સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 8 August 2016

જી.એસ.ટી. બિલ આજે લોકસભામાં રજૂ કરાશે - જમ્મુમાં ભારે પૂરથી ત્રણનાં મોત : બિહારમાં સ્થિતિ ગંભીર, મૃત્યુ આંક વધીને ૯૫

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
 


- બુધવારે રાજ્યસભાની કસોટીમાં પાર ઉતરેલા ખરડાને કોંગ્રેસનું શરતી સમર્થન

નવી દિલ્હી, તા. ૭
લોકસભામાં સોમવારે જી.એસ.ટી. બંધારણ સંશોધન ખરડો રજૂ થશે. કોંગ્રેસે આ બાબતને ધ્યાને લેતા, પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ રજૂ કર્યો છે. કોંગ્રેસી નેતા તેમજ લોકસભામાં પક્ષના મુખ્ય સંયોજક જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ બાબતને સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસે જી.એસ.ટી.નું સમર્થન કર્યું છે. સિંધિયાનું કહેવું છે કે સરકાર માટે કોઇપણ સંજોગોમાં કરનો મહત્તમ દર નક્કી કરવો તે મહત્વનું છે. અમે સંવિધાન સંશોધન ખરડાનું સમર્થન કરીએ છીએ. જે તેના ગુણ-દોષ પર આધારિત છે. જી.એસ.ટી. દેશ માટે મહત્વનું છે. અમારો પક્ષ સંશોધનો સાથેના ખરડાનું સમર્થન કરશે. તે માટે સત્તારૃઢ પક્ષે અમને ખાતરી આપી છે.

બુધવારે ૧૨૨મા સંવિધાન સંશોધન ખરડાને રાજ્યભરમાં પસાર કરાયો. જેમાં દેશમાં એક કર પ્રણાલી રૃપે જી.એસ.ટી. લાગુ કરવા માટે બંધારણમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. અમે પક્ષમાં વ્હિપ જાહેર કર્યો છે. જી.એસ.ટી.નો  વિચાર સૌપ્રથમ  કોંગ્રેસે રજૂ કર્યો હતો.

સિંધિયાએ ઉમેર્યું હતું કે અમારા નાણાં પ્રધાન પી. ચિદંબરમે દેશભરમાં એક કર પ્રણાલીની વાત કરી હતી. તે પછી ૨૦૧૧માં બજેટ સત્રમાં જી.એસ.ટી. અંગે સંશોધન ખરડો રજૂ કર્યો પણ ભાજપ ચાર વર્ષ સુધી આમ સહમતી  બનાવી  ન શકી પરિણામે ખરડો બેઅસર બન્યો.

પછી વર્તમાન સરકારે આ મુદ્દો ઊઠાવ્યો અને ગત વર્ષે લોકસભામાં પસાર કર્યો. અને અમે શરતી સમર્થન કર્યું અમે ઈચ્છીએ છીએ કે આ કર પ્રણાલીથી  દેશને ફાયદો થાય.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/victory-rupani-gujarat-cm-nitin-patel-deputy-cm

જમ્મુમાં ભારે પૂરથી ત્રણનાં મોત : બિહારમાં સ્થિતિ ગંભીર, મૃત્યુ આંક વધીને ૯૫

- ઉત્તર ભારતમાં ભારે વરસાદથી

- જમ્મુ અને કાશ્મીરમાં તાવી અને ચેનાબ નદીએ ભયજનક સપાટી વટાવી

- ઠેર ઠેર ભૂસ્ખલન : રોડ અને રેલવે ટ્રાફિકને અસર

- બિહારમાં આજે વધુ ચારનાં મોત : ૩૩ લાખ લોકો અસરગ્રસ્ત


- આસામમાં સ્થિતિ સુધારા પર

નવી દિલ્હી, તા. ૭
ઉત્તરભારતમાં ભારે વરસાદને પગલે જમ્મુને કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી થઇ હતી. જમ્મુમાં ૩નાં મોત થયા હતા અને ૭ને ઇજા થઇ હતી. બિહારમાં આજે પૂરમાં વધુ મોતની ઘટનાઓ સાથે મૃત્યુઆંક વધીને ૯૫ થયો હતો. આસામમાં પૂરની સ્થિતિ સુધારા પર હતી.

ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે જમ્મુ અને કાશ્મીરમાં તાવી નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. અમરનાથ અને વૈષ્ણોદેવીની યાત્રાઓ રોકવામાં આવી હતી. જમ્મુના ડોડા જિલ્લામાં બે અને કથુઆમાં એક વ્યક્તિના મોત થયાં હતાં.

બે મકાનો ધરાશાયી થયા હતા. જેમાં ૭ ઘાયલ થયા હતા. જમ્મુ ઉધમપુર રેલવે સેવાને અસર થઇ હતી. રેલવે લાઈન પર ભેખડો ધસી પડતાં રેલવે માર્ગ બંધ કરાયો હતો. જમ્મુ શ્રીનગર હાઈવે પણ થોડો સમય બંધ કરાયો હતો. જમ્મુમાં ભારે પૂરની ચેતવણી આપવામાં આવી હતી. તાવી ૧૮ ફૂટ અને ચેનાબ ૩૩ ફૂટની ભયજનક સપાટીએ વહેતી હતી, કથુઆ જિલ્લામાં ઉજી નદીના પુરમાં નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા. જમ્મુમાં વીજળી ખોટવાઈ હતી.

પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો. ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતાં લોકોને બફારો થયો હતો. મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી નોંધાયું હતું.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. કોટામાં સૌથી વધુ ૧૯ સેન્ટીમીટર વરસાદ થયો હતો. પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદના અહેવાલ હતા.

બિહારમાં પૂરની સ્થિતિ વણસેલી હતી. ૧૪ જિલ્લાના ૩૩ લાખ લોકો હજી અસરગ્રસ્ત છે. આજે વધુ ચારનાં મોત થયાં હતાં.

બિહારની મહાનંદ, બાખરા, કનકાઇ, કોશી અને પરમાર નદીના પૂરથી પૂર્ણીયા, કિશનગંજ, અરરીયા, દરભંગા, ભાગલપુર, કટીહાર અને ગોપાલગંજ જિલ્લામાં ભારે તારાજી થઇ હતી. ભાગલપુરમાં ગંગા અને સિવાન જિલ્લામાં ઘાઘરા નદી બે કાંઠે વહેતી હતી. બિહરના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.

ઉત્તરપ્રદેશમાં છૂટાછવાયો વરસાદ થયો હતો. ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. જોકે બ્રહ્મપુત્રા નદી ગોલા જિલલાના નુમાલીગઢ ખાતે ભયજનક સપાટીએ વહેતી હતી. આસામમાં જોકે હજી ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-three-killed-in-floods-in-jammu-and-kashmir-bihar-the-situation-grew-serious-the-death-toll


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment