સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 3 August 2016

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ, કરોડોનો સટ્ટો ખેલાયો - દ.ગુજરાતમાં આભ ફાટયું : વલસાડ પાણીમાં, ત્રણનાં મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ, કરોડોનો સટ્ટો ખેલાયો

- સટ્ટાબજાર ગરમાયું , વિજય રૃપાણી હોટ ફેવરીટ

- અમિત શાહના મામલે સટોડિયા અસમંજસની સ્થિતીમાં

કાર્યકરોમાં પણ શરતો લાગી , રૃપાલા-વસાવા છેલ્લે નંબરે
અમદાવાદ ,સોમવાર
આનંદીબેન પટેલના રાજીનામા બાદ ગુજરાતમા મુખ્યમંત્રીના સિંહાસને કોણ બિરાજશે તેની રાજકીય ચર્ચા જાગી છે. નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે સટ્ટાબજાર પણ ગરમાયું છે. એટલું જ નહીં , કરોડો રૃપિયાનો સટ્ટો ખેલાયો છે. સટ્ટાબજારમાં વિજય રૃપાણી મુખ્યમંત્રી પદે હોટ ફેવરીટ છે.જો કે, અમિત શાહના મામલે સટ્ટોડિયા અસમંજસની સ્થિતીમાં છે એટલે અમિત શાહ પર ભાવ બોલાયો નથી.
અત્યાર સુધી ક્રિકેટ મેચો પર સટ્ટો ખેલાતો હતો પણ હવે તો રાજકીય ગતિવિધી પર સટ્ટો રમાઇ રહ્યો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઇને ૫૦૦ કરોડનો સટ્ટો રમાયો હોવાનુ સૂત્રોનું કહેવું છે.
સટોડિયાઓના મતે, હાલમાં સટ્ટાબજારમાં વિજય રૃપાણીનો ભાવ ૬૦ પૈસા , નિતિન પટેલનો ભાવ રૃા.૧.૧૦ પૈસા , ભીખુ દલસાણિયાનો ભાવ રૃા.૧.૪૦ પૈસા , રૃપાલા અને ગણપત વસાવાનો ભાવ રૃા.૩ બોલાઇ રહ્યો છે.
અમિત શાહ અંગે સટોડિયા મૂંઝવણમાં છે. તેમના મતે, અમિત શાહ મુખ્યમંત્રી બની પણ શકે અને ન પણ બને. આ કારણોસર સટ્ટાબજારમાં અમિત શાહનો ભાવ પડયો નથી.
સટોડિયાઓ માની રહ્યાં છેકે, હાલમાં યુપી ચૂંટણીને કારણે ગુજરાતમાં કામચલાઉ મુખ્યમંત્રી બનશે ત્યાર બાદ અમિત શાહ મુખ્યમંત્રી બની શકે છે. આમ છતાંયે એકાદ દિવસ બાદ રાજકીય પરિસ્થિતી જોયા બાદ અમિત શાહના ભાવ પણ પડી શકે છે.
રાજકીય પક્ષોના કાર્યકરોમાં નવા મુખ્યમંત્રીને લઇને શરતો લાગી છે. આમ, આનંદીબેનના રાજીનામા બાદ ગુજરાતમાં સટ્ટાબજાર ગરમાયું છે.

સટ્ટાબજારમાં કોના શું ભાવ
અમિત શાહ : ભાવ પડયો નથી
વિજય રૃપાણી : ૬૦ પૈસા
નિતિન પટેલ : ૧.૧૦ પૈસા
ભીખુ દલસાણિયા : ૧.૪૦ પૈસા
પુરૃષોત્તમ રૃપાલા : ૩ રૃા.
ગણપત વસાવા : ૩ રૃા.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-who-is-the-new-chief-minister-of-gujarat

દ.ગુજરાતમાં આભ ફાટયું : વલસાડ પાણીમાં, ત્રણનાં મોત

- ધરમપુરમાં ૧૩, પારડીમાં ૧૨ અને વાપીમાં ૧૧ ઇંચ વરસાદ

- ૧૮ કલાક સતત વર્ષા

- NDRFની ટીમ બોલાવાઇ કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરીે ૨૮ વ્યક્તિને બચાવ્યા

- સંઘપ્રદેશ દમણમાં ૧૧ ઇંચ વરસાદ

- વલસાડમાં માત્ર ૨ ઈંચ વરસાદ પરંતુ ઔરંગાના ઘોડાપુરથી અનેક વિસ્તારમાં કેડસમા પાણી

વલસાડ,તા.૨
અરબી સમુદ્રમાં અપરએર સરક્યુલેશન સિસ્ટમ કાર્યરત થતાં વલસાડ જિલ્લામાં આભ ફાટયું હોય તેમ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી હતી. જિલ્લામાં ૧૮ કલાકમાં સરેરાશ ૯ ઈંચ વરસાદ ઝીંકાયો હતો. ધરમપુરમાં ૧૩ ઈંચ, પારડીમાં ૧૨ ઈંચ, વાપીમાં ૧૧ ઈંચ અને કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

પડોશી સંઘપ્રદેશ દમણમાં પણ સાંબેલાધાર ૧૧ ઇંચ અને દા.ન.હવેલીમાં ૭ ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતાં વલસાડના અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા હતા. ભાગડાવાડામાં ત્રણ અને ધરમપુર તાલુકામાં એક વ્યક્તિ તણાઈ હતી. વલસાડના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અને એનડીઆરએફની ટીમ મદદ માટે બોલાવાઇ હતી.

 વલસાડના ભાગડાવડા સહિતના વિસ્તારમાં કોસ્ટગાર્ડે રેરસ્ક્યુ કરી ૨૮ વ્યક્તિને બચાવી લીધા હતા.   મેઘરાજાએ રૌદ્ર સ્વરૃપ ધારણ કરતાં વલસાડ જિલ્લામાં ગઈકાલથી શરૃ થયેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. જિલ્લાની તમામ નદી અને નાળાઓ છલોછલ થઇને છલકાઈ ગયા છે. ધરમપુરની માન અને તાન નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા વલસાડના છીપવાડ, કોસંબા, મોગરાવાડી, અબ્રામા, તારીયાવાડ, હનુમાનભાગડા સહિતના વિસ્તારો પાણીમાં ગરક થઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. તમામ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘણા લોકોના ઘરોમાં એકથી દોઢ ફુટ પાણી ઘુસી જતાં ઘરવખરીને ભારે નુકશાન થયું છે.

જાહેરમાર્ગો પર પણ પાણી ફરી વળવાને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓ હાલાકીમાં મુકાયા હતા. ખાસ કરીને છીપવાડ વિસ્તારને નદીના પુરની સૌથી વધુ અસર થઈ હતી. હરકતમાં આવેલા વહીવટીતંત્રએ રાહતની કામગીરી શરૃ કરી હતી. આ ઉપરાંત ભાગડાવાડા (મોરાભાગડા), કોસંબા સહિતના વિસ્તારોમાં પણ પાણી ઘુસી ગયા હતા. ભાગડાવાડામાં પૂરના કારણે ત્રણ વ્યક્તિ તણાઈ ગઈ હતી. જેમાંથી એકની લાશ મળી હતી.

જ્યારે બાકીના બે વ્યક્તિ બચી ગઇ હતી. તો ઝીંગા તળાવમાં ફસાયેલા ૧૨ સહિત અન્ય વિસ્તારમાં ફસાયેલા કુલ ૨૮ વ્યક્તિને કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. ધરમપુરના આંબોસી ભવઢાણ ગામે ડુંગર પર ચઢતી મહિલાનો પગ લપસતા સીધા ખાડીમાં પડતા તણાયા હતા. તંત્ર દ્વારા લોકોની મદદ માટે સુરતથી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ)ની ટીમને બોલાવવામાં આવી હતી. જોકે, પુરના પાણી બપોર બાદ ઉતરવાની શરૃઆત થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની શાળા-કોલેજો બંધ રહી હતી.

ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીના ૧૮ કલાકમાં વલસાડ જિલ્લામાં સરેરાશ ૯ ઈંચ વરસાદ ઝીંકાયો હતો. સૌથી વધુ ધરમપુરમાં ૩૨૫ મી.મી., પારડીમાં ૨૯૪ મી.મી., વાપીમાં  ૨૮૫ મી.મી., ધરમપુરમાં ૨૫૩ મી.મી., ઉમરગામમાં ૧૭૬ મી.મી. અને વલસાડમાં માત્ર ૫૫ મી.મી. વરસાદ પડયો હતો. જોકે સવારે ૮ વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ થોડી રાહત આપતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ જિલ્લામાં પડેલા દેમાર વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સાથે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વરસાદને કારણે હાઈવે તથા અન્ય માર્ગો પર પણ ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.

ધરમપુરમાં ભારે વરસાદને કારણે ૩૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ધરમપુરના ચૌંઢા ગામે ચેકડેમ પરથી યુવાન તણાયો હોવાની માહિતી સરપંચે આપી હતી. જ્યારે કરંજવેરી ગામે માન નદી કિનારે તણાઇ આવેલી અજાણ્યા વૃધ્ધની લાશ મળી હતી. સુરતથી બચાવ કામગીરી માટે આવેલી એનડીઆરએફની ટીમે કાંઠા વિસ્તાર ભદેલી જગાલાલા, હિંગરાજ, હનુમાન ભાગડા, લીલાપોર, ભાગડાખુર્દ, નવીનગરી જેવા વિસ્તારમાંથી પુરમાં ફસાયેલા ૬૦ લોકોને બચાવ્યા હતા. જિલ્લામાં પુરમાં ફસાયેલા કુલ ૪૫૮ લોકોને બચાવી લીધા હતા.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-thus-dagujaratamam-phatayum-valsad-water-three-killed


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment