સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 23 January 2018

પાક બચાવવા ખેડૂતો પ્લાસ્ટિકની કોથળીથી 'ટપક' સિંચાઈ કરવા મજબૂર - શિક્ષણ વિભાગની તિજોરી ખાલી: 1300થી વધુ શૈક્ષણિક સ્ટાફના પગાર અટવાયા - મેવાણીની રેલીથી પ્રશાસનનો જીવ તાળવે ચોંટ્યો ’ને શહેર બાનમાં લીધું - બેંકોમાં ચાર-પાંચ ટ્રાન્ઝેકશન જ નિઃશુલ્ક તે પછી લાગશે ચાર્જ - જડબાતોડ જવાબઃ BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાક. છાવણીનો ભુક્કો - અમદાવાદમાં ક્રાંતિ થાય કે ન થાય, સૌરાષ્ટ્રમાં અવશ્ય થશે - સામાન્ય બજેટ ર૩ લાખ કરોડનું હશેઃ કૃષિ-ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

શિક્ષણ વિભાગની તિજોરી ખાલી: 1300થી વધુ શૈક્ષણિક સ્ટાફના પગાર અટવાયા


 રાજકોટ સહિતના 13 જિલ્લાઓની સરકારી શાળાઓના 1300થી વધુ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર બાકી
રાજકોટ: શિક્ષણ વિભાગની તિજોરી તળિયા ઝાટક થઈ જતાં રાજકોટ સહિતના રાજ્યના 13 જિલ્લાઓની સરકારી શાળાઓના 1300થી વધુ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર હજુ સુધી ચૂકવાયો ન હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટ જિલ્લાની 36 સ્કૂલના 175 જેટલા શિક્ષકો અને સ્ટાફ ફરજ બજાવે છે અને તેમનું અંદાજે રૂ.1 કરોડનું પગાર બીલ હજુસુધી ચુકવાયું નથી.

નાણાકીય વર્ષ 2017-18 પુરૂ થવામાં હજુ 3 માસની વાર છે ત્યાં શિક્ષણ વિભાગની તિજોરીનું તળીયું દેખાવા લાગ્યું છે અને તેના પરિણામે સોમવારે 22મી તારીખ હોવાછતાં રાજકોટ જિલ્લાની 36 સરકારી સ્કૂલોના શિક્ષકો અને નોન ટીચીંગ સ્ટાફનો પગાર ન ચુકવાયાની વરવી હકીકત સામે આવી છે. આ મુદ્દે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એમ.આર. સગારકાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કમિશનર, શાળાઓની કચેરીની સંયુક્ત હિસાબી શાખામાં ફોન કરતા તેઓએ ગ્રાન્ટ ન હોવાથી પગારબીલ અટકાવ્યાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને સરકારી સ્કૂલના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો પગાર તા.3 સુધીમાં કરી દેવાતો હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બરનો પગાર 3 જાન્યુઆરીએ જમા ન થતા ઉહાપોહ મચી ગયો છે. ડીઇઓ કચેરીએ હાથ પર રહેલી બેલેન્સના આધારે ઓછો સ્ટાફ ધરાવતી રાજકોટ જિલ્લાની 5 સરકારી સ્કૂલનો પગાર એડજસ્ટ કરી ચૂકવી દીધો હતો. જો કે, અન્ય સરકારી સ્કૂલના સ્ટાફને સતત પગાર માટે 'તારીખ પર તારીખ'ની મુદ્દત પડ્યા કરે છે.
8 ડીઇઓ કચેરીનો પગાર બાકી, 3 માસનો પગાર કેવી રીતે થશે

રાજ્યના શિક્ષણ વિભાગની તિજોરીનું તળીયુ દેખાવાના કારણે માત્ર 13 જિલ્લાની સરકારી સ્કૂલોના સ્ટાફનો જ પગાર નથી અટકાવવામાં આવ્યો પરંતુ 8 જિલ્લાની ડીઇઓ કચેરીનો સ્ટાફ પણ 22મી જાન્યુઆરી સુધી પગારથી વંચિત હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી પુરો થવામાં છે ત્યારે ડિસેમ્બર માસનો પગાર બાકી છે ત્યાં શિક્ષણ વિભાગની તિજોરીના તળીયા દેખાવા લાગ્યા છે ત્યારે વર્ષ 2017-18ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસનો પગાર ગ્રાન્ટના અભાવે કેવી રીતે થશેω તેવો સવાલ શિક્ષકો અને સ્ટાફમાંથી ઉઠી રહ્યો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-education-department-has-not-paid-salaries-to-teachers-in-rajkot-gujarati-news-5797411-PHO.html?ref=ht

પાક બચાવવા ખેડૂતો પ્લાસ્ટિકની કોથળીથી 'ટપક' સિંચાઈ કરવા મજબૂર

સિંચાઇના પાણીના અભાવે શાકભાજીનો પાક બચાવવા ખેડૂતે અનોખી પદ્ધતિ અપનાવી
ઓલપાડ : હાલ નહેર સુધારણાનું કામ ચાલુ હોય ત્યારે આ યોજના હેઠળ આવતા દક્ષિણ ગુજરાતના ગામોમાં સિંચાઇનું પાણી 58 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. આથી સિંચાઇના પાણીના અભાવે ખેડૂતે વાવેતર કરેલા શાકભાજીના પાક પર ખતરો ઉભો થયો છે. આખરે ઓલપાડ તાલુકાના ગામડાના ખેડૂતે પોતાનો પાક બચાવવા પ્લાસ્ટિકની કોથળી ઉપયોગથી ટપક સિંચાઈ પદ્ધતિ પોતાના પાકને પાણી આપી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


નવતર પધ્ધતિ

આમ હાલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નહેરની મરામતને લઇ સિંચાઇના પાણીની તંગી વર્તાઇ રહી છે. ત્યારે ખેડૂતે સિંચાઇ માટે શોધેેલી નવતર પદ્ધતી અનેક ખેડૂતોને ઉપયોગી નીવડી શકે તેમ છે.
સિંચાઇના પાણીના અભાવે શાકભાજીનો પાક બચાવવા ખેડૂતે અનોખી પદ્ધતિ અપનાવી
કાકરાપાર ડાબાકાંઠાની નહેરોનું રીપેરીંગ સાથે નવીનીકરણની કામગીરી કરવાના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા યોજનામાં આવતા ગામોમાં 58 દિવસ માટે સિંચાઇનું પાણી આપવાનું બંધ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના ગામોમાં ઠંડીની મોસમ ચાલુ થતાની સાથે જ ખેડૂતો દ્વારા શાકભાજીની ખેતી કરતા ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં શાકભાજીનો પાક તૈયાર થવા સાથે ઉત્પાદન મળતું થતા શાકભાજીની ખેતીને સિંચાઇના પાણીની જરૂરિયાત હોઈ છે.
સુજબુજનો કર્યો ઉપયોગ
આવા સમયે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોનું અહિત થાય એ રીતનો ખોટો નિર્ણય કરી નહેર નહેરોનું રીપેરીંગ કામ અર્થે સિંચાઇના પાણી લાંબા દિવસો સુધી બંધ કરતા શાકભાજીની ખેતી કરી આજીવિકા મેળવતા ખેડૂતોની હાલત દયનિય થઈ છે. ત્યારે ઓલપાડ તાલુકાના દેલાસા ગામના ખેડૂત ભાઈઓ જેરામભાઈ નારણભાઇ પટેલ અને ઈશ્વરભાઈ નારણભાઇ પટેલ જેમણે પોતાની સુજબુજથી શાકભાજીનો પાક બચાવવા અનોખી પદ્ધતિ અપનાવી પાકમાં સિંચન કરી રહ્યા છે.
ત્રણ એકરમાં પાકને બચાવવા પ્રયાસ

જેરામભાઈ અને ઈશ્વરભાઈએ ત્રણ એકરમાં ટીંડોળા અને પરવળ સહિતના શાકભાજીના પાકોની ખેતી કરી છે, હાલ ટિંડોળા પરવળનો પાક મેળવતા થયા છે. ત્યારે સિંચાઇના પાણીના અભાવે મોમાં આવેલો કોળિયો છીનવાઈ તેવી પરિસ્થિતિ નિર્માણ થતા તેમણે પાક બચાવવા અપનાવેલી પદ્ધતિ મુજબ તેમના ગામના તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થયેલો હોઈ તેમના પરિવારના તમામ સભ્યોએ ભેગા મળી તળાવમાંથી પાણી ભરી લાવી પ્લાસ્ટિકની કોઠરીમાં પાણી ભરી તે પાણી ભરેલી કોઠરી શાકભાજીના છોડના મૂળ પાસે મૂકી કોથરીને બાંધેલ દોરી થોળી ઢીલી રાખવામાં આવે છે.
નજીવા ખર્ચે મહેનત
જેથી પાણી ધીમી ધારે ટીપે ટીપે છોડના મૂળમાં જાય છે આમ ટપક સિંચાઈ પદ્ધતિનો દેશી પ્રયોગ શોધી કાઢ્યો છે. પ્લાસ્ટિકની કોથળી થી ત્રણ લીટર જેટલું પાણી આપવામાં આવતું હોઈ તેની સળખામણીમાં શાકભાજીના છોડને વધુ પાણીની જરૂર હોવાથી મહિનામાં ત્રણવાર આ રીતે પાણી સિંચન કરવામાં આવે છે. ખેડૂતના કહેવા મુજબ આપદ્ધતિથી પાણી સિંચન કરવામાં ખર્ચ નજીવો છે પણ મહેનત ખુબ વધારે છે.
પાકને મળ્યું જીવનદાન

આમ ખેતીના ઉપયોગવારી આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિનો દેશી પદ્ધતિ મુજબનો સરળ ઉપયોગથી ખેડૂતના પાકને જીવતદાન મળ્યું છે. ત્યારે ઓલપાડના દેલાસા ગામના ખેડૂત ભાઈઓએ અપનાવેલી દેશી પદ્ધતિ અન્ય ખેડૂતો માટેપણ ઉપયોગી સાબિત થાય તેમ છે.
ખર્ચ 200 રૂપિયા પણ મહેનનું કામ છે

પ્લાસ્ટિકની કોઠરી ની દેશી પદ્ધતિમાં કામે લેવાતી બેગ 200 રૂપિયે કિલોના ભાવે મળે છે. પ્લાસ્ટિકની થેલી પાછળનો ખર્ચ નજીવો છે, પણ તળાવથી પાણી લાવી પ્લાસ્ટિકની બેગમાં ભરીને ખેતરમાં શાકભાજીના છોડ સુધી સીંચવામાં મોટી મહેનત છે. આ રીતે શાકભાજીના પાકમાં પાણી સિંચન કરવાની પદ્ધતિ સફળ થઈ છે.

માટલાં પીયત પદ્ધતિથી ખેડૂતોને જીવતદાન મળ્યું છે

ખેતી ક્ષેત્રે જે ગામોમાં સિંચાઈના પાણીની તકલીફ હોય ત્યાં આ રીતની પદ્ધતિ અપનાવવામા આવે છે. ઓલપાડ ના ખેડૂતે પ્લાસ્ટિકની બેગથી જે સિંચાઇ કરી છે તે રીતે માટલાં પિયત પદ્ધતિથી સિંચાઇ કરી નાનો ખેડૂત ખેતી કરી શકે ગણદેવી તાલુકાના પાંત્રી ગામમાં ઉનાળાની ઋતુના સિંચાઇ ની તકલીફ ઊભી થતા 700 એકરમાં આ પદ્ધતિથી માટલા વડે પાણી આપી સફળતા મેળવેલી. આરીતની સફળ ખેતી કરી ખેડૂતને જીવતદાન મળ્યું છે. -  ડો.સી.કે.ટીમબાડીયા, વરિષ્ઠ વીજ્ઞાનિક, કૃષિ યુનીવર્સીટી, નવસારી પાક બચાવવા આ તરકીબ અજમાવી 

 બે વર્ષ આગાઉ કાંકરપાર મુખ્ય કેનાલમાં થયેલા ભંગાણ સમયે અમારા થયેલો શાકભાજીનો પાક સિંચાઇના પાણીના અભાવે નાસ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા પાકને બચાવવા  ગામના તળાવમાંથી ડોલ ભરીને પાણી લાવી શાકભાજીના છોડમાં સિંચન કર્યા બાદ વધુ પડતી મહેનત થતા અમે પ્લાસ્ટિકની બેગમાં પાણી ભરી ટપક પદ્ધતિથી પાણી સીંચવાનું વિચાર્યું અને તેમાં અમને સફળતા પણ મળી ત્યારથી આરીતે કરતા આવ્યા છે.  -  જેરામભાઈ પટેલ, ખેડૂત
માટલાં પીયત પદ્ધતિથી ખેડૂતોને જીવતદાન મળ્યું છે

ખેતી ક્ષેત્રે જે ગામોમાં સિંચાઈના પાણીની તકલીફ હોય ત્યાં આરીતની પદ્ધતિ અપનાવવામા આવે છે ઓલપાડ ના ખેડૂતે પ્લાસ્ટિકની બેગથી જે સિંચાઇ કરી છે તે રીતે માટલાં પિયત પદ્ધતિથી સિંચાઇ કરી નાનો ખેડૂત ખેતી કરી શકે ગણદેવી તાલુકાના પાંત્રી ગામમાં ઉનારાની ઋતુના સિંચાઇ ની તકલીફ ઊભી થતા 700 એકરમાં આ પદ્ધતિથી માટલા વડે પાણી આપી સફળતા મેળવેલી. આરીતની સફળ ખેતી કરી ખેડૂતને જીવતદાન મળ્યું છે.>ડો.સી.કે.ટીમબાડીયા, વરિષ્ઠ વીજ્ઞાનિક, કૃષિ યુનિવર્સિટી, નવસારી

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-LCL-irrigation-by-filling-the-water-in-the-bag-to-save-crops-gujarati-news-5797280-PHO.html?ref=ht

મેવાણીની રેલીથી પ્રશાસનનો જીવ તાળવે ચોંટ્યો ’ને શહેર બાનમાં લીધું

મુખ્યમંત્રીના બંદોબસ્તમાં પણ ન હોય એટલા પોલીસો ખડકાયા, હથિયારધારી જવાનો-ઘોડેસવાર પોલીસોના જંગી કાફલાથી શહેરીજનોમાં ભયમિ
ભુજ: વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણી સોમવારે ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા આવવાના હોવાથી જિલ્લા પ્રશાસનનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પ્રશાસનના કપાળે કેટલો પરસેવો વળી ગયો હશે, તે બાબત એ વાતથી સ્પષ્ટ થઇ ગઇ હતી કે, મહાનુભાવોની સુરક્ષા અને ટ્રાફીક નિયમનના નામે જાહેરનામું બહાર પાડીને સંખ્યાબંધ રસ્તાઓ પર વાહનોને પ્રવેશબંધી ફરમાવતા શહેર બાનમાં લેવાયું હોય એવું ચિત્ર ઉપસ્યું હતું.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આર. પટેલે 20મી જાન્યુઆરીએ બહાર પાડેલાં જાહેરનામામાં જણાવ્યું હતું કે, ‘ભુજમાં વંચિત સમાજના વર્ષો જૂના પ્રશ્નો માટે કલેક્ટર કચેરીએ આવેદન આપવા જીજ્ઞેશ મેવાણીએ સવારે 11થી બપોરે 3 વાગ્યા દરમિયાન રેલીનું આયોજન કર્યું છે. તેમજ જીજ્ઞેશભાઇ ‘વાય’ કેટેગરીની સુરક્ષા ધરાવતા હોવાથી કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફીક નિયમન જરૂરી છે.
આથી, સવારે 9થી બપોરના 4 વાગ્યા સુધી નીચેના રસ્તાઓ પર વાહનોના પ્રવેશને બંધ કરવા હુકમો કરૂં છું.’ હવે, જે રસ્તાઓ બંધ કરાયા તેમાં પીજીવીસીએલ સામે આવેલા ત્રણ રસ્તાથી જ્યુબિલી સર્કલ તરફ આવવા-જવા પર, ડીવાયએસપી બંગ્લોઝની સામે આવેલા ત્રણ રસ્તાથી જ્યુબિલી સર્કલ તરફ જવા-આવવા પર, રિલાયન્સ પેટ્રોલપંપ સર્કલથી જ્યુબિલી સર્કલ તરફ જવા-આવવા પર, જજીસ બંગલા સામે આવેલા મંગલમ તરફ જતા ત્રણ રસ્તાથી કલેક્ટર કચેરી તરફ આવવા-જવા પર, દાદા-દાદી પાર્ક ત્રણ રસ્તાથી ટાઉનહોલ તરફ આવવા-જવા પરનો સમાવેશ થયો હતો.
આની સામે વૈકલ્પિક વ્યવસ્થામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ થઇ રિલાયન્સ સર્કલ તરફ, ડીવાયએસપી બંગ્લોઝની સામે આવેલા રસ્તાથી વીડી સર્કલ તરફ, રિલાયન્સ પેટ્રોલપંપ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફ અને મિરઝાપર ત્રણ રસ્તા તરફ, માંડવી તરફ આવતા રસ્તાથી મંગલમ ચાર રસ્તા થઇ અને જૂના બસ સ્ટેશન થઇ તથા ધિંગેશ્વર મંદિરની પાછળ આવેલા રસ્તા પરથી જઇ શકાશે એમ જણાવ્યું હતું.

અમારી કોર્ટ કાર્યવાહીમાં પણ જાહેરનામું નડતર બન્યું : વકીલ

‘અમે કોર્ટ સુધી પણ જઇ શકતા નહોતા. જ્યુબિલીથી અમને કહેવાયું કે, ધિંગેશ્વર મંદિરથી જાઓ અને ધિંગેશ્વર ગયા તો ત્યાંથી કહેવાયું કે, જ્યુબિલી બાજુથી જાઓ. આમ, આ જાહેરનામું અમને વકીલોને પણ બાધારૂપ બન્યું હતું તો અમારા અસીલોની અને સામાન્ય નાગરિકોની શું હાલત થઇ હશે ω’ > રાજેશ પ્રેમજી ઠક્કર, એડવોકેટ-ભુજ

રેલીમાં આવનારાના વાહનોને મુક્તિ !

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામામાં અપવાદરૂપની યાદી પણ જાહેર કરી હતી. જેમાં રેલી કાર્યક્રમ અર્થે રેલીમાં આવનારા લોકોના વાહનોને છૂટ અપાઇ હતી. પરિણામે, સામાન્ય શહેરીજનોમાં એવો ગણગણાટ ઉઠ્યો હતો કે, જે રેલીના લીધે ટ્રાફીક નિયમન અને સુરક્ષાના સવાલો ઉઠ્યા છે તેને જાહેરનામામાંથી મુક્તિ અને આમ નાગરિકોને બાનમાં લઇને હેરાનગતિ થાય એવા હુકમો કરીને પ્રશાસન આખરે શું સાબિત કરવા માગે છે ω?

Source :-https://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-LCL-mevanini-rally-took-the-lives-of-the-hostages-city-administration-has-stuck-tala-5797262-PHO.html?ref=ht

બેંકોમાં ચાર-પાંચ ટ્રાન્ઝેકશન જ નિઃશુલ્ક તે પછી લાગશે ચાર્જ
ડિજીટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે એક સીમા બાદ રોકડ લેવડ-દેવડ પર ગ્રાહકે આપવો પડશે ચાર્જઃ કનિદૈ લાકિઅ તમામ બેંકોને રોકડ લેવડ-દેવડની સીમા નક્કી કરવા જણાવાયુઃ જમા ઉપાડની સંખ્યા નક્કી કરવા બેંકોને છુટ નવી દિલ્હી તા.ર૩ : આવતા દિવસોમાં કનિદૈ લાકિઅ કોઇ એક મર્યાદા-સીમા અકિલા બાદ રોકડ લેવડ-દેવડ ઉપર ગ્રાહકોએ ચાર્જ આપવો પડશે. નવા પ્રસ્તાવ અનુસાર બેંકોની શાખાઓમાં દર મહિને ચાર કે પાંચ રોકડ કનિદૈ લાકિઅ લેવડ-દેવડ કરી શકાશે તે પછી થનાર લેવડ-દેવડ ઉપર ચાર્જ ભરવો પડશે.   ડિજીટલ લેવડ-દેવડને અકીલા પ્રોત્સાહન આપવા માટે ચાર્જ લગાવવાની જોગવાઇ છે કનિદૈ લાકિઅ સાથોસાથ રોકડ લેવડ-દેવડની મહત્તમ સીમા પણ ર લાખ રૂ.થી વધુ ન હોવી જોઇએ. નોટબંધી બાદ કેટલીક મોટી બેંકોએ રોકડ લેવડ-દેવડની સીમા ર લાખ રૂપિયા કનિદૈ લાકિઅ નક્કી કરી હતી. જે ભવિષ્યમાં બધી બેંકો લાગુ કરશે.   આની સાથોસાથ જ ડિજીટલ લેવડ-દેવડની છુટની વ્યવસ્થા પણ બેંકો લાવશે. એવામાં માનવામાં આવે કનિદૈ લાકિઅ છે કે જમા-ઉપાડની સંખ્યા નક્કી કરવાની છુટ બેંકોને આપવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, તમામ બેંકોમાં રોકડ જમા ઉપાડની સંખ્યા નક્કી થવા પર કનિદૈ લાકિઅ ડિજીટલ અર્થવ્યવસ્થાની પહોંચ ગ્રામીણ અને દુર-દુરના વિસ્તારો સુધી પહોંચશે. સુત્રો જણાવે છે કે તમામ બેંકોમાં રોકડ લેવડ-દેવડની સીમા નક્કી કરવા કનિદૈ લાકિઅ જણાવાયુ છે. પહેલા એવો વિચાર હતો કે જાહેર ક્ષેત્રની બેંકોમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવે પરંતુ નાની અને મધ્યમ સાર્વજનિક બેંકોની સામે પરેશાની એ છે કે તેમના ગ્રાહક નાની ખાનગી બેંકોમાં ખાતા ખોલી શકે છે તે પછી સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે યોજાયેલી બેઠકમાં તમામ બેંકોમાં આ વ્યવસ્થા લાગુ કરવા સહમતી બની છે. ગયા વર્ષે સ્ટેટ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંકે નોટબંધી બાદ એક મહિનામાં ચાર વખતથી વધુ નાણા જમા કરાવવા કે ઉપાડવા પર ન્યુનતમ ચાર્જ લગાવવાનું શરૂ કર્યુ હતુ. હાલ એટીએમમાં જમા-ઉપાડની સંખ્યા પ રાખવામાં આવી છે. ડિજીટલ લેવડ-દેવડને આગળ વધારવા માટે સરકારમાં પ૦,૦૦૦ રૂ.થી વધુની રોકડ લેવડ-દેવડ ઉપર ચાર્જ પર સહમતી બનતી નથી. આ ભલામણ નોટબંધી બાદ ચંદ્રબાબુ નાયડુ સમિતિએ કરી હતી જેને અભેરાઇએ ચડાવી દેવામાં આવેલ છે. (10:41 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-01-2018/122460


જડબાતોડ જવાબઃ BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાક. છાવણીનો ભુક્કો
પાકિસ્તાની રેન્જર્સના ઓઇલ ડેપો અને ઘણી ફાયરીંગ પોઝિશન્સ તબાહ નવી દિલ્હી તા. ૨૩ : પાકિસ્તાન કનિદૈ લાકિઅ તરફથી અકારણે ગોળીબારનો સરહદ પર તહેનાત બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્યના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કનિદૈ લાકિઅ પાકિસ્તાન દ્વારા અકિલા સતત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાકિસ્તાની સૈન્યે નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવ્યાં હતાં. છેલ્લા ચાર દિવસોમાં કનિદૈ લાકિઅ બીએસએફે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પાકિસ્તાનની છાવણીઓ પર ૯૦૦૦ અકીલા રાઉન્ડ મોર્ટાર છોડ્યા છે. ખાસ વાત એ છે કે, બીએસએફે ટાર્ગેટ કનિદૈ લાકિઅ બનાવીને જવાબી કાર્યવાહી કરી છે, જેનાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાની રેન્જર્સના ફયૂઅલ કનિદૈ લાકિઅ ડમ્પ (ઓઇલ ડેપો) અને ઘણી ફાયરિંગ પોઝિશન્સને તબાહ કરી દેવામાં આવી છે. બીએસએફ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુમાં કનિદૈ લાકિઅ ૧૯૦ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. પાકિસ્તાન તરફથી રવિવારે સાંજથી જ સમગ્ર વિસ્તારમાં ભારે ગોળીબારી કરવામાં કનિદૈ લાકિઅ આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાને પહેલેથી જ શાંતિ ભંગ કર્યો છે અને બીએસએફની ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવવાનું કનિદૈ લાકિઅ શરૂ કર્યું છે. ત્યાર બાદ બીએસએફે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૯૦૦૦ રાઉન્ડ મોર્ટાર છોડ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોર્ટારની સાથે અન્ય હથિયારો વડે પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. બીએસએફે કહ્યું છે કે, ફોર્સ ટાર્ગેટ બનાવીને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પાકિસ્તાની રેન્જર્સની ઘણી ફાયરિંગ પોઝિશન્સ, મોર્ટાર લોન્ચિંગ પેડ્સ, હથિયાર અને ઓઇલ ડિપોને નષ્ટ કરી દેવાયાં છે. ફોર્સે બે વીડિયો પણ જાહેર કર્યા છે, જેમાં ઓઇલ ડેપોનો નાશ કર્યાની તસવીર દેખાય છે. (9:34 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-01-2018/122449

ટુ વ્હીલર્સમાં CBS સિસ્ટમ અનિવાર્ય થશે એટલે એપ્રિલથી બાઇક - સ્કુટરના ભાવ વધવાના એંધાણ નવી દિલ્હી તા. ૨૩ : હીરો મોટોકોર્પ, હોન્ડા, યામાહા, બજાજ, સુઝુકી, કનિદૈ લાકિઅ રોયલ એનફીલ્ડ સહિતની ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓ એપ્રિલ ૨૦૧૮થી વધારો કરી શકે છે. કિંમતો વધવા પાછળ સરકાર દ્વારા ટૂ વ્હીલર્સમાં CBS એટલે કનિદૈ લાકિઅ કે, કોમ્બી બ્રેકિંગ અકિલા સિસ્ટમ અનિવાર્ય કરવાનું કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આ નિયમ ૧૨૫ સીસીથી ઓછા એન્જિનવાળી બાઈકસ પર લાગૂ થશે. કનિદૈ લાકિઅ આની સાથે જ ૧૨૫ સીસીથી વધુ એન્જિનવાળી બાઈકસમાં ABS અનિવાર્ય કરી દેવામાં આવશે. આ અકીલા નિયમ ૩૧ માર્ચ ૨૦૧૮ બાદ લોન્ચ થનારા ટૂ વ્હીલર્સ પર કનિદૈ લાકિઅ લાગૂ થશે. આ જ કારણે મોટાભાગની બાઈકસ અને સ્કૂટર્સમાં અત્યારથી જ એબીએસ આપવામાં આવી રહી છે. આ ફીચર્સ અનિવાર્ય થવાથી વાહનોની કિંમતોમાં વધારો કનિદૈ લાકિઅ થવો સહજ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, રોયલ એનફિલ્ડ પહેલેથી જ યૂરોપિયન માર્કેટમાંથી ABSથી સજ્જ બાઈકસ એકસપોર્ટ કરે છે. Himalayan BS4ને પણ યૂરોપમાં કનિદૈ લાકિઅ ABSની સાથે જ નિકાસ કરવામાં આવે છે. આવામાં એબીએસ સીબીએસ અને એબીએસને ભારતીય બાઈકસમાં પણ સરળતાથી ઓફર કરી શકાય છે. બાઈકમાં એબીએસ જોડવાથી કનિદૈ લાકિઅ કિંમતો ૧૦થી ૨૦ હજાર સુધી વધી જાય છે. તેની સરખામણીમાં સીબીએસ ઘણી સસ્તી છે. તેને લગાવવા માટે ૧થી ૨ હજારનો વધારો થાય છે. હોન્ડાના એકિટવા કનિદૈ લાકિઅ રેન્જના સ્કૂટર્સમાં સીબીએસ પહેલેથી આપવામાં આવેલી છે. સિંગલ બ્રેક લીવર પ્રેસ કરવા પર સીબીએસ ફ્રન્ટ અને રિયર બ્રેકસ બંનેને એકિટવેટ કરી દે છે. આનાથી બ્રેક વધુ મજબૂત થઈ જાય છે અને વાહન સ્લીપ થાય તેવી શકયતા ઓછી થઈ જાય છે. તેમાં બ્રેકસ લોક થઈ જાય છે. વરસાદના સમયમાં આ સિસ્ટમ ખૂબ જ કારગત સાબિત થાય છે. ચિકણા રોડ પર એબીએસ વ્હીકલને વધુ સ્પીડમાં બ્રેક લગાવવા છતા પણ સ્લીપ થતા બચી શકાય છે.(૨૧.૪) (9:33 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-01-2018/122448

અમદાવાદમાં ક્રાંતિ થાય કે ન થાય, સૌરાષ્ટ્રમાં અવશ્ય થશે
અમરેલીના માંડવડા ગામે જીજ્ઞેશ મેવાણીએ સભા સંબોધી : દલિત સમાજની માંગણી નહિ સંતોષાય તો રાજયભરમાં કનિદૈ લાકિઅ ચક્કાજામ, જેલ ભરો આંદોલનની ઉગ્ર ચીમકી અમરેલી, તા. ર૩ : બગસરાના માંડવડા ગામે દલીત યુવાનના આપઘાત કેસમાં આરોપીઓની ધરપકડ, પરિવારને જમીન ફાળવવી કનિદૈ લાકિઅ સહિતના અકિલા મુદ્દે જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં દલીત સમાજ દ્વારા આવેદન પાઠવી સાત દિવસમાં તમામ માંગણી ન સંતોષાય તો રાજયભરના દલીતો ગુજરાતની કનિદૈ લાકિઅ જેમ અમરેલીમાં ઉતારી ચક્કાજામ કરાવીને જેલભરો આંદોલન કરવા ચીમકી આપી છે. દલીત અકીલા સમાજના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ માંડવડા કનિદૈ લાકિઅ ગામે દલીત યુવાનના આપઘાત કેસમાં ભોગ બનનારા પરિવારની મુલાકાતે લીધી હતી. ત્યાર બાદ લીલીયા ખાતે તેમણે ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું કનિદૈ લાકિઅ હતું. ત્યાર બાદ અમરેલી ખાતે મેવાણીની ઉપસ્થિતિમાં દલીત સમાજ દ્વારા દલીતોની વિવિધ સમસ્યા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે. ભોગ બનનાર કનિદૈ લાકિઅ પરિવારને તાત્કાલીક જમીન ફાળવવા અને તમામ આરોપીઓની ધરપકડ કરવા માંગણી કરી હતી અને માંગણી ન સંતોષાય તો સાત દિવસ બાદ રાજયભરના દલીતો દ્વારા ઠેર-ઠેર કનિદૈ લાકિઅ ચક્કાજામ કરાશે અને જેલભરો આંદોલન કરાશે તેવી ચીમકી અપાઇ છે. એવી જ રીતે દાદા-દાદી પાર્ક ખાતે મેવાણીને જાહેર સભા યોજાઇ હતી. જેમાં જીજ્ઞેશ કનિદૈ લાકિઅ મેવાણીએ જણાવ્યું કે અમદાવાદમાં ક્રાંતિ થાય કે ન થાય, સૌરાષ્ટ્રમાં અવશ્ય થશે. મોદીનું વિકાસનું મોલ બોદુ હતું. મોરચો બુલંદ થયો તો ર૦૧૯માં મોદીમયી નહીં બને શકે. અમરેલીમાં મોદીએ સીવીલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી નાખ્યું છે. રામ અને ગૌ ભકતો ઉપર પણ મેવાણીએ આકરા પ્રહારો કર્યા હતાં. (9:31 am IST)

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/23-01-2018/80578

સામાન્ય બજેટ ર૩ લાખ કરોડનું હશેઃ કૃષિ-ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય
કેન્દ્રીય પ્રાયોજીત યોજનાઓમાં ૧૦ ટકાનો વધારો થશેઃ ફાળવણી પ લાખ કરોડથી વધુ કરવામાં આવશેઃ કનિદૈ લાકિઅ સરકાર દિલ ખોલીને ખર્ચ કરવાની તૈયારીમાં: ભુમિહીન ખેડુતોને પણ મળી શકશે બેંકો તરફથી લોનઃ બજેટમાં યોજના જાહેર થશેઃ નવા વર્ષે કૃષિ ઋણની જોગવાઇ કનિદૈ લાકિઅ ૧૧ લાખ કરોડ અકિલા રખાશે નવી દિલ્હી તા.ર૩ : જીએસટી સંગ્રહમાં ઘટાડો થતા સરકાર સમક્ષ ભલે રાજકોષીય સંતુલન સાધવાનો પડકાર હોય પરંતુ સામાન્ય કનિદૈ લાકિઅ બજેટમાં સરકાર દિલ ખોલીને ખર્ચ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય પ્રાયોજીત અકીલા યોજનાઓની ફાળવણીમાં મોટો વધારો થઇ શકે છે અને સામાન્ય કનિદૈ લાકિઅ બજેટ ર૦૧૮-૧૯નો આકાર વધીને ર૩ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ શકે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ર૧,૪૬,૭૩પ કરોડ રૂપિયાનુ બજેટ રજુ કર્યુ હતુ. કનિદૈ લાકિઅ સુત્રોનુ કહેવુ છે કે આમા લગભગ ૧૦ ટકાનો વધારો થઇ શકે છે અને આવતા વર્ષનું બજેટ ર૩ લાખ કરોડ થશે. ખાસ વાત એ છે કે કેન્દ્રીય પ્રાયોજીત યોજનાઓ કનિદૈ લાકિઅ અને સેન્ટ્રલ સેકટર સ્કીમની ફાળવણીમાં પણ સરેરાશ ૧૦ થી ૧પ ટકાનો વધારો થઇ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાઓ માટે ૪.પ૮ લાખ કરોડ રૂપિયાની કનિદૈ લાકિઅ ફાળવણી કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હવે એ વધારીને પ લાખ કરોડ કરાશે. સુત્રોનુ કહેવુ છે કે, મોદી સરકારના કાર્યકાળનું આ અંતિમ પુર્ણ કનિદૈ લાકિઅ બજેટ હશે. એવામાં સરકાર લોક કલ્યાણ કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં જરાપણ સંકોચ નહી રાખે. જે ક્ષેત્રોમાં ફાળવણીમાં વધારો થશે તેમાં કૃષિની સાથે ગ્રામીણ વિકાસ મુખ્ય હશે. આ સિવાય રોજગાર આપતા ક્ષેત્રો અને યોજનાઓના બજેટમાં પણ ખાસ્સો વધારો થશે. બજેટમાં ભુમિહીન ખેડુતોને પણ બેંકો તરફથી લોન મળે તેવી જોગવાઇ કરવામાં આવશે. આ માટે જરૂરી પગલા લેવામાં આવશે. આવા ખેડુતોને હાલ ખેતી માટે શાહુકારો ઉપર નિર્ભર રહેવુ પડે છે. ખેડુતો માટે સૌથી મોટી મુશ્કેલી કૃષિ ઋણની હોય છે. સરકાર હવે તેઓને સરળતાથી લોન મળે તે માટે પ્રયાસ કરશે. જે ભુમિહીન ખેડુત છે, જેમની પાસે ખુદની જમીન નથી પરંતુ ભાડા પટ્ટે ખેતી કરે છે તેવા લોકોના હિતમાં સરકાર નિર્ણય કરે છે. આવતા વર્ષે સરકાર કૃષિ ઋણ માટે ૧૧ લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરે તેવી શકયતા છે. ચાલુ વર્ષે આ જોગવાઇ ૧૦ લાખ કરોડની હતી. પહેલા છ માસમાં ૬.રપ લાખ કરોડની લોન ખેડુતોને આપવામાં આવી હતી. દરમિયાન એસબીઆઇ રિસર્ચે એવી ભલામણ કરી છે કે આયકર મુકિત મર્યાદા ૩ લાખ કરવી જોઇએ. જો આ સીમા વધે તો ૭પ લાખ લોકોને ફાયદો થાય. (૩-૩) (10:41 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-01-2018/122457

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment