયા ઉપરાંત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં. જામજોધપુરમાં લોહાણાં સમાજ દ્વારા અનામતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે લોહાણા મહાજન વાડીથી રેલી કાઢવામાં આવી હતી. મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવાયું હતું. આ રેલીમાં જ્ઞાાતિનાં આગેવાનો, હોદેદારો જ્ઞાાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
ટંકારા શહેર તથા તાલુકા યુવા પાટીદાર વિદ્યાર્થી સંગઠ્ઠન તથા પાટીદાર હિત રક્ષા સમિતિ દ્વારા તા.પં.નાં સવારે લતીપર ચાર રસ્તા ખાતેથી મૌન રેલી યોજી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપશે. કેશોદમાં જય સરદાર પટેલ ગુ્રપ દ્વારા તા. ૧૦નાં સવારે ૯ કલાકે વેરાવળ રોડ, સોરઠ ટાયર નજીકથી બાઈક રેલી કાઢવામાં આવશે. જેમાં શહેર, તાલુકાનાં અને તાલુકા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે. એક દિવસ કામ-ધંધા બંધ રાખી રેલીમાં જોડાવા ગુ્રપનાં હોદ્દેદારો દ્વારા પાટીદારો જોગ અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢમાં સરદાર પટેલ ગુ્રપનાં નેજા હેઠળ તા. ૧૨નાં બુધવારે સવારે ૯ કલાકે શિવમ પાર્ટી પ્લોટ ખાતેથી મહારેલી કાઢવામાં આવશે. આ રેલી ગિરીરાજ રોડ, એસ.ટી. સર્કલ, વૈભવ ચોક, તળાવ દરવાજા, સરદાર બાગ થઈ કલેકટર કચેરીએ પહોંચશે. જ્યાં આવેદનપત્ર આપવામાં આવશે. આ રેલીમાં જૂનાગઢ શહેર, તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે દશ હજાર પાટીદારો જોડાય તેવો અંદાજ છે. સરદાર પટેલ ગુ્રપનાં ભાવેશ માખેસણાએ જણાવ્યું હતું કે, અનામત માટે આંદોલન છતાં સરકાર અવાજ નહીં સાંભળે તો અન્યાય સામે રાજ્ય સ્તરે રસ્તા રોકો આંદોલન, બંધ સહિતનાં કાર્યક્રમો આપવામાં આવશે.
ઉપલેટામાં ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મસમાજે પણ અનામતની માંગ સાથે આંદોલનમાં ઝૂકાવ્યું છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની વાડી ખાતેથી બ્રહ્મસમાજ- ક્ષત્રિય સમાજની સંયુક્ત રેલી નિકળી હતી. મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. જાફરાબાદ તાલુકાનાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મનુભાઈ વાંજાએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વસતા કોળી સમાજના શીડયુઅલ ટ્રાઈબમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં વસતા કોળી સમાજનો સમાવેશ કેમ કરાતો નથી. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદરથી ઘોઘા સુધીનાં સાગરકાંઠે વસતા તમામ કોળી સમાજનો એસ.ટી.માં સમાવેશ કરવો જોઈએ. બાબરા તાલુકા મુસ્લીમ લઘુમતી સમાજના આગેવાન મુસાભાઈ જીવાભાઈએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી લઘુમતી સમાજને અનામતની માંગ કરી છે. ભરવાડ સમાજે પણ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી ભરવાડ સમાજને અનામત આપવા માંગ કરી છે. જામનગર રઘુવંશી સમાજે પણ અનામત આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. જો માગણી નહીં સ્વિકારાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જામજોધપુર તાલુકા સમસ્ત બ્રહ્મઉત્કર્ષ મંડળ દ્વારા અનામતની માંગ સાથે તા. ૬નાં સાંજે ૪-૩૦ કલાકે બ્રહ્મસમાજની વાડીથી રેલવે સ્ટેશન પાસે થઈ મામલતદાર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવશે. રાજકોટ બ્રહ્મસેના દ્વારા તા. ૫ના રોજ અનામતની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતકરવામાં આવશે. સાવરકુંડલામાં પટેલ વાડી ખાતે આજે તાલુકાનાં પાટીદાર યુવક મંડળની મિટીંગ મળી હતી. જેમાં પાટીદાર સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદારોને અનામતની માંગ સાથે તા. ૭ના શુક્રવારે રેલી કાઢી, આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment