સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 5 August 2015

'કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે': હાર્દિક પટેલને મંત્રીના 'ખાસ'ની ધમકી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

'કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે': હાર્દિક પટેલને મંત્રીના 'ખાસ'ની ધમકી

અમદાવાદ: રાજ્યમાં પટેલ આંદોલન દિવસે દિવસે વેગવાન બની રહ્યું છે. રાજ્યભરમાં પ્રસરી રહેલી પટેલ અનામત આંદોલનની આગના પગલે રાજ્ય સરકારના પેટલમાં તેલ રેડાયુ છે. ત્યારે ગુજરાત સરકાર કોઈ પણ ભોગે આ આંદોલનને ડામી દેવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. આંદોલનકારીઓ સાથે વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આંદોલન સાથે સંકળાયેલા લોકોને મોટા માથાઓ દ્વારા ધમકીઓ મળી રહી હોવાના અહેવાલ વારંવાર આવતા રહ્યા છે પરંતુ કોઈનું નામ સામે નહોતુ આવ્યુ. જે આજે પહેલી વાર સામે આવ્યુ છે. મંત્રી નીતિન પટેલના ખાસ માણસે પોતાને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે.

દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની વાત-ચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 'રાજમોતી ટ્રાન્સપોર્ટર્સના માલિક પ્રકાશભાઈ પટેલ કે જે મંત્રી નીતિન પટેલના ખાસ માણસ છે તેમણે ફોન કરીને ધમકી આપી હતી કે, જો કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે.'
- પાટીદારોને અનામત ઝાંઝવાના નીર સમાન!
- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામતની ટકાવારી 50 ટકાથી વધવી જોઇએ નહીં
- 50 ટકા અનામતમાં ઓબીસીનો ક્વોટા 27 ટકા જે પહેલેથી જ 146 જાતિઓ સામેલ છે

ગાંધીનગર : ઓબીસી એટેલે કે અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાતના પાટીદાર સમાજે છેલ્લા 15 દિવસથી આંદોલનનું રણશિંગુ વગાડ્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ કોઈ પણ રાજ્ય 50 ટકાથી વધારે અનામત આપી શકે તેમ નથી. ગુજરાતમાં પહેલેથી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોને મળેલી અનામતનો ક્વોટા 50 ટકા થઈ ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં યક્ષ પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર પાટીદારોને અનામત આપે તો કેવી રીતે આપે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અન્ય પછાત વર્ગોમાં સમાવી શકાય.

હવે ગુજરાતમાં પહેલેથી 146 જાતિઓનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થઈ ચૂક્યો છે. એક વાર એવું માની લેવાય કે પાટીદારોની અનામત માટેની માંગણીને માની લેવામાં આવે છે. તો શું પાટીદારોને જનરલ કેટેગરીમાંથી અનામતનો ક્વોટા ફાળવવામાં આવશે. કે પછી 27 ટકા અનામત ધરાવતા ઓબીસીના ક્વોટામાં સામેલ 146 જાતિઓની ભેગા  પાટીદારોને પણ ભેળવવામાં આવશે, શું પાટીદારોને ઓબીસીના ક્વોટામાં સામેલ કરાય તો પોતાને થઈ રહેલા અન્યાયને આગળ ધરીને આંદોલન કરી રહેલા પાટીદારોનો હેતુ સિદ્ધ થાય ખરો, આમ આ બધા સવાલો હાલમાં રાજ્યભરને ઘમરોળી રહેલા પાટીદાર અનામત આંદોલનના ધમધમાટ પાછળથી માથું ઊંચુ કરી રહ્યા છે.
 
દેશ અને અન્ય રાજ્યોમાં અનામત
 
ક્ષેત્ર એસસી એસટી ઓબીસી(બીસી) મોસ્ટબીસી કુલ
ભારત 15 7.5 27 49.5 99
તામિલનાડુ 18 1 30 20 69
રાજસ્થાન 16 12 21 49 98
ઉત્તરપ્રદેશ 15 7.5 27 49.5 99
મહારાષ્ટ્ર 15 7.5 27 49.5 99
 
ગુજરાતમાં જાતિ આધારિત અનામત
દલિતો (એસ. સી. ) 8 ટકા
આદિવાસીઓ ( એસ. ટી. ) 15 ટકા
ઓબીસી (અન્ય પછાત વર્ગો) 27 ટકા
કુલ 50 ટકા
 
આગળ વાંચો સરકાર મંત્રણાના મૂડમાં: આજે લાઇન ઓફ એક્શન નક્કી કરશે
 
 




Source :-http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1183180-NOR.html

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment