સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 20 April 2016

PFના નવા નિયમોનો વિરોધ - દુષ્કાળની માહિતી આપો : સુપ્રીમ - પાટીદાર ધારાસભ્ય મહેસાણામાં પોલીસ કાર્યવાહીથી નારાજ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

PFના નવા નિયમોનો વિરોધ થતાં અમલ ત્રણ માસ મોકુફ

- બેંગાલુરુમાં હિંસક તોફાનો ફાટી નીકળતાં તંગદિલી

૩૧મી જુલાઈ સુધી જૂના નિયમો પ્રમાણે હાઉસિંગ, સારવાર, લગ્ન અને બાળકોના શૈક્ષણિક ખર્ચ માટે પીએફ ઉપાડવું શક્ય
કાપડ ઉદ્યોગના કર્મચારીઆએ વાહનો સળગાવ્યા, હાઇવે ચક્કાજામ   ટોળાને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ, ટિયરગેસના શેલ છોડયા

(પીટીઆઈ)               નવી દિલ્હી, તા.૧૯
કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ મુદ્દે લીધેલા નિર્ણયો માટે ફરી એકવાર પીછેહઠ કરવી પડી છે. મજૂર યુનિયનોના સખત વિરોધ પ્રદર્શનોને પગલે કેન્દ્ર સરકારે પહેલી મેથી લાગુ થનારા પીએફ ઉપાડને લગતા નવા નિયમો જુલાઈ મહિના સુધી સ્થગિત કરી દીધા છે. હવે પીએફ ધારકો બે મહિનાથી વધુ બેકાર રહેશે તો ૩૧મી જુલાઈ સુધી પીએફની પૂરેપૂરી રકમ ઉપાડી શકશે.
આજે પીએફના નવા નિયમોને લઇને બેંગલુરુમાં કાપડ ઉદ્યોગના કર્મચારીઓએ જોરદાર હિંસક વિરોધ પ્રદર્શનો કર્યા હતા. મજૂર યુનિયનના સભ્યોએ ઠેર ઠેર દેખાવો કર્યા હતા. આ દરમિયાન હિંસક બનેલા ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો તેમજ કેટલાક વાહનોને આગચંપી પણ કરી હતી. આ હિંસક દેખાવો વચ્ચે કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી દત્તાત્રેય બાંગારુએ જણાવ્યું હતું કે, પીએફ ઉપાડના નવા નિયમો અમલી કરવાનો નિર્ણય ૩૧મી જુલાઈ, ૨૦૧૬ સુધી મોકૂફ રખાયો છે. હવે કોઈ પણ પીએફ ધારક હાઉસિંગ, મેડિકલ સારવાર, લગ્ન અને બાળકોની શિક્ષણના ખર્ચ માટે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકશે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા નિયમો પ્રમાણે, કોઈ પણ પીએફ ધારક અસામાન્ય સ્થિતિમાં જ પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકે. જોકે, અસામાન્ય સ્થિતિમાં સમાવાયેલા કારણોમાં સરકારે ૫૮ વર્ષ પૂરા થયા હોય, વિદેશ વસવાટ માટે જવાનું હોય, બે મહિનાથી વધુ બેકારી હોય તેમજ પરસ્પર સમજૂતીથી વહેલી નિવૃત્તિ લીધી હોય તો જ પીએફ ઉપાડી શકાય એવી સ્પષ્ટતા કરાઈ હતી. આ પ્રકારના આકરા નિયમોનો- ખાસ કરીને ૫૮ વર્ષ પૂરા થાય તો જ પીએફ ઉપાડી શકાય એ નિયમનો મજૂર યુનિયનોએ સખત વિરોધ કર્યો હતો.
છેલ્લાં ઘણાં સમયથી પીએફના નવા નિયમોને લઈને દેશભરના મજૂર યુનિયનો સખત વિરોધ કરી રહ્યા હતા. પીએફના નવા નિયમોની વિરુદ્ધમાં ઓનલાઈન અભિયાનો પણ ચલાવાયા હતા. આ પહેલાં પીએફના નવા નિયમો દસમી ફેબુ્રઆરીથી અમલી થવાના હતા પરંતુ સખત વિરોધના કારણે તેનો અમલ ૩૧મી જુલાઈ સુધી ટાળી દેવાયો હતો. જોકે, હવે એ નિર્ણય વધુ ત્રણ મહિના પાછો ઠેલાતા મજૂર યુનિયનો હાલ તૂરતા શાંત પડયા છે.
નોંધનીય છે કે, આ વર્ષના બજેટમાં કેન્દ્ર સરકારે પીએફની ૬૦ ટકા રકમ પર કર નાંખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે મુદ્દે દેશભરમાં વિરોધ પછી એ પ્રસ્તાવ પાછો ખેંચવો પડયો હતો.


પીએફના કયા નિયમોમાં ફેરફારની માગ કરાઈ છે?
કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત નવા નિયમો પ્રમાણે, પીએફ ધારકો મકાન ખરીદવા, ગંભીર બિમારી તેમજ બાળકોના શિક્ષણ માટે ચોક્કસ રકમ જ ઉપાડી શકશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે પણ ફક્ત ૫૦ ટકા રકમ જ ઉપાડી શકાશે. જોકે, મજૂર યુનિયનો અને કર્મચારી સંગઠનો પ્રસ્તાવિત નવા નિયમોનો જોરદાર વિરોધ કરીને કેટલીક મહત્ત્વની માગ કરી છે. આ પ્રસ્તાવ પ્રમાણે, પીએફ ધારકોએ બાળકોના લગ્ન પ્રસંગે, બાળકોના શૈક્ષણિક ખર્ચ માટે અને ઘરની ખરીદી કરવા પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકાય એવો નિયમ બનાવવાની માગ કરી છે. એવી જ રીતે, પીએફ ધારકોને ગંભીર બિમારીમાં સંપૂર્ણ રકમ ઉપાડવાની છૂટ હતી. જોકે, હવે ટીબી, કેન્સર, હૃદયના ઓપરેશન અને લકવા જેવી બિમારીમાં પણ સંપૂર્ણ રકમ ઉપાડી શકાય એવી માગ કરાઈ છે.

પીએફ મુદ્દે સરકારે બીજી વાર પીછેહટ કરવી પડી
આ વર્ષે નાણા મંત્રી અરુણ જેટલીએ બજેટમાં પ્રોવિડન્ટ ફંડની ૬૦ ટકા રકમ પર કરવેરો નાંખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ પ્રસ્તાવનો દેશભરના મજૂર યુનિયનો, કર્મચારી સંગઠનો, પગારદારો અને રાજકીય પક્ષોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. આ કારણસર એનડીએ સરકારે પીએફ પર કરવેરો લાદવાનો પ્રસ્તાવ પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી.  આ અંગે પ્રચંડ વિરોધ થતાં સરકારે કહ્યું હતું કે, પીએફની ૪૦ ટકા રકમ ઉપાડવી કરમુક્ત રહેશે પણ બાકીની ૬૦ ટકા રકમ પેન્શન યોજનામાં રોકવામાં આવશે તો જ કરમુક્ત રહેશે. એટલે કે, પેન્શન યોજનાને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો હતો. જોકે, પ્રચંડ વિરોધ પછી જેટલીએ કહ્યું હતું કે, કર્મચારીઓ પાસે પોતાની બચતનું રોકાણ કરવાના તમામ વિકલ્પ મોજુદ હોવા જોઈએ. સૈદ્ધાંતિક રીતે આ પ્રકારની સ્વતંત્રતા હોવી જોઈએ, પરંતુ સરકાર માટે કરવેરાને લઈને પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવા પણ જરૃરી હોવાથી એ નિર્ણય લેવાયો હતો.

તમે 'ગુજરાત' છો એટલે મનમાની ન કરો, દુષ્કાળની માહિતી આપો : સુપ્રીમ

- ગુજરાતના દુષ્કાળની માહિતી જ ન અપાતા સુપ્રીમનું આકરું વલણ

- સરકાર આ મામલાને હળવાશથી ન લે

કેમ ગુજરાતે હજુસુધી દુષ્કાળ અંગે પોતાનું સોગંદનામું રજૂ નથી કર્યું?
નવી દિલ્હી તા. ૧૯
દેશના ક્યા રાજ્યના કેટલા કોલો દુષ્કાળથી પ્રભાવિત છે તેની માહિતી મંગળવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી, સરકારે જણાવ્યું હતું કે ૧૦ રાજ્યોના ૨૫૬ જિલ્લાના આશરે ૩૩ કરોડ લોકો દુષ્કાળથી પ્રભાવિત છે. જોકે કેન્દ્રએ જે આંકડા સુપ્રીને આપ્યા તેમાં ગુજરાતનો સમાવેશ ન કરાતા સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે દુષ્કાળ પ્રભાવિત રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે તો પછી તેના આંકડા કેમ રજુ કરવામાં નથી આવ્યા? આ સવાલનો જવાબ કેન્દ્રએ આપતા એમ કહ્યું કે આ અંગેની જાણકારી બાદમાં કોર્ટને આપવામાં આવશે. દરેક પ્રકારના પગલા લેવાની ખાતરી આપનારી ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમા દુષ્કાળ અંગે સોગંદનામુ જ દાખલ ન કર્યું હોવાથી બાદમાં સુપ્રીમે ગુજરાત સરકારની પણ ઝાંટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તમે ગુજરાત છો એનો અર્થ એમ નહીં કેે ઇચ્છો એ પ્રમાણે મનમાની કરો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.બી. લોકુરની આગેવાનીમાં ગઠીત બેંચે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે તમે હજુસુધી દુષ્કાળ પ્રભાવિત માહિતી અંગે સોગંદનામુ કેમ દાખલ નથી કર્યું ? બધુ હળવાશથી ન લો, તમે ગુજરાત છો તેનો અર્થ એમ નથી કે મનમાની કરો અને પોતાની ઇચ્છા અનુસાર કરો. સુપ્રીમે બાદમા સરકારને વરસાદ અને દુષ્કાળના પુરા આંકડા રજુ કરવા અને જરૃરી ડોક્યુમેન્ટસ રજુ કરવા ૨૧મી એપ્રીલ સુધીનો સમય આપ્યો છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં એક એનજીઓ વતી જાણીતા વકીલ પ્રષાંત ભૂષણે અરજી દાખલ કરી જણાવ્યું હતું કે હાલ દેશના ૧૨ રાજ્યો દુષ્કાળથી પ્રભાવિત છે આવી સ્થિતિમાં કેન્દ્ર કે રાજ્ય સરકારો દ્વારા કોઇ રાહતકાર્ય હાથ ધરવામાં નથી આવ્યું કે ન તો કેન્દ્ર મનરેગા અંતર્ગત ફંડ આપી રહી છે. આ મામલે બાદમાં સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો હતો. હાલ આ મામલાની સુનાવણી ૨૧મી એપ્રીલે પણ ચાલશે.

વરસાદની આગાહી માટે નવી ટેક્નોલોજી અપનાવો : સુપ્રીમ
સુપ્રીમે કેન્દ્ર સરકારને કહ્યું કે દેશમાં વરસાદની સ્થિતિ જાણવા માટે જે જુની ટેક્નોલોજી વપરાય છે તેની જગ્યાએ આધુનિક ટેક્નોલોજી વાપરવામાં આવે, હાલ ભારત પાસે સેટેલાઇટ્સ છે, મિટેરોલોજીક વિભાગ છે જેનો ઉપયોગ કેન્દ્ર સરકાર કરે અને રાજ્ય સરકારોને સામે ચાલીને દુષ્કાળ અંગે માહિતી આપે.

દિલ્હીથી ફંડ મોકલો એનો અર્થ એ નથી કે રાજ્યોની સત્તા હાથમાં લો
દુષ્કાળ પ્રભાવિત રાજ્યોમાં મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે ફંડ જારી ન કર્યું હોવાથી સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો હતો.
સરકારે કહ્યું છે કે હાલ મનરેગા અંતર્ગત ૩૮૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમાંથી ૧૯૫૫૫ કરોડ રૃપિયાનું ફંડ જે તે રાજ્યોમાં મોકલી દેવાયું છે. સુપ્રીમે કહ્યું હતું કે તમે રાજ્ય સરકારોને ફંડ મોકલો છો તેનો અર્થ એમ નથી કે તમે રાજ્યની સત્તા પોતાના હાથમાં લો. સુપ્રીમની બેંચે કહ્યું કે જો તમે લાભાર્થીઓને સીધા દિલ્હીથી ફંડ મોકલો તો તેનો અર્થ એમ બિલકુલ નથી કે તમે જે તે રાજ્યની સત્તા હાથમાં લઇ લો.

વધુ એક પાટીદાર ધારાસભ્ય મહેસાણામાં પોલીસ કાર્યવાહીથી નારાજ

- પાદરા ધારાસભ્ય દિનેશ પટેલ એ મુખ્યમંત્રીને સણસણતો પત્ર લખ્યો

-પત્રમાં આંદોલનમાં વહેલી તકે સમાધાન થાય તેવી અપીલ કરી

વડોદરા, તા. 19 એપ્રિલ 2016

પાટીદાર અનામત આંદોલનમાં એક પછી એક ભાજપના ધારાસભ્યો અને સાંસદો સમાધાનની પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ધારાસભ્ય એ આનંદીબેન પટેલને પત્ર લખી મહેસાણામા થાયેલી પોલીસ કાર્યવાહી નો વિરોધ કરી સરકારની પાટીદારો સામેની નીતિ અંગે રોષ પ્રગટ કર્યો હતો. જયારે હરિયાણા સરકારની રાહ પર ચાલી અને પાટીદારોને અનામત આપી દેવા માટે સરકાર ને રજૂઆત કરી હતી.

પહેલા હું સમાજનો છું, પછી નેતા : દિનેશ પટેલ(દિનુ મામા)

મહેસાણામાં પાટીદારો સામે કલમ 307 નો ઉપયોગ કરી પાટીદાર આગેવાનો ને જેલમાં ધકેલી દેવાની સરકારની નીતિનો ખુલ્લો વિરોધ કર્યો હતો. જેમાં હરિયાણા નો પણ ઉલ્લેખ કરી અનામત આપી દેવાની માંગણી કરી હતી. જયારે પાટીદાર તરીકે પહેલા હું સમાજ માટે ઉભો રહીશ તેમ કહી અને સરકાર ને ગર્ભિત ચીમકી પણ આપી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનમાં વડોદરા જિલ્લાના પટેલ ધારાસભ્યોમાં કોઈ એ પણ સમાજ ને ટેકો જાહેર કર્યો ન હતો. પણ હવે મહેસાણા ની ઘટના બાદ ભાજપ ના પાટીદાર ધારાસભ્યોમાં સરકર સામે રોષ વધી રહ્યો છે. જેમાં પાદરા ધારાસભ્ય દિનેશભાઇ પટેલ એ સણસણતો પત્ર લખી સરકારની ચિંતા વધારી છે . જો વડોદરા જિલ્લામાં ધારાસભ્યનું સમર્થન મળે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ પૂર જોશથી  શક્રિય થઇ જશે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની અનેક વિધાનસભા બેઠક ખુબ ઊંચી સરસાઈ થી ભાજપ એ જીતી હતી જયારે અહીં પાટીદાર એફેક્ટના કારણે જિલ્લા પંચાયત પણ કૉંગ્રેસ ના હવાલે થઇ જવા પામી છે. જો હવે પાટીદાર ધારાસભ્યો બળવો કરે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં ભાજપને મોટું નુકશાન સહન કરવું પડે તેમ છે.
દરા જિલ્લામાં ભાજપને મોટું નુકશાન સહન કરવું પડે તેમ છે.




























Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/one-more-patidaar-mla-upset-for-mehsana-police-action



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment