સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 15 April 2016

રામનવમીએ રાજકોટમાં પ્રથમ વખત યોજાશે રામલલ્લાની પાલખીયાત્રા - પાણીની તીવ્ર અછત હોવાથી મે મહિનામાં વીજળીના ધાંધિયા થશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

આજે રામનવમીએ રાજકોટમાં પ્રથમ વખત યોજાશે રામલલ્લાની પાલખીયાત્રા

- સર્વત્ર ગુંજી ઉઠશે 'જયશ્રી રામ'નો દિવ્યનાદ

- સવારે ૧૦ વાગ્યે જ્યુબેલી ગાર્ડન પાસેના નવગ્રહ મંદિરેથી પાલખીયાત્રાનો થશે પ્રારંભઃ ભજન, કિર્તન સાથે કપિલા હનુમાન મંદિરે યાત્રા પૂર્ણ થશે

રાજકોટ, ગુરૃવાર
રાજકોટમાં આવતીકાલે રામનવમીની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી થશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌપ્રથમ વખત રાજકોટમાં શ્રીરામ લલ્લાની પાલખીયાત્રા કાઢવામાં આવનાર છે. આ પાલખીયાત્રાનો સવારે ૯ વાગ્યે જ્યુબેલી ગાર્ડન પાસેના નવગ્રહ મંદિરેથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી કપિલા હનુમાન મંદિરે (ચૈતન્ય ધામ) રામનાથપરા ખાતે આરતી બાદ પૂર્ણ થશે.

આ પદયાત્રામાં ધાર્મિકતા એખતા અને નિષ્ઠા સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સાથે વિવિધ ધાર્મિક, સામાજીક સંસ્થાઓ, ધૂન-કિર્તન મંડળો જોડાશે. રાજકોટમાં પ્રથમ વખત રામલલ્લાની પાલખીયાત્રા કાઢવાનું આયોજન થતાં રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ શોભાયાત્રાનું વિવિધ માર્ગો પર સ્વાગત થશે.

આ પાલખીયાત્રામાં વિવિધ ધૂન-મંડળો ધૂન-ભજનની રમઝટ બોલાવશે. પાલખી સિવાય કોઇ ફ્લોટ્સ રાખવામાં આવ્યા નથી. જયશ્રી રામના ઘોષ સાથે બે કિ.મી. લાંબી શોભાયાત્રા નીકળશે. રાજકોટમાં અન્ય વિવિધ રામ મંદિરોમાં પણ પૂજન અર્ચન, કિર્તનના કાર્યક્રમો યોજાશે.
* સદ્ગુરૃ સદન, રણછોડદાસજી આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક રામા અવતારની ઉજવણી થશે. આ અવસરનું ચરિત્રચિત્રણ થશે અને મહાત્મય પણ વર્ણાવાશે. બપોરના ૧૨.૩૦ થી ૨.૩૦ દરમિયાન રામરૃપી પ્રસાદનું આયોજન કરાયું છે.
* ગાયત્રી શક્તિપીઠ, વૈશાલીનગર દ્વારા સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક ખાતે સવારના ૮ થી બપોરના ૧૨.૩૦ સુધી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞા યોજાશે.
* શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, જામનગર ખાતે નીજ મંદિરમાં મહાઆરતી, દિપમાલા પૂજન અર્ચન અને સાંજે ભજન-ધૂન, સત્સંગનો કાર્યક્રમ રખાયા છે.
* માનવ મંદિર કસ્તુરબા ધામ ત્રંબા ખાતે સાંજે ૬ વાગ્યે મંદબુધ્ધિના ભાઇ માટેના આવાસ ભવનનું લોકાર્પણ થશે.
* શ્રી હરિનામ સંકિર્તન મંડળ દ્વારા સવારે ૫.૩૦ વાગ્યે પ્રભાતફેરી બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી થશે.
* શ્રી રામચરિત માનસ મંદિર, રતનપર દ્વારા સવારે ૯ થી ૧૨, ધૂન-ભજન, સત્સંગ થશે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી બાદ પ્રસાદનું આયોજન થયું છે.
* ગીતા મંદિર જંકશનના સત્સંગ સભાખંડમાં રામધૂનની રમઝટ બોલાવશે. તેમજ નિઃશુલ્ક ઉનાળુ છાશ વિતરણ કેન્દ્રનો આરંભ કરશે.
* શ્રી સાંઇનાથ મંદિર, સીંધી કોલોની દ્વારા સાંજે ૪ વાગ્યે દરિદ્રનારાયણ પરિવારોને ૫૦૦ અનાજની કીટનું વિતરણ થશે. સાંજે ૫ વાગ્યે પાલખીયાત્રા (રથયાત્રા), ૮ વાગ્યે મહાપ્રસાદ અને ૧૦ વાગ્યે ભજન કિર્તન.
* લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા આજે કુંડલીયા હોલ જંકશન ખાતે રામાયણના પાત્રો તથા રામાયણ ઉપરની ક્વીઝનું આયોજન થયું છે.
* શ્રી લોહાણા મહાજન મંડળ તથા રઘુવંશીઓની તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બપોરે ૧૨ વાગ્યે સાંગણવા ચોક લોહાણાવાડી રામજી મંદિરે મહાઆરતી થશે.
* શ્રી જળમુખી મિત્ર મંડળ લોહાણાપરા દ્વારા ૧૨ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી સાથે રામજન્મના વધામણા થશે.

પાણીની તીવ્ર અછત હોવાથી મે મહિનામાં વીજળીના ધાંધિયા થશે

- ગુજરાતની વીજ ડિમાન્ડ વધીને ૧૫૦૦૦ મેગોવાટ થવાની શક્યતા

- કેન્દ્રસરકારે પાવર પ્લાન્ટને પાણી વપરાશમાં ૨૫ ટકા ઘટાડો કરવા સૂચના આપી

કોલસાથી ચાલતા પ્લાન્ટમાં પાણીનો થતો જંગી વપરાશ ને બગાડ
ગરમી એક ડીગ્રી ઉપર જાય તો પાવરની ડીમાન્ડમાં આવતો ૩૦૦ મેગાવોટનો ઉછાળો

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,ગુરૃવાર
ગુજરાતના બે વર્ષથી ઓછો વરસાદ પડયો હોવાથી અને નર્મદા અને ઉકાઈ જેવા બંધોમાં માંડ ૨૫ ટકા પાણી બચ્યું હોવાથી આ ઉનાળામાં એટલે કે આગામી મે મહિના દરમિયાન વારંવાર પાવર કટનો સામનો કરવો પડે તેવી શક્યતા રહેલી છે. કેન્દ્ર સરકારે તમામ પાવર પ્લાન્ટને પાવર પ્લાન્ટમાં પાણીના થતાં વપરાશમાં ૨૫ ટકાનો ઘટાડો કરી દેવાની સૂચના આપી દીધી છે. એક મેગાવોટ વીજળી પેદા કરવા માટે રોજના ૯૦,૦૦૦ લિટર પાણીની જરૃર પડે છે.
ઉનાળામાં ગુજરાતની વીજળીની ડીમાન્ડ વધીને ૧૫૦૦૦ મેગાવોટ થઈ જવાની ધારણા રાખવામાં આવી રહી છે. તેની સામે પાણીની અછતને કારણે સપ્લાય ઓછો રહેવાની શક્યતાને નકારી શકાતી નથી. બીજી તરફ અત્યારે ગુજરાતમાં વધી ગયેલી વીજળીને ડીમાન્ડને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતી વીજળી કરતાં વધુ વીજળીનો જથ્થો ખરીદવા માંડયો છે. ગરમીનો પારો એક ડિગ્રી ઉપર જાય એટલે વીજળીની ડીમાન્ડમાં ૨૫૦થી ૩૦૦ મેગાવોટનો ઉછાળો આવે છે.
પાણીના ફોર્સથી પેદા કરવામાં આવતી વીજળીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં પાણીથી વીજળી પેદા કરતાં એકમો માંડ દસ ટકા ક્ષમતાએ જ કામ કરી રહ્યા છે. બીજી તરફ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં નીકળતી રાખનો નિકાલ કરવા માટે પાણીના મોટા જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાવરસ્ટેશનથી ઍશ પોન્ડ સુધી રાખને પાણીની મદદથી લઈ જવામાં આવે છે. તદુપરાંત ઉનાળામાં ટેમ્પરેચર વધી જાય ત્યારે કોલસાના જથ્થામાં આગ ન લાગી જાય તે માટે કોલસાના જથ્થા પર પાણી છાંટવામાં આવે છે.
ઉપરાંત ૩થી ૪ ટકા પાણીનો વપરાશ તો વરાળ પેદા કરવામાં વપરાઈ જતાં પાણીના જથ્થાને રિકવર કરવા માટે વપરાય છે. કોલસાથી ચાલતા જૂની શૈલીના પાવર પ્લાન્ટમાં સામાન્ય કરતાં પાણીના જથ્થાનો વપરાશ ઘણો જ વધારે છે. તેમાં પાણીનો બગાડ પણ ખાસ્સો વધારે થાય છે. તેથી એસ્સાર, ટાટા પાવર અને અદાણી પાવર જેવી કંપનીઓ સામે સ્પર્ધા કરવામાં ગુજરાત સરકારની પાવર કંપનીઓને ખાસ્સી તકલીફનો સામનો કરવો પડશે. ખાનગી પાવર કંપનીઓના વીજ પ્લાન્ટ ધમધમતા રહેશે, પરંતુ સરકારી પાવર પ્લાન્ટના ઉત્પાદન પર અસર પડશે. તેનો સીધો લાભ ખાનગી વીજ ઉત્પાદકોને મળશે. ગયા વર્ષની તુલનાએ એપ્રિલ મહિનામાં ગરમીનો પારો ૫ ડિગ્રી ઉપર હોવાનું જોવા મળી રહ્યું છે. આ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબી જવાની સંભાવના રહેલી છે.
આ સંજોગોમાં પાણીની અછત વીજ ઉત્પાદનની કામગીરીમાં અવરોધ ઊભો કરી શકે છે, એમ પાવર સેક્ટરના જાણકાર કે.કે. બજાજનું કહેવું છે. તેમાંય ખાસ કરીન જૂના અને નાના કદના પાવર પ્લાન્ટની કામગીરી પર ખાસ્સી અવળી અસર પડવાની સંભાવના છે. ઉનાળામાં કૃષિ ઉપજ માટે બોરવેલમાંથી પાણી ખેંચવા માટે પણ પાવરનો ખાસ્સો ઉપયોગ થાય છે. ભૂતળના જળના તળ ઉનાળામાં વધુ ઊંડા ઉતરતા હોવાથી પણ વીજળીનો વપરાશ વધે છે. તેથી કૃષિ સેક્ટરને પાવર આપવા માટે અન્ય જગ્યાએ વીજળીના પુરવઠામાં કાપ મૂકવાની સરકારી વીજ કંપનીઓને ફરજ પડશે.
ઉનાળાના આ સમયમાં એરકન્ડિશનર્સ ચલાવવા માટે અને પાણી ઠંડું કરવા માટે વીજળીની ડીમાન્ડમાં શહેરી વિસ્તારમાં ખાસ્સો વધારો થઈ જાય છે. તેથી ગ્રીડમાં ખરાબી સર્જાવાના અને પાવર સપ્લાય કપાઈ જવાના કિસ્સાઓ વધી જાય છે. અત્યારે મેઈન્ટેનન્સ માટે ગુજરાતના ઘણાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવેલા છે. અત્યારે ગુજરાત સરકાર ગુજરાતની પ્રજાની વીજળીની ડીમાન્ડને પહોંચી વળવા માટ નેશનલ થર્મલ પાવર સ્ટેશન દ્વારા તેમને ફાળવવામાં આવતી વીજળી કરતાં વધુ વીજળી લઈ રહી છે. ગત સોમવારથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારની વીજ કંપનીઓ માટે યુનિટદીઠ રૃા. ૨.૩૦ અને રૃા. ૨.૫૬ના ભાવે અનુક્રમે ૭૬૬ અને ૪૭૭ મેગાવોટ વીજળી ખરીદવામાં આવેલી છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment