સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 28 December 2015

'પટેલ સમાજને મે આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો' : આનંદીબેન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

'પટેલ સમાજને મે આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો' : આનંદીબેન

દ્વારકામાં લેઉઆ પટેલ સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સ્ફોટક નિવેદન

રોજગારી અને પાણીચોરીના મામલે આકરી ટીકા

ગુજરાતના પાટીદારોને મોભાવાળી નોકરી જોઇએ છે સમાજના વડીલો યુવાનોને સલાહ આપે
દ્વારકા, તા.૨૭
ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર સમાજની નારાજગીથી ભાજપનો કારમો પરાજય થયા બાદ આજે પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં પટેલ સમાજના એક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાનો આક્રોશ રોકી શક્યા ન હતા, અને પાણી ચોરી સંદર્ભે બોલી ઉઠયા હતા કે મેં પટેલ સમાજને આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો. દ્વારકામાં લેઉવા પટેલ સમાજ સંકુલના ઉદઘાટન સમારોહમાં તેમણે કહ્યું કે અત્યારે કેનાલોની અંદર પાણી જાય છે, પાણી વાપરીએ પરંતુ કેનાલોમાં મોટરો મુકીને ખંચી લેવાનું? મારે એસ.આર.પી. મૂકવી પડે? છેલ્લે ચેડે રહેલો ખેડૂત, એને પાણી ન મળે એ દોડતો મારી પાસે આવે. બેન અમને પાણી નથી મળતુ, પાછળવાળા પાણી ખેંચી લે છે. શું આગળ પાણી જોઈસે કે નહીં જોઈએ? મંત્રીમંડળમાં બધા મને ફરિયાદ કરતા હોય છે કે હળવદ, મોરબી, સુરેન્દ્રનગરમાં પાઈપલાઈનમાં શું શું થાય છે!
દરેકે દરેકની ચિંતા કરવી પડે છે. હું પાણી ખેંચી લઈશ તો આગળવાળાનું શું થશે એ ચિંતા તમારે જ કરવી પડે. સરકાર બહુ બહુ તો એસ.આર.પી. મૂકે. મોટરો લઈ લે તો કહે, આમ કેમ કર્યું? તો સરકાર કરે શું? સબ કેનાલોનું કામ શરૃ થયું છે પરંતુ આ પાણીચોરી રોકવી પડશે. ગૂસ્સો અને અકળામણ ચહેરા પર દર્શાવીને તેમણે કહ્યું કે ''મેં પટેલ સમાજને આવો ન્હોતો ધાર્યો, આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો... આપણા બાપદાદાઓ ગામની અંદર રખેવાળુ કરતા હતા, ગરીબને જરૃર પડે તો ઘઉ આપતા હતા, આપવાનું કામ કરતા હતા, લેવાનું કામ ન્હોતા કરતા.
દ્વારકામાં લેઉવા પટેલ સમાજ સંકુલનું ઉદઘાટન કર્યા બાદ તેમણે ઉપસ્થિત પટેલ સમાજ સમક્ષ કહ્યું કે આપણે ગુજરાતની બહાર જઈએ અને બહારની વ્યક્તિને જ્યારે ખબર પડે કે આપણે ગુજરાતી છીએ એટલે તે આનંદિત થઈ કહેતા કે અરે, આ તો મોદીના ગુજરાતમાંથી આવ્યા છે! હમણા સુધી આવું થતું હતું પરંતુ હવે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણી ઈમેજ શું છે એ જરા જોવી પડશે.
પાટીદાર સમાજના સાંસદો, મંત્રીઓ, સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિવાળા આ કાર્યક્રમમાં તેમણે સમાજના વડીલો તરફ અંગૂલિ નિર્દેશ કરતા કહ્યું કે પાટીદાર યુવાનોને યોગ્ય રાહ બતાવવાની જવાબદારી વડીલોની છે, સમાજે આ માટે ચિંતન કરવું પડશે. પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું કે ગુજરાતના યુવાનોને મોભાવાળી નોકરી જોઈએ છે. પાટીદાર યુવાનોને નાના હોદ્દાવાળી નોકરી નથી જોઈતી. સમાજના યુવાનોને ડોકટર બનવું છે, હોસ્પિટલો ખોલવી છે પરંતુ સરકારી ડોકટરની નોકરીમાં રસ નથી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લેઉઆ પટેલ સમાજને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે દાતાઓ તરફથી યાત્રાધામોમાં ધર્મશાળાઓ બાંધવામાં આવતી હતી અને આજે પણ આ પ્રથા સમાજમાં ચાલુ રહી છે અને કરોડો રૃપિયાના ખર્ચે યાત્રાધામોમાં બંધાતા અતિથિ ગૃહો સમાજોને તથા આમ યાત્રિકોને રહેવા માટે લોકોપયોગી બને છે. ગુજરાત સરકાર દ્વારા પણ છેલ્લા એક દાયકામાં યાત્રિકોને સુવિધા મળે અને પ્રવાસનને વધુ વેગ મળે તથા આસપાસમાં વસનારાઓને રોજગારીની તકો ઊભી થાય તે માટે કરોડો રૃપિયાના ખર્ચે પ્રવાસન વિકાસની પ્રવૃત્તિ ધમધમતી કરવામાં આવી છે. આવનારા વર્ષમાં દ્વારકા યાત્રાધામમાં પણ પાંચ નવી યોજનાઓ બનાવી તબક્કાવાર રૃપિયા ઓગણીસ કરોડના ખર્ચે નવા વિકાસના કાર્યો દ્વારકામાં કરવામાં આવનાર છે. લેઉઆ પટેલ સમાજ વિશે તેમણે જણાવેલ કે પટેલ સમાજ શિક્ષણ કાર્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમયાંતરે આગળ આવ્યો છે અને કોલેજ, હાઈસ્કૂલના નિર્માણ કરી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો તેનો અભિગમ સમાજમાં નોંધપાત્ર રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલાં માત્ર અગિયાર યુનિવર્સિટી આવેલ હતી. હાલમાં નવી છપ્પન યુનિવર્સિટી ખોલી છે.
 
મુખ્યમંત્રીએ આપેલા માઠા સમાચાર
ઉનાળામાં પાણીની સ્થિતિ વણસશે ખેડૂતો ખેતી માટે પાણી ન માગે
રાજ્યના ઔદ્યોગિક એકમોને અપાતા પાણીમાં કાપ મૂકાશે કે કેમ? તે વિષે કશું ન કહ્યું

આજે દ્વારકામાં મુખ્યમંત્રીએ એક માઠા સમાચારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં જળ સંકટ હોય ખેડૂતોને પાણી નહિં મળે.
આનંદીબેને કહ્યું કે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડેમો તળીયાજાટક હોય ઉનાળાના દિવસોમાં પાણીની પરિસ્થિતિ ભારે વિકટ સ્વરૃપ ધારણ કરશે.
લોકોના માત્ર પીવાના પાણી ઉપર જ સરકાર લક્ષ્ય રાખશે જ્યારે ધરતીપુત્રોને ખેતી માટે પાણી અપાશે નહીં. માટે જે ખેડૂતો પાસે પાક પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તેઓએ સરકારની મદદ વિના જ ઉનાળુ પાકની ખેતી કરવી અને સરકાર પાસે માંગ ન કરવી. ખેડૂતોને પાણીની મનાઈ કરતી વેળાએ રાજ્યના મોટા ઔદ્યોગિક એકમોને પાણી પુરૃ પડાશે કે તેમાં કાપ મૂકાશે કે કેમ તે અંગે મુખ્યમંત્રીએ કશું જ કહ્યું ન હતું.



Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment