સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 27 May 2016

ગ્લોબલ વોર્મિંગથી અનાજની ખાધ ભૂખમરો લાવશે - ફોક્સકોન ૬૦ હજાર કર્મચારીને છૂટા કરી રોબોટ પાસેથી કામ લેશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગ્લોબલ વોર્મિંગથી અનાજની ખાધ ભૂખમરો લાવશે

- અન્નની વધતી માગ અને ઘટતો પૂરવઠો વૈશ્વિક સમસ્યા બનશે

- સૌથી વધુ ૧૬૧ અબજ ડોલરનું નુકસાન ચીનને થશે

ગ્લોબલ વોર્મિંગથી ભારતને ૪૯ અબજ ડોલરનું નુકસાન થવાની પણ ભીતિ
વસતિ વધતાં ખાદ્ય પદાર્થોની માગ વધી રહી છે જેની સામે ક્લાઇમેટ ચેન્જને કારણે ઉત્પાદન યોગ્ય માત્રામાં નથી થતુ માટે અસંતુલન પેદા થશે : યુએન

સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૬
ગ્લોબલ વોર્મિંગને કારણે ખાધ્ય પદાર્થોના ઉત્પાદન પર અસર થશે, પરિણામે ભાવોમાં વધારો થશે તો તેની સીધી અસર ભારત અને ચીન જેવા વધુ વસતી ધરાવતા દેશોની જીડીપી પર પણ થશે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો વૈશ્વિક સ્તરે ખાધ્ય પદાર્થોના ભાવો વધતા રહેશે તો તેની વિપરીત અસર ભારત પર પડશે અને ભારત જીડીપીમાં આશરે ૪૯ બિલિયન ડોલર એટલે કે ૪૯ અબજ ડોલર ગૂમાવશે. સૌથી મોટો ફટકો ચીનને પણ પડશે જે ૧૬૧ અબજ ડોલર ગૂમાવશે. એટલે કે ભારત બીજા ક્રમે રહેશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી રિપોર્ટમાં સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં જેમ જેમ વસતી વધતી જશે તેમ તેમ ખાધ્ય પદાર્થોના ભાવ પણ વધશે જેને પગલે સૌથી વધુ ભારતે ભોગવવું પડશે કેમ કે ભારતમાં ઝડપથી વસતી વધારો થઇ રહ્યો છે જ્યારે ચીનને પણ જીડીપીમાં ૧૬૧ બિલિયન ડોલરની ખોટ રહેશે.
માગ અને પુરવઠામાં તાલમેલ ન રહેવાને કારણે આ સ્થિતિ પેદા થશે. એટલે કે ખાધ્ય પદાર્થોની માગ વસતી વધતા વધશે સાથે તેને પહોંચી વળવા પુરવઠો જોઇએ તેટલો નહીં હોય. પર્ણાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે જેને પગલે કૃષી ઉત્પાદનને ભારે અસર થશે. ખાસ કરીને વિશ્વના ૧૧૦ જેટલા દેશોને આ અસર જોવા મળશે.
જે પાંચ દેશોને સૌથી વધુ અસર થશે તેમાં આફ્રિકા, બેનિન, નાઇજિરિયા, કોટ ડી આઇવોરે, સેનેગલ અને ઘાનાનો સમાવેશ થાય છે. પણ સૌથી વધુ અસર ચીન અને ભારતને પણ જોવા મળશે. એટલે કે અન્નની વધતી જતી માગ વૈશ્વિક ખતરો બની રહેશે, કેમ કે માગ સામે પુરવઠો ઘટતો જશે અને એક સમય એવો પણ આવશે કે કટોકટી પેદા થઇ જશે. આ રિપોર્ટમાં લોકોને ચેતવણી પણ અપાઇ છે કે જોે પર્ણાવરણને બચાવવામાં ન આવ્યું અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને પહોંચી વળવામાં યોગ્ય પગલા લેવામાં ન આવ્યા તો તેની ભયજનક અસર માનવ પર થશે. અન્નનું ઉત્પાદન ઘટી જશે અને સામે વસતી વધતા માગ વધશે. જેથી એક અસંતુલન પેદા થશે. અને ભાવ વધારો આસમાને પહોંચશે.

ભારતમાં ૧૯ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે
ભારત માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ આવી શકે છે, કેમ કે એક તરફ ગ્લોબલ વોર્મિંગનો ખતરો ભુખમરા તરફ માનવીને લઇ જઇ રહ્યો છે જ્યારે બીજી તરફ ભારતમાં પહેલેથી જ ૧૯.૪ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જ જારી ૨૦૧૫ના રિપોર્ટમાં આ આંકડો બહાર આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી વાર્ષીક રિપોર્ટમાં જણાવવામા આવ્યું છે કે ભારતની કુલ વસતીના ૧૫ ટકા લોકો ભૂખ્યા રહેવા માટે મજબૂર છે. ભારતમાં વિકાસનો દાવો થઇ રહ્યો છે પણ તેનો લાભ ગરીબોને યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યો સામે પક્ષે કૃષી ઉત્પાદન પણ યોગ્ય માત્રામાં નથી થઇ રહ્યું જેને પગલે આ આંકડાનું પ્રમાણ વધુ હોવાનું આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકોને સૌથી વધુ અસર થઇ રહી છે. આ યાદીમાં બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે પાકિસ્તાન છે. જો આવી સ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગની અસર કૃષી પર થાય તો ભારત માટે કપરા દિવસો આવી શકે છે. આ રિપોર્ટમાં સાથે સલાહ આપવામાં આવી છે કે જો કૃષી ક્ષેત્રને ન બચાવવામાં આવ્યું તો તેની વિપરીત અસર થશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-global-warming-will-bring-hunger-food-deficit

ફોક્સકોન ૬૦ હજાર કર્મચારીને છૂટા કરી રોબોટ પાસેથી કામ લેશે

- કંપની એપલ, સેમસંગ, માઈક્રોસોફ્ટ વગેરેને સામગ્રી પુરી પાડે છે

- હાલ કંપનીના કર્મચારીઓની સંખ્યા ૧,૧૦,૦૦૦

ચીન સ્થિત ફેક્ટરીમાં રોબોટ ઈન્સ્ટોલ થશે : ભારતમાં પણ કંપનીનો પ્લાન્ટ હતો
તાઈપેઈ, તા.૨૬
તાઈવાનની મલ્ટિનેશનલ ઈલેક્ટ્રોનિક કંપની ફોક્સકોન ટેકનોલોજીએ ૬૦ હજાર કર્મચારીઓને કાઢી મુકી તેમના સ્થાને રોબોટને ભરતી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ એવા રોબોટ્સ તૈયાર કરાવ્યા છે, જે એક સરખું કામ કરી શકે. હાલ કંપનીના કર્મચારીઓની સંખ્યા ૧,૧૦,૦૦૦ જેટલી છે. તેમાંથી ૬૦ હજાર કર્મચારીઓ ટૂંક સમયમાં પોતાની નોકરી ગુમાવશે.
કંપનીના સત્તાવાર પત્રમાં જણાવાયુ હતુું કે એક સરખું હોય એવું કામ રોબોટ્સ કરી શકે છે. માટે અમે માનવિય કર્મચારીઓના સ્થાને રોબોટને કામગીરી સોંપવાનો નિર્ણય લીધો છે. એ વાત પણ સાચી છે કે દુનિયાની અનેક મોટી કંપનીઓમાં જ્યાં એક જ સરખું, મગજ દોડાવ્યા વગર કામ કરવાનું હોય ત્યાં રોબોટ્સનો ઉપયોગ થાય છે. આવા રોબોટ્સ ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કહેવાય છે અને આખા જગતમાં તેનું સૌથી વધુ વેચાણ થાય છે.
કંપનીએ ખર્ચ ઘટાડવા અને નફો વધારવા માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યુ હતું. કંપનીની મુખ્ય ફેક્ટરી ચીનમાં આવેલી છે, ત્યાં નવા રોબોટિક કર્મચારીઓ ઈન્સ્ટોલ થશે.
 ફોક્સકોન ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની સપ્લાયર તરીકે જાણીતી છે. સેમસંગ, એપલ, માઈક્રોસોફ્ટ સહિત અનેક વૈશ્વિક કંપનીઓ પાર્ટ્સની ખરીદી ફોક્સકોન પાસેથી કરે છે.
ભારતમાં પણ ફોક્સકોને ૨૦૦૬માં તમિલનાડુ ખાતે પ્લાન્ટ શરૃ કર્યો હતો. એ પ્લાન્ટમાં એપલના આઈફોન એસેમ્બલ કરવાની પણ વાટાઘાટો ચાલતી હતી. પણ ૨૦૧૪માં કંપનીએ એ પ્લાન્ટ બંધ કરી દેતાં ૨૨,૦૦૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી. દરમિયાન કંપની ફરીથી ભારતમાં ૧૨ ફેક્ટરીઓ સ્થાપવા માટે ઉત્સુક હોવાનું જણાવે છે.

કઈ પાંચ નોકરી પર વધારે ખતરો છે?
પશ્ચિમી દેશોને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલા એક સર્વે થયો હતો. એ પ્રમાણે પાંચ સેક્ટર એવા છે, જેમાં રોબોટ્સ પગદંડો જમાવે એવી શક્યતા વધારે છે. આ શક્યતા કેટલી છે, તેની ટકાવારી સર્વેમાં જાહેર કરવામાં આવી હતી. એ પ્રમાણે એકાઉન્ટિંગમાં રોબોટનું રાજ છવાય એવી સંભાવના ૯૯ ટકા છે. અમ્પાયર-રેફરી, વકીલાત, વેઈટર-વેઈટ્રેસ અને ફેશન મોડેલ એ બધા ક્ષેત્રોમાં રોબોટ કામ કરી શકે એવી શક્યતા ૯૦ ટકાથી વધારે છે. અમેરિકાની એક વકીલાત કરતી પેઢીએ તો હજુ ગયા મહિને જ વકીલ તરીકે આઈબીએમ પાસે બનાવડાવેલા રોબોટને નોકરીએ રાખ્યો હતો.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-foxconn-robot-will-work-from-60-thousand



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment