સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 26 December 2015

અનામતે વધુ એક પાટીદારનો ભોગ લીધો ઃ આજે મહેસાણા બંધ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામતે વધુ એક પાટીદારનો ભોગ લીધો ઃ આજે મહેસાણા બંધ

અનામત પાર્ટ-૨ વકરશે તેવી પોલીસ-સરકારને ભીતિ

મહેસાણામાં અજંપાભરી સ્થિતિ

પોલીસની ગોળીથી ઘાયલ મયુર પટેલે ચાર મહિનાની સારવારના અંતે હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લીધા
અમદાવાદ ,શુક્રવાર
અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલાં તોફાનોમાં પોલીસ ગોળીબારમાં ઘાયલ પાટીદાર યુવકે ચાર મહિનાની સારવારના અંતે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતાં. અનામતે વધુ એક પાટીદારનો ભોગ લેતાં ફરી એકવાર ગુજરાતમાં અનામત પાર્ટ-ટુ વકરે તેવી સંભાવના છે. પાટીદાર યુવકના મોત બાદ મહેસાણા તો અજંપાભરી સ્થિતી સર્જાઇ છે . શનિવારે મહેસાણા સ્વૈચ્છિક રીતે બંધ રહેશે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત સભામાં પોલીસ લાઠીચાર્જની ઘટના બાદ ગુજરાતભરમાં તોફાનો ફાટી નિકળ્યાં હતાં. મહેસાણામાં તોફાનો વકરતાં પોલીસ ગોળીબારમાં મયુર નટવરલાલ પટેલ સહિતના અન્ય બે પાટીદાર યુવાનો પણ ઘાયલ થયાં હતાં. છેલ્લાં ચાર મહિનાથી અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં મયુર પટેલે આજે અંતિમ શ્વાસ લીધાં હતાં . મયુર પટેલના મોતના સમાચાર સમગ્ર રાજ્ય વાયુવેગે ફેલાઇ ગયાં હતાં. પાટીદાર સમાજમાં તો ભારે રોષ ભભૂકી ઉઠયો છે. અત્યાર સુધી પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામનારાં પાટીદારોની સંખ્યા વધીને ૧૦ થઇ છે.
શનિવારે મહેસાણાં સવારે આઠ વાગે મયુર પટેલની સમશાનયાત્રા નીકળશે જેમાં એસપીજીના નેતા લાલજી પટેલ સહિત પાસના નેતાઓ પણ જોડાનારાં છે. પાટીદાર યુવકની મોતને પગલે મહેસાણા બંધ રહે તેમ હોઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાટીદાર યુવકની મોત બાદ ફરી એકવાર અનામતનો રાજ્યમાં વકરે તેવી ખુદ સરકારને ભિતી છે.

પાટીદારોની ઘેરબેઠાં ભૂખ હડતાલઃ પોલીસ-સરકાર ચિંતામાં
અનામતનો વિરોધ કરવા રેલી,પ્રદર્શન માટે પણ પોલીસ-સરકારી તંત્ર મંજૂરી જ આપતું નથી પરિણામે હવે પાટીદારોએ ઘેર બેસીને આમરણાંત ભૂક હડતાલ શરૃ કરી છે. અમદાવાદમાં વેજલપુરમાં રેશ્મા પટેલના આમરણાંત ઉપવાસના પાંચ દિવસ પૂર્ણ થયાં છે. આ ઉપરાંત સુરતમાં પાસના કન્વિનર નિખિલ સવાણી પર આમરણાંક ઉપવાસ પર પોતાના નિવાસસ્થાને બેઠાં છે. આજે તેમનો બીજો દિવસ છે. હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને છોડાવવા હવે પાટીદારો ઘેરબેસીને આમરણાંત ઉપવાસ કરી રહ્યાં છે. હજુ અન્ય પાટીદારો જોડાય તેવી શક્યતા છે. પાટીદારોના આ અનોખા વિરોધને પગલે પોલીસ અને સરકારની ચિંતા વધી ગઇ છે. આમરણાંત ઉપવાસ કરતાં પાટીદારોએ એવી ચિમકી આપી છેકે, જો અમને કશું પણ થશે તો તેની જવાબદારી મુખ્યમંત્રીની રહેેેશે.

પાટીદારોનું શિક્ષણ બહિષ્કાર ઉમતાનાં બાળકો ભણવાનું છોડશેે
અનામત આંદોલન ફરી એકવાર ઉગ્ર સ્વરૃપ ધારણ કરે તેવી એંધાણ છે. વિસનગરના ઉમતા ગામમાં પાટીદારોએ અનામતનો લાભ મળવાનો જ નથી પરિણામે શિક્ષણ મેળવવાનો કોઇ અર્થ રહેતો નથી તેવું માની એવો નિર્ણય લીધો છે કે,૧લી જાન્યુઆરીથી ઉમતા ગામના બાળકો શાળાએ જ જશે નહીં. આ ઉપરાંત વિસનગરની આસપાસના ગામના પાટીદાર બાળકો શિક્ષણનો બહિષ્કાર કરશે. અનામત માટે પાટીદારોના અનોખા વિરોધને પગલે ખુદ સરકાર પણ ચિંતિત બની છે. એટલું જ નહીં, પાટીદાર આગેવાનો પણ ચિંતામાં મૂકાયાં છે.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment