સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 1 December 2017

ચૂંટણી જંગમાં ગજબનાક શાંતિનો માહોલ - બબ્બે અરજી નામંજુર થઇ છતાં હાર્દિક પટેલની સભા યોજાઇ ગઇઃ ગુનો નોંધાયો - મોદીએ ચૂંટણીનો સાચો ચિતાર મળે તે માટે ગુજરાતમાં ૮ જગ્યાએ પોતાના ''વોરરૂમ''શરૂ કર્યા - ગુજરાતમાં હિમાચલની જેમ છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા કે નહિ ? ભાજપમાં ચાલતુ ઉંડુ મંથન

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

બબ્બે અરજી નામંજુર થઇ છતાં હાર્દિક પટેલની સભા યોજાઇ ગઇઃ ગુનો નોંધાયો
કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીએ દિવાળી પછીના પાટીદાર સમાજના ભાઇઓ-બહેનોના સ્નેહમિલન માટેની સભાની અરજી માંગી હતીઃ બાદમાં હાર્દિક પટેલ સહિતના ઉદ્દબોધન કરશે તેવી અરજી કરી હતીઃ પોલીસના સ્પષ્ટ અભિપ્રાયથી આ અરજીઓ નામંજુર થઇ હતીઃ સાચો હેતુ છુપાવી પાસ આગેવાન હાર્દિક પટેલને બોલાવી ગેરકાયદે મંડળી રચી મહાક્રાંતિના બેનર હેઠળ રાજકીય કાર્યક્રમ યોજી નાંખી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરાયોનો ફરિયાદમાં ઉલ્લેખઃ માલવીયાનગર પોલીસે તપાસ શરૂ કરી
બબ્બે અરજી નામંજુર થઇ છતાં હાર્દિક  પટેલની સભા યોજાઇ ગઇઃ ગુનો નોંધાયો

   રાજકોટ તા. ૧: નાના મવા સર્કલ પાસે પરમ દિવસે સાંજે હાર્દિક પટેલનું મહાક્રાંતિ સંમેલન યોજાયું હતું. જેમાં સાડાતેર થી ચોૈદ હજાર સુધીની માનવ મેદની હાજર રહ્યાનો આઇબીનો રિપોર્ટ હતો. મંજુરી વગર સભા-સંમેલન યોજવા મામલે હાર્દિક પટેલ સહિતના સામે ગુનો દાખલ થયો છે. વોર્ડ નં. ૮-૯-૧૦માં રહેતાં પાટીદાર ભાઇઓ-બહેનોનું દિવાળી તહેવાર પછીનું સ્નેહમિલન-સભા રાખવાના નામે અને તેમાં સમાજના આગેવાનો સંબોધન કરશે તેવી અરજી ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં મહાક્રાંતિના બેનર હેઠળ મંજુરી વગર ગેરકાયદેસર રીતે મંડળી રચી સભા યોજી રાજકોટ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો નોંધાયો છે.
   રાજકોટ (પશ્ચિમ)-૬૯ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પી.આર. જાનીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતાં કોંગ્રેસ કાર્યકર તુષાર ગોવિંદભાઇ નંદાણી, હાર્દિક પટેલ તથા અન્ય આગેવાનો સામે આઇપીસી ૧૪૩, ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો છે.
   શ્રી જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૯/૧૧ના અરજદાર તુષાર નંદાણીએ સભાની મંજુરી આપવા બાબતે અમોને અરજી કરી હતી. જેમાં નાના મવા સર્કલ્ પાસે આરએમસીના પ્લોટમાં ૨૯/૧૧ના સાંજે ૫:૦૦ કલાકે અંદાજી ૫૦૦૦ વ્યકિતઓની સભાની મંજુરી માંગી હતી. આ સભાનો આશય પાટીદાર સમાજના વોર્ડ નં. ૮, ૯, ૧૦માં રહેતાં ભાઇઓ-બહેનોનું દિવાળીના તહેવાર પછીનું સ્નેહમિલન-સભા રાખી સમાજના આગેવાનો સંબોધન કરે તેવો હતો. અમોએ આ અરજી પરથી મંજુરીઆપી હતી.
   ત્યારબાદ માલવીયાનગરના પી.આઇ. શ્રી ચંદ્રાવાડીયાએ અમોને ૨૬/૧૧ના જાણ કરી હતી. કે ઉપરોકત સભાની આપે જે મંજુરી આપી છે એ જ સ્થળ ઉપર એ જ તારીખ અને સમયે પાટીદાર અનામત આંદોલન સમિતીના બેનર હેઠળ મહાક્રાંતિ સમંેલનનું આયોજન કરાયુ હોવાની માહિતી મળી છે. જે હેતુથી સભાની મંજુરી માંગવામાં આવી છે તે હેતુ છુપાવી અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું છે. આ અંગેનો વિગતવારનો રિપોર્ટ પોલીસ તરફથી અમને મળ્યો હતો. જેથી અમે સભાની મંજુરીની અરજી નામંજુર કરી હતી. જે અંગે અરજદારને લેખિતમાં જાણ પણ કરી દીધી હતી.
   પી.આર. જાનીએ ફરિયાદમાં વિશેષમાં જણાવ્યું છે કે અરજી નામંજુર કરાયા બાદ તુષાર નંદાણીએ ફરીથી ૨૬/૧૧ના રોજ હાર્દિક પટેલ સભામાં ઉદ્દબોધન કરશે અને પાટીદાર સમાજના અન્ય આગેવાનો પણ ઉદ્દબોધન કરશે તેવી સભાની મંજુરી મળવા ફરીથી અરજી કરી હતી. જે અનુસંધાને અમોએ માલવીયાનગર પોલીસ સ્ટેશનનના ઇન્ચાર્જ પાસે સભાની મંજુરી આપવા બાબતેનો અને કાયદો વ્યવસ્થા તથા આચારસંહિતાના અમલીકરણ અંગેની તમામ બાબતો લક્ષ્યમાં લઇ સ્પષ્ટ અભિપ્રાય આપવા લેખિત યાદી કરી હતી. યાદીના અનુસંધાને માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રીએ અરજદારે કરેલી અરજીને મંજુરી ન આપવા બાબતનો વિગતવાર અભિપ્રાય આપ્યો હતો. જેને ધ્યાને લઇ અમે સ્નેહમિલન-સભાની બીજી અરજી પણ નામંજુર કરી હતી.
   આમ છતાં અરજદાર તુષાર નંદાણીએ ૨૯મીએ સાંજે પાંચ વાગ્યે નાના મવા સર્કલ પાસે આરએમસીના પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના બેનર હેઠળ મહાક્રાંતિના નામથી કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. આયોજકે પાસના આગેવાન હાર્દિક પટેલ (જેને હું ફોટાથીઓળખું છે તેને) તથા અન્ય આગેવાનોને બોલાવી કાર્યક્રમ યોજ્યો હતો. આ બધાએ વકતવ્યો-ભાષણો પણ આપ્યા હતાં. અરજદારની અરજીનો હેતુ પાટીદાર સમાજના સ્નેહમિલનનો હતો. પરંતુ હકિકતમાં આ કાર્યક્રમ રાજકિય રીતે યોજ્યો હતો. મંજુરી ન હોવા છતાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરી રાજકીય કાર્યક્રમ યોજ્યો હતો.  અરજદાર સહિતે ગેરકાયદેસર મંડળી રચી  મંજુરી વગર સભા યોજી ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના જાહેરનામાનો ભંગ કર્યો છે. તેમ ફરિયાદમાં જણાવાતાં આઇપીસી ૧૪૩, ૧૮૮ મુજબ ગુનો નોંધાયો છે. પી.આઇ. એમ.ડી. ચંદ્રાવાડીયાએ તપાસ શરૂ કરી છે.

Source :-http://www.akilanews.com/01122017/main-news/1512108377-118905

મોદીએ ચૂંટણીનો સાચો ચિતાર મળે તે માટે ગુજરાતમાં ૮ જગ્યાએ પોતાના ''વોરરૂમ''શરૂ કર્યા
ભ્રામક માહિતિ ન મળે અને પોતે અંધારામાં ન રહે એ માટેઃ ગુજરાતથી રજેરજની માહિતિ મોકલાય રહી છે દિલ્હી

   નવી દિલ્હી તા.૧: ગુજરાત વિધાનસભાના ઇલેકશનમાં આ વખતે BJPને સામી છાતીએ કોંગ્રેસ અને પાટીદારો નડી રહ્યા છે એવા સમયે પોતાને કોઇ જાતની ભ્રામક ઇન્ફર્મેશન મળે નહીં અને પોતે અંધારામાં રહે નહીં એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીની એકપણ વ્યકિતનો વિશ્વાસ કરવાને બદલે RSS અને એના કાર્યકરો  પર વિશ્વાસ રાખવાનું પસંદ કર્યુ છે અને RSSના કાર્યકરોની મદદથી તેમણે ગુજરાતનાં મહત્વના આઠ શહેરોમાં કામચલાઉ ઓફિસ પણ શરૂ કરી દીધી છે. આ ઓફિસને વોર-રૂમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓફિસોથી એકધારો ડેટા નરેન્દ્ર મોદીને મોકલવામાં આવે છે અને સાથોસાથ મીડિયાના રિપોટ્ર્સની સમરી પણ અહીંથી મોદીને મોકલવામાં આવે છે.
   નરેન્દ્ર મોદી માટે ગુજરાત સૌથી મહત્વનું છે. ગુજરાતમાં તેમણે વાપરેલી સ્ટ્રેટેજીનો જ ઉપયોગ અત્યારે કેન્દ્ર સરકારમાં થઇ રહ્યો છે એવા સમયે ગુજરાત નરેન્દ્ર મોદી માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં BJPને નબળું પરિણામ મળે કે ગુજરાત BJPએ ગુમાવવું પડે તો એ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીની હાર ગણાશે અને એવું બને એ નરેન્દ્ર મોદી નથી ઇચ્છતા. આ  જ કારણે તેમણે પાર્ટીના એક પણ મેમ્બર પર ભરોસો કરવાને બદલે પોતાની રીતે પોતાની ઓફિસ બનાવીને સેનું કામ શરૂ કરી દીધું છે. એવું નથી કે ચાલી રહેલી આ ઓફિસો વિશે BJPના સિનિયર નેતાઓને જાણ નથી, પણ એમ છતાં એ ઓફિસની એક પણ પ્રકારની કામગીરીમાં દખલ કરવાની કે ત્યાં જવાની પરમિશનએ નેતાઓને નથી.
   આ ઓફિસોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની પોતાની સ્ટ્રેટેજી બને છે અને આ જ ઓફિસમાંથી મળતી ઇન્ફર્મેશનને આધાર નરેન્દ્ર મોદી પોતાની સભાની સ્પીચનું પણ પ્લાનિંગ કરે છે. આ આઠ ઓફિસ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. આ ઓફિસોએ BJP માટેની નેગેટિવ બાબતોની સૌથી પહેલાં જાણ કરવાની છે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

Source :-http://www.akilanews.com/01122017/main-news/1512109204-118914

ગુજરાતમાં હિમાચલની જેમ છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા કે નહિ ? ભાજપમાં ચાલતુ ઉંડુ મંથન
નારાજ પાટીદારોને રિઝવવા મોદી શું કરે છે ? તે તરફ સૌનુ ધ્યાન કેન્દ્રીત

   નવી દિલ્હી તા.૧ : ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ અચાનક મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. નારાજ પાટીદાર સમાજને રાજી કરવા અને કોંગ્રેસ પાસેથી એક મોટો રાજકીય મુદો છીનવી લેવા માટે પાટીદાર સમાજના કોઇ નેતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા પર પક્ષમાં ઉચ્ચકક્ષાએ મંથન થઇ રહ્યુ છે. જો સહમતી બનશે તો ખુદ પીએમ મોદી જાહેરસભામાં આ બાબતે એલાન કરી શકે છે. એવુ પણ બને કે, નીતિન પટેલ અથવા આનંદીબેન પટેલનું નામ જાહેર કરવામાં આવે. નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આનંદીબેન માટે કોઇ એક સીટ ખાલી કરાવી તેમને પણ મુખ્યમંત્રી પદ આપી શકાય તેમ છે. ભાજપ આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ પદ પણ ક્ષત્રિય કે અન્ય જ્ઞાતિને આપે તો નવાઇ નહી. ક્ષત્રિયોને રાજી કરવા આઇ.કે.જાડેજાનું નામ પણ ચર્ચામાં છે.
   વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારો સાથે ભેદભાવનો મુદો બનાવી રહ્યો છે. આ મોરચે એક તરફ હાર્દિક પટેલ છે તો બીજી તરફ રાહુલ ગાંધી રોજેરોજ ભાજપ ઉપર પાટીદારોને અન્યાયનો મુદો ઉઠાવી રહ્યા છે. બંને નેતાઓ કેશુભાઇ પટેલ અને તે પછી આનંદીબેનને અપમાનીત કરવાનો આરોપ મુકવા ઉપરાંત નીતિન પટેલની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી પટેલ સમુદાયને અપમાનિત કરવામાં આવ્યાનો આરોપ મુકી રહ્યા છે. હાર્દિક આ સિવાય પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ દમનને પણ ઉઠાવી રહ્યો છે.
   ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચહેરો રજુ કરવા પર મંથન આ સપ્તાહે શરૂ થઇ શકે છે. જો કે આ બાબતે સહમતી સાધી શકાય નથી. પક્ષને એ બાબતની પણ આશંકા છે કે જો છેલ્લી ઘડીએ પટેલ સમુદાયને સીએમ ઉમેદવાર તરીકે રજુ કરવામાં આવશે તો કયાંક એવો સંદેશ ન જાય કે પાટીદાર વાસ્તવમાં ભાજપથી નારાજ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં હાલ બે તબક્કાની વાતચીત થઇ ચુકી છે જો કે અંતિમ ફેંસલો પીએમ મોદીએ લેવાનો છે જેમણે ખુદ ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળ્યુ છે.
   અત્રે એ નોંધનીય છે કે, ર૦૦૭ અને ર૦૧રની ચૂંટણીમાં જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો તેવો ઉત્સાહ અત્યારે જોવા મળતો નથી. ત્યારે ચિંતિત ભાજપ શું નિર્ણય લ્યે છે તે જોવાનું રહ્યુ.

Source :- http://www.akilanews.com/01122017/main-news/1512103212-118896

ચૂંટણી જંગમાં ગજબનાક શાંતિનો માહોલ
આ ચૂંટણીમાં ઇમોશનલ મુદ્દાઓ ગૂમ થયાઃ મતદાન ઘટશે તો?: આ વખતે મોદીનું ટ્રમ્પ કાર્ડ જ ભાજપનો એકમાત્ર સહારો
ચૂંટણી જંગમાં ગજબનાક શાંતિનો માહોલ
      નવી દિલ્હી તા. ૧ : સમગ્ર ગુજરાતનાં ચૂંટણી સર્વેક્ષણોમાં સૌથી તલસ્પર્શી પ્રશ્ન અને મુદ્દો એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો નથી. ચૂંટણી આડે માંડ હવે નવ દિવસ બાકી છે ત્યારે વર્ષ-૨૦૦૨, વર્ષ-૨૦૦૭ કે વર્ષ-૨૦૧૨ની માફક કોઈ ઈમોશનલ મુદ્દો ગુજરાતનાં મતદારોને અપીલ કરી રહ્યો હોય તેમ જણાતું નથી. બલકે, આ વખતે સૌપ્રથમ વખત ચૂંટણી આર્થિક મુદ્દાને આધારે લડાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં વિકાસની વાતો કરે છે તો સામા પક્ષે કોંગ્રેસ વિકાસ ગાંડો થઈ ગયો હોવાની વાતો ફેલાવે છે.
      જીએસટી એટલે કોંગ્રેસના મતે ગબ્બરસિંઘ ટેકસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો રાહુલ ગાંધીનો 'ગ્રાન્ડ સ્ટુપિડ થોટ', રાહુલ ગાંધીના પ્રવચનોમાં મુખ્યત્વે ૧.ગુજરાતમાં બેરોજગારી છે, ૨. નોટબંધી અને જીએસટીને કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડી છે. ૩. ખેડૂતને ટેકાના ભાવ મળતા નથી. ૪. કિસાનોની કપાસ-મગફળીની ખરીદી બંધ થઈ ગઈ છે. ૫.આશા વર્કરોથી માંડીને વિઘાસહાયકોને પૂરતું વેતન ચૂકવાતું નથી. ૬. કિસાનોનાં દેવા માફ થતાં નથી. ૭. ગુજરાતનું દેવું વર્ષ-૧૯૯૫માં ૮ હજાર કરોડ એ આજે વધીને વર્ષ-૨૦૧૭માં ૨.૮ લાખ કરોડ થઈ ગયું છે. ટૂંકમાં, આ તમામ મુદ્દાઓ આર્થિક વિકાસને પડકારે છે. નરેન્દ્ર મોદીના વિકાસના મોડેલને બોદું દર્શાવે છે.
      મનરેગામાં ૩૫,૦૦૦ કરોડ કોંગ્રેસ આપતી હતી અને ભાજપ સરકારે ટાટા-નેનો પ્રોજેકટ માટે ૩૩,૦૦૦ કરોડ ફાળવી દીધા એ મતલબના કોંગ્રેસના આક્ષેપો પુરવાર કરે છે કે, તેઓ અર્થતંત્રને કે આર્થિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ સરકારની ૨૨ વર્ષની એન્ટિ ઈન્કમબન્સીનો લાભ ઉઠાવવા માગે છે.
      કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓ જનમેદની એકત્ર કરવામાં ઊણાં ઉતરે તેમ છે. પરિણામે, કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓને ભીડ એકત્ર કરવાનું કામ જાણે આઉટસોર્સિંગ કરી નાખ્યું છે.
      સામા પક્ષે ભાજપ સૌપ્રથમ વખત આ ચૂંટણીમાં એકશનને બદલે 'રીએકશન મોડ'માં જણાય છે. સામાન્ય રીતે ભાજપ ચૂંટણીનો એજન્ડા સેટ કરે છે. વર્ષ-૨૦૦૨માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગોધરાકાંડના ઓછાયા હેઠળ ગુજરાતનો મતદાર હિન્દુ અને મુસ્લિમમાં વહેંચાઈ ગયો હતો અને જંગી બહુમતીથી ભાજપ ચૂંટણી જીતી ગયું હતું. વર્ષ-૨૦૦૭માં કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોત કા સોદાગર તરીકે ઓળખાવવાની હિમાલય જેવડી મસમોટી ભૂલ કરી અને નરેન્દ્ર મોદી મોતને બદલે 'મતનાં સોદાગર'બની ગયા. પુનઃ ભાજપ બે-તૃતીયાંશ બહુમતીથી ચૂંટણી જીતી ગયું. વર્ષ-૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રસ્થાપિત થઈ ગયું હતું કે નરેન્દ્રભાઈ વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર છે અને ગુજરાતની જનતાએ એ સ્વીકૃતિ પર મંજુરીની મહોર મારી ભાજપને ૧૧૬ બેઠક જીતાડી દીધી. વર્ષ-૨૦૦૨ અને વર્ષ-૨૦૦૭માં હિન્દુત્વનો સૂરજ જયારે મધ્યાહ્રને તપતો હતો ત્યારે ભાજપને અનુક્રમે ૧૨૭ અને ૧૧૭ બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને વર્ષ-૨૦૦૨માં ૫૧, વર્ષ-૨૦૦૭માં ૫૯ અને વર્ષ-૨૦૧૨માં ૬૦ બેઠકો મળી હતી. કહેવાનો સાર એ છે કે, છેલ્લી ત્રણેય વિધાનસભા ચૂંટણીમાં ભાજપને દેખીતી રીતે ઈમોશનલ ઈશ્યુનો એડવાન્ટેજ હતો, જે આ ચૂંટણીમાં હજી સપાટીએ આવતો જણાતો નથી. હાર્દિક પટેલ નામનું પરિબળ ભાજપને નડશે? ગત ચૂંટણીમાં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી રચીને ભાજપ સામે જાણે પડકાર ફેંકયો હતો, પરંતુ કેશુભાઈ પટેલ વિસાદવરમાંથી અને નલીન કોટડિયા ધારી બેઠક પરથી ચૂંટાયા હતા. એ બે બેઠકોને બાદ કરતાં કેશુભાઈની પાર્ટીનો કરુણ રકાસ થયો હતો. ટૂંકમાં, કેશુભાઈ નામનું પરિબળ પટેલવાદનાં મુદ્દે ભાજપને હંફાવી શકયું નહોતું કારણ કે, કેશુભાઈ ગુજરાતમાં થર્ડ ફોર્સ તરીકે ઉપસવા માગતા હતા. કેશુભાઈની સરખામણીમાં હાર્દિક પટેલનો એકમાત્ર એજન્ડા ભાજપને હરાવવાનો છે. હાર્દિક પટેલની જાહેર સભાઓમાં સ્વયંભૂ જનસમુદાય ઉમટે છે, એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ગુજરાતમાં આ વખતે કોઈ થર્ડ ફોર્સ નજરે જણાતો નથી. હાર્દિક પટેલના સીડીકાંડથી ભાજપને કોઈ ફાયદો થયો નથી. હાર્દિકની લોકપ્રિયતા ઘટી નથી. રાહુલ ગાંધી સામેનું બિનહિન્દુ કાર્ડ ઝાઝું ટકે તેમ જણાતું નથી. ભાજપને આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખોટ વર્તાઈ રહી છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીથી માંડીને ચોટી સુધી જોર લગાવ્યું છે.
      કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ સહિત સંગઠનનાં સીનિયર પદાધિકારીઓ ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતરી ચૂકયા છે. સંઘના સ્વયંસેવકો છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં ચરૈવેતી ચરૈવેતી કરી રહ્યા છે, પરંતુ રામમંદિરનો મુદ્દો હોય કે લવજેહાદ કે પાકિસ્તાનના આતંકવાદ કે ગૌરક્ષા કે ટ્રિપલ તલાક કે કોમી રમખાણ જેવું કોઈ ઈમોશનલ ફેકટર હજુ સુધી સ્પષ્ટપણે રાજકીય ધરાતલ પર ઉપસતું જણાતું નથી. પરિણામે, ગુજરાતના મતદારોને મતદાન મથક પર જવા પ્રેરિત કરે એવું કોઈ ચાલક બળ ભાજપ કે કોંગ્રેસને મળી રહ્યું નથી. કોંગ્રેસ માને છે કે, તેઓને કદાચ એન્ટિ ઇન્કમબન્સીના નામે બગાસું ખાતા પતાસું મળી જશે. જયારે ભાજપ પોતાના સંગઠનની તાકાત પર મુસ્તાક છે, છતાં બંને પક્ષોને ઓછા મતદાનની ભીતી છે અને જો ખરેખર મતદાન ઓછું થાય તો ફાયદો કોને થશે? એનો જવાબ તો તા.૧૮મી ડિસેમ્બરે જ મળશે.

Source :- http://www.akilanews.com/01122017/main-news/1512103049-118894

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment