સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 14 July 2016

ખોડલધામ અને ઉમિયાધામમાં હાર્દિકનાં હસ્તે શનિવારે આરતી - ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ખોડલધામ અને ઉમિયાધામમાં હાર્દિકનાં હસ્તે શનિવારે આરતી

- જેલમુક્ત થયા બાદ સૌરાષ્ટ્રમાં થનાર ભવ્ય સ્વાગત

- રાજકોટ, બોટાદ, ભાયાવદર, મોરબીમાં 'પાસ' દ્વારા રોડ-શો

- કાગવડ અને સીદસરમાં સાકરતુલા

રાજકોટ, બુધવાર
પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલનાં જમીન મંજુર થતાં આગામી તા. ૧૫મીએ જેલમુક્ત થયા બાદ તા. ૧૬મીએ આખો દિવસ સૌરાષ્ટ્રમાં પરીભ્રમણ કરશે.

તા. ૧૬મીએ સવારે ૧૧ વાગ્યે અમદાવાદથી સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીનાં દર્શન કરી પ્રમુખસ્વામી મહારાજના આશિર્વાદ મેળવશે. બાદમાં બોટાદમાં રોડ શો પછી સાંજે ૬ વાગ્યે કાગવડમાં ખોડલધામ ખાતે તેમના હસ્તે આરતી થશે અને જેતપુર પાટીદાર આંદોલન સમિતિ દ્વારા સાકરતુલા કરાશે. ત્યાંથી મોટીપાનેલી પહોંચશે અને સ્વાગત કરાશે. બાદમાં સીદસર ખાતે ઉમિયાધામમાં ૭-૩૦ વાગ્યે આરતી કરશે અને જામજોધપુર પાસ ટીમ દ્વારા સાકરતુલા કરાશે. ત્યાર પછી ધોરાજી અને ઉપલેટા તાલુકાનાં પાટીદારોની હાજરીમાં ભાયાવદરમાં રોડ શો કરવામાં આવશે.

રાત્રે ૧૦ વાગ્યે રાજકોટમાં ગોંડલ ચોકડીથી પાટીદારો ધામધૂમથી સ્વાગત કરીને રેલી સ્વરૃપે માધાપર ચોકડી સુધી લઈ જશે. ત્યાંથી પડધરી થઈને ટંકારા બાદ રાત્રે ૧૨ વાગ્યે મોરબી પહોંચશે અને રોડ-શો બાદ વિરમગામ જવા રવાા થશે. વિરમગામથી તા. ૧૭મીએ વહેલી સવારે કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત બહાર જવા નિકળી જશે. વળી, સૌરાષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન પણ કોર્ટનાં આદેશને કારણે ક્યાંય જાહેરસભા યોજાય તો હાર્દિક પટેલ કોઈ નિવેદન કરશે નહીં તેમ સૌરાષ્ટ્ર 'પાસ'નાં કન્વિનર લલીત વસોયાએ જણાવ્યું હતું. 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-aarti-held-on-saturday-and-umiyadhamamam-khodaladhama-hardik-nam


કોલ્હાપુરમાં મેઘ તાંડવથી ભીષણ પૂર નદીઓ ભયજનક બનતા હાઇ એલર્ટ જાહેર

- લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવધાન રહેવા સૂચના

- પંચગંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા આખું શહેર વેરવિખેર  અસંખ્ય નાગરિકોનું  સ્થળાંતર, બચાવ કામગીરી શરૃ
(પ્રતિનિધિ દ્વારા)    કોલ્હાપુર તાઃ ૧૩
કોલ્હાપુરમાં આજે  મહાનગરપાલિકા દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે.મેઘરાજાની પ્રચંડ થપાટથી કોલ્હાપુર હતું ન હતું  થઇ ગયું છે.કોલ્હાપુરમાં સતત પાંચ  દિવસથી જાણે આકાશ આખું  ફાટયું હોય તેમ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.અતિ વૃષ્ટિથી શહેરની પંચગંગા નદી ગાંડીતૂર થઇને ભયજનક સપાટી ઓળંગી  ગઇ છે.નદીનાં ભારે પૂર શહેરમાં ચારે તરફ ફેલાઇ ગયાં છે.પંચગંગામાં હજી પણ વધુ પૂર આવે તેવી શક્યતા હોવાથી મહાનગરપાલિકાએ શહેરના અમુક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરાવ્યું છે.આવી ગંભીર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા  નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ કોલ્હાપુર પહોંચી ઔગઇ છે.

બીજીબાજુ પંચગંગામાં ભારે પૂર આવવાથી તેનાકાંઠા વિસ્તારનાં લગભગ ૮૦ જેટલાં ગામો જાણે નાના નાના બેટ બની ગયા છે.વળી,આ તમામ ગામોનોસંપર્ક પણ નજીકના તાલુકા મથકો સાથે તૂટી ગયો છે.  ઉપરાંત,આખા કોલ્હાપુરમાં લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવધાન રહેવાની ચેતવણી પણ અપાઇ રહી હોવાના અહેવાલ મળે છે.કોલ્હાપુરનું પ્રસિદ્ધ રંકાળા તળાવ પણ છલકાઇ ગયું હોવાથી તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા શહેરનાં અસંખ્ય નાગરિકો તળાવ નજીક ભેળાં થયાં હતાં.
કોલ્હાપુર મહાનગરપાલિકાનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદથી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ  હોવાથી અમે કુંભાર ગલી,સુતારવાડા અને રિલાયન્સ મોલ નજીકની કામદાર ચાલમાં રહેતાં ૨૨ કુટુંબોનેે ચિત્રદુર્ગ મઠ અને મુસ્લિમ બોર્ડિંગમાં આશરો આપવામાં આવ્યો છે.ઉપરાંત,શહેરમાંનાં ચાર ઝોનમાં સતત ૨૪ કલાક  વિજિલન્સ સ્ક્વોડ શરૃ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાની હેડ ઓફિસમાંના ફાયર બ્રિગેડ વિભાગમાં સતત ૨૪ કલાક માટે કન્ટ્રોલ રૃમ પર શરૃ કરાવામાં આવ્યો છે અને તેનો સંપર્ક નં. ૧૦૮ જાહેર કરવામાં આવ્યો છે.
હાલ કોલ્હાપુરના રામાનંદનગર પૂલ પરિસર,ગાયકવાડા વાડા,જામદાર ક્લબ,પંચગંગા તાલીમ,મસ્કુતી તળાવ,સિદ્ધાર્થનગર,સીતા કોલોની,રાજારામ કોલોની,શાહુપુરી કુંભાર ગલી,મહાવીર ગાર્ડન પરિસર,બાપટ કેમ્પ અને મહાલક્ષ્મીનગર વગેરે વિસ્તારોમાં વરસાદી પૂર ફરી વળ્યાં છે. આખું કોલ્હાપુર જળબંબોળ બની ગયું છે.
કોલ્હાપુર મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અતિ વૃષ્ટિથી શહેરમાં પાણીજન્ય રોગ ન ફેલાઇ જાય તેની પૂરી સાવચેતી રાખીને અમે આરોગ્ય વિભાગની સાત વિશેષ ટુકડી તૈયાર કરી છે.દરેક ટીમમાં સાત આરોગ્ય અધિકારીનો સમાવેશ કરાયો છે.આ સાતેય ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઇને તપાસ કરીને જરૃરી દવા આપશે.ઉપરાંત,શહેરમાં ૨૪ કલાક માટે એમ્બ્યુલન્સ સેવા પણ શરૃ કરવામાં આવી છે.શહેરની સાવિત્રીબાઇ,પંચગંગા અને આઇસોલેશન હોસ્પિટલમાં કટોકટીના સંજોગો માટે અમુક પથારીઓ પણ ખાલી રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.કોલ્હાપુરમાં સતત પાંચ દિવસથી શ્રીકાર વર્ષા થઇ રહી હોવાથી શરદી,ઉધરસ,તાવ અને ઉલટીનાં દરદીઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.એટલે આવાં  દરદીઓને તાકીદે જરૃરી દવા પણ આપવાના આદેશ આપવામાં આવ્યા છે.  
કોલ્હાપુરના  વેપારી અશોક જાધવે ટેલિફોન દ્વારા 'ગુજરતા સમાચાર'ને એવી માહિતી આપી હતી કે  પંચગંગા અને વારણા નદીં કાંઠે રહેતાં  ઝૂંપડાંવ ાસીઓનું સ્થળાંતર  કરાવવામાં આવ્યું  છે જોકે  આમાંના અમુક  ઝૂંપડાંવાસીએો અન્યત્ર  જવા તૈયાર નહીં હોવાથી  મહાનગરપાલિકાએ તેમને  તાકીદની  ચેતવણી લાઉડ સ્પીકર દ્વારા  આપવી પડી છે.  આજે જોકે  વરસાદનું જોર થોડું ઓછું  થયું છે. આમ છતાં  છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં  પહેલી જ વખત આટલો ભારે વરસાદ  થયો  પહેલી જ  વખત આટલો ભારે વરસાદ થયો હોવાથી  નાગરિકોમાં  ગભરાટ ફેલાઈ ગયો છે.  ખાસ કરીને પંચગંગા અને વારણા નદી કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  કાંઠા વિસ્તારનાં લગભગ ૧૫ ગામનાં  લોકોને અગાઉ અન્યત્ર વસાવવામાં  આવ્યાં છે. આ તામમ ગામો વિખૂટાં પડી ગયાં છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ અરબી સમુદ્રમાં ચોમાસાનાં પરિબળો બહુ મજબૂત બની રહ્યાં છે.વળી,દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાથી છેક કેરળ સુધીના વિશાળ પટ્ટામાં ઓફ્ફ  શોર ટર્ફ પણ છવાયો છે.સાથોસાથ હાલ મધ્ય પ્રદેશ પર હવાના હળવા દબાણનો મોટો પટ્ટો પણ સર્જાયો હોવાથી તેની સીધી અને ભારે અસર નજીકના મહારાષ્ટ્રમાં પણ થઇ રહી હોવાથી આખા રાજ્યમાં મુશળધાર વર્ષા થઇ રહી છે.
જોકે હવામાન ખાતાનાં પુણે કેન્દ્રનાં સૂત્રોએ એવી આગાહી કરી છે કે હવે મહારાષ્ટ્રમાં વરસાદી જોર તબક્કાવાર ઓછું થતું જાય તેવી શક્યતા છે.

ઉ.ગુ.માં મેઘમહેર મેધરજ, ઇડરમાં સાત ઇંચ વરસાદ

- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

- રાજ્યમાં ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો

- મહેસાણાના ઉંઝામાં ૬ ઇંચ વરસાદઃ ૪૮  તાલુકાઓમાં ૨થી ૭ ઇંચ વરસાદ થયો

અમદાવાદ,બુધવાર
રાજ્યમાં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આજે બુધવારે સવારે ૭ વાગ્યા સુધીમાં પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૧૩૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. મેઘરજ અને ઇડરમાં સાત ઇંચ તેમજ ઉંઝામાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.

ખડૂતો ખરીફ વાવેતર માટેના જરૃરી વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ૧૫ જૂનથૂ ૧૫ જુલાઇ દરમિયાન ખરીફ વાવેતર થતું હોય છે ત્યારે રહીરહીને પણ સારો એવો વરસાદ થઇ જતા ખેડૂતો ખરીફ વાવેતરમાં લાગી ગયા છે. હિંમતનગરમાં ૭૨ મીમી, વડાલીમાં ૭૮ મીમી, ધનસુરામાં ૭૫ મીમી, માલપુરમાં ૯૫ મીમી, મોડાસામાં ૯૧ મીમી, મહુધામાં ૯૭ મીમી, થાનગઢમાં ૮૨ મીમી વરસાદ પડયો હતો. કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો હતો.  હારીજમાં ૫૫ મીમી, પાટણમાં ૫૦ મીમી, સરસ્વતીમાં ૪૯ મીમી, શંખેશ્વરમાં ૫૦ મીમી, સિદ્ધપુરમાં ૫૬ મીમી, દિયોદરમાં ૫૯ મીમી, ખેરાલુમાં ૫૨ મીમી, ખેડબ્રહ્મામાં ૫૦ મીમી, તલોદમાં ૬૩ મીમી, દહેગામમાં ૫૧ મીમી, કપડવંજમાં ૭૧ મીમી, મહેમદાવાદમાં ૫૬ મીમી, નડિયાદમાં ૬૩ મીમી મળીને કુલ ૩૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. ૪૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ તેમજ ૪૩ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ થયો હતો.આ ઉપરાંત ચાણસ્મા, સમી, વડગામ, જોટાણા, પ્રાંતિજ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, માણસા, દેત્રોજ, ધુંધુકા, સાણંદ, ગલતેશ્વર, કઠલાલ, ખંભાત, ડભોઇ, શિનોર, નસવાડી, ધોધંબા, દાહોદ, દેવગઢ-બારીયા, લીમખેડા, ઉપલેટા, ધ્રોલ, ભાણવડ, કેશોદ, વંથલી સહિતના તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો.

અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં ચોમાસુ છવાઇ ગયુ
ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ ચાલુ રહેશે

અમદાવાદ, બુધવાર
મધ્ય પ્રદેશ અને કચ્છ પર આજે સવારે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું છે. તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યાર બીજી તરફ ચોમાસાનો ભેજ સર્વત્ર છવાયેલો રહ્યો છે અને નૈઋત્યના મોસમી પવનો સક્રિય બની આગળ વધતા આજે સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ ફરી વળ્યું છે અને આગામી પાંચેક દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશ અને ક્યારેક ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. આજે સવારે મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલી ભાગોમાં દરિયાઇ સપાટીથી ૩.૧ કિ.મિ.ના સ્તરે અપર એરસાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલું રહ્યું હતું. એવી જ રીતે કચ્છમાં પણ દરિયાઇ સપાટીથી ૧.૫ કિ.મિથી માંડીને ૩.૬ કિ.મિ. ના સ્તરે અપર એરસાઇક્લોનિક છવાયેલું રહ્યું હતું. આ બન્ને સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-mehsana-gujarat-idar-rain-in-saurashtra-kutch


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment