સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 18 November 2015

અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં એક પણ નવો કરવેરો નહીં ઃ કોંગ્રેસ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં એક પણ નવો કરવેરો નહીં ઃ કોંગ્રેસ

કોંગ્રેસે 'સિટી વિઝન ડોક્યુમેન્ટ' નામે બહાર પાડેલો ઢંઢેરો

પાણી, ગટર, રોડનાં કામોને પ્રાધાન્ય ઃ AMTS અને BRTSનું સંકલન કરી વધુ અસરકારક ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પડાશે
અમદાવાદ, મંગળવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આવી રહેલી ચૂંટણીનો ઢંઢેરો આજે કોંગ્રેસે અમદાવાદ સિટી વિઝન ડોક્યુમેન્ટના નામે પ્રસિદ્ધ કર્યો છે. જેમાં દર વખત જેમ અનેક સુંવાળા વચનોની લહાણી કરવામાં આવી છે. ડોક્યુમેન્ટના પહેલાં હિસ્સામાં ભાજપના સત્તાવાળાઓની અણઆવડતના કારણે સર્જાયેલી સમસ્યાનું લંબાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા હિસ્સામાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ૨૦૧૫થી ૨૦૨૦ દરમ્યાન ક્યા ક્યા કામોને પ્રાધાન્ય આપશે તેનું વિવરણ કરવામાં આવ્યું છે. આવનારા પાંચ વર્ષમાં નવો એક પણ કરવેરો નહીં નખાય તેવું વચન આપ્યું છે.

'અમદાવાદને અતુલ્ય' બનાવવાના વચન સાથે જણાવ્યું છે કે, અમદાવાદના ૨૨ ટકા વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી અને ૩૧ ટકા વિસ્તારોમાં ગટરનું નેટવર્ક નથી. મેગાસિટીમાં ૨૨૦૦૦ ખાળકૂવા છે. વટવા, લાંભા, બહેરામપુરા, મકતમપુરા, રામોલ-હાથીજણ, શીલજ, ગોતા જેવા વિસ્તારો પાણીના નેટવર્ક સાથે જોડાયેલા નહીં હોવાથી ટેન્કરથી પાણી અપાય છે. કોંગ્રેસ ટેન્કરરાજ ખત્મ કરવા માગે છે. જ્યારે નવા વિકસેલા વિસ્તારોમાં ગટરની સુવિધા નથી. કોટ વિસ્તાર અને ગામતળના વિસ્તારોમાં વર્ષો જુની ગટરો જર્જરિત થઈ ગયેલી છે ત્યાં નવી સુવિધા ઉભી કરાશે.
ઉપરાંત રોડ રસ્તા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ટકાઉ અને વધુ લોકભોગ્ય બનાવાશે. જ્યાં સતત ટ્રાફિક રહે છે તેવા અંજલી, પરિમલ ગાર્ડન, ઈન્કમટેક્સ, પાંજરાપોળ, જુના વાડજ, વિરાટનગર, પાલડી, નરોડા રેલવે ક્રોસીંગ, જલારામ ક્રોસીંગ, સત્તાધાર ચાર રસ્તા, માનસી જંકશ ખાતે નવા બ્રિજ બનાવવામાં આવશે.
બીઆરટીએસ અને એએમટીએસ બસોનું સંકલન કરાશે તેમ જણાવી ઉમેર્યું છે કે, બીઆરટીએસનો અણધડ રીતે અમલ થતાં અદ્યતન સુવિધા સગવડતા બદલે અગવડ બની ગઈ છે. બસોમાં જીપીએસ સિસ્ટિમ લગાવાશે અને પેસેન્જરને બસની વિગતો મોબાઈલ ફોન પર મળી રહે તે માટે 'અમદાવાદ બસ'ના નામે મોબાઈલ એપ્લીકેશન વિકસાવાશે. પ્રત્યેક બસને વાય-ફાઈ સુવિધાથી સજ્જ કરાશે. લાલદરવાજા અદ્યતન બહુમાળી મુખ્યાલય ઉભું કરાશે.
ઉપરાંત પારદર્શી વહિવટ, વહિવટી સુધારણા, પ્રત્યેક વોર્ડમાં એક મોડેલ સ્કુલ, કચરાનો અદ્યતન ઢબે નિકાલ, નવી હોસ્પિટલો અને નબળાવર્ગને નિઃશુલ્ક આરોગ્ય સેવા, પાર્કિંગની વ્યવસ્થા, સ્લમ ફ્રી સિટી સહિત અનેક વચનો આપ્યા છે. જ્યારે પહેલા હિસ્સામાં વર્તમાન શાસનમાં પ્રોપર્ટી ટેક્સમાં થયેલો ૨૦૦ ટકાનો વધારો, બીઆરટીએસના કારણે ઉભી થયેલી ટ્રાફિક સમસ્યા, કચરાનો અવૈજ્ઞાાનિક ઢબે નિકાલ, વહિવટી નિષ્ફળતાઓ, ઓકટ્રોયની અવેજીમાં સરકારમાંથી બાકી નીકળતી રકમ વગેરે મુદ્દાઓનું વિવરણ કર્યું છે.

વિઝન ડોક્યુમેન્ટની હાઇલાઇટ્સ
  • ભ્રષ્ટાચાર રોકવા કોન્ટ્રાકટરો, કામની વિગતો ઓનલાઇન મૂકાશે
  • પ્રોપર્ટી ટેક્સના માળખાને વધુ વ્યાજબી,સુસંગત બનાવાશે
  • દરેક વોર્ડમાં મોડેલ સ્કૂલ ઉભી કરાશે
  • એએમટી બસોને જીપીએસ સિસ્ટમ- વાઇફાઇથી સજ્જ કરાશે
  • આગામી વર્ષોની જરૃરિયાતને ધ્યાનમાં લઇને ૬ હજાર ટન કચરાની પ્રોસેસ કરવાની ક્ષમતા ઉભી રાશે
  • ખારીકટ કેનાલની સફાઇ કરાશે
  • સવાર-સાંજ અપાતા પાણીના સમયમા અડધો કલાકનો વધારો કરાશે
  • પાણીનો સ્ટોરેજ કરી ૨૪ કલાક પાણી આપવાના કન્સેપ્ટનો અમલ કરાશે
  • સ્ટ્રેટેજીક પોઇન્ટ પર આર.ઓ પ્લાનટ ઉભા કરીને અમદાવાદીને મિનરલ વોટર અપાશે
  • પ્રત્યેક વોર્ડમાં એક અર્બન આરોગ્ય સેન્ટર- રેફરલ હોસ્પિટલ ઉભી કરાશે
  • ત્રણ નવી આધુનિક સુવિધાથી સજજ્ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ શરૃ કરાશે
  • ટ્રાફિક સમસ્યા હળવી કરવા ૧૦ નવા બ્રિજ બનાવાશે
  • નવી ટીપી સ્કિમોમાં પાર્કિગ માટેના અલાયદા પ્લોટ ફાળવાશે
  • સરદારબાગ વિસ્તારને ઐતિહાસિક સિટીચોક બનાવવામાં આવશે
  • પ્રત્યેક ઝોનમાં આધુનિક લાઇબ્રેરી ઉભી કરાશે
  • દરેક વોર્ડમાં રોજગારલક્ષી વોકેશનલ ટ્રેઇનીંગની વ્યવસ્થા કરાશે
  • સ્લમ ફ્રી સિટી માટે અલાયદુ આયોજન કરાશે
  • અમદાવાદની આગવી ઓળખ માટે ચારેય દિશામાં પ્રવેશદ્વાર બનાવાશે જયાં આધુનિક માહિતી કેન્દ્ર ઉભા કરાશે.
  • શહેરમાં ૧૦ નવા પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે
  • શહેરના ગીચ વિસ્તારોમાં રસ્તા પર અવરજવર કરતાં લોકો માટે લિફ્ટની સુવિધા સાથેના ઓવરબ્રિજ વિકસાવાશે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment