સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 17 August 2015

૨૫મીએ પાટીદારો તાકાત દેખાડશે, સરકાર સાથે કોઇ મંત્રણા નહીં ઃ હાર્દિક પટેલ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

૨૫મીએ પાટીદારો તાકાત દેખાડશે, સરકાર સાથે કોઇ મંત્રણા નહીં ઃ હાર્દિક પટેલ

સરકાર સાથે આરપારની લડાઇ

પાટીદારોને OBCમાં સમાવેશ નહીં ત્યાં સુધી આંદોલન જારી રાખવા SPGનું એલાન

મહારેલી ગુજરાતમાં ઇતિહાસ સર્જશે
અમદાવાદ , રવિવાર
આવતીકાલે સોમવારે ગુજરાત સરકારે અનામતના મુદ્દે રચેલી સમિતી વિવિધ જ્ઞાાતિઓના આગેવાનોને સાભળશે. પાટીદાર આંદોલન સમિતીએ પાટીદારોને ઓબીસીમાં સમાવેશ નહીં કરાય ત્યાં સુધી આંદોલન જારી રાખવા એલાન કર્યું છે. એટલું જ નહીં, સરકાર સાથે કોઇપણ મંત્રણા કરવા સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ કારણોસર હવે અનામતની આગ આગામી દિવસો વધુ જલદ બને ેતેવા એંધાણ સર્જાયાં છે. પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છેકે, ૨૫મીએ અમદાવાદમાં પાટીદારો તેમની તાકાતનો પરચો દેખાડશે. આ મહારેલી ગુજરાતના ઇતિહાસની મોટી રેલી બની રહેશે. એસપીજીના એલાનને પગલે અનામતનું કોકડુ વધુ ગુંચવાયું છે
હાર્દિક પટેલે જણાવ્યું કે, ઓબીસીમાં પાટીદારોને સમાવો એ માંગણી જયાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાટીદારો આંદોલન જારી રાખશે. પોલીસની મંજૂરી મળે કે ન મળે ૨૫મી મહારેલી યોજાશે જ. સરકાર ગમે તેટલાં પ્રયત્નો કરે રેલી થઇને જ રહેશે.૨૫મી સુધી ગુજરાતમાં એક કરોડ પાટીદારોનું અનામતના મુદ્દે સમર્થન મળશે.મહારેલીમાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન એવુ હશે કે, સરકારના છાતીના પાટિયા બેસી જશે. હવે સમાધાનનો પ્રશ્ન જ નથી. સરકાર સાથે ચર્ચાનો તો સવાલ જ પેદા થતો નથી. એસપીજીના એલાનને પગલે પોલીસ ખુદ ચિંતામાં મૂકાઇ છે. હવે અમદાવાદમાં ૨૫મીએ યોજાનારી રેલીમાં ૪૦ લાખ લોકો ઉમટી પડે તો શહેરમાં શુ સ્થિતી થાય તે માટે પોલીસ અત્યારથી વિચારમાં મૂકાઇ છે.


હાર્દિક પટેલ પર પોલીસની વોચ, પાટીદાર આંદોલનકારીઓ પર નજર
પાટીદાર આંદોલનને વેગ આપતાં પાટીદાર આગેવાનો પર પોલીસે નજર રાખી છે. સરકારના આદેશને પગલે વિરમગામમાં પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલના નિવાસસ્થાને કોણ કોણ આવે છે તેના પર પોલીસે વોચ ગોઠવી છે. પળપળની વાત આઇબી વિભાગ સરકારને મોકલી રહી છે.સેન્ટ્રલ આઇબીએ પણ અહેવાલ મેળવી રહી છે. પાટીદાર આગવાનોની હલનચલન પર નજર રાખવામાં આવી રહી છે. ૨૫મી પહેલાં જ આ પાટીદારો આગેવાનોને નજરકેદમાં લઇ લેવામાં આવે તેવી પોલીસે તૈયારીઓ કરી છે. જોકે, બીજી તરફ, એસપીજીએ સ્પષ્ટરીતે જણાવ્યું છેકે, જો પાટીદાર આંદોલનકારીઓની ધરપકડ કરાશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડશે તો તેની જવાબદારી સરકારની રહેશે. પાટીદાર આંદોલનકારીઓની પોલીસે યાદી તૈયાર કરી છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment