સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 20 December 2017

હાર્દિકની સભા, પાટીદારોનું પ્રભુત્વ છતાં આ 6 બેઠક કેમ જીત્યું ભાજપ? - ખોડલધામ 'નરેશ'ના પુત્રે ટેકો જાહેર કર્યો છતાં ત્રણેય ઉમેદવારો હાર્યા - રસ્તા માટે રસ્તા પર ન ઉતરવું પડેઃ જિજ્ઞેશનું કલેક્ટરને અલ્ટિમેટમ - ગુજરાતનો બોધપાઠઃ બજેટ કૃષિ અને ખેડુતલક્ષી રાખવા તૈયારી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિકની સભા, પાટીદારોનું પ્રભુત્વ છતાં આ 6 બેઠક કેમ જીત્યું ભાજપ?

પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ જે વિસ્તારોમાં પ્રચાર પણ કરી શકતો ન હતો

 સુરત: પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ જે વિસ્તારોમાં પ્રચાર પણ કરી શકતો ન હતો, તેવા વિસ્તારમાં 50 ટકાથી લઇને 80 ટકા મત મળતા આશ્ચર્ય સર્જાયું છે. અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા પાટીદારોએ જ્યારે મત આપવાની વાત આવી ત્યારે કમળ પર જ પસંદગી ઉતારી. આવું કેમ થયુંω તે મુદ્દે લોકો જાત-જાતના તર્ક લડાવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે, લોકો પોતાની વિચારધારા મુજબ મત આપે છે. તે બદલવી એટલી સહેલી નથી.


સમગ્ર ચિત્ર ઊલટું બહાર આવતા ભાજપના નેતાઓ ગેલમાં

પાટીદારો હિન્દુત્વમાં માનનારા ભાજપના પરંપરાગત મતદારો છે. કોંગ્રેસ હાર્દિકને ચૂંટણીનો ચહેરો બનાવી તે વિચારધારાને અસર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાજપે ફરી હિન્દુત્ત્વનું કાર્ડ રમીને દ્વિધામાં પડેલા પાટીદારોને ફરી પોતાની તરફ કરી દીધા. ચૂંટણી જાહેર થયા પછી પાટીદાર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે જતા ત્યારે તેઓનો વિરોધ કરવામાં આવતો હતો, જ્યારે મત ગણતરી વખતે તે વિસ્તારના બૂથ ખૂલ્યા ત્યારે સમગ્ર ચિત્ર ઊલટું બહાર આવતા હાલમાં ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા છે.

કોંગ્રેસના ઉમેદવાર કરતા ભાજપના ઉમેદવારને મત મળ્યા

કોંગ્રેસના નેતાઓ હજુ એજ અસમંજસમાં છે કે, પાટીદાર વિસ્તારમાં મતો ભાજપને કેવી રીતે મળ્યા. કારણ કે, થોડા સમય પહેલા યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થઇ હતી, તેવા વિસ્તારમાં જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કરતા ભાજપના ઉમેદવારને મત મળ્યા છે. આ જ કારણોસર શહેરની 12 પૈકી છ વિધાનસભાની બેઠક પર પાટીદાર મતદારોનુ પ્રભુત્વ હોવા છતાં ભાજપની જીત થઇ છે.

કોંગ્રેસે હજુ મહેનત કરવી પડે તેમ છે

કોંગ્રેસ તો હજુ ઇવીએમમાં ગરબડ થઇ હોવાનું જ માને છે. એટલે જ, કામરેજ બેઠકના અશોક જીરાવાલાએ તમામ વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની માગ કરી છે. જોકે, જાણકારોનો મત જુદો છે. તેમનું કહેવું છે કે, વોટબેંકને કેળવવી પડે. ભાજપે કેળવી હતી. તે કેળવણી બદલવા માટે કોંગ્રેસે હજુ મહેનત કરવી પડે તેમ છે.

કારણ-1: ભાજપને સાધુ-સંતોની મદદ મળી

ચૂંટણી જીતવા હિન્દુત્વ ઉપરાંત સાધુ-સંતોનો સહારો લીધો હતો. સુરતની પાટીદાર વસ્તી સૌરાષ્ટ્રથી આવે છે. પાટીદારોમાંથી મોટાભાગના લોકો સાધુ-સંતોમાં ભારે શ્રદ્ધા રાખે છે. સાધુ-સંતોની વાતને સૌરાષ્ટ્રવાસી પાટીદારો નકારી શકે નહીં. ભાજપે આ ચૂંટણીમાં મોટી સભાઓ કરવાની જગ્યાએ સાધુ-સંતોનો મોટાપાયે સહારો લીધો, તેવું નિષ્ણાતો પણ કહે છે.

કારણ-2: રીવર્સ પોલરાઇઝેશન

કોંગ્રેસે પાટીદારો એકજૂથ થઇને મત આપે તેવા પ્રયાસ કર્યા જેની સામે બીજી જ્ઞાતિઓ ભાજપના સમર્થનમાં થઇ ગઇ. ખાસ કરીને એસ.સી. અને ઓબીસી મતદારોને એમ લાગ્યું કે, કોંગ્રેસ જો પાટીદારોને અનામત આપશે, તો તેમનો અનામતમાંથી ભાગ જતો રહેશે. એટલે તેમણે ભાજપને જીતાડવા માટે મત આપ્યા હોઇ શકે.

કારણ-3: સૌરાષ્ટ્રમાં મતદાન કર્યું

જે લોકો કોંગ્રેસ તરફી મતદાન કરવાના હતા, તેમાંથી ઘણા પોતાના વતન સૌરાષ્ટ્ર જતા રહ્યા અને તેમણે ત્યાંથી મતદાન કર્યું. તેમની સંખ્યા એટલી મોટી નથી, પરંતુ થોડીઘણી પણ અસર જરૂર થઇ. સુરતથી લગભગ 10 હજારથી વધુ લોકોએ સૌરાષ્ટ્ર જઇને મતદાન કર્યું હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.

કારણ-4: પરિવારોમાં જ ભાગલા પડ્યા

યુવાનો હાર્દિકથી વધુ પ્રભાવિત હતા, તેમણે કોંગ્રેસને મત આપ્યો. જોકે, જે લોકોએ કોંગ્રેસના રાજમાં થતા કોમી રમખાણો જોયા હતા તે મોટી ઊંમરના લોકોએ ભાજપને જ મત આપ્યો. આ ઉપરાંત, ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે જેમને અનામતથી કોઇ ફાયદો દેખાતો નથી, તેમણે ભાજપને મત આપ્યા, ત્યારે ગરીબ વર્ગે કોંગ્રેસને મત આપ્યો હોઇ શકે.
વરાછા: હીરાબાગનો પણ સાથ રહ્યો
  
ધનલક્ષ્મી, શુભલક્ષ્મી, કૃષ્ણકુંજ, સ્વાતિ, ગંગાજમના સોસાયટીમાં ભાજપનો વિરોધ થવા છતાં 40 ટકા મત ભાજપને મળ્યા. હીરાબાગ પાસે આનંદનગર, પૂર્વી, ધરમનગર, ક્ષમા સોસાયટીમાં પાટીદારની જ વસ્તી હોવા છતાં ભાજપને 80 ટકા કરતા વધારે મત મળ્યા છે. જ્યારે અન્ય સમાજના લોકોએ પણ ભાજપને મત આપ્યા છે. તેમાં પણ વરાછા વિધાનસભાની બેઠક પરના કુલ 17 રાઉન્ડમાં ફકત એક જ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને લીડ મળી હતી.
ઉત્તર: પાલિકામાં કોંગ્રેસ, અત્યારે ભાજપ
 
પાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારમાં કોંગ્રેસને લીડ મળી તે જ વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપ્યા છે. તેવી હરીઓમ, પટેલનગર, શિવાંજલિ, રાધાકૃષ્ણ, શ્યામસુંદર અને ભોજલધામ સોસાયટીમાં ભાજપના ઉમેદવારને 70 ટકા કરતા વધારે મત મળ્યા છે. તેના કારણે, પાટીદાર વિસ્તારમાં આવતા 35 બૂથમાં ભાજપને 13500 મતો કોંગ્રેસ કરતા વધારે મ‌ળ્યા છે.
કતારગામ: વિચારધારા ન બદલાઇ
 
પાટીદાર વસ્તી ધરાવતી હરિદર્શન સોસાયટી, મોહનદીપ સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, લક્ષ્મીધામ સોસાયટી, હરિધામ સોસાયટી ઉપરાંત હરીદર્શનનો ખાડા વિસ્તારમાં આવતી સોસાયટીમાંથી પણ ભાજપને 60 ટકા કરતા વધારે મત મળ્યા છે, તેની સાથે આંબાતલાવડી વિસ્તારમાં આ‌વતી સોસાયટીમાં પણ પાટીદારની વસ્તી હોવા છતાં તે સોસાયટીઓમાંથી પણ ભાજપને 70 ટકા કરતા વધારે મત મળ્યા છે.
કામરેજ: એપી સેન્ટર પણ બદલાયું
 
પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર યોગીચોક અને કારગીલ ચોક ગણવામાં આવે છે, તેમાં આવેલી સોસાયટીમાં ભાજપને 50 ટકા કરતા વધારે મત મળ્યા છે. યોગીચોક વિસ્તારની મહાલક્ષ્મી, વિજય, ગજાનન, યોગીકૃપા, તુલસીશ્યામ, તુલસી રો હાઉસ, શ્યામધામ, જ્યારે કારગીલ ચોક વિસ્તારની અશોક વાટીકા, ગૌતમ પાર્ક સહિતની સોસાયટીમાં પાટીદાર મતદારો હોવા છતાં ભાજપના ઉમેદવારને 50 ટકા કરતા વધારે મત મળ્યા છે.
ઓલપાડ: કેન્દ્રબિંદુ ફરી ગયું
 
સુદામા ચોક પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર બિંદુ હતું. આ વિસ્તારની આવતી ગાર્ડન વેલી, ગંગોત્રી, અભિષેક 1-2-3, ક્રિષ્ણા ટાઉનશીપ, સાંઇ બંગલોઝમાંથી ભાજપને 60થી 70 ટકા મત મળ્યા છે. આ ઉપરાંત, પાટીદાર પ્રભુત્વ ધરાવતી વાસ્તુપૂજા હાઇટસ, પનવેલ પેલેસ, આવિષ્કાર હાઇટસ, લિબર્ટી લિવીંગ સહિતની કેટલીય સોસાયટીઓમાંથી ભાજપને 60થી 70 ટકા મત મળ્યા છે.
કરંજ: ભગાડ્યા છતાં વોટ આપ્યા
  
પાટીદાર અને ઓબીસી મતદારો 50-50 ટકા હોવાથી ભાજપના ઉમેદવારને સરળતાથી જીત મળી હતી, તેમાં પણ લંબે હનુમાન રોડ પર આવેલી અવંતિ સોસાયટી, ભગુનગર, વસુંધરા જેવી સોસાયટીમાં મતદાન પહેલા ભાજપની વિરૂધ્ધમાં બેનર લગાડવામાં આવ્યા હતા. તેમજ પ્રચાર માટે જતા ભાજપના કાર્યકરોને ભગાડવામાં આવતા હોવા છતાં મત તો ભાજપને જ આપ્યા હતા. આ વિસ્તારના બૂથ ખુલ્યા ત્યારે 60 ટકા કરતા વધારે મત ભાજપને મળ્યા.
હિન્દુત્વ અને ધાર્મિક અગ્રણીઓની ભૂમિકા
 
કોંગ્રેસે જે રીતે પાટીદાર કાર્ડ રમવાનો પ્રયત્ન કર્યો તેની સામે ભાજપે હિન્દુત્વના મુદ્દાને છેલ્લે ઉપાડ્યો. હિન્દુ ધર્મ અને સંપ્રદાયોના અગ્રણીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ભાજપે તેમની મદદ લીધી. 
- કાનજી ભાલાળા,પાટીદાર અગ્રણી અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ
  
વિચારધારા બદલવી સહેલી નથી
  
પાટીદારો પરંપરાથી ભાજપના મતદારો છે. પરિવારમાં દાદાથી લઇને પૌત્ર સુધી બધાની વિચારસરણી ભાજપ તરફી છે. તેને અસર જરૂર કરી શકાય પરંતુ બદલવા માટે લાંબો સમય જોઇએ. કોંગ્રેસે એવું કંઈ નથી કર્યું, જેનાથી તે બદલી શકાય. 
- વિક્રમ વકીલ, રાજકીય નિષ્ણાત

Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-LCL-because-of-the-patidar-reservation-movement-the-bjp-could-not-even-campaign-in-t-5773192-NOR.html?ref=ht


ખોડલધામ 'નરેશ'ના પુત્રે ટેકો જાહેર કર્યો છતાં ત્રણેય ઉમેદવારો હાર્યા

રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને જેતપુર બેઠક પર નરેશ પટેલના પુત્રે ટેકો જાહેર કર્યો હતો

રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજે રાજકોટ પૂર્વ, દક્ષિણ અને જેતપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો. પત્રકાર પરિષદમાં ત્રણેય બેઠકના વિસ્તારોમાં પ્રચાર કર્યો હોવાનું પણ શિવરાજે કહ્યું હતું, પરંતુ પરિણામના દિવસે બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા. શિવરાજે આ ત્રણેય ઉમેદવારોને ટેકો આપ્યો છતાં ત્રણેય ઉમેદવારોને કારમી હાર મળી હતી. 

રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને જેતપુર બેઠક પર નરેશ પટેલના પુત્રે ટેકો જાહેર કર્યો હતો
રાજકોટ દક્ષિણમાં દિનેશ ચોવટીયા, રાજકોટ પૂર્વમાં કોંગ્રેસના મિતુલ દોંગા અને જેતપુરના રવિ આંબલિયા સાથે પારીવારિક સંબંધના કારણે વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો છે તેવું શિવરાજે નિવેદન આપ્યું હતું. મતગણતરીના દિવસે ત્રણેય બેઠક પર કોંગ્રેસ પાછળ રહ્યું હતું અને એક પણ વખત ભાજપના ઉમેદવારની બરોબરી કરી શક્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ટ્રસ્ટ મતદાન સુધી કોઇ સ્પષ્ટ નિવેદન કરી શક્યું ન હતું. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા કોઇ પક્ષને ટેકો હોવાનું, પૂર્વ સેક્રેટરી હંસરાજ ગજેરાએ વિજય રૂપાણીને ટેકો હોવાની જાહેરાત કરી હતી.
ત્રણેય ઉમેદવારોને કેટલા મત મળ્યા અને કેટલા મતે હાર્યા
રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવા દિનેશ ચોવટીયાને 51530 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલને 98951 મત મળ્યા હતા. જેમાં દિનેશ ચોવટીયાને 47121 મતથી હાર મળી હતી. રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાને 70305 મત મળ્યા હતા જ્યારે સામે ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીને 93087 મત મળ્યા હતા. મિતુલ દોંગાને 22782 મતથી હાર મળી હતી. જેતપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલિયાને 73367 મત મળ્યા હતા તેની સામે ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાને 98948 મત મળ્યા હતા. રવિ આંબલિયાને 25581 મતે હાર મળી હતી.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-khodaldham-chairman-son-support-three-congress-candidate-but-all-defeat-NOR.html?ref=ht

રસ્તા માટે રસ્તા પર ન ઉતરવું પડેઃ જિજ્ઞેશનું કલેક્ટરને અલ્ટિમેટમ

સાત ગામોના રસ્તાની સમસ્યા મામલે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી 45 દિવસ સુધીનું અલ્ટીમેટમ આપ્યું

પાલનપુર: પરિણામ જાહેર થતાની સાથેજ વડગામના નવનિયુક્ત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામના જુદાજુદા સાત ગામોમાં રસ્તાની સમસ્યા બાબતે આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેકટરને રસ્તા માટે રસ્તા પર ન ઉતરવુ પડે તેવી ગર્ભીત ચીમકી ઉચ્ચારી 45 દિવસનું અલ્ટીમેટમ આપી દીધુ હતું. વડગામ સીટ પરથી વિજેતા બનેલા દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામ તાલુકાના ગામોની પ્રચાર દરમિયાન મુલાકાતો લીધી હતી. જેમાં કેટલાક ગામોમાં રસ્તાની સમસ્યા જોઇ હતી. જેમાં વડગામ તાલુકાના નવા શેરપુરા, હજુરપુરા(ઇકબાલપુરા) અશોકગઢ, કરસનપુરા, વરણાવાડા, હસનપુરા, નવા પાંડવા અને કાલેડા ગામોનો સમાવેશ થાય છે.

આ રસ્તાની સમસ્યાનું તાકીદે નિવારણ આવે તે માટે મંગળવારે જીગ્નેશ મેવાણીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દીધુ હતું. મેવાણીએ જણાવ્યું હતું કે, મારે રસ્તા માટે રસ્તા પર ન ઉતરવુ પડે તેમ ગંભીરતા લઇને 45 દિવસમાં આ ગામોમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવે તેમ જણાવી જો 45 દિવસમાં કામ નહી કરાય તો આદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ સમયસર ઘટતી કાર્યવાહી કરવાની મૌખિક ખાતરી આપી હતી.જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવા જીગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. અને તમામે જિલ્લા કલેકટરની ચેમ્બરમાં જવા અથવા કલેકટરને નીચે બોલાવવા જીદ કરતા મામલો થોડીક ક્ષણો માટે તંગ બન્યો હતો. દસ જણને પ્રવેશ આપવાની વાતથી કેટલાક કાર્યકરો નારાજ થયા હતા.
રસ્તા મુદ્દે પંચાયત વિભાગે અહેવાલ મંગાવ્યો
જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રસ્તાની જે સમસ્યાઓ છે તેમા નવા વાસથી હજુરપુરાથી દરખાસ્ત રાજ્ય સરકારના મોકલેલ છે. જ્યારે જુની સેંધણીથી અશોકગઢની દરખાસ્ત મંજુર થયા બાદ હાલ રસ્તાની કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયામાં છે.કેટલાક ગામોમાં આતંરીક રસ્તાની માંગ છે. જે અંગે અહેવાલ મંગાવાયો છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-LCL-look-at-the-road-to-get-off-the-road-jignesh-mewani-gujarati-news-5773172-PHO.html

ગુજરાતનો બોધપાઠઃ બજેટ કૃષિ અને ખેડુતલક્ષી રાખવા તૈયારી

ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ નાણા ફાળવાશેઃ દરેક ખેતરને પાણી પહોંચાડવા અને પાક વિમા યોજના હેઠળના કવરેજને વધારવાનુ એલાન થશેઃ ખેડુતોના હિતોને ધ્યાનમાં રાખી અનેક પગલાઓ જાહેર થશેઃ મંડી કાનૂનમાં પણ ફેરફારો કરવા સરકારની વિચારણા

નવી દિલ્હી તા.ર૦ : સામાન્ય બજેટ ર૦૧૮માં ગુજરાતની ચૂંટણીની અસર જોવા મળશે. આમ તો નાણા મંત્રી જેટલી અને તેમની ટીમ બજેટની તૈયારીમાં અગાઉથી લાગી હતી અને મોદી સરકારનુ અંતિમપુર્ણ બજેટ હોવાને કારણે તે લોકલુભાવન હોવાના કયાસ પણ કાઢવામાં આવતા હતા પરંતુ ગુજરાતની ચૂંટણીમાં જે રીતે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો તે જોતા સરકાર આ બજેટ થકી ગ્રામીણ અર્થતંત્રને વધુને વધુ નાણા આપવાનુ પગલુ લઇ શકે છે. આ સિવાય ખેડુતોના હિતોથી લઇને પણ કેટલાક પગલાઓ જાહેર કરવામાં આવશે.
માત્ર ગુજરાતની ચૂંટણી જ નહી પરંતુ યુપીમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીઓમાં પણ ભાજપને કેટલાક એવા સંકેતો મળ્યા હતા કે હવે તેણે ગ્રામીણ તથા ખેડુતોના મુદાઓને લઇને વધુ સક્રિય થવુ પડશે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે કોંગ્રેસે બાજી મારી છે. યુપીમાં નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપે દેખાવ વધાર્યો પરંતુ સપાનુ પ્રભુત્વ યથાવત રહ્યુ. જો કે શહેરી વિસ્તારોમાં ભાજપ દબદબો રહ્યો.
આ વખતના બજેટમાં ખેડુતોની આવક બમણી કરવા સરકાર અનેકવિધ પગલા લેશે. સરકારે ટાર્ગેટ રાખ્યો છે કે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવી. ખેડુતોની વર્તમાન પરિસ્થિતિને જોતા કોંગ્રેસ આ મુદાને આવતી સામાન્ય ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવવાની તૈયારીમાં છે. એવુ માનવામાં આવે છે કે સરકાર કોંગ્રેસની બોલતી બંધ કરવા બજેટમાં દરેક ખેતરને પાણી અને પાક વિમા યોજના હેઠળ કવરેજ વધારવાની નીતિમાં મોટા ફેરફારો કરશે.
પાક વિમા યોજના હેઠળ અપાતી ૮૮૦૦ કરોડની રકમમાં ભારેખમ વધારો કરવાની શકયતા છે. આ માટે આ મામલે નાણા મંત્રાલય અને કૃષિ મંત્રાલયની બેઠકો પણ યોજાઇ હતી. સરકાર રાજયોની મંડી કાનૂનમાં પણ ફેરફાર કરવા માંગે છે.


Source :- http://www.akilanews.com/Main_news/Detail/20-12-2017/120144

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment