સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 26 July 2018

CS ફાઉન્ડેશનનું રીઝલ્ટ: અમદાવાદની 6 વિદ્યાર્થિની સહિત 7 વિદ્યાર્થી પ્રથમ 25મા - કાલથી બે દી' સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ - ગુજરાતમાં SP કક્ષાના 66 પોલીસ અધિકારીઓની બદલી - ભાજપ સરકારે પાટીદારો વિરુધ્ધના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી તેનુ શું.. : હાર્દિક પટેલ - હાર્દિક પટેલ, SPGના લાલજી પટેલ, એ.કે. પટેલને બે વર્ષની જેલ - હાર્દિકને દબાવવા સરકારી મશીનરીનો દુરુપયોગ થાય છે: અમિત ચાવડા - હાર્દિકનું સપનુ રોળાયું? શું લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા રહેશે અધૂરી! - ટ્રકની હડતાળને કારણે ગુજરાતના ઉદ્યોગોને રોજનું ૧૫,૦૦૦ કરોડનું નુકસાન - પાટીદાર પ્રેરણા સમારોહ સાથે કલબ યુવી દ્વારા 'બીઝનેશ વિંગ'નો પ્રારંભ - હું ચૂંટણી લડુ તો ભાજપને 26માંથી 18 જ બેઠક આવે તેવો ડર: હાર્દિક - શતાબ્દી બાદ થઈ રહેલું અનોખું ચંદ્રગ્રહણ એક મહિનામાં ત્રણ ગ્રહણ, ત્રણ ગ્રહ વક્રી - મંગળ ઉપર અત્યાર સુઘીનો સૌથી મોટો પાણીનો જથ્થો મળી આવ્યો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


CS ફાઉન્ડેશનનું રીઝલ્ટ: અમદાવાદની 6 વિદ્યાર્થિની સહિત 7 વિદ્યાર્થી પ્રથમ 25મા 
- ગુજરાતની વિદ્યાર્થિની દેશમાં ત્રીજા ક્રમે - CAમાં પ્રવેશ માટેની ફાઉન્ડેશન પરીક્ષાનું સમગ્ર દેશનું 60.49 ટકા રીઝલ્ટ - અમદાવાદ સેન્ટરમાંથી વિદ્યાર્થીઓ વધ્યા પરંતુ પરિણામ ઘટતા ૫૯.૫૨ ટકા અમદાવાદ, તા.25 જુલાઈ 2018, બુધવાર આઈસીએસઆઈ (ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રટરીઝ ઓફ ઈન્ડિયા) દ્વારા આજે સીએ ફાઉન્ડેશન એટલે કે સીએસ કોર્સમાં પ્રવેશ માટેના પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જે સમગ્ર દેશનું ઓવરઓલ ૬૦.૪૯ ટકા રહ્યુ છે.દેશના ટોપ ત્રણ વિદ્યાર્થીઓમાં ગુજરાતની જામનગરની વિદ્યાર્થિની ત્રીજા ક્રમે આવી છે.જ્યારે અમદાવાદની ૬ વિદ્યાર્થિની સહિત ૭ વિદ્યાર્થીઓ ટોપ ૨૫ રેન્કમાં આવ્યા છે. સીએસ(કંપની સેક્રેટરી)માં પ્રવેશ માટે સીએ ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા ગત જુનમાં સમગ્ર દેશમાં લેવાઈ હતી.આસીએસઆઈ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ....... વિદ્યાર્થીઓ પાસ થતા દેશનું એકંદર પરિણામ ૬૦.૪૯ ટકા હતુ.જે ગત જુન ૨૦૧૭માં ૬૧.૨૯ ટકા હતુ આમ ગત વર્ષની પરીક્ષાની સરખામણીએ આ વર્ષે પરિણામ થોડુ ઘટયુ છે. આઈસીએસઆઈ દ્વારા દેશના ટોપ ૨૫ રેન્ક જાહેર કરવામા આવે છે.જેમાં એક રેન્ક પર એકથી વધુ વિદ્યાર્થી પણ હોઈ શકે છે ત્યારે દેશના ટોપ ત્રણ રેન્કમાં આ વર્ષે કુલ ચાર વિદ્યાર્થી છે જેમાં પ્રથમ ક્રમે વિદ્યાર્થિની છે.ત્રીજા ક્રમે ગુજરાતની વિદ્યાર્થિની ધાન્યા વસોયા આવી છે. અમદાવાદ સેન્ટરમાંથી ગત ડિસેમ્બરની પરીક્ષાની સરખામણીએ જુનની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વધ્યા છે.આ વખતની પરીક્ષામાં ૨૫૨ વિદ્યાર્થીમાંથી ૧૫૦ પાસ થતા એકંદરે પરિણામ ૫૯.૫૨ ટકા રહ્યુ છે.જે ગત ડિસેમ્બરમાં ૬૩.૩૮ ટકા હતુ.આમ અમદાવાદ સેન્ટરનું પરિણામ પણ ઘટયુ છે.જો કે અમદાવાદ સેન્ટરમાંથી દેશના ટોપ રેન્કમાં ૭ વિદ્યાર્થીઓ છે જેમાં ૬ તો યુવતીઓ છે અને  માત્ર એક જ યુવક છે. જામનગરની મધ્યમ પરિવારની વિદ્યાર્થિનીએ ત્રીજો રેન્ક મેળવ્યો જામનગરની વિદ્યાર્થિની ધાન્યા વસોયાએ સીએ ફાઉન્ડેશનમાં દેશમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે.જામનગરમાંથી કોચિંગ મેળવીને જામનગરમાંથી જ પરીક્ષા આપનારી ધાન્યા કહે છ ેકે મારા પિતાનું સપનુ હતું કે હું સીએસ બનુ એટલે મે આ કોર્સ શરૃ કર્યો અને હું એક વર્ષથી મહેનત કરતી હતી પરંતુ પરીક્ષાના થોડા દિવસો પહેલા હું ખૂબજ મહેનત કરતી હતી.મને ટોપ ૨૫મા આવવાની આશા હતી પરંતુ ટોપ થ્રીની આશા ન હતી.મારા પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે મારી આ સિદ્ધીથી બંને ખુબ જ ખુશ થયા છે. અમદાવાદના રેન્કર્સ પ્રતિજ્ઞાા શ્રોફ ૮ અનિન્દિતા સહા ૧૦ રાહુલ શાહદદપુરી ૧૦ પ્રેક્ષા પંચાલ ૧૯ કિંજલ શાહ ૨૨ મિત્તલ પંચાલ ૨૪ વિધિ વેકરિયા ૨૪ Keywords CS,Foundation,Result:,7,students,including,6,students,of,Ahmedabad,top,25,

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/cs-foundation-result-7-students-including-6-students-of-ahmedabad-top-25

કાલથી બે દી' સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ
 - ગુરૃપૂર્ણિમાને ગ્રહણ નડશે, ૬૫ વર્ષ બાદ સંપૂર્ણ બ્લડમૂન દેખાશે - મંગળ, બુધ, શનિનું વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ - મકર રાશિમાં થનારૃ ગ્રહણ ભારતમાં દેખાશે ભાવનગર, તા.25 જુલાઈ 2018, બુધવાર આગામી ૨૭મી જુલાઇ અષાઢ સુદ પૂનમને શુક્રવારે ગુરૃપૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ગુરૃપૂર્ણિમાને ગ્રહણ નડશે. ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ વર્ષના ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. આ સદીના સૌૈથી લાંબા ચંદ્રગ્રહણ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુ અને ભારતીય સ્ટેટ બેન્કના ચીફ મેનેજર કિરીટભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું છે કે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૃ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે. આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે. વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે. ગ્રહણ બાદ કૂદરત સર્જિત કે માનવ સર્જિત આફત આવી શકે મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ઉતર અષાઢા નક્ષત્રમાં શરૃ થઇને શ્રવણ નક્ષત્રમાં પુરૃ થશે. ગ્રહણનું સુતક લાગશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી ૯ કલાક પહેલા એટલે કે, શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે બંધ થશે જે ગ્રહણ બાદ શનિવારે સવારે ૪ વાગ્યા પછી ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના ૧ મહિના સુધી દેખાય છે. ચંદ્ર, જળતત્વનો કારક હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદ, જળબંબાકાર, પૂર, સમુદ્ર તોફાની બને, વાવાઝોડુ, ભૂસ્ખલન, ભૂકંપ, સુનામી, આગ, હવાઇ દુર્ઘટના, રાજકારણમાં ઉથલપાથલ, અર્થતંત્ર ઔદ્યોગિક જગતમાં નવાજુનીના એંધાણ દર્શાવે છે. જે જાતકની કુંડલીમાં ચંદ્ર, વૃષિક રાશિનો ચંદ્ર-રાહુ, ચંદ્ર-શનિ, ચંદ્ર-કેતુનો યોગ હોય તે લોકો માટે આ ગ્રહણ શારિરીક, માનસિક, આર્થિક મુશ્કેલીઓ આપશે. આ ગ્રહણ મિથુન, તુલા, મકર, કુંભ રાશિ માટે ખરાબ ફળ આપશે તો વૃષભ, કર્ક, કન્યા, ધનુ રાશિ માટે મિશ્રફળ આપશે. બાકીની રાશિને યુતિફળ આપશે. મોળાકત વ્રત કરનારી બાળાઓ જાગરણ બાદ બીજા દિવસે પારણા કરે ચંદ્ર ગ્રહણ ગુરૃપૂર્ણિમાને દિવસે થવાનું હોવાથી તેની અશુભ અસરો એક સપ્તાહ પહેલા શરૃ થાય છે. ચંદ્ર એ માતાનો, મનનો કારક હોવાથી આ વર્ષે ગુરૃપૂર્ણિમાને દિવસે માનું પૂજન સેવા કરવાથી ગ્રહણના દોષોમાંથી મુક્તિ મળશે. ગ્રહણના દિવસે કુંવારી કન્યાઓનું મોળાકત વ્રતનું જાગરણ હોવાથી તે જાગરણ ૧૨ વાગ્યે સમાપ્ત થયા બાદ પારણા બીજે દિવસે કરે તે જરુરી છે. ગ્રહણ દરમિયાન વાતાવરણ દુષિત થવાથી અન્ન, પાણી લેવા પર નિષેધ મૂકેલ છે. ગ્રહણ સમયે શિવપૂજા, શિવજાપ કરવાથી ગ્રહણના દોષોમાંથી મૂક્તિ મળે છે. ચંદ્ર અને રાહુ શિવભક્ત હોવાથી તેમજ ગ્રહણ પૂર્ણ થયા બાદ ગુજરાત મહારાષ્ટ્ર સિવાય સમગ્ર મધ્ય, ઉત્તર પૂર્વ ભારતમાં શ્રાવણ માસ શરૃ થાય છે. ગ્રહણના અંત બાદ સ્નાન કરવાથી દુષિત વાતાવરણથી શુધ્ધ થવાય છે. ગ્રહણ સમય દરમિયાન જળ, દુધ વગેરેમાં તુલસી, દાભ મુકવાથી તે અશુધ્ધ થતા નથી. આ ગ્રહણને ગામડામાં ગોદડીયા ગ્રહણ પણ કહે છે. આ ગુરૃપૂર્ણિમાએ માનું પૂજન કરવાથી અનેક દોષોમાંથી મૂક્તિ મળશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/the-biggest-lunar-eclipse-of-the-two-thousand-centuries

ગુજરાતમાં SP કક્ષાના 66 પોલીસ અધિકારીઓની બદલી
 - પન્ના મોમાયા મહિલા ક્રાઇમમાંથી ઝોન-2 DCP તરીકે મુકાયા - અમદાવાદમાંથી છ DCP સહિત કુલ 10 અધિકારીઓ બદલાયા અમદાવાદ, તા.25 જુલાઈ 2018, બુધવાર ગુજરાતમાંથી થોડા સમય પહેલા રેન્જ આઇજી સહિત અધિકારીઓની બદલી બાદ આજે વધુ ૬૬ આઇપીએસ સહિતના અધિકારીઓની સામુહિક બદલીઓ ગૃહ વિભાગે કરી છે. જેમાં અમદાવાદના છ ડીસીપી સહિત ૧૦ અધિકારીઓની વિવિધ શહેરમાં બદલીઓ કરવામાં આવી છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહિલા ક્રાઇમમાં ફરજ બજાવતા પન્ના મોમાયાને અમદાવાદ ઝોન-૨ તરીકે મૂકવામાં આવ્યા છે. ક્રમ    નામ    હાલની જગ્યા    બદલીની જગ્યા ૧.    પ્રેમવીર સિંહ    એસપી, દાહોેેદ    એડીસી, ગાંધીનગર રાજભવન ૨.    આર.એફ.સંગાડા    ડીસીપી ઝોન-૨,અમદાવાદ    ડીસીપી ઝોન-૩, અમદાવાદ ૩.    ડો. એમ.કે.નાયક    એસપી, સુરત ગ્રામ્ય    એસપી, સેન્ટ્રલ જેલ અમદાવાદ ૪.    સૌરભ તોલંબીયા    એસપી,વડોદરા ગ્રામ્ય    ડીસીપી, ઝોન-૬, અમદાવાદ ૫.    નિરજ કુમાર બડગુજર    એસપી,બનાસકાંઠા    ડીસીપી, ઝોન-૪, અમદાવાદ ૬.    વિરેન્દ્રસિંહ યાદવ    એસપી, ગાંધીનગર     એસપી, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર ૭.    જયપાલ સિંઘ રાડોર    એસપી, મોરબી    ડીસીપી ઝોન-૧, અમદાવાદ ૮.    સંજય ખરાત    એએસપી,કેશોદ-જૂનાગઢ    ડીસીપી, ટ્રાફિક, અમદાવાદ ૯.    અક્ષયરાજ મકવાણા    એએસપી, એસસી, એસટી સેલ, મોરબી    ડીસીપી, ટ્રાફિક અમદાવાદ ૧૦.    સુજાતા મઝમુદાર    એસપી, સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગર    એસપી, સ્ટાફ ઓફિસર, ડીજીપી ઓફિસ ૧૧.    મયુર ચાવડા    એસપી, ઇન્ટે. ગાંધીનગર    એસપી, ગાંધીનગર ૧૨.    બી.આર.પટેલ    એસપી, કચ્છ, ગાંધીધામ    એસપી વેસ્ટર્ન રેલવે,અમદાવાદ ૧૩.    તેજસ કુમાર પટેલ    એડીએસપી, દાહોદ    ડીસીપી, ટ્રાફિક (એડમીન) અમદાવાદ ૧૪.    એન્ડુઝ મેકવાન    એડી. ડીસીપી, અમદાવાદ    એસપી, ગાંધીનગર (એસસીઆરબી) ૧૫.    હિમાંશુ સોલંકી    એડી.એસપી,આઇબી, ગાંધીનગર    એસપી, આઇ.બી, ગાંધીનગર ૧૬.    વિજય પટેલ    એડી, એસપી, ગાંધીનગર    ડીસીપી, કન્ટ્રોલ, અમદાવાદ ૧૭.    ભગીરથસિંહ જાડેજા    એડી,એસપી, મહુવા-ભાનગર    એસપી, સ્ટેટ ટ્રાફિક, ગાંધીનગર ૧૮.    રાજેશ ગઢિયા    એડી, ડીસીપી, અમદાવાદ    એસપી, સીઆઇડી ગાંધીનગર ૧૯.    પન્ના મોમાયા    એડી, ડીસીપી, મહિલા, અમદાવાદ    ડીસીપી,ઝોન-૨, અમદાવાદ ૨૦.    રાજવીરસિંહ જાડેજા    એડી, એસપી,આઇ.બી,ગાંધીનગર    એસપી, આઇબી,ગાંધીનગર ૨૧.    હર્ષદ પટેલ    એડી, એસપી, હાઇકોર્ટ, અમદાવાદ    ડીસીપી, એસપીજી, અમદાવાદ ૨૨.    મુકેશ પટેલ    એડી,એસપી,વ્યારા    એસપી ઇન્ટે, અમદાવાદ     ૨૩.    ચિંતન તરૈયા    એડી, ડીસીપી,અમદાવાદ    એસપી વાયરલેસ ગાંધીનગર ૨૪.    ભગીરથ ગઢવી     ડીસીપી, સુરત    એસપી, સીઆઇડી, ગાંધીનગર ૨૫.    રાજદિપસિંહ ઝાલા    એડી, ડીસીપી,અમદાવાદ     ડીસીપી, સાઇબર સેલ, અમદાવાદ ૨૬.    હરેશ દુધાત    એડી એસપી, વિસનગર    એસપી, ઇકોનોમીક સેલ, ગાંધીનગર ૨૭.    કિશોર બલોલીયા    એડીએસપી, હાલોલ    એસપી, કોસ્ટલ સિક્યુ. ગાંધીનગર ૨૮.    દિવ્ય મિશ્રા    ડીસીપી, ઝોન-૧,અમદાવાદ    એસપી,ખેડા ૨૯.    મનીન્દર પ્રતાપસિંઘ પવાર    એસપી,ખેડા    એસપી, સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાત ૧.    નિલેષ જાજડીયા    એસપી,જૂનાગઢ    એસપી,પાટણ ૨.    પ્રદીપ સેજુલ    એસપી, જામનગર    એસપી, બનાસકાંઠા ૩.    શોભા ભુતડા    એસપી, પોરબંદર    એસપી, મહેસાણા ૪.    ચૈતન્ય રવિન્દ્ર મલિક    એસપી, મહેસાણા    એસપી, સાબરકાંઠા ૫.    મયુર પાટીલ    એએસપી, લુણાવાડા, મહિસાગર    એસપી, અરવલ્લી

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/changes-of-sp-66-police-officers-in-gujarat

ભાજપ સરકારે પાટીદારો વિરુધ્ધના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી તેનુ શું.. : હાર્દિક પટેલ
 - પાટીદાર યુવાનોને સજાને,બળાત્કારીઓને મજા - 26મી ઓગષ્ટે શરુ થનારાં ઉપવાસ આંદોલનથી ભાજપ સરકાર ડરી છે,ભાનુશાળી પ્રકરણ ભૂલાવવાનો પ્રયાસ છે - પાટીદારોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરાઇ,મહિલાઓને ગાળો ભાંડી લાઠીચાર્જ કરાયો તે અંગે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે અમદાવાદ, તા.25 જુલાઈ 2018, બુધવાર અનામત આંદોલન વખતે ધારાસભ્યની ઓફિસની તોડફોડ કરવાના કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ,લાલજી પટેલને વિસનગર કોર્ટે બે-બે વર્ષની જેલની સજા ફરમાવી હતી. હાર્દિક પટેલે એવો મુદ્દો ઉઠાવ્યો છેકે, વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકાર અને નેતાઓએ મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતીકે,પાટીદારો વિરુધ્ધ કરાયેલા કેસો પાછા ખેંચાયા છે તો પછી આ સજા કેમ....તેણે ભાજપ સરકાર પર નિશાન સાધતા એવો આરોપ મૂક્યોકે,ગુજરાતમાં પાટીદાર યુવાનોને સજા કરાય છે જયારે બળાત્કારીઓને મજા છે. નલિયાકાંડ-ભાનુશાળી પ્રકરણ પરથી લોકોનું ધ્યાન હટાવવાનુ આ કૃત્ય હોઇ શકે છે તેવી આશંકા વ્યકત કરી હાર્દિકે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, પાટીદારોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરાઇ,પાટીદાર મા-બહેનોને ગાળો ભાંડીને લાઠીઓ વરસાવાઇ તે જવાબદારોને કયારે સજા અપાશે. વિસનગર કોર્ટના જજમેન્ટ બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી કે, અનામત માંગીએ છીએ,ભીખ નહીં. ૨૯મીથી તાલુકા તાલુકા મથકોએ મિટીંગ કરીશુ. ૨૬મી ઓગષ્ટે શરુ થનારા ઉપવાસ આંદોલનથી ભાજપ સરકાર ડરી છે એટલે આવી રમત રમી રહી છે પણ હું નવ મહિના જેલ જઇ આવ્યો છુ પરિણામે જેલનો ડર નથી.પાટીદાર સમાજ માટે બધુય સહન કરવા તૈયાર છું. બે વર્ષની સજા મારા માટે કોઇ મોટી વાત નથી. આ ઉપવાસ આંદોલન ઐતિહાસિક બની રહેશે. અમદાવાદમાં ઉપવાસ આંદોલનની મંજૂરી માંગી છે.મંજૂરી નહી મળે તો પણ, આંદોલન થઇને રહેશે.હુ ચૂંટણી લડવા આ બધુ કરતો નથી. યુવાનોને રોજગાર મળે અને અનામતનો લાભ મળે તે માટેની આ મારી લડાઇ છે. હરેન પંડયાની રાજકીય કારર્કિદી પૂરી કરનારાં લોકો સામે હુ ચોક્કસપણે લડીશ. કોર્ટના નિર્ણયથી લોકોને એ વાતનો જવાબ મળી ગયો હશે કે,હું ભાજપનો માણસ નથી તેવો ઉલ્લેખ કરતાં તેણે જણાવ્યું કે,કોર્ટના નિર્ણયનો હું આદર કરુ છું.હુ હાઇકોર્ટ,સુપ્રિમમાં મારી વાત રજૂ કરીશ.આ કેસમાં ૧૭ જણાં પૈકી માત્ર બે જણાંને કેમ સજા થઇ.અનેક નેતાઓ સામે કેસ ચાલી રહ્યાં છે પણ આ કેસ જલદી ચાલ્યો તેના માટે સરકારનો આભાર માનુ છું. પાટીદાર માતા બહેનો પર ગાળો-લાઠીઓ વરસાવનારા પર કોઇ એક્શન નહીં ને પાટીદાર સમાજ માટે લડનારાં ૨૫ વર્ષિય યુવાનો પર રાયોટિંગના ગુનામાં ૨ વર્ષની સજા. તેણે ભાજપ સરકાર પર એવા આકરા પ્રહાકો કર્યાં કે,કાશ્મીરમા સેના પર પથ્થર મારનારાંના કેસો પાછા ખેંચાયા તો શું.ભાજપ માટે પાટીદાર યુવાઓએ પથ્થરબાજ કરતાં ય વધુ ગુનેગાર છે.આમ, હાર્દિક પટેલે આગામી દિવસોમાં ફરી એકવાર અનામત આંદોલન પાર્ટ-૨ ધમધમતુ કરવા ચિમકી ઉચ્ચારી હતી. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી નહી શકે લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ બે વર્ષ કે તેથી વધુ સજા પામેલાં આરોપી ચૂંટણી લડી શકે નહીં. આ કારણોસર હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે કેમકે, વિસનગર કોર્ટે બે વર્ષની જેલની સજા ફરમાવી છે. આ જોતાં વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવી હાર્દિક પટેલ માટે મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છેકે,છેલ્લા કેટલાંય વખતથી એવી ચર્ચા ચાલી રહી છેકે, હાર્દિક પટેલને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી મેદાને ઉતારી શકે છે.હાર્દિક પટેલને વિસનગર કોર્ટનો નિર્ણય લોકસભાની ચૂંટણી લડવામાં કાયદાકીય અવરોધ સર્જી શકે છે. જોકે,હાર્દિકે એવો આરોપ પણ મૂક્યો છેકે,મારા પર કેસ કરીને લોકસભાની ચૂંટણી લડતા અટાકાવવા આ બધુય કરવામાં આવી રહ્યુ છે. જૂનાગઢમાં ૧૪ પાટીદારોએ ભાજપ સરકારના વિરોધમાં મુંડન કરાવ્યું અનામતની માંગ સાથે નીકળેલી પાટીદાર શહિદયાત્રા ૩૨મા દિવસે જૂનાગઢ પહોંચી છે. ૧૪ પાટીદાર યુવાઓએ જૂનાગઢના દામોદાર કુંડમાં મુંડન કરાવી ભાજપ સરકારનો અનોખા રીતે વિરોધ નોંધાવ્યોહતો. પાટીદાર નેતા દિલિપ સાબવાએ એવો આક્ષેપ કર્યોકે,સાડા ત્રણ વર્ષથી અનામતની લડાઇ લડી રહ્યાં છીએ પણ હજુ સરકારના પેટનુ પાણી હાલતુ નથી. ૧૪ પાટીદાર શહીદ પરિવારોને ન્યાય મળ્યો નથી. હજુય ભાજપ સરકાર નિર્દોષ પાટીદારોને જેલમાં પુરવા કારસા રચી રહી છે. દામોદર કુંડમાં ૧૪ શહીદ પાટીદારોની પ્રતિમાને અભિષેક પણ કરાયો હતો. કુંડમાં સ્નાન કર્યુ હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/what-is-the-bjp-government-announced-to-withdraw-cases-against-the-patidars-hardik-patel

હાર્દિક પટેલ, SPGના લાલજી પટેલ, એ.કે. પટેલને બે વર્ષની જેલ
 - પાટીદાર અનામત આંદોલન : વિસનગર MLAના કાર્યાલયમાં તોડફોડના કેસમાં - ૧૩નો છૂટકારો : દોઢ લાખના દંડમાંથી નુકસાન સહન કરનારાઓને વળતર ચૂકવવા આદેશ વિસનગર,તા.25 જુલાઈ 2018, બુધવાર વિસનગરમાં ત્રણ વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલનની રેલી દરમિયાન મામલતદારને આવેદનપત્ર આપી એક ટોળુ ધારાસભ્ય કાર્યાલય તરફ વળ્યું હતું. જે ટોળાએ ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ કરી, આગચંપી કરતા આ બનાવના ગુનામાં પાસ નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૧૭ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે કેસમાં વિસનગરના એડીશનલ સેશન્સ જજ વી.પી.અગ્રવાલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સજા ફટકારતા કોર્ટ કમ્પાઉન્ડમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે આ કેસના બાકીના ૧૩ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. અમદાવાદ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં તા.૨૫-૮-૧૫ની પાટીદાર અનામત આંદોલનની મહારેલીની પૂર્વ તૈયારી રૃપે વિસનગરમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની આગેવાનીમાં તા.૨૩-૭-૧૮ના રોજ રેલીનુ આયોજન થયું હતું. જેમાં વિસનગર પંથકમાં ૨૫ થી ૩૦ હજારની સંખ્યામાં પાટીદારો ઉમટયા હતા. વિસનગર હરિહર સેવા મંડળથી રેલી નીકળી હતી. જે ગૌરવપથ ઉપરથી પસાર થઈ મામલતદાર ઓફીસ પહોંચી હતી. જ્યાં મામલતદારને આવેદન આપ્યું હતું. આવેદન આપ્યા બાદ એક ટોળુ વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલના સોના કોમ્પ્લેક્ષમાં આવેલા કાર્યાલય તરફ વધ્યું હતું. ટોળા પૈકીના કેટલાકે ધારાસભ્યના પી.એ. તથા તાલુકા ભાજપ પ્રમુખને આવેદન આપ્યું હતું. એવામાં ટોળા પૈકીના  કેટલાક તોફાની તત્વોએ ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ શરૃ કરી હતી. ધારાસભ્ય કાર્યાલયમાં ફર્નિચર, એ.સી. વિગેરેને ભારે નુકશાન કર્યા બાદ કાર્યાલય આગળ પાર્ક કરેલી ગાડીને આગ ચાંપી હતી. આ દરમિયાન કવરેજ કરતા ત્રણ પત્રકારોને ટાર્ગેટ બનાવી તેમના કેમેરા તોડી નાખ્યા હતા. મોબાઈલ પડાવી લીધો હતો અને પત્રકારોને માર માર્યો હતો. વિસનગરના પાટીદાર અનામત આંદોલનની રેલી દરમિયાનના આ તોફાનથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની આગ ભડકી હતી. ધારાસભ્ય કાર્યાલય ઉપર હુમલાના બનાવમાં પોલીસે પત્રકારની ફરિયાદ આધારે પાસના નેતા હાર્દિક ભરતભાઈ પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી ડાહ્યાભાઈ પટેલ, પાટીદાર અનામત સમિતિના પ્રમુખ અંબાલાલ કાળીદાસ પટેલ સહિત કુલ ૧૭ સામે ઈપીકો કલમ ૩૯૫, ૪૩૫, ૩૩૭, ૪૨૭ મુજબ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ વિસનગર ચોથા એડીશનલ સેશન્સ જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ અશોક એસ.મકવાણાની દલીલો આધારે સેશન્સ જે પાસ નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ અને એ.કે.પટેલને બે વર્ષની સાદી કેદની સજા અને દરેકને રૃ.૫૦ હજાર દંડનો હુકમ કર્યો હતો. દંડની રકમમાંથી પત્રકાર સુરેશ વણોલને રૃ.૧૦,૦૦૦, ધારાસભ્ય ઋષિકેશ પટેલને રૃ.૪૦,૦૦૦ તથા જેમની ગાડીને આગ લગાડી હતી તે બાબુજી ઠાકોરને રૃ.૧,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. જ્યારે આ કેસના ૧૪ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. સજાના હુકમ બાદ આરોપીઓના વકીલે જામીન અરજી મુકતા કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/hardik-patel-spg-s-lalji-patel-a-k-patel-gets-two-years-in-jail

હાર્દિકને દબાવવા સરકારી મશીનરીનો દુરુપયોગ થાય છે: અમિત ચાવડા

વિસનગર કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું

 ગાંધીનગર: હાર્દિક પટેલ મુદ્દે વિસનગર કોર્ટે આપેલાં ચુકાદાને હવે ભાજપ અને કોંગ્રેસમાં સામસામે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમાજહિત માટે લડતા હાર્દિક જેવા આંદોલનકારીઓનો અવાજ ભાજપ સરકાર દબાવી રહી છે. હાર્દિકને દબાવવા ભાજપે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. જો કે, ઉપલી અદાલતમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ન્યાય અને અધિકાર માટે લડતા યુવાનો પર અત્યાચાર થાય છે. સાથે જ કોર્ટના ચુકાદાને પણ આને કારણે ગંભીર અસર પહોંચે છે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, હિંસાત્મક ઘટનાની ફરિયાદ અંગેના કોર્ટના નિર્ણયને રાજકીય રીતે મૂલવવાં ન જોઈએ. માત્ર રાજકીય બદઈરાદાથી સમાજને ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં હિંસા અને અશાંતિ ન ફેલાવવી જોઈએ. ઉલ્લેખનીય છેકે, પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ સહિત 3 આરોપીઓને 2 વર્ષની સજા ફટકારી છે. જથી ભાજપ-કોંગ્રેસમાં સામ-સામે આક્ષેપો થઈ રહ્યાં છે.

રાફેલ સોદામાં 41,205 કરોડનો ભ્રષ્ટાચાર: ચાવડા
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકારના રાજમાં રાફેલ સોદા માં 41,205 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર આ ભ્રષ્ટાચાર મુદ્દે દેશની જનતાને જવાબ આપે તેવી કોંગ્રેસમાં કરે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-statement-against-hardik-patel-by-congress-chairman-amit-chvada-gujarati-news-5924580-NOR.html?ref=ht


હાર્દિકનું સપનુ રોળાયું? શું લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા રહેશે અધૂરી! 
હાર્દિકે લોકસભાની ચૂંટણી માટે અમરેલીની બેઠક પણ પસંદ કરી હતી નવી દિલ્હી તા. ૨૬ કનિદૈ લાકિઅ : હાર્દિક પટેલ અને તેની મંડળી પર ફરી એક વાર રાજકીય વ્રજઘાત થયો છે. મહેસાણાનાં વિસનગરનાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ મામલે આજે વિસનગર કનિદૈ લાકિઅ કોર્ટે અકિલા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને ૨-૨ વર્ષની સજા અને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે ત્રણેય આરોપીને ૧૫-૧૫ હજારનાં કનિદૈ લાકિઅ બોન્ડ પર જામીન પણ મળી ગયાં છે. જો કે આ ચુકાદાને કારણે હાર્દિકની રાજકીય અકીલા કારકિર્દી પર સૌથી મોટો ફટકો પડયો છે. કેમકે, મળતી માહિતી કનિદૈ લાકિઅ મુજબ હાર્દિક પટેલને ૨૦૧૯દ્ગક લોકસભા ચૂંટણી લડવાની મોટી ઈચ્છા હતી અને આ માટે તૈયારીનાં ભાગરૂપે હાર્દિકે લોકસભાની ચૂંટણી માટે અમરેલીની કનિદૈ લાકિઅ બેઠક પણ પસંદ કરી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસ અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાનો હતો. તો સામે પક્ષે દુશ્મનનો દુશ્મન તે આપણો મિત્ર કનિદૈ લાકિઅ એ ન્યાયે કોંગ્રેસની પણ ઈચ્છા હતી કે હાર્દિક લોકસભાની ચૂંટણી લડે. આ મામલે હાલ કોંગ્રેસ હાઈકમાન્ડ વિચારણા પણ કરી રહ્યું હતું. પરંતુ હવે હાર્દિકને કનિદૈ લાકિઅ સજા થતાં હાર્દિક સાથે સાથે કોંગ્રેસને પણ ઝટકો લાગ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ પાંચેય બેઠક કોંગ્રેસનાં ફાળે કનિદૈ લાકિઅ આવી હતી અને આ પાંચેય બેઠકો પાટીદારોનો પરંપરાગત ગઢ રહી છે. પરંતુ હવે જયારે વિસનગર કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે હાર્દિકની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. કેમ કે, એક તરફ જુલાઈ માસમાં હાર્દિક જયાં ૨૫ની ઉંમરની રાજકીય લાયકાત પ્રાપ્ત કરી રહ્યો હતો ત્યાં જ તેની વધતી ઉંમર સાથે ઉછરતી રાજકીય ઈચ્છાનું ખૂન કરી નાખવામાં આવ્યું છે. જો કે મહત્વનું છે કે હવે તેને ૨ વર્ષની સજા થવાની કારણે તે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ ચૂંટણી લડી શકશે નહીં. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, કોઈ પણ વ્યકિતને ગમે તે ગુનામાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય તો તે ચૂંટણી લડી શકે નહીં. માત્ર એટલું જ નહીં, નીચલી કોર્ટનાં ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવ્યો હોય અને સજા પામેલી વ્યકિત જામીન પર બહાર હોય તો પણ તે ચૂંટણી લડી શકે નહીં. પરંતુ જો નીચલી કોર્ટે આપેલી સજાને હાઈકોર્ટ રદ કરે અથવા સજા પર મનાઈ હુકમ મુકી દે તો જ હાર્દિક માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઈ શકશે. જો હાઈકોર્ટ મનાઈ હુકમ કે સજા રદ ન કરે તો તે ચૂંટણી લડી શકશે નહીં. વિસનગર કેસ ઉપરાંત હાર્દિક સામે રાજદ્રોહની પણ ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે. હાર્દિકની સામે અત્યાર સુધીમાં કુલ છ જેટલી ફરિયાદો નોંધાઇ છે. ત્યારે જોવાનું એ રહે છે કે, આ તમામ કેસનાં કોઠા વિંધીને તે પોતાનો રાજકીય રથ આગળ ધપાવવામાં સફળ રહે છે કે કેમ કે પછી મહારથીઓનાં ચક્રવ્યૂહમાં ફસાઈને રાજકીય શહીદી વહોરી લેશે.(૨૧.૬) (11:12 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-07-2018/139693


પાટીદાર પ્રેરણા સમારોહ સાથે કલબ યુવી દ્વારા 'બીઝનેશ વિંગ'નો પ્રારંભ 
BAPS મંદિર સભાગૃહમાં સંતો-મહંતો અને વેપારીઓની ઉપસ્થિતીમાં નવા પ્રકલ્પનું લોન્ચીંગઃ કનિદૈ લાકિઅ મૌલેશભાઇ ઉકાણીની દ્વારકા મંદિર સમિતિમાં નિયુકિત થતા અભિવાદન રાજકોટ તા. ર૩ : સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદાર પરીવારોમાં સંગઠનનો ચામ લાવનાર  કલબ કનિદૈ લાકિઅ યુવી નવરાત્રી અકિલા મહોત્સવ, સાંસ્કૃતિક મહોત્સવ, વિમેન્સ વિંગ બાદ રાજકોટના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર ખાતે પુજય અપૂર્વમુનિ સ્વામીની કનિદૈ લાકિઅ ઉપસ્થિતીમાં બિઝનેશવિંગનું લોંચીગ થયું છે આ સમારોહમાં પ૦૦૦ થી વધુ વેપારી અકીલા પરીવાર ઉપસ્થિત રહ્યા હતા. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮ કનિદૈ લાકિઅ મો જન્મ જયંતિ મહોત્સવ રાજકોટ ખાતે દિવ્યતાપુર્વક ઉજવાશે. જે અંતર્ગત રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર તથા કલબ યુવીના સંયુકત ઉપક્રમે શનિવારે કનિદૈ લાકિઅ પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે 'સિક્રેટ ઓફ સકસેસ' વિષય પર રાજકોટના પાટીદાર ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પ્રતિષ્ઠીતો, મહિલાઓ, યુવાનો માટે 'પાટીદાર કનિદૈ લાકિઅ પ્રેરણા સમારોહ'નું આયોજન કરવામાં આવ્યુ઼ હતું. પાટીદાર પ્રેરણા સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના  ગાન સાથે કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓ અને રાજકોટ મંદિરના કોઠારી પુ. બ્રહ્મતીર્થ સ્વામી, સંત નિર્દેશક પુજય અપૂર્વમુનિ સ્વામી કનિદૈ લાકિઅ તથા સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ તથા ઉદ્યોગપતિઓના ના હસ્તે પ૧ દિપ પ્રાગટયથી થયો હતો. રાજકોટના સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સભાગૃહમાં પાટીદાર પરિવારને પ૦૦૦ થી વધુ વેપારી પરિવારને પુજય અપૂર્વમુની સ્વામીએ 'સિક્રેટ ઓફ સકસેસ' વિષય પર પ્રેરક વ્યતકવ્ય આપ્યું હતું.તેમણે જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ડીટેરર્મિનેશન, ડેડીકેશન, ડીસીપ્લીન, ડેલીગેશનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વ્યતવ્યોની સાથે વિષયને અનુરૂપ ટુંકા વિડીયો દ્વારા જણાવ્યું હતું કે જીવનના દરેક તબકકે એટલે કેનિષ્ફળતા વખતે, સફળતા વખતે, પ્રતીકુળતા વખતે, સગવડતા વખતે, માન-અપમાન વખતે અને પ્રશંસા વખતે સકારાત્મક અભિગમ કઇ રીતે રાખી જીવનમાં આગળ વધી પ્રગતિ કરી શકીએ એ વિશે માર્ગદર્શન આપ્યું હતું. અપૂર્વમુની સ્વામીએ જણાવેલ કે ડીર્ટેમીનેશન પર્સનાલીટી બનાવો બીજા વિકલ્પના શોધો, ગમે તેવી પ્રસિધ્ધી હશે પણ જો ડીસીપ્લીન ચુકયા તો ગમે ત્યારે ગબડી પડાશે, આંતકવાદી હુમલા કરતા પણ વધારે લોકો દારૂ, ગુટકા અને તમાકુના વ્યસનોને કારણે મૃત્યુ પામ્યા છે, બીજાની લીટી ભુસવા કરતા પોતાની લીટી લાંબી કરવી, પરિસ્થિતિ એની એજ રહેવાની પરંતુ તેમના પ્રત્યેનો અભિગમ તમને સુખી કે દુઃખી કરી શકે, સફળતા માત્ર એકલા દોડવામાંં નથી પણ બધાને સાથે રાખીને દોડવામાં છે. સ્વામીનારાયણ મંદિર ખાતે બિઝનેશ સ્વામીનારમાં અપૂર્વ મુની દ્વારા રાજકોટની આન બાન અને શાન સમા ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીની જગવિખ્યાત દ્વારકા મંદિરની મુખ્ય સમીતીના સભ્ય તરીકે થયેલી નિમણુંક તથા કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહનો પ્રારંભ કલબ યુવીના એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વૈશ્વિક બિઝનેસની હરણફાળ ભરતા પાટીદારો માટે કલબ યુવની બિઝનેશવિંગ કડી રૂપ બનશે. તેમણે  પાટીદાર સમાજને બિઝનેશની રાહ ચિંધનાર ફિલ્ડ માર્શલ ગ્રુપના છગનભાઇ પટેલ, પોપટભાઇ પટેલ, અંજતા ગ્રુપના ઓ.આર.પટેલ, તથા ગેલેકસી ગ્રુપના વાલજીભાઇ પટેલના વ્યવસાયીક ક્ષેત્રના પુરૂષાર્થને યાદ કર્યા હતા. આ સમારોહમાં આભાર દર્શન કરતા મૌલેશભાઇ ઉકાણીએ પાટીદાર સમાજના પારીવારીક પ્રેમ અને વ્યવાસયીક ક્ષેત્રે પરીશ્રમ અને પુરૂષાર્થ થકી જ સફળતાના આકાશને આબંવાની પ્રેરણા પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ, ઉપપ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મંત્રી જયેશભાઇ પટેલ, ટ્રસ્ટીઓ ચિમનભાઇ શાપરીયા, બાબુભાઇ ઘોડાસરા, રમણીકભાઇ ભાલોડીયા, જયંતીભાઇ કાલરીયા, ભુપતભાઇ ભાયાણી, વલ્લભભાઇ વડાલીયા, વલ્લભભાઇ ભલાણી રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટની પાટીદારોની સંસ્થાઓ પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતી મંડળ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ શાપર, ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલય, ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ, ઉમિયા ક્રેડીટ સોસાયટી, ધુલેશીયા કન્યા છાત્રાલય, ઉમિયા પદયાત્રીક પરિવાર, ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમીયા કડવા પટેલ સેવા સમાજ, કચ્છ કડવા પટેલ સમાજના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુ, ડાયરેકટરો ભુપતભાઇ પાચાણી, શૈલેષભાઇ માકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઇ મોરી, મનુભાઇ ટીલવા તથા કાંતીભાઇ ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની કોર કમીટી તથા ૧૦૮ ની ટીમે જહેમત ઉઠાવી હતી. રાજકોટમાં કલબ યુવી દ્વારા યોજાયેલા પાટીદાર પ્રેરણા સમારોહમાં ઉદ્યોગપતિઓ મનસુખભાઇ પાણ, રમણભાઇ વરમોર, શિવલાલભાઇ આદ્રોજા, જમનભાઇ ભલાણી, ધીરૂભાઇ ડઢાણીયા, મુળજીભાઇ ભીમાણી, વસંતભાઇ ભાલોડીયા, કીરીટભાઇ આદ્રોજા, શૈલેષભાઇ વૈશ્નાણી, અશ્વિનભાઇ રબારા, રાજનભાઇ વડાલીયા, જગદીશભાઇ કોટડીયા, બીપીનભાઇ હદવાણી, નટુભાઇ ફળદુ, કાંતીભાઇ જાવીયા, જે.ડી.કાલરીયા, ચંદુભાઇ સંતોકી, નાથાભાઇ કાલરીયા, ચિંતનભાઇ સીતાપરા, કાંતીભાઇ માકડીયા, નિલેશભાઇ ધુલેશીયા, સંજયભાઇ કોરડીયા, યોગેશભાઇ ગરાળા, કેતનભાઇ ધુલેશીયા, પુનીતભાઇ ચોવટીયા, ભરતભાઇ ડઢાણીયા, રાજુભાઇ કોરડીયા, તથા રાજકીય મહાનુભાવમાં લલીતભાઇ કગથરા, બાવનજીભાઇ મેતલીયા, પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, મનસુખભાઇ કાલરીયા, મનસુખભાઇ ઘોડાસરા, વિજયભાઇ ભટ્ટાસાણા, અરવિંદભાઇ પાણ, ઘનશ્યામભાઇ મારડીયા, પ્રમોદભાઇ માકડીયા, ગૌતમભાઇ ધમસાણીયા, સહીતના અનેક ઉદ્યોગપતિઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ કલબ યુવીના મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલ (મો.૯૮રપ૧ ૧૦૧ર૧ ની યાદીમાં જણાવાયું છ.ે(૬.૨૫) (3:44 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/23-07-2018/99662


હું ચૂંટણી લડુ તો ભાજપને 26માંથી 18 જ બેઠક આવે તેવો ડર: હાર્દિક

- ભાજપ સરકારે આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી ત્યારે આ સજાનું એલાન કયા ગુનામાં?
-- 25 ઓગસ્ટના ઉપવાસ અને ચૂંટણી લડતો અટકાવવા ભાજપે સજા અપાવી
- ભાજપ ઉપવાસની મંજૂરી નહીં આપે તો પણ હવે યોજાશે
નવગુજરાત સમય ગાંધીનગર 
વિસનગરના કેસમાં બે વર્ષની સજા થયા બાદ પાસના કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે ફરી એલાન-એ-જંગ કરતા કહ્યું છે કે, મને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડતો અટકાવવા માટે અને અમદાવાદમાં ૨૫ ઓગસ્ટથી શરૂ થનારા આમરણાંત ઉપવાસ ન કરૂ તેથી આ કેસમાં ભાજપ સરકારે સજા અપાવી છે અને કેસ ઝડપથી ચલાવાયો છે.  પરંતુ જો સજા આપીને અમને જેલનો ડર બતાવવામાં આવતો હોય તો અમે ઘરે બેસી જઇએ તે અમારા સ્વભાવમાં નથી અને પાટીદારોને અનામત માટે આમરણાંત ઉપવાસ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે બધા આંદોલનકારીઓ સામે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેવી જાહેરાત કરી હતી ત્યારે આ સજાનું એલાન કયા ગુનામાં છે તેવો સવાલ પણ હાર્દિકે કર્યો હતો. 
સજા થયા બાદ હાર્દિકે સોશિયલ મીડિયામાં અને મીડિયા સાથે ભાજપ પર અનેક પ્રહાર કર્યા હતા. સજા કરાઇ છે તેની સામે હાઇકોર્ટ કે જરૂર પડ્યે સુપ્રીમમાં અપીલ કરવામાં આવશે. મને તોફાન કરતા નજરે જોનારા કોઇ સાક્ષી નથી.  રેલી યોજાઇ અને તોફાન થયું તેનો સમય ચાર્જશીટમાં અલગ છે. આ બનાવના ૩ વર્ષમાં જ ૧૭માંથી મારા સહિત ૩ને જ સજા થાય તે શું દર્શાવે છે તે સ્પષ્ટ છે. હાર્દિકે કહ્યું હતું કે, ઉપવાસ આંદોલન માટે મળી રહેલા અભૂતપૂર્વ સહકારથી સરકાર ડરી ગઈ છે એટલે જેલમાં પૂરી દેવાની રમત રમી રહી છે. ભાજપને એવો ડર છે કે જો હું ચૂંટણી લડીશ તો ભાજપને લોકસભાની બધી ૨૬ બેઠક નહીં મળે અને ૨૬માંથી ૧૮ જ આવશે. સજા સામે સ્ટે મળશે ત્યારની વાત પરંતુ હવે તો ચૂંટણી લડી શકાય તેમ નથી. હાર્દિક અમરેલીથી ચૂંટણી લડશે તેવા સવાલ અંગે જવાબ આપતા કહ્યું હતું કે, જો મોકો મળશે તો પોતે લોકસભાની ચૂંટણી લડશે. 
અમદાવાદમાં ઉપવાસમાં લોકો સમર્થન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું હતું કે, સરકાર ઉપવાસને મંજૂરી નહીં આપે તો પણ ઉપવાસ કરાશે. સૌથી મોટા ઉપવાસ માટે ૨૯મીથી દરેક તાલુકામાં લોકસમર્થન માટે સંપર્ક શરૂ કરવામાં આવશે. મારા અવાજને ભાજપની સત્તા દબાવી નહીં શકે અને મને જેટલો દબાવવામાં આવશે તેટલો મોટો પડકાર ઉભો કરીશ તેવી ચેતવણી પણ આપી હતી. જો સરકાર અંગ્રેજ બનશે તો મને ભગતસિંહ બનવામાં વાંધો નથી.

Source :-https://www.navgujaratsamay.com/hardik-says-bjp-tries-to-stop-me-for-contesting-election-and-25th-august-s-fast/81765.html


શતાબ્દી બાદ થઈ રહેલું અનોખું ચંદ્રગ્રહણ એક મહિનામાં ત્રણ ગ્રહણ, ત્રણ ગ્રહ વક્રી

ગુરુપૂર્ણિમા, તા.૨૭મી જુલાઈના રોજ જ થઈ રહેલું ચંદ્રગ્રહણ અતિ વિશિષ્ટ બન્યું છે ત્યારે આ દિવસે તંત્ર-મંત્ર-યંત્રની ઉપાસના થતી હોય છે. આ ગ્રહણની અસર મન ઉપર વધુ પડશે ત્યારે તણાવ મુક્તિ(Stress-Free) રહેવા માટે ચંદ્ર-યંત્રની સ્થાપના કોઈપણ શ્રદ્ધાળુ કરી શકે છે. 
આ અંગે વિગતો આપતાં જ્યોતિષાચાર્ય રાજુભાઈ રઘુનાથભાઇ દવેએ જણાવ્યું કે શતાબ્દી બાદ આ પ્રકારનું અનોખું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જેમાં અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમાએ ચંદ્રગ્રહણ છે અને એક મહિનાની અંદર કુલ ત્રણ અંતર્ગત બીજું ગ્રહણ છે. એટલે કે તા.૧૩મી જુલાઈએ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થયું, (જે દેખાયું નહોતું) તા.૨૭મીએ ચંદ્રગ્રહણ થશે (જે દેખાશે) અને તા.૧૧મી ઓગસ્ટે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે.(જે દેખાવાનું નથી). સાથોસાથ ત્રણ ગ્રહો શનિ, મંગળ અને બુધ પણ વક્રી જોવા મળી રહ્યાં છે. સાથે જ જ્યોતિષશાસ્ત્ર મુજબ જ ચંદ્ર-કેતુ અને સૂર્ય-રાહુના ‘ગ્રહણ યોગ’ પણ થઈ રહ્યા છે. એટલે કે ગુરુપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ, ગ્રહણ યોગ, ત્રણ ગ્રહો વક્રી તેમાં મકર રાશિના જાતકોની જ નહીં, અનેક રાશિનાં જાતકોને તેની અશુભ અસરના ભાગરૂપે મન ઉપર સીધી અસર થશે. જેને કારણે મનોબળ નબળું પડે, માનસિક પીડા કે તણાવની સ્થિતિ અનુભવાય છે. આ સ્થિતિના નિવારણ માટે આ દિવસે ચંદ્ર-યંત્રની સ્થાપના કરવાથી માનસિક એકાગ્રતા અને મનની શાંતિ પણ અનુભવાશે. સાથોસાથ ધનવૃદ્ધિ પણ થશે. 
તેમણે જણાવ્યું કે, તા.૨૭મીએ ચંદ્રગ્રહણ પૂર્વે સ્નાનાદિથી પવિત્ર થઈને પવિત્ર અથવા પૂજા સ્થાને બેસવું. શક્ય હોય તો દર્ભના આસન ઉપર બેસવું. ગ્રહણ સ્પર્શતી મોક્ષ દરમિયાન ચંદ્ર-યંત્રની મંત્ર સહિત સ્થાપના કરવી ઉત્તમ બની રહેશે. શક્ય હોય તો સ્ફટિકની માળા સાથે ‘ઓમ્ શ્રાં શ્રીં શ્રૌં સ: સોમાય નમ:’ મંત્રની ત્રણ માળા કરવી. ત્યારબાદ ભોજપત્ર ઉપર દાડમની ડાળીથી લાલ સ્યાહીથી ભોજપત્ર ઉપર ચોરસ બનાવી નવ ખાના બનાવવા અથવા ભોજપત્ર ન મળે તો સફેદ કાગળ ઉપર લાલ પેનથી પણ આ યંત્રનું નિર્માણ કરી શકાશે. ત્યારબાદ અહીં આપેલા ચંદ્ર-યંત્ર મુજબ પ્રથમ ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ અને ૧૦ – એમ ક્રમાનુસાર લખવું. ત્યારબાદ પુન: ઉપરોક્ત મંત્રની ત્રણ માળા કરવી. બીજા દિવસે આ યંત્રને મઢાવીને પૂજા સ્થાને અથવા વેપાર સ્થાનમાં પણ જ્યાં ધૂપ-દીપ કે પૂજા સ્થાન હોય ત્યાં રાખી શકાય છે. જેનાથી ધનવૃદ્ધિની સાથોસાથ મનની શાંતિ પણ અનુભવાશે.
ચંદ્રગ્રહણનો વેધ બપોરે 2.54 લાગશે
જ્યોતિષાચાર્ય રાજુભાઈએ જણાવ્યું કે, સૂર્યગ્રહણનો વેધ ૧૨ કલાક પૂર્વે લાગે છે. જ્યારે ચંદ્રગ્રહણનો વેધ નવ કલાક પૂર્વે લાગે છે. એટલે કે તા.૨૭મીએ થનારા આ ગ્રહણનો વેધ બપોરે ૨.૫૪ મિનિટે લાગી જશે. ગ્રહણનો વેધ લાગતા ગ્રહણ મોક્ષ સુધી રોગી, બાળક, વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રીઓ સિવાયના લોકોએ અન્નગ્રહણ કરવું જોઈએ નહીં. અનેક મંદિરો પણ બંધ રહેશે.
- ગ્રહણ સ્પર્શ રાત્રે 11.54.10 સેકન્ડ
- ગ્રહણ મધ્ય રાત્રે 1.51.44 સેકન્ડ
- ગ્રહણ મોક્ષ રાત્રે 3.49.19 સેકન્ડ
ચંદ્રગ્રહણનું બારેય રાશિના વ્યક્તિઓને શુભાશુભ ફળ
જ્યોતિષાચાર્ય રાજુભાઈ રઘુનાથભાઈ દવેએ જણાવ્યું કે, બારેય રાશિનાં વ્યક્તિઓ માટેનું શુભાશુભ ફળ આ મુજબ છે : 
મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ થતી જોવા મળે છતાં વ્યવસાય ક્ષેત્રે વિઘ્ન આવે.
વૃષભ (બ,વ,ઉ) : માનસિક શાંતિ ન મળે, કષ્ટ-પીડાથી સંભાળવું.
મિથુન (ક,છ,ઘ) : અપયશ ન મળે તેનાથી સંભાળવું. ઈષ્ટદેવ પૂજા કરવી.
કર્ક (ડ,હ) : ભાગીદારો-સ્રીવર્ગને કષ્ટ, વિયોગની શક્યતા.
સિંહ (મ,ટ) : સુખ-સમૃદ્ધિમાં વધારો થઈ શકે, શત્રુ પર વિજય મળે.
કન્યા (પ,ઠ,ણ) : સંતાન સંબંધી ચિંતા રહે, વિદ્યાકીય પ્રગતિમાં વિલંબ.
તુલા (ર,ત) : આરોગ્યની ખાસ કાળજી રાખવી, માતાને કષ્ટ થઈ શકે.
વૃશ્ચિક (ન,ય) : કાર્યક્ષેત્રે સફળતા મળે, ધનનો લાભ થઈ શકે છે.
ધન (ભ,ધ,ફ,ઢ) : આવક કરતાં ખર્ચ ન વધે તે જોવું, વિવાદથી દૂર રહેવું.
મકર (ખ,જ) : ધન-માન હાનિથી સંભાળવું, ઈષ્ટદેવની ઉપાસના વધારવી.
કુંભ (ભ,ધ,ફ,ઢ) : આરોગ્યની ખાસ કાળજી રાખવી, કાર્ય વિલંબ થઈ શકે.
મીન (દ,ચ,ઝ,થ) : ધનનો લાભ થઈ શકે છે અને કાર્યક્ષેત્રે સફળતા મળે.
ચંદ્રગ્રહણના સાત દિવસમાં સ્વાભાવિક વૃષ્ટિ થાય તો?
જ્યોતિષાચાર્ય રાજુભાઈ દવેએ જણાવ્યું કે, એક એવો પણ મત છે કે, અષાઢ માસમાં ચંદ્રગ્રહણને કારણે જળાશયો કે નદી કિનારે રહેનારા લોકોએ વિશેષ સંભાળવું પડે, કાશ્મીરથી લઇ ચીન સુધીના પ્રદેશમાં જાનહાનિની શક્યતા પણ જોવા મળી શકે છે. ગ્રહણ મોક્ષના સાત દિવસ બાદ ધૂળની આંધી ચઢે તો રોગોપદ્રવ, ધરતીકંપ અથવા નૃપને માટે અશુભ બની રહે છે. ઉલ્કાપાત થાય તો અમાત્યોનો વિનાશ થાય છે. જો સૂર્ય અથવા ચંદ્રની આજુબાજુ ધુમ્મસનું વર્તુળ રચાય તો રોગચાળો ફાટી નીકળે, અગ્નિભયની શક્યતા. ચંદ્રગ્રહણના સાત દિવસમાં જ સ્વાભાવિક રીતે નિર્મળ જળની વૃષ્ટિ થાય તો ધન-ધાન્યની વૃદ્ધિ થાય, સુકાળ પ્રવર્તે અને ગ્રહણથી ઉદ્‌ભવેલા બધા જ અશુભો નષ્ટ થાય છે..

Source :-https://www.navgujaratsamay.com/eclipse-of-the-moon/81780.html


મંગળ ઉપર અત્યાર સુઘીનો સૌથી મોટો પાણીનો જથ્થો મળી આવ્યો

 એજન્સી, વોશિંગટન
મંગળ ગ્રહ ઉપર એક વિશાળ ભુગર્ભ તળાવ મળી આવ્યું છે. ત્યાં વધુ પાણી અને જીવન હોવાની સંભાવના પણ ઉત્પન્ન થઈ રહી છે અમેરિકન જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે માર્સિયન આઇસ બ્લોકની નીચે આવેલું પાણીનું તળાવ 20 કિલોમીટર પહોળો છે.

આ પહેલા પણ નાસાનાં રોવરે મંગળ ગ્રહ ઉપર પાણી હોવાની સંભાવના દર્શાવી હતી. મંગળનાં પાતળા વાતાવરણને કારણે ગ્રહની આબોહવામાં ઠંડક પ્રસરી જાય છે જેને કારણે પાણી બરફનાં સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. વૈજ્ઞાનિકોમાં મંગળ ઉપર પાણી મળતા ઉત્તેજનમાં વધારો થયો છે કારણ કે તેઓ ઘણા લાંબા સમયથી આ ગ્રહ ઉપર પાણીની શોધ કરી રહ્યા હતા. હકીકતમાં આ શોધ યુરોપિયન સ્પેસ એજન્સીના માર્સ એક્સપ્રેસ ઓર્બિટરનાં માર્સીસ નામનાં સાધન દ્રારા શક્ય બન્યું છે.માર્સીસ હજી સુધી નથી શોધી શક્યું કે પાણીના થરમાં કેટલી જાડાઈ છે. પરંતુ સંશોધકોનાં મતે તે લગભગ એક મીટર હોઈ શકે છે.

પરંતુ મંગળ પર મળી આવેલુ આ પાણી પીવા લાયક છે કે નહી તે ચોક્કસ પણે જાણી શકાયું નથી કારણ કે વૈજ્ઞાનીકોના મતે પાણી  ભુગર્ભમાં હોવાને કારણે તેમાં બેકટરિયા હોવની સંભાવના છે.સંશોધકોના મતે તળાવ ઘણું ઠંડુ છે તેનુ કારણ મંગળની સપાટી પર આવેલા સોલ્ટ અને મિનરલ્સ હોઈ શકે છે .મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ક્ષારોને કારણે નીચા તાપમાનથી પણ પાણી પ્રવાહી સ્વરૂપે રહી શકે છે.ઑસ્ટ્રેલિયા સ્વિનબર્ન યુનિવર્સિટીના પ્રોફેસર એલન ડફીએ જણાવ્યું હતું કે, આ એક અદ્ભુત શોધ છે, આ શોધને કારણે મંગળ ઉપર જીવનન હોવાની શક્યતાઓમાં વધારો થયો છે.

Source :-https://www.navgujaratsamay.com/evidence-detected-of-lake-beneath-the-surface-of-mars/81802.html


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment