સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 19 December 2017

હાર્દિક - ખેડૂતોએ પંજાની તાકાત વધારીઃ ભાજપને હંફાવ્યું - હાર્દિક - જીજ્ઞેશ નવો પક્ષ રચશે ? અલ્પેશ દબાવશે કોંગીનું નાક - કૌન બનેગા CM ? રૂપાણી - રૂપાલા - વાળા - પટેલ - સ્મૃતિ કે માંડવીયા ? - વોટ વધ્યા - સરકાર બની પણ ભાજપની કયા કારણે ઘટી બેઠકો? - ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની નારાજગી દેખાઇ, ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નથી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિક - ખેડૂતોએ પંજાની તાકાત વધારીઃ ભાજપને હંફાવ્યું

૨૦૧૨માં ૪૭ પાટીદાર સભ્યો હતા જે ૨૦૧૭માં ઘટીને ૪૪ થઇ ગયા છેઃ તેમાંથી ૨૫ લેવા પાટીદાર છે અને ૧૯ કડવા પાટીદાર છેઃપાટીદારોએ ડેમેજ પહોંચાડયું


નવી દિલ્હી તા. ૧૯ : ગુજરાતની ચૂંટણીમાં ભલે ભાજપ સતત છઠ્ઠીવાર જીતી ગયુ હોય પરંતુ પાટીદાર મતદાતાઓએ આ વખતે ભાજપને સારુ એવુ ડેમેજ પહોંચાડ્યું છે એ વાત નકારી શકાય તેમ નથી. ઘણા લોકો ખુશ પણ છે કે ભાજપની સીટનો નંબર ઘટીને ડબલ ડિજિટમાં આવી ગયો છે.
પાટીદાર મતદાતાઓની સંખ્યા ૨૦ ટકાથી વધારે છે તેવી ૫૨ સીટમાંથી ભાજપ ૨૮ પર તો કોંગ્રેસ ૨૩ પર જીત્યુ છે. લુણવાડા બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. ૨૦૧૨માં ભાજપ ૫૨માંથી ૩૬ સીટ જીત્યુ હતુ, કોંગ્રેસ ૧૪ અને ગુજરાત પરિવર્તન પાર્ટી ૨ સીટ જીતી હતી. એ સ્પષ્ટ છે કે કોંગ્રેસે પાટીદાર વિસ્તારોમાં પોતાની પકડ સારી એવી જમાવી છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને જે જોરદાર સમર્થન મળ્યું છે તેમાં પાટીદારોના ટેકા ઉપરાંત ખેડૂતોના મુદ્દાઓએ પણ મોટો ભાગ ભજવ્યો છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ બીજા વિસ્તારોમમાં જે જ્ઞાતિઓને પાટીદાર સાથે નથી બનતુ તેમણે ભેગા મળીને ભાજપને જીતાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. પાટીદારોનું રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ, તેમની સંપત્ત્િ। અને ઉઘોગ ધંધામાં આગળ પડતી ભાગીદારીને કારણે પાટીદારો બીજી અનેક જ્ઞાતિઓ માટે ઈર્ષ્યાનું કારણ બન્યા છે અને ગ્રામ્ય સ્તરે બીજી અનેક જ્ઞાતિઓ પાટીદારોની વિરોધમાં કામ કરી હઈ છે.
૧૯૮૫માં કોંગ્રેસે વિવિધ જ્ઞાતિઓ વચ્ચે આ ઘર્ષણનો જ લાભ ઊઠાવીને ધ્ણ્ખ્પ્ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) ફોર્મ્યુલા અપનાવ્યો હતો. આ ફોર્મ્યુલાને કારણે પાટીદારો કોંગ્રેસ પાર્ટીથી અળગા થઈ ગયા હતા અને કોંગ્રેસ તરફ તેમને નફરત થઈ ગઈ હતી. હાર્દિકે કોંગ્રેસને ટેકો આપતા પાટીદારો અને કોંગ્રેસ વચ્ચે છેવટે એક બ્રિજ બન્યો છે.
ભાજપ તરફ પાટીદારોનો રોષ વધવાનું બીજુ એક કારણ એ છે કે વિધાનસભામાં પાટીદાર ધારાસભ્યોની સંખ્યા ઘટી ગઈ છે. ૨૦૧૨માં ૪૭ પાટીદાર સભ્યો હતા જે ૨૦૧૭માં ઘટીને ૪૪ થઈ ગયા છે. તેમાંથી ૨૫ લેવા પાટીદાર છે અને ૧૯ કડવા પાટીદાર છે.
પાસના બે કન્વીનર લલિત વસોયા (સૌરાષ્ટ્ર) અને કિરિટ પટેલ (પાટણ) ધોરાજી અને પાટણ સીટ પરથી જીતી ગયા છે. જો કે પાસના અન્ય ઉમેદવારો જેવા કે ધીરુ ગજેરા (વરાછા), અશોક જીરાવાલા (કામરેજ) અને બી એમ મંગુકિયા (ઠક્કરબાપાનગર) હારી ગયા હતા. આ ઉપરાંત ભાજપે પાટીદારોનો ગઢ ગણાતા સુરત અને મહેસાણામાં પણ ઝળહળતો વિજય મેળવ્યો હતો. આ દર્શાવે છે કે હાર્દિકની ચૂંટણીઓ પર મર્યાદિત અસર રહી છે.
મોદી પછી સૌથી વધુ મોટી સંખ્યામાં લોકોને આકર્ષી શકનાર હાર્દિકે ચૂંટણી પછી તેના ગણ્યાગાંઠ્યા સમર્થકો સાથે મીડિયાને સંબોધ્યુ હતુ અને ઈવીએમને દોષ આપ્યો હતો. હાર્દિકે જણાવ્યું, 'હું છેલ્લા ત્રણ દિવસથી ચેતાવણી આપી રહ્યો છું કે ભાજપ સાથે સંકળાયેલી એક સોફટવેર કંપની ઈવીએમ સાથે છેડછાડ કરી રહી છે. સુરત, રાજકોટ, અમદાવાદમાં એવી અનેક સીટ છે જયાં ભાજપ ૫૦૦થી ૧૦૦૦ વોટના માર્જિનથી જીત્યું છે. આ ઈવીએમ સાથે છેડછાડ કરીને જ શકય બન્યું છે.'
પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટીના પ્રમુખ સી.કે પટેલે દાવો કર્યો કે 'ખેડૂતો તથા નાના ઉઘોગોને નડતી સમસ્યાને કારણે ભાજપ સૌરાષ્ટ્રમાં ધોવાઈ ગયુ છે. સુરતમાં સરકાર સામે કોઈ એવા મોટા મુદ્દા નહતા.' અગ્રણી વકીલ અને ચળવળકાર ગીરિશ પેલે જણાવ્યું કે પાટીદારોનો ગુસ્સો સૌરાષ્ટ્રમાં વોટમાં કન્વર્ટ થયો પરંતુ સુરતમાં નહિ. તેઓ કહે છે, 'સૌરાષ્ટ્રથી સુરત આવેલા પાટીદારો વધુ પૈસાદાર છે. તેઓ તેમના મૂળિયાથી અલગ થઈ ગયા છે. તેમને ખેડૂતો કે બેરોજગારોના પ્રશ્નો પ્રત્યે કોઈ સંવેદનશીલતા નથી.'

Source :- http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120069


હાર્દિક - જીજ્ઞેશ નવો પક્ષ રચશે ? અલ્પેશ દબાવશે કોંગીનું નાક

ગુજરાતમાં આંદોલન થકી ઉભા થયેલા હાર્દિક-જીજ્ઞેશ અને અલ્પેશની ત્રિપુટીની રાજકીય મહત્વકાંક્ષાઓને હવે પાંખ લાગશે એ નક્કીઃ હાર્દિક પાટીદારોનો અલગ પક્ષ બનાવે તેવી શકયતાઃ માયાવતીના પગલે મેવાણી દલિતોનો નવો પક્ષ રચશેઃ અલ્પેશ કોંગ્રેસનું પ્રદેશ પ્રમુખ પદ કે વિપક્ષી નેતા પદ માંગશે !


નવી દિલ્હી તા.૧૯ : ગુજરાતના ભાજપને સત્તાની બહાર કાઢી કોંગ્રેસને સત્તા ઉપર લાવવાના પ્રયાસો ભલે સફળ ન રહ્યા હોય પરંતુ રાજયની રાજનીતિમાં આંદોલન થકી ઉભા થયેલા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને કલ્પેશ ઠાકોરની ત્રિપુટીને રાજકીય મહત્વકાંક્ષાઓને પાંખો લાગશે એ નક્કી છે. જે પરિણામો રહ્યા છે તેને આ સ્વરૂપમાં લાવવાનો ઘણો શ્રેય આ ત્રિપુટીને છે. હકીકતે આ ચૂંટણી આ ત્રિપુટીના રાજકીય ભવિષ્ય નક્કી કરતી બની છે. આ ત્રિપુટી ઉત્સાહથી છલોછલ.
હાર્દિક બનાવી શકે છે નવો પક્ષ
હાર્દિક પટેલ હજુ રપ વર્ષનો નથી થયો જેને કારણે તે આ વર્ષે ચૂંટણી લડી શકયો નથી. તેણે પોતાના વફાદારોને ટીકીટ અપાવી હતી પરંતુ કોંગ્રેસના ઇશારે રાજનીતિ કરવા હાર્દિક પટેલ ઇચ્છુક નથી. આવતા વર્ષે હાર્દિક પટેલ રપ વર્ષનો થઇ જશે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોની મહત્વની ભુમિકાને જોતા હાર્દિક પાટીદારોને બેઝવોટ બનાવતા પોતાનો અલગ પક્ષ રચી શકે છે. બીલકુલ એજ રીતે જે રીતે યુપી અને બિહારમાં જ્ઞાતિને બેઝ બનાવી અનેક પ્રાદેશિક પક્ષો કેન્દ્ર બીંદુમાં છે. હાર્દિકના નજીકના સુત્રો જણાવે છે કે ગુજરાતમાં અત્યારે પાટીદારો પોતાને રાજનીતિમાં અલગ-થલગ હોવાનુ માની રહ્યા છે. એવામાં પાટીદારોની અલગ પાર્ટી બને તો તેની સફળતાની ઉમ્મીદ ઘણી વધી જશે.
માયાવતીના પગલે મેવાણી
જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટણી લડયા છે કોંગ્રેસે તેમને પક્ષમાં સામેલ કરવા માટે ઘણુ જોર લગાવ્યુ પરંતુ તેઓ કોંગ્રેસના ખીલે બંધાવા માંગતા નહોતા. જો કે કોંગ્રેસે તેમની સામે કોઇ ઉમેદવાર મુકયો નહોતો. જો કોંગ્રેસની સરકાર બનત તો તેઓ મંત્રી બને એ નક્કી હતુ પરંતુ હવે અપક્ષ ધારાસભ્ય બની રાજનીતિને પોતાનુ મકસદ નહી બનાવે. કહેવાય છે કે માયાવતીના રાજકીય પ્રયોગને તેઓ ગુજરાતમાં અજમાવવાનો પ્રયાસ કરી શકે છે એટલે કે દલિતોની અલગ પાર્ટી બનાવશે. માયાવતી જે દલિત અને મુસ્લિમો સમીકરણને યુપીમાં અજમાવવા જોર કરી રહ્યા છે તેવુ જ જોર મેવાણી ગુજરાતમાં કરી રહ્યા છે.
અલ્પેશ માંગે 'મોર'
ઓબીસી પોલીટીકસનો સૌથી મોટો ચહેરો બની ઉભરેલા અલ્પેશ ઠાકોરે ભલે કોંગ્રેસનું સભ્યપદ લઇ લીધુ હોય પરંતુ તેઓ માત્ર કોંગ્રેસના ધારાસભ્ય બનીને સંતોષ નહી માને. ગુજરાતમાં ઓબીસી મતદારોની મોટી સંખ્યાને જોતા અલ્પેશ કોંગ્રેસમાં પોતાના માટે મોટો મુકામ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. તેમની ઇચ્છા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવા કે પછી વિધાનસભામાં વિપક્ષી નેતા બનવાની ઇચ્છા હોય શકે છે. કોંગ્રેસ માટે પણ તેમને દબાવીને રાખવાનુ સરળ નહી રહે. કોંગ્રેસમાં સંતોષ નહી થાય તો અલ્પેશ પણ પોતાનો અલગ માર્ગ બનાવવામાં વાર નહી લગાડે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120071

કૌન બનેગા CM ? રૂપાણી - રૂપાલા - વાળા - પટેલ - સ્મૃતિ કે માંડવીયા ?

ગુજરાતમાં ભાજપના વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે એ બાબતને લઇને જબરી ચર્ચાઃ અટકળો અને અનુમાનોની આંધીઃ મોદીને એવો ચહેરો જોઇએ છે જે ર૦૧૯માં ભાજપને તોતીંગ વિજય અપાવી શકેઃ રેસમાં પહેલી પસંદ સ્મૃતિ ઇરાની હોવાની ચર્ચાઃ વિજયભાઇનું નામ પણ આગળ


નવી દિલ્હી તા.૧૯ : ભાજપે પોતાના ગઢ ગુજરાતમાં છઠ્ઠી વખત સત્તા પ્રાપ્ત કરી છે પરંતુ વિજયના માર્ગમાં કોંગ્રેસના નવા વરાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના બદલાયેલા અવતારે અનેક મુસીબતો ઉભી કરી અને કદાચ એ જ કારણે ભાજપને ૧૦૦થી ઓછી બેઠકથી સંતોષ માનવો પડયો. ચૂંટણી દરમિયાન ભાજપના વિકાસ પર અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા. વિજયના જે આંકડા મળ્યા છે તે બાદ સુત્રોનું માનીએ તો રાજયમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલી શકે છે. સુત્રોનુ માનીએ તો રાજયમાં વિજય રૂપાણીના સ્થાને કોઇ બીજા વ્યકિતને આ પદ મળી શકે છે. મળતી માહિતી અનુસાર પક્ષને એક એવો ચહેરો જોઇએ છે જે પીએમ મોદીની લોકપ્રિયતાની બરાબરી ભલે કરી ન શકે પરંતુ ગુજરાતમાં ભાજપે જે વિકાસનો ભરોસો અપાવ્યો છે તે પુરો કરી શકે એટલુ જ નહી પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરે અને સાથોસાથ ભાજપના નેતાઓને સંગઠીત કરવામાં પણ સક્ષમ બને જે આ ચૂંટણીમાં અલગ-ઠલગ જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી પદની રેસમાં રૂપાણી ઉપરાંત કપડા મંત્રી સ્મૃતિ ઇરાની, કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અને પરિવહન અને રાજમાર્ગ-શીપીંગ રાજય મંત્રી મનસુખ માંડવીયાનું નામ પણ આગળ છે.
સુત્રોનુ માનીએ તો આ દોડમાં સ્મૃતિ ઇરાનીનું નામ સૌથી આગળ છે. મજબુત નેતૃત્વમાં પારંગત અને ગુજરાતી ભાષાની જાણકાર હોવાની સાથે તેઓ પીએમની સૌથી નજીક છે. સુત્રોએ જણાવ્યુ છે કે તેઓ જ નવા મુખ્યમંત્રી બનશે. બીજાક્રમે રાજય મંત્રી મનસુખ માંડવીયાનું નામ છે. માંડવીયા પાટીદાર હોવાની સાથે-સાથે ખેડુત અને જમીન સાથે જોડાયેલા નેતાઓમાં સામેલ છે. ત્રીજાક્રમે વજુભાઇ વાળાનુ નામ આવે છે તેઓ અત્યારે કર્ણાટકના રાજયપાલ છે. સંગઠનના જાણકાર અને સૌરાષ્ટ્રમાં સારી એવી પકડ ધરાવતા વજુભાઇના નામ પણ મહોર લાગી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. તેઓ પણ ખેડુત છે અને સંગઠન ઉપર તાકાત ધરાવી શકે છે તેઓ પણ જમીન સાથે જોડાયેલા નેતા છે.
અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના પરિણામો આવ્યા તેનાથી મોદી ખુશ નથી. ર૦૧૯માં યોજાનારી ચૂંટણી માટે તેમના માટે ગુજરાત ઘણુ મહત્વનુ છે એવામાં પીએમ ગુજરાતના નેતૃત્વને લઇને કોઇપણ પ્રકારની ચુક આવવા દેવા માંગતા નથી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ બહુમતી મેળવ્યા બાદ હવે લોકોની નજર આ વાત પર છે કે રાજયના મુખ્યમંત્રી કોણ હશે. ઉત્સુકતાની વાત આ છે કે સીએમની કમાન ફરી વિજય રૂપાણી સંભાળશે કે પછી ટોચના નેતૃત્વ માટે કોઈ નવા ચહેરાનો તક મળશે. એક તરફથી આ ચૂંટણી રૂપાણી સરકારના પ્રદર્શનનો ટેસ્ટ હતો, જેમાં મુશ્કેલીઓ બાદ તે સફળ થઈ શકયા. ૧૫૦ સીટો જીતવાનો દાવો કરનારી બીજેપીના ખાતામાં માત્ર ૯૯ સીટો આવી છે જે ગત ચૂંટણીની સરખામણીમાં ઓછી છે. વર્ષ ૨૦૧૨જ્રાક્નત્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ૧૧૫ સીટો મળી હતી.  રાજનીતિક વિશ્લેષકો મુજબ સીટોની સંખ્યા ઓછી થવાના કારણે વિજયભાઇ રૂપાણી માટે મુશ્કેલી વધી શકે છે. અને તેમની જગ્યાએ સીએમ પદ માટે કોઈ નવો ચહેરો લાવવાની માંગણી જોર પકડી શકે છે તો સાથોસાથ બધુ સરખુ ઉતરે તો વિજયભાઇ ઉપર કળશ ઢોાળઇ શકે છે. અમિતભાઇએ પણ આવા જ કઇ નિર્દેશ આપ્યા છે.
આમ પણ નરેન્દ્ર મોદીના પીએમ રૂપમાં કેન્દ્રમાં ગયા બાદથી રાજયમાં બીજેપીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ગયો છે. મોદીના કેન્દ્રમાં પહોંચ્યા બાદ આનંદી બેન પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. આનંદી બેનના કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલને જોર પકડયું હતું અને આંદોલનને શરૂઆતમાં નિયંત્રિત ના કરી શકવાના કારણે સીએમની કાર્યક્ષમતા પર સવાલો ઉઠ્યા હતા. એવામાં ઉંમરમાં ૭૦ૅ પાર કરી ચૂકેલા આનંદી બેનને સમ્માનજનક વિદાઈ આપીને રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા. પાટીદાર સમાજની નારાજગી, દલિત સમાજ પર હિંસાની દ્યટનાઓ અને એન્ટી ઈન્કમબેન્સી ફેકટરે બીજેપી માટે આ વખતની ચૂંટણીમાં મુશ્કેલીઓ વધારી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહનું ગૃહ રાજય હોવાના કારણે આ ચૂંટણી પાર્ટી માટે ખૂબ જ પ્રતિષ્ઠાપૂર્ણ હતી.
જીત માટે પાર્ટીએ સમગ્ર તાકાત આપવી પડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત નક્કી કરવા માટે સભા પર સભા યોજવી પડી. આટલું જ નહીં કેન્દ્રિય કેબિનેટના કદાવર મંત્રી પર આ દરમિયાન ગુજરાતમાં પહોંચી ગયા. રાજનીતિક સૂત્રો અનુસાર, ગુજરાતની ચૂંટણી જીત્યા બાદ ડેમેજ કંટ્રોલ માટે કોઈ પાટીદારને રાજયની બાગડોળ સોંપી શકાય છે. પાટીદાર સમાજનો ફરીથી ભરોસો જીતવા માટે આવું કરવામાં આવી શકે છે. તેમાં પ્રમુખ નામ કેન્દ્રિય મંત્રી પુરુષોત્ત્।મ રૂપાલાનું છે જે પાટીદાર સમાજના હોવાની સાથે સાથે અનુભવી પણ છે.  રૂપાલા ઉપરાંત ઉપમુખ્યમંત્રી નિતિન પટેલને પણ સીએમના દાવેદારોના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. જો કે નરેન્દ્રભાઇ છેલ્લી ઘડીએ તદ્દન નવુ જ નામ મુકી આશ્ચર્ય સાથે આઘાત આપવામાં બેજોડ ગણાય છે એટલે કેઇપણ કહેવુ કસમયનું રહેશે.
દરમિયાન નવા મુખ્યમંત્રી અંગે વિચાર વિમર્શ કરવા નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપના નેતા સરોજ પાંડે ગુજરાત આવી રહ્યા છે એ સુચક છે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120066

વોટ વધ્યા - સરકાર બની પણ ભાજપની કયા કારણે ઘટી બેઠકો?

ભાજપને કોંગ્રેસ કરતા ૮ ટકા વધુ વોટ મળ્યા છતાં બેઠકો ઘટીઃ બે બેઠકો પર એક લાખથી વધુ અંતરથી જીતઃ ૩૫ બેઠકો પર ભાજપની જીતનું અંતર ૪૦ હજારથી વધુઃ છોટુ વસાવાએ પણ મોટા અંતરે જીત મેળવી


નવી દિલ્હી તા. ૧૯ : ગુજરાતમાં ભાજપ સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતને સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ આ વખતે પાર્ટીની બેઠકોની સંખ્યા ડબલ ડિજિટ સુધી જ સીમિત રહી ગઈ. જે રાજયમાં મુખ્યત્વે બે પાર્ટીઓ વચ્ચે જ મુકાબલો હોય, ત્યાં વોટશેરમાં ૨-૩ ટકાનું અંતર પણ એકતરફી પરિણામ લાવે છે. પરંતુ, ગુજરાતમાં કોંગ્રેસ કરતા લગભગ ૮ ટકા વધુ વોટ મળવા છતાં ભાજપ ૯૯ બેઠકો પર જ જીત મેળવી શકયો. તેનું સૌથી મોટું કારણ મોટા અંતરથી જીતનારા ભાજપના ઉમેદવારોની સંખ્યા છે. ભાજપના ૯૯ વિજયી ઉમેદવારોમાંથી ૩૫ તો ૪૦ હજારથી પણ વધુ અંતરથી જીત્યા છે. વિધાનસભા ચૂંટણીના હિસાબે આ અંતર ઘણું મોટું કહી શકાય. ભાજપના ૨ ઉમેદવાર તો એક લાખથી પણ વધુ અંતરથી જીત્યા છે. કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવાર ૪૦ હજારથી વધુ મતોના અંતરથી જીતી શકયા છે.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે આ વખતે સૌથી મોટા અંતરથી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે પોતાની સામેના કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત પટેલને ૧,૧૭,૭૫૦ મતોના વિશાળ અંતરથી હરાવ્યા છે. ગત વખતે પણ ભાજપ અહીં એક લાખથી વધુ અંતરથી જીત મેળવી હતી.
આ પ્રકારે સુરતની ચોર્યાસી બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર એક લાખથી વધુ સીટોના અંતરથી ચૂંટણી જીતી. અહીંથી ઝંખના પટેલે કોંગ્રેસના યોગેસ ભગવાન પટેલને ૧,૧૦,૮૧૯ મતોના અંતરથી હરાવ્યા. ગત વખતે અહીં ભાજપે ૫૦ હજારથી વધુ મતોના અંતરથી ચૂંટણી જીતી હતી.
ઘાટલોડિયા અને ચોર્યાસી સહિત કુલ ૩૫ બેઠકો પર ભાજપના ઉમેદવારોને ૪૦ હજાર મતોથી વધુના અંતરથી જીત મળી છે. આ બેઠકો છે- આકોટા, અમરાઈવાડી, અંકલેશ્વર, અસારવા, ચોર્યાસી, દસ્ક્રોઈ, દેવગઢ બારિયા, એલિસબ્રિજ, ગણદેવી, ઘાટલોડિયા, હાલોલ, જામનગર નોર્થ, કલોલ, કતાર ગામ, મજૂરા, માંગરોળ, મણિનગર, માંજલપુર, નારણપુરા, નરોડા, નવસારી, ઓલપાડ, પારડી, રાજકોટ સાઉથ, રાજકોટ વેસ્ટ, સાબરમતી, સાવલી, સયાજીગંજ, શેહરા, સુરત વેસ્ટ, ઉધના, ઉમરગામ, વડોદરા સિટી, વલસાડ અને વટવા.
કોંગ્રેસના માત્ર એક ઉમેદવાર જ ૪૦ હજારથી વધુના અંતરે જીત મેળવી શકયા. સુરત માડવીથી કોંગ્રેસના આનંદ ચૌધરીએ ભાજપના પ્રવીણ ચૌધરીને ૫૦,૭૭૬ મતોન અંતરથી હરાવ્યા.
ઝઘડિયા વિધાનસભા બેઠકથી આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપના ઉમેદવાર રાવજી વસાવાને ૪૮,૯૪૮ મતોના અંતરથી હરાવ્યા. છોટુ વસાવાએ ગત વખતે જેડીયુની ટિકિટ પરથી ચૂંટણી જીતી હતી, પરંતુ ભાજપ સાથે જેડીયુના ગઠબંધન બાદ તેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નામથી અલગ પક્ષ બનાવ્યો હતો. છોટુ વસાવાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલને રાજયસભામાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120067

ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની નારાજગી દેખાઇ, ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નથી

GST અને નોટબંધીની પરિણામ ઉપર નહિવત અસર


અમદાવાદ તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી, GST અને ખેડૂતોને નહિ મળેલા ટેકાના ભાવ મહત્વની ભુમીકા ભજવશે. તેમ સૌ માનતું હતું. ત્યારે જ GST અને નોટબંધીની પરિણામ પર જયાં સૌથી વિરીત અસર પડવાની સંભાવના હતી. તેવા શહેરી વિસ્તારોમાં આ અસર નહિવત જોવા મળી છે. કેમકે શહેરી વિસ્તારમાં સત્તાધારી પક્ષ ભાજપને સારો આવકાર મળ્યો છે. જયારે બીજી તરફ ખેડૂતોને ટેકાના ભાવ નહિ મળતા અને સરકારે કરેલી ખેડૂતોની અવગણનાની ભારે કિંમત ચુકવવી પડી છે. કેમકે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારામાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે.
નોટબંધી બાદ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા આવકારને પાર્ટીએ મોટી સફળતા ગણાવી હતી. હજુ નોટબંધીની અસરમાંથી બહાર નહિ આવેલા ગુજરાતના વેપારી GSTના અમલથી ભારે નારાજ થયા હતા. ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાં GST વિરોધી આંદોલનો પણ થયા હતા. જોકે તેની અસર પરિણામ ઉપર જોવા મળતી નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શૈલેષ પટવારીના જણાવ્યા મુજબ જો GSTની અસર થઇ હોત તો શહેરોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે શહેરી વિસ્તારોમાં ભાજપે ખુબ જ સારો દેખાવ કર્યો છે. એટલે કે ગુજરાતના પરીણાો પર GST અને નોટબંધીની અસર થઇ નથી.
બીજી તરફ ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે. જેના માટે સરકારે ખેડુતોની કરેલી અવગણના જવાબદાર છે. ખેડુતોને ટેકાના ભાવ મળ્યા નથી. ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના જણાવી રહ્યા છે. કે સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સત્ત્।ાધારી પક્ષને આવકાર મળ્યો નથી. જે ખેડુતોની નારાજગી બતાવી રહ્યો છે. ચેમ્બરના સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશકુમારે ગઢવી જણાવી રહ્યા છે કે શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસની બેઠક વધી છે. જે વેપારીઓની નારીજગી દર્શવી રહી છે.
અમરેલી, ગીર- સોમનાથ જેવા જિલ્લાઓમાં તો ભાજપ ખાતું પણ નથી ખોલાવી શકયું. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અગાઉ ખેડુતોને થયેલા નુકશાનની ભરપાઇ કરવાની સરકારે વચન આપ્યા બાદ તે વચન નહિ પાળતાં આ તકલીફ થઇ છે.

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/19-12-2017/67431

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment