સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 23 May 2016

સૌરાષ્ટ્રમાં વરસાદની ૭ દિવસની હેલી વરસશે, જળાશયો છલકાશે - બાંગ્લાદેશમાં 'રોનુ' વાવાઝોડું ફરી વળતાં ૨૫નાં મોત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રમાં વરસાદની ૭ દિવસની હેલી વરસશે, જળાશયો છલકાશે

- વર્ષા વિજ્ઞાાનના તજજ્ઞાો કહે છે કે આ વર્ષ ૧૪ આની થશે

- આગામી તા. ૨૭ મેથી વરસાદના આગમનની છડી મેઘમહારાજ પોકારશે; ૧૫ જૂનથી વિધિવત ચોમાસુ; અમરેલી-ભાવનગર જિ.માં થશે સર્વાધિક વરસાદ

રાજકોટ, રવિવાર
સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. આ સંજોગોમાં વરસાદ એ જ એક માત્ર આ વિસ્તારની વિકાસનો આધાર હોય છે. આ સ્થિતિમાં વર્ષા વિજ્ઞાાનનાં તજજ્ઞાોએ સૌરાષ્ટ્રના વાતાવરણનાં અભ્યાસ બાદ તારણ રજૂ કરી જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે. સાત દિવસની વરસાદની હેલી જોવા મળશે. મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થશે. વર્ષે ૧૪ આની પસાર થશે.

વર્ષા વિજ્ઞાાન એક અનોખુ સાયન્સ છે તેમાં ખગોળવિદ્યાના આધારે આભા મંડળ, વાદળા, કસ, લીસોટા, આકાશ, તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, વાયવ્ય પવનની દિશા, મેઘોરવો, મહા મહિનાનું માવઠુ, દરેક વનસ્પતિ અને પંખીની બોલીના અભ્યાસના આધારે આગાહી કરવામાં આવે છે. આ વર્ષા વિજ્ઞાાનનો વર્તારો જણાવે છે. આ વર્ષે ત્રણ તબક્કે વાવણી થશે. શિયાળુ પાક મબલખ થશે. (૨) મીની વાવાઝોડા સામે વરસાદની સંભાવના છે અને ૫૫થી ૬૦ ઈંચ વરસાદને લીધે અનેક જળાશયો છલકાઈ જશે. વર્ષા વિજ્ઞાાનના આધારે નીચે મુજબના સારા વરસાદના તારણો આપી સારૃ વર્ષ જવાનો સંકેત કરવામાં આવ્યો છે.

* તા. ૨૭થી તા. ૨૯ મે સુધી રોહિણી નક્ષત્રમાં પવન સાથે વરસાદની શક્યતા છે.
* તા. ૩ જૂનથી તા. ૫ જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે. તા. ૧૫ જૂનથી વિધિવત ચોમાસુ બેસી જશે.
* તા. ૨૨ જૂનથી ચાર દિવસ અમુક વિસ્તારમાં વધુ અમુક વિસ્તારમાં ઓછો વરસાદ.
* તા. ૨ જૂલાઈથી ૫ જૂલાઈ સુધી આદ્રા નક્ષત્રમાં વાવણી, તા. ૧૫ જૂલાઈથી તા. ૧૮ જૂલાઈ સુધી પવન સાથે વરસાદ, તા. ૨૬ જૂલાઈથી સાત દિવસની વરસાદની હેલી, બારમેઘ ખાંગા થશે.
* તા. ૨૩ ઓગ.થી મઘા નક્ષત્રમાં સારો વરસાદ. તા. ૫ ઓક્ટો.થી તા. ૭ ડીસે. સુધી હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ. નવરાત્રિમાં પણ બારે મેઘ ખાંગા થશે.
* આ વર્ષે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધુ વરસાદ થશે. ૧૪ આની વરસ પસાર થશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amreli-gujarat-saurashtra-rain

બાંગ્લાદેશમાં 'રોનુ' વાવાઝોડું ફરી વળતાં ૨૫નાં મોત

- દરિયા કિનારાની વસ્તીમાં ભારે તારાજી : પાંચ લાખો લોકોનું સ્થળાંતર

- દેશના દક્ષિણ ભાગમાં સૌથી ખરાબ અસર, ચિત્તાગોંગ એરપોર્ટ બંધ કરાયું

(પીટીઆઇ)     ઢાકા, તા.૨૨
બાંગ્લાદશના દક્ષિણી ભાગમાં ત્રાટકેલા વાવાઝોડા રોનુમાં ઓછામાં ઓછા ૨૪ લોકો માર્યા ગયા હતા અને ભારે તારાજી સર્જી હતી, પરિણામે સત્તાવાળાઓને પાંચ લાખ લોકોને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી. કલાકની ૮૮ કિમીની ઝડપે ફુંકાએલા પવનથી ચિત્તાગોંગ- દારિસાલ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઇ હતી જેની સમગ્ર દેશમાં અસર વર્તાઇ હતી. દેશમાં મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડયો હતો અને પૂરના દ્રશ્યો સર્જાયા હતા.
 આજે બપોરે વાવાઝાડાનું જોર આછું થતાં પહેલાં દરિયા કિનારે અનેક જગ્યાએે  ભુસ્ખલન  થયા હતાં. આ વાવાઝોડાની સૌથી ખરાબ અસર ઉત્તરપશ્ચિમી ચિત્તાગોંગ પર થઇ હતી. ત્યાં ૮૦ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો જેમાં નવ લોકો માર્યા ગયા હતા. ભોલા, નોઆખલી અને કોક્સબાજાર જેવા દરિયા કિનારાના વિસ્તારોમાં સૌથી વધુ ત્રણ જણાના મોત થયા હતા, ેમ સત્તાવાળાઓએ કહ્યું હતું.
'માળખાકીય અને અન્ય નુકસાનીની બાબતમાં ચિત્તાગોંગમાં સૌથી વધુ નુકસાન થયું હતું. ૪૦,૦૦૦ મકાનો અને વેપારી સ્થળોને પણ નુકસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક પ્રવકતાએ કહ્યું હતું કે  અત્યાર સુધી આશરે પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. વાવાઝાડા રોનુંએ અનેક ગામડાઓમાં ભારે તારાજી કરી હતી. ચિત્તગોંગ એકલામાંજ દસ લોકો માર્યા ગયા હતા અને અન્ય જગ્યાએથી હજુ પણ મૃત્યના સમાચાર આવી રહ્યા હતા.
ચિત્તાગોંગના શાહ અમાનત એરપોર્ટને પણ બંધ કરવાની ફરજ પડી હતી. આજેની તમામ ફલાઇટો રદ કરવામાં આવી હતી. ભોલામાં એક બાળક અને એક મહિલા સૌ પહેંલા વાવાઝોડાના ભોગ બન્યા હતા.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-bangladesh-cyclone-ronuno-struck152



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment