સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 23 December 2015

૧૬ વર્ષની ઉંમર ગુના માટે પુખ્ત ગણાશે: નવો કાયદો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

૧૬ વર્ષની ઉંમર ગુના માટે પુખ્ત ગણાશે: નવો કાયદો

દિલ્હીમાં બળાત્કાર ગુનામાં ૧૬ વર્ષના ૧,૦૦૦ કિશોરની ધરપકડ

ડાબેરીઓ સિવાયના રાજકીય પક્ષોની સંમતિથી સંસદમાં જુવેનાઈલ જસ્ટિસ બિલ પસાર

(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૨૨
આજે સંસદમાં જેની ઘણાં લાંબા સમયથી રાહ જોવાતી હતી એ જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) બિલ રાજ્યસભામાં આખો દિવસ ચાલેલી ચર્ચા પછી પસાર થઈ ગયું છે. આ કાયદા અંતર્ગત સગીર વયના ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરાઈ છે. સંસદમાં મૌખિક મતદાન પછી પસાર કરાયેલા આ બિલની પ્રક્રિયા વખતે ડાબેરીઓએ બિલ સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાની માગ સાથે વૉક આઉટ કર્યો હતો.
રાજ્યસભામાં આખો દિવસ ચર્ચા બાદ મૌખિક મતદાનથી બિલ પસાર કરાયું ઃ ૧૬ વર્ષના કિશોરોમાં ગંભીર ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી બિલ મહત્ત્વનું ઃ મેનકા ગાંધી
આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી ૧૬ વર્ષની આસપાસના કિશોરો દ્વારા ગંભીર ગુનાનું પ્રમાણ વધ્યું છે. આ બિલ બાળકોની વિરુદ્ધનું નથી પણ તેમને રક્ષણ આપવા, તેમનું પાલન-પોષણ કરીને શિક્ષિત કરવા તેમજ તેમને સુરક્ષિત રાખવા તૈયાર કરાયું છે. ફક્ત દિલ્હીમાં જ એક વર્ષમાં બળાત્કારના ગુનામાં ૧૬ વર્ષના એક હજાર કિશોરોની ધરપકડ કરાઈ છે. કિશોરો દ્વારા થતી ગુનાખોરી માટે ફક્ત શિક્ષણને જવાબદાર ના ઠેરવી શકાય.
આ બિલ ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓએ પણ આવકાર્યું હતું. બાળકોના અધિકાર માટે કામ કરતા નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ પણ જુવેનાઈલ જસ્ટિસ બિલને આવકાર્યું હતું પણ સૂચન કર્યું હતું કે, બાળકો દ્વારા ગુનો હોય કે બાળકો સામે ગુનો હોય, આપણી નજર સુધારા તરફ પણ હોવી જોઈએ, નહીં કે ફક્ત ગુના અટકાવવા તરફ.
નવી દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ઉર્ફે જ્યોતિસિંઘ સામૂહિક બળાત્કાર કાંડના સગીર વયના આરોપીની મુક્તિનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે જ પસાર થયું છે, જે સૂચક છે. નિર્ભયાના માતા આશા દેવીએ કહ્યું હતું કે, સૌથી ઘાતકી બળાત્કારી ત્રણ વર્ષની સજા કાપ્યા પછી મુક્ત છે એનું કારણ ફક્ત નબળો કાયદો છે. અમારી પુત્રીને ન્યાય નથી મળ્યો, પરંતુ આ બિલ પસાર થયું એનો અમને સંતોષ છે.
નિર્ભયાના પિતા બદરીસિંઘ પાંડેએ કહ્યું હતું કે, આ સારી વાત છે. અમારા પ્રયત્નોથી કંઈક તો પરિણામ મળ્યું. આ કેસમાં સગીર વયના આરોપીને છુટી જતા એક અયોગ્ય સંદેશ જઈ રહ્યો હતો, પરંતુ આ કાયદો સગીર વયના ગુનેગારોને જઘન્ય સ્ત્રી હિંસા કરતા રોકશે.
આજે સવારે જ નિર્ભયાના માતાપિતા ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને કોંગ્રેસ ઉપ પ્રમુખ રાહુલ ગાંધીને બિલ પસાર કરવામાં પૂરતો સહકાર આપવા મળ્યા હતા.
આ બિલથી સંતોષ પણ નિર્ભયાનો સૌથી ઘાતકી બળાત્કારી છૂટયો તેનું દુઃખ: નિર્ભયાના માતા
દિલ્હીમાં એક જ વર્ષમાં બળાત્કાર ગુનામાં ૧૬ વર્ષના ૧,૦૦૦ કિશોરની ધરપકડ



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment