સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 5 July 2018

MSP વધારવાના નિર્ણયથી ફુટશે મોંઘવારીનો બોંબ - બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની અવદશા મુખ્ય સમસ્યા : મોદીની બુલેટ ટ્રેન એક જાદુઇ ટ્રેન છે, જે ક્યારેય હકીકત બનશે નહિ : રાહુલ ગાંઘી - ૭ રાજ્યોની ૨૫૨ બેઠકો ઉપર વિપક્ષી ગઠબંધન? - રાષ્ટ્રવાદ અને હિન્દુત્વઃ ૨૦૧૯ માટે ભાજપનો એજન્ડા - ટેક્ષ રીકવરીમાં આયકર આકરાપાણીએઃ ૨૦૧૭-૧૮માં ૧ લાખ કરોડની વસુલાત - GSTને એક વર્ષ પૂર્ણ થવાં પર જેટલીએ આપ્યા GST દરોમાં રાહતના સંકેત - અમદાવાદમાં લઠ્ઠાકાંડ: ચાર યુવકોએ દેશી દારૂ પીધા બાદ દ્રષ્ટિ ગુમાવી: બે ગંભીર - અમદાવાદનાં પથિક પંચાલે 400 નકલી ડિગ્રી-માર્કશીટ વેંચી નાખી - ભાસ્કરનું સ્ટિંગ ઓપરેશન: રૂ.1500માં ગમે તેને કાઢી આપે મા અમૃતમ કાર્ડ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


MSP વધારવાના નિર્ણયથી ફુટશે મોંઘવારીનો બોંબ
 નિષ્ણાતોએ વ્યકત કરી આશંકાઃ મધ્યમ વર્ગનું રસોડાનું બજેટ વેરવિખેર થવાની શકયતાઃ સરકારના નિર્ણયથી નિકાસને આંચકો કનિદૈ લાકિઅ લાગશેઃ દાળ-ચોખા- અનાજ વગેરેના ભાવ વધવાના એંધાણઃ સરકારની થશે અગ્નિપરીક્ષા નવી દિલ્હી તા. ૫ :. કેન્દ્ર સરકારે ખરીફ પાકો માટે લઘુતમ ટેકાના કનિદૈ લાકિઅ ભાવ એટલે કે અકિલા એમએસપીમાં દોઢ ગણો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આના લીધે દાળ, ચોખા, મકાઇ જેવી ખાદ્ય વસ્તુઓના ભાવ વધશે. કનિદૈ લાકિઅ જેના લીધે મધ્યમ વર્ગનું રસોડાનું બજેટ બગડશે. સરકારના આ નિર્ણયથી આ વસ્તુઓની અકીલા નિકાસ પર પણ અસર થશે. હેવ ખાદ્ય વસ્તુઓના ભાવ પર નિયંત્રણ કનિદૈ લાકિઅ રાખવું અને નિકાઇ વધારવી એ સરકાર માટે એક પડકાર બનશે. સરકારનું કહેવું છે કે, એમ નહીં થાય અને મોંઘવારીમાં વધારો નહીં થવા દેવાય આ માટેની કનિદૈ લાકિઅ બધી વ્યવસ્થા થઇ ગઇ છે. ફુડ પ્રોસેસીંગ પ્રધાન હરસિમરન કોૈરનું સપ્લાય વધવાથી ભાવો વ્યાજબી રહેશે. નાણા મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે, ચૂંટણીનું કનિદૈ લાકિઅ વર્ષ હોવાથી સરકાર ખાદ્ય વસ્તુમાં ભાવ વધારો સહન નહીં કરે. સરકારે એમએસપી વધારતા પહેલા બધી ગણત્રી કરી લીધી છે. કિંમતો કેટલી વધશે તે કનિદૈ લાકિઅ સમય બતાવશે. એગ્રો અને કોમોડીટી એકસપર્ટ બી. ચંદ્રશેખરનું કહેવુ છે કે એમએસપી વધવાથી ભાવવધારો થશે. દાખલા તરીકે ધાન્ય પર સરકારે કિવન્ટલે ૨૦૦ કનિદૈ લાકિઅ રૂપિયા વધાર્યા છે. તેના પર ગ્રાહકને ૧૫ ટકા માર્કેટ યાર્ડનું શુલ્ક લાગશે. આ ઉપરાંત પ્રોસેસીંગ પર લાગતો ખર્ચ ઉમેરીએ તો ચોખામાં ભાવ વધારો થવાનું નક્કી જ છે. તેનાથી મોંઘવારીમાં વધારો થશે જ, જથ્થાબંધ અને છુટકમાં કેટલો ભાવ વધારો થશે તેતો સમય જ બતાવશે. નિકાસને ઝટકો નિકાસ સંગઠનના માજી પ્રમુખ રામુ એસ.દેવડાના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારનું ચોખ્ખુ ગણિત છે કે જો કોઇ વસ્તુની ઘરેલુ કિંમત વધે તો તેની નિકાસ કિંમત પણ વધે. જોવાનું હવે એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બીજા દેશો તે વસ્તુ કયા ભાવે વેચે છે. જો આપણો ભાવ વધારે હશે તો તેના વેચાણમાં મુશ્કેલીઓ આવશે. ગૃહમંત્રી રાજનાથસિંહને એમએસપીના વધારાથી મોંઘવારી પર અસર અંગે પુછયું તો તેમનો જવાબ હતો કે એવું નહી થાય. સરકાર મોંઘવારીના મોર્ચે પહેલેથી જ સાવચેત છે અને એમએસપી વધારવાથી મોંઘવારી ન વધે તેના પર ચાંપતી નજર રખાઇ રહી છે. તેમણે કહયું કે એનડીએ સરકાર પોતાના ચારવર્ષના કાર્યકાળમાં મોઘવારીને કાબુમાં રાખવાનું સુનિશ્ચિત કરી રહી છે. યુ.પી.એ. સરકારમાં મોંઘવારીનો દર આર્થિક વિકાસ દરથી બમણો હતો જયારે આ સરકારના કાર્યકાળમાં આર્થિક વિકાસ દર મોંઘવારીના દરથી લગભગ બમણો છે. બીજીબાજુ દેશની કેટલીક મોટી આર્થિક એજન્સીઓનું માનવું છે કે એમએસપીમાં વધારો કરવાથી મોંઘવારી બહુ નહીં વધે પણ તેના લીધે મોટા પાયે ખેડુતોને લાભ થશે એવું પણ નહીં થાય. અનાજની સરકારી ખરીદી કુલ ઉપજના માંડ ૩૦ ટકા છે. જો બધા ખેડુતોને ગણત્રીમાં લઇએ તો એમએસપીમાં ભાવ વધારાનો લાભ ૧૫ થી ૨૦ ટકા ખેડુતો મેળવી શકશે. આર્થિક સલાહકાર એજન્સી એલોરા કેપ્ટીલના રીપોર્ટ પ્રમાણે એમઅસપીમાં વધારાથી મોંઘવારીમાં ૦.૫૭ ટકા મોંઘવારી વધી શકે તેમ છે. જયારે યસ બેંકના અર્થશાસ્ત્રી શુભદ્રા રાવનું કહેવું છે કે એમએસપી વધવાથી ૦.૩૫ ટકા મોંઘવારી વધી શકે તેમ છે. આની અસર આવતા બે વર્ષ સુધી રહેશે. આવતાવર્ષે પણ મોંઘવારી દરમાં ૦.૩૫ ટકા વધારાની શકયતા છે.(૨.૩) (11:33 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137777

બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની અવદશા મુખ્ય સમસ્યા : મોદીની બુલેટ ટ્રેન એક જાદુઇ ટ્રેન છે, જે ક્યારેય હકીકત બનશે નહિ : રાહુલ ગાંઘી 
મોદીએ ધનાઢ્ય લોકોને કનિદૈ લાકિઅ પૈસા આપ્યા છે જ્યારે નાના વેપારીને આ સરકારે અવગણ્યા અમેઠી :કોંગ્રેસના રાષ્ટ્રીય  પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાના મતવિસ્તાર અમેઠીમાં વડાપ્રધાન કનિદૈ લાકિઅ નરેન્દ્રભાઈ  અકિલા મોદીની મહાત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ફરીથી સવાલ ઉઠાવતા કહ્યુ કે, આ બુલેટ ટ્રેન એક જાદુઇ ટ્રેન છે જે ક્યારેય કનિદૈ લાકિઅ હકિકત બનશે નહીં” અમેઠીના બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય અકીલા જનતા પાર્ટી અને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ પર આકરા પ્રહારો કનિદૈ લાકિઅ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત દેશ સામે મુખ્ય ત્રણ સમસ્યાઓ મોઢું ફાડીને ઉભી છે. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની અવદશા. જો રોજગારી વધશે કનિદૈ લાકિઅ તો મોંઘવારી પણ ઘટશે. ભારત દેશને આપણે વિશ્વસ્તરે આગળ જોવા માંગીએ છીએ”.   રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ કે, મોદી કનિદૈ લાકિઅ સરકાર ખેડૂતોનું હિત જોતી નથી અને માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. મોદી અને સંઘ પરિવાર આજે શું કરી રહ્યા છે ? મોદીએ આ દેશના ધનાઢ્ય લોકોને કનિદૈ લાકિઅ પૈસા આપ્યા છે જ્યારે નાના વેપારીને આ સરકારે અવગણ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, બુલેટ ટ્રેન કોંગ્રેસના રાજમાં પુરી થશે.”    અત્રે ઉલ્લેખનીય કનિદૈ લાકિઅ છે કે ત્રણ દિવસ પહેલા મેટ્રોમેન તરીકે જાણીતા ઇ શ્રીધરને પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, બુલેટ ટ્રેન એ ભદ્વવર્ગ માટે છે. ખરેખર તો, લાખો લોકો જે ટ્રેનોમાં પ્રવાસ કરે છે તેને સુધારવાની જરૂર છે.   બીજીતરફ અમદાવાદ-મુંબઇ વચ્ચેના સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો હજ્જારો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે, અમારે બુલેટ ટ્રેન નથી જોઇતી. અને અમારી જમીન આ ટ્રેન પ્રોજેક્ટ માટે આપીશુ નહીં (6:50 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137720

૭ રાજ્યોની ૨૫૨ બેઠકો ઉપર વિપક્ષી ગઠબંધન? 
વિપક્ષોએ એકસંપ બની મોદીને ટક્કર આપવા રણનીતિ ઘડીઃ બેઠકોની વ્હેચણી અંગેની ફોર્મ્યુલા ઘડવા તૈયારી : ૨૦૧૪માં આ રાજ્યોમાં કનિદૈ લાકિઅ વિપક્ષે મેળવી'તી ૧૫૦ બેઠકોઃ યુપી - બિહાર - મહારાષ્ટ્ર - કર્ણાટક - ઝારખંડ - તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પૂર્વે ગઠબંધનની તૈયારી કનિદૈ લાકિઅ નવી અકિલા દિલ્હી તા. ૫ : આગામી લોકસભા ચૂંટણી માટે વિરોધી પાર્ટીઓ ભાજપની સામે એક થઈને ગઠબંધન પર કામ શરૂ કરી દીધું છે. આ પાર્ટીઓનું કનિદૈ લાકિઅ લક્ષ્ય દરેક રાજય પ્રમાણે ગઠબંધ કરીને પોતાની રાજકીય શકિતને વધારવા અને આ રાજયોમાં અકીલા ભાજપની બેઠકોને ઘટાડવાનું કામ કરવાનું છે. આ મામલે કનિદૈ લાકિઅ નાતઓએ અત્યાર સુધીમાં ૭ રાજયોમાં આ પ્રકારના ગઠબંધન પર કામ કરાઈ રહ્યું હોવાની સંભાવના બની છે, જયાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ ૨૦૧૪ પછી ઝડપથી કનિદૈ લાકિઅ સફળતા મેળવી છે. જે જિલ્લાઓમાં વિરોધી પાર્ટીઓ ભાજપની સામે ચૂંટણી-પૂર્વે ગઠબંધનની તૈયારી કરી છે, તેમાં- ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટકા, કનિદૈ લાકિઅ મહારાષ્ટ્ર, ઝારખંડ, તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ૭ રાજયોમાં મળીને કુલ ૨૫૨ લોકસભા બેઠકો છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપે કનિદૈ લાકિઅ તેમાંથી લગભગ ૧૫૦ બેઠકો પર જીત મળેવી હતી, જયારે એક ડઝન જેટલી બેઠકો પર ભાજપના સાથી પક્ષોએ જીત મેળવી હતી. આ સાત રાજયોમાં ભાજપ સિવાય અન્ય કનિદૈ લાકિઅ પાર્ટીઓ વચ્ચેના અંતરને પણ ૨૦૧૪માં ભગવા પાર્ટીઓને જીત અપાવી હતી. તામિલનાડુમાં ભાજપને માત્ર ૧ બેઠક પર જીત મળી હતી, પણ રાજયની ૩૯ બેઠકોમાંથી ૩૭ બેઠકો પર જીત મેળવનારી એઆઈડીએમકે સંસદ અને બહાર ભાજપને અનૌપચારિક રીતે સહયોગી દળ તરીકે કામ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધી પાર્ટીઓ આ રાજયોમાં બેઠક-વહેંચણીના ફોર્મ્યુલા સાથે ગંઠબંધનની જાહેરાત લોકસભા ચૂંટણીની તારીખો અંગે સ્પષ્ટતા આવ્યા પછી જ કરશે. જોકે, અત્યારથી આ રાજયોમાં પોતાની વોટબેંકને ગઠબંધન પાર્ટીને ટ્રાન્સફર કરવાની રણનીતિમાં જોડાઈ ગયા છે. આ રણનીતિ ૨૦૦૪ જેવી હશે, જયારે વિરોધી પાર્ટીઓએ વાજપેઈ સરકારને સત્તાથી બહાર કરવા માટે ઘણાં રાજયોમાં ચૂંટણી-પૂર્વે ગઠબંધન કર્યું હતું. એક મુખ્ય વિરોધી પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું- 'એનો મતલબ એ છે કે ફરી વધારેમાં વધારે રાજયોમાં ચૂંટણી-પૂર્વે ગઠબંધન પર છે. બાકીના રાજયોમાં ચૂંટણી પછી બીન-ભાજપી પક્ષોના ગઠબંધનની સંભાવનાઓ ચકાસવામાં આવશે.' ભાજપને હરાવવા માટે તમામ પક્ષો એક સાથે મળીને ચૂંટણીમાં ઉતરીને બેઠકોની વહેંચણી મામલે મોટું દિલ દર્શાવ્યું છે. જેના હેઠળ યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધનની આગેવાની કરશે જયારે કોંગ્રેસ કેટલાક અન્ય દળો સાથે ઓછી બેઠકો સાથે સમજૂતી કરવી પડી શકે છે. યુપીની ૮૦ બેઠકોમાંથી ભાજપને ૨૦૧૪માં ૭૧ બેઠકો મળી હતી. આ પછી બિહારમાં ભાજપની સહયોગી પાર્ટીઓની પાસે ૪૦માંથી ૩૯ બેઠકો આવી હતી, આરજેડી, કોંગ્રેસ, શરદ યાદવના જૂથ અને જીતનરામ માંઝી એક સાથે આવી શકે છે. આ ગઠબંધનની આગેવાની આરજેડી કરશે. બિહારના પાડોશી રાજય ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને બાબુ લાલ મરાંડી વચ્ચે ગઠબંધનની કોશિશ થઈ રહી છે. ભાજપ પાસે ઝારખંડમાં ૧૪માંથી ૧૨ બેઠકો જીતવામાં સફળતા મળી હતી. કર્ણાટકમાં જેડીએમ, કોંગ્રેસ અને બીએસપીનું ગઠબંધન પહેલાથી તૈયાર છે. જયારે તામિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ કેટલાક અન્ય પક્ષો સાથે મળીને ફરી એક વખત સાથે આવી શકે છે.(૨૧.૬) (10:16 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137769

રાષ્ટ્રવાદ અને હિન્દુત્વઃ ૨૦૧૯ માટે ભાજપનો એજન્ડા 
કામગીરીના આધારે મત માંગવા કરતા 'લોકલાગણી'નો જુવાળ સર્જી મત મેળવવાનું સહેલુઃ કાશ્મીરમાં સપાટો બોલાવી ૩ કનિદૈ લાકિઅ રાજ્યોની ધારાસભાની અને લોકસભાની ચૂંટણીમાં એનો મબલખ લાભ લેવાનો ઈરાદો મંદિરનો મુદ્દો પણ ચગી શકે રાજકોટ, તા. ૫ :. આવતા વર્ષના એપ્રીલ મહિનામાં કનિદૈ લાકિઅ આવી રહેલી અકિલા લોકસભાની ચૂંટણી ફરી જીતવા માટે ભાજપે જોરશોર તૈયારી શરૃ કરી દીધી છે. એક તરફ વિકાસને ચૂંટણીનો સત્તાવાર મુદ્દો બનાવી કનિદૈ લાકિઅ મત માંગવામાં આવશે. બીજી તરફ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વનો મુદ્દો ઉપસાવી લોકલાગણીનો અકીલા જુવાળ સર્જી મત મેળવવા માટે પ્રયાસ કરવાનો ભાજપનો ઈરાદો કનિદૈ લાકિઅ દેખાય રહ્યો છે. કામગીરીને આધારે મત માંગવા કરતા લોકલાગણીનો જુવાળ સર્જી મત મેળવવાનું સહેલુ હોવાનું ભાજપ જાણે છે. કાશ્મીરમાં ત્રાસવાદ સામે કનિદૈ લાકિઅ સત્તાથી સપાટો બોલાવી તેનો સીધો લાભ ચાલુ વર્ષમાં આવી રહેલી ૩ રાજ્યોની ધારાસભાની ચૂંટણીમા તથા લોકસભાની ચૂંટણીમાં લેવાનો ઈરાદો હોવાનું સાંભળવા કનિદૈ લાકિઅ મળે છે. રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ આવતા દિવસોના ભાજપના એજન્ડાના અગ્ર મુદ્દા હોવાની માહીતી મળી રહી છે. કાશ્મીરમાં રાજ્ય સરકાર સાથેનુ ગઠબંધન કનિદૈ લાકિઅ ભાજપે તોડી નાખ્યુ છે. જેટલો સમય સત્તામાં રહ્યા તે વખતે સમગ્ર પરિસ્થિતિનો સત્તાવાર રીતે અભ્યાસ કરી લીધો છે. આવતા દિવસોમાં કાશ્મીર પ્રશ્ને કનિદૈ લાકિઅ સત્તાનો ઉપયોગ કરી એકદમ કડક હાથે કામ લઈ દેશવ્યાપી તેનો સંદેશ આપવાની ભાજપની ગણતરી છે. સરકારના હિંમતભર્યા પગલા સામે રાજકીય વિરોધીઓના મુદ્દા બુઠા થઈ જાય તેવી ભાજપની કલ્પના છે. આ કામ માત્ર મોદી સરકાર જ કરી શકે તેવુ વાતાવરણ સર્જવાનો પ્રયાસ થશે. ભૂતકાળમાં કારગીલ મુદ્દાને ભાજપે જે રીતે ચગાવ્યો હતો તે જ રીતે હવે લોખંડી ઢબે કામ લઈ રાષ્ટ્રવાદનો મુદ્દો ચગાવાઈ તો નવાઈ નહિં. ઉપરાંત બિનસાંપ્રદાયીકતાના મુદ્દે કોઈ નુકશાન ન જાય તે રીતે રામ મંદિરનો મુદ્દો ફરીથી ઉપાડવાનો સળવળાટ દેખાય છે. ચૂંટણી વખતે જે વાતાવરણ બને તે જ મતદાનમાં નિર્ણાયક બને છે તેથી સમય સંજોગો જોઈ ભાજપ રાજકીય પુષ્કળ ફાયદાવાળુ વાતાવરણ બનાવવા અલગ અલગ રીત-રસમો અપનાવશે તેવી માન્યતા અત્યારના નિર્દેશોથી દ્રઢ બની છે. (11:53 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137782

ટેક્ષ રીકવરીમાં આયકર આકરાપાણીએઃ ૨૦૧૭-૧૮માં ૧ લાખ કરોડની વસુલાત 
આવક વેરા વિભાગ સતત દોડતુ રહ્યુઃ બાકીદારો સામે કોર્ટમાં કેસ કર્યા, સંપત્તિઓ વેંચી અને ધડાધડ કનિદૈ લાકિઅ નોટીસો ફટકારી વસુલાતમાં રેકોર્ડ નોંધાવ્યોઃ ટેક્ષ નહીં ભરતી કંપનીઓનું નાક દબાવ્યું: ડાયરેકટરોની જવાબદારી ફીકસ કરીઃ કોર્ટમાં રેકોર્ડબ્રેક કનિદૈ લાકિઅ ૪૫૨૭ કેસ નોંધાવ્યાઃ અકિલા અમુક બીનપરંપરાગત પગલાઓ પણ લીધા નવી દિલ્હી, તા. ૫ :. આયકર વિભાગે ૨૦૧૭-૧૮માં રેકોર્ડબ્રેક ૧ લાખ કરોડ રૂપિયાની કનિદૈ લાકિઅ રીકવરી કરી છે જે ગયા નાણાકીય વર્ષના કુલ પ્રત્યક્ષ કર કલેકશનના ૧૦ ટકા છે. આયકર અકીલા વિભાગે સંપત્તિઓને સીલ કરવા, વહેંચવા સહિતના પગલાઓ લીધા કનિદૈ લાકિઅ જેનાથી કેરીયર્સ અને ટેકસ રીકવરીમાં ૩૩ ટકાનો વધારો થયો કે જે સૌથી ઉંચો હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં રીકવરીનો ગ્રોથ ૧૦ ટકા રહી રૂ. ૭૫૦ અબજ થયો હતો. કનિદૈ લાકિઅ આયકર વિભાગે પડતર ટેકસ વસુલવા માટે સ્થાવર અને જંગમ મિલ્કતોનું પહેલીવાર વહેંચાણ કર્યુ અને જે લોકો ટેકસ નથી ભરતા તેમની સામે કેસ પણ નોંધ્યા કનિદૈ લાકિઅ હતા. સાથોસાથ આયકર વિભાગે કર નહી ભરતી કંપનીઓના ડાયરેકટરોને નોટીસ મોકલી ટેકસની માંગણી કરી ચુકવવા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. આયકર વિભાગના કનિદૈ લાકિઅ એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં રીકવરીનું મોટુ યોગદાન રહ્યુ હતું. કોર્ટમાં ફરીયાદ, સંપત્તિઓનું વેચાણ કનિદૈ લાકિઅ અને દોષ સિદ્ધ કરવા પર ભાર મુકવામાં આવતા વસુલાત વધી હતી. આ માટે અમે અનેક બીનપરંપરાગત પગલાઓ પણ લીધા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ બાબતે ધ્યાન આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યુ હતુ કે, રીકવરી માટે અમે ૧૫ જેટલી સંપત્તિઓનું વેચાણ પણ કર્યુ હતું. કર નહી ભરનાર વિરૂદ્ધ વિભાગે કલમ ૨૭૬ સી-૨ હેઠળ કેસ નોંધવા ઉપર પણ ભાર મુકયો હતો. આ દરમિયાન કોર્ટમાં ૪૫૨૭ કેસ નોંધવામાં આવ્યા હતા જે કોઈપણ વર્ષમાં સૌથી વધુ હતા. આ મામલામાં દોષીત થવા અંગેનો દર પણ ૩૨૫ ટકા વધ્યો હતો. આ પહેલાના વર્ષમાં ૧૬ કેસમાં બાકીદારને દોષીત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૭-૧૮મા ૬૮ કેસમાં ફેંસલો વિભાગના પક્ષમાં આવ્યો હતો. એક અધિકારીએ કહ્યુ હતુ કે આની સાથોસાથ અમે કેસના ઝડપી નિપટારા માટે કોર્ટ સાથે સમન્વય પણ કર્યો હતો. ૧ લાખ કરોડની વસુલાતમાં ૬૦૦ અબજ રૂ. પાછલુ બાકી હતુ અને ૪૦૦ અબજ રૂ.ની નવી માંગણી કરવામાં આવી હતી.(૨-૫) (11:34 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137778

GSTને એક વર્ષ પૂર્ણ થવાં પર જેટલીએ આપ્યા GST દરોમાં રાહતના સંકેત
 - કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રથમવાર કોઇ જાહેર કાર્યક્રમમાં જેટલી બોલ્યા નવી દિલ્હી, તા. 01 જુલાઇ 2018, રવિવાર GSTને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આ દેશમાં અપ્રત્યક્ષ ટેક્સની જટિલતા પૂર્ણ થઇ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રથમવાર કોઇ જાહેર કાર્યક્રમમાં બોલતાં જેટલીએ કહ્યું કે, GSTના કારણે ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે, આ સિવાય જરૂરી વસ્તુ પર ઓછા કરથી જનતાને પણ રાહત મળી છે. તેમણે કહ્યું કે, ટેક્સ કલેક્શનમાં વધારો થવાથી હવે સરકાર સ્લેબમાં અને ઓછા કરી જનતાને રાહત આપી શકે છે. એડવાન્સ ટેક્સ પેમેન્ટથી ગ્રોસ ઇન્કમમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, GSTના કારણે ભારત સંગઠિત બજાર બન્યું છે અને આ મોદી સરકારના સૌથી મોટા નિર્ણયોમાંથી એક છે. જેટલીએ કહ્યું કે, પાછલા વર્ષે જુલાઇમાં અમે દેશના સૌથી જટિલ ટેક્સ સિસ્ટમને પૂર્ણ કરી હતી ત્યારે 13 મલ્ટિપલ ટેક્સ અને 5 મલ્ટિપલ રિટર્નની વ્યવસ્થા હતી. ટેક્સ પર ટેક્સ લાગતો હતો. દેશના ફેડરલ માળખાને ધ્યાનમાં રાખીને આ ટેક્સ તૈયાર કરવામાં આવ્યાં. તેમણે કહ્યું કે, GST લાવતા પહેલાં અમે દરેક રાજ્યોમાં વિમર્શ કર્યો. GST કાઉન્સીસનું ગઠન પણ તે પ્રમાણે કર્યું કે, દેશના દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ તેમાં હોય. તે ઘણું સરળ છે, જે હેઠળ આપ માત્ર એક જ વાર ટેક્સ ભરો છો, એક જ રિટર્ન ફાઇલ કરો છો. દેશભરમાં તમામ ચેક પોસ્ટ ખતમ થઇ ગઇ છે અને જટિલા ખતમ થઇ છે. અમે રેટ વધાર્યા વિના અને ત્યાં સુધી કે ઘટાડ્યાં પછી પણ રેવન્યુમાં વધારો કરવામાં સક્ષમ થયાં છીએ.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/arun-jaitley-says-goods-and-services-tax-is-a-monumental-economic-reform


અમદાવાદમાં લઠ્ઠાકાંડ: ચાર યુવકોએ દેશી દારૂ પીધા બાદ દ્રષ્ટિ ગુમાવી: બે ગંભીર 
- સોલામાં દારૂ પીનારાના બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયાં - લઠ્ઠાકાંડ પર ઠંડુ પાણી રેડવા પોલીસે દારૂના અડ્ડા પર રેડો પાડી અમદાવાદ, તા. 04 જુલાઈ 2018, બુધવાર ગાંધીના ગુજરાતમાં દારૃબંધી લાદવામાં આવી તે માત્ર કાગળ પર જ રહી છે, હજુય અમદાવાદમાં હપ્તાખોર પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૃના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સોલામાં દેશી દારૃ પીધા બાદ ચાર યુવકોએ અચાનક જ દ્રષ્ટિ ગુમાવી છે, જ્યારે બેની હાલત ગંભીર છે, લઠ્ઠાકાંડના કારણે દારૃ પીનારાની આ સ્થિતિ સર્જાઇ હોવાનું મનાઇ રહ્યું છે, જો કે પોલીસ આ લઠ્ઠાકાંડને સામાન્ય દારૃની ઘટના ગણાવતા દોડધામ મચાવી રહી છે. અમદાવાદમાં નવ વર્ષ બાદ ફરીથી લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં સોલા વિસ્તારમાં રહેતા અને પ્લમ્બિંગનું કામ કરતા મહેશભાઇ, પ્રવીણભાઇ અને ધીરેનભાઇ તથા અજયભાઇ નામના શ્રમજીવી યુવકોઓએ ગઇકાલે રાત્રે સોલામા દારૃના અડ્ડા પર દેશી દારૃ પીધો હતો. આજે સવારે તેઓ ઉઠવામાં તકલીફ થઇ હતી અને આંખે દેખાતું ન હોતું જેથી તુરંત સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં પ્રવીણભાઇ અને મહેશની હાલત ગંભીર હોવાથી આઇસીસીયુંમાં સારવાર અપાઇ રહી છે. જ્યારે અન્ય બે યુવકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સોલા સિવિલના ડોક્ટરોએ ચારેય યુવકોના બ્લડ સમ્પલ લઇને એફએસએલમાં મોકલી આપ્યા છે અને કહ્યુ છે કે દારૃમાં ઇથેલોન અને મિથેલોનનું કેટલું પ્રમાણ છે, તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે. આ લઠ્ઠાકાંડની જાણ થતાંની સાથે પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ઝોન-૧ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સોલા સિવિલ દોડી ગયા હતા અને આ લઠ્ઠાકાંડની ઘટના પર ભીનું સંકેલવાના પ્રયાસો હાથ ધરીને સોલા વિસ્તારમાં ચાલતા દેશી દારુના અડ્ડા પર સામુહિક દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સોલામાં લઠ્ઠાકાંડના પગલે પોલીસ દોડતી થઇ: અમદાવાદમાં ઠેર ઠેર દારૃના અડ્ડા પર દરોડા સોલામાં લઠ્ઠાકાંડ થયાની જાણ થતાની સાથે અમદાવાદ શહેર પોલીસ દોડતી થઇ હતી અને અમદાવાદ શહેરમાં સોલા, વાડજ અને સરદારનગર, કાગડાપીઠ, ઓઢવ સહિતના વિસ્તારોમાં દારૃના અડ્ડા પર સામુહિક દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સોલામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે સફાળી જાગી હતી અને પોલીસે તમામ વિસ્તારમાં દારૃના અડ્ડા પર દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે તમામ પોલીસ સ્ટેશનના વહીવટદારોએ બુટલેગરોને ફોન કરીને ભગાડી મૂક્યા હતા. પોલીસે ખાસ કરીને સરદાનગર, કુબેરનગર, વાડજ, શાહપુર, દૂશ્વેવર ધોબીઘાટ અને અગાઉ નવ વર્ષ પહેલા જ્યાં લઠ્ઠાકાંડ થયો હતો અને અનેક લોકોના મોત થયા હતા તેવા કાગડાપીઠના કંટોળીયાવાસ, ઓઢવ, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં દારૃના અડડાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. લઠ્ઠાકાંડની અસર પામેલા ચાર યુવકો (૧) પ્રવીણભાઇ ઉર્ફે લાલો મેલાભાઇ સેનમા (રહે : કડી તાલુકાનુ ડરણ ગામ) (૨) મહેશભાઇ  રેવાભાઇ સેનમા  ( રહે: કડી તાલુકાના ડરણ ગામ) (૩) ધીરેનભાઇ ગણેશભાઇ મહેતી  ( કોલક્ત્તા) (૪) અજયભાઇ કેશવભાઇ ગુપ્તા ( યુ.પી.)

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/lathakand-in-ahemedabad-four-people-have-lost-eye-after-drinking-indigenous-liquor-two-ser


અમદાવાદનાં પથિક પંચાલે 400 નકલી ડિગ્રી-માર્કશીટ વેંચી નાખી
 - શિક્ષણના હબ ગણાતા રાજકોટમાંથી નકલી ડિગ્રીના ત્રીજા કૌભાંડનો પર્દાફાશ - રાજકોટનાં એજન્ટની પણ ધરપકડઃ 22 હજારથી લઈ 30 હજારમાં નકલી ડિગ્રી વેચતા હતા રાજકોટ, તા.4 જુલાઇ 2018,બુધવાર શહેરમાં ડાંગર હોમિયોપેથીક કોલેજમાં પરપ્રાંતની નકલી માર્કશીટનાં આધારે એડમીશન આપવાનું અને આમ્રપાલી સિનેમા નજીક ક્લાસીસ ચલાવતા શખ્સ દ્વારા જુદા જુદા રાજ્યોની નકલી ડિગ્રી વેચવાના કૌભાંડ બાદ આ પ્રકારનું ત્રીજું કૌભાંડ બહાર આવતા ગાંધીગ્રામ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર અમદાવાદની સાક્ષર ફાઉન્ડેશનનો સંચાલક પથિક પંચાલ છે. જેણે રાજ્યમાં અત્યાર સુધી ૪૦૦ નકલી ડિગ્રી અને માર્કશીટ વેંચી દીધાની કબુલાત આપતા પોલીસ ચોંકી ઉઠી છે. ગઈ તા. ૩૦મી જૂનના રોજ ગાંધીગ્રામ પોલીસને એક નનામી અરજી મળી હતી. જેના આધારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસને એવી અરજી મળી હતી કે ગાંધીગ્રામના જીવંતીકાનગરમાં રહેતો ધવલ કુંભાર બે-ત્રણ મહિનામાં બોગસ સર્ટિફીકેટ બનાવી આપે છે. જેની તપાસ આગળ ધપાવતા જાણવા મળ્યું કે, અમદાવાદમાં પરિમલ અન્ડરબ્રીજ પાસે સુમેરૃ કોમ્પલેક્ષમાં ઈન્ડિયન બીઝનેશ મેનેજમેન્ટ સ્કુલ આવેલી છે. જે સ્કુલ પથિક વિજયભાઈ પંચાલ (ઉ.વ. ૩૭ રહે. જે-૭૦૩, ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈ-ઈન રોડ) સાક્ષર ફાઉન્ડેશન ટ્રસ્ટા નેજા હેઠળ ચલાવે છે. જેણે આ સ્કુલ ચલાવવા માટે રાજ્ય- કેન્દ્ર સરકારના કાયદાથી અસ્તિત્વમાં આવેલી કેન્દ્રિય, રાજ્ય, પ્રાઈવેટ કે ડીમ્ડ યુનિવર્સિટીની મંજુરી લીધી નથી. તેમની યુજીસીના નિયમોને પણ આધીન નથી. તેમ છતાં તે પોતાની સ્કુલમાં કોરસ્પોન્ડન્ટ તથા ડિસ્ટન્સ લર્નીંગ કોર્સ બેથી ત્રણ વર્ષના ગાળામાં ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ડિપ્લોનાના મેનેજમેન્ટ, એડમીનીસ્ટ્રેશન, એન્જિનિયરીંગ અને કોમ્પ્યુટરને લગતા વિવિધ કોર્સ ચલાવે છે. જે કોર્સ બેથી ત્રણ વર્ષના હોય છે. આમ છતાં તે વિદ્યાર્થીઓને તે કોર્સના બેથી ત્રણ માસમાં સર્ટિફીકેટ કાઢી આપે છે. બદલામાં રૃા. ૨૨ હજારથી લઈ રૃા. ૩૦ હજાર વસુલે છે. જેમાં રાજકોટના એજન્ટ તરીકે ધવલ રસિકભાઈ ચાંચાપરા (ઉ.વ. ૩૨, રહે. જીવંતીકાનગર-૨) કામ કરે છે. આ વિગતો તપાસમાં બહાર આવ્યા બાદ બંને આરોપીઓ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડી, બોગસ દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે સૂત્રધાર પથિક પંચાલે રાજ્યભરમાં અત્યાર સુધી ૪૦૦થી વધુ બોગસ ડિગ્રી અને માર્કશીટ વેંચી દીધાની કબુલાત આપી છે. ગુજરાતના ઘણાં શહેરોમાં તેના એજન્ટો મારફત તે આ કૌભાંડ ચલાવતો હતો. રૃા. ૨૨ હજારથી લઈ રૃા. ૩૦ હજારમાં બોગસ ડિગ્રી અને માર્કશીટ વેંચતો હતો. એજન્ટોને ૨૦થી ૨૫ ટકા કમિશન આપતો હતો. ગુજરાતમાં તેને ૧૧થી વધુ એજન્ટોના ટૂંકા નામો મળ્યા છે. જે તમામની ધરપકડની તજવીજ હાલ ચાલુ છે. તે મુખ્યત્વે ગ્રેજ્યુએશન, ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ, ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગની નકલી ડિગ્રી અને માર્કશીટ વેંચતો હતો. ગાંધીગ્રામના પીઆઈ વિજય ઓડેદરાએ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. આ કેસની તપાસ માટે પોલીસની એક ટીમ આવતીકાલે પથિકને લઈને અમદાવાદ જશે. ત્યારબાદ બીજી ઘણી માહિતી બહાર આવવાની સંભાવના છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/pathank-panchal-of-ahmedabad-has-sold-400-counterfeit-degrees-marksheets


ભાસ્કરનું સ્ટિંગ ઓપરેશન: રૂ.1500માં ગમે તેને કાઢી આપે મા અમૃતમ કાર્ડ

રાજકોટમાં મહાનગરપાલિકાના નિંભર તંત્ર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે કોઇ પણ વ્યક્તિને કાર્ડ કાઢી આપવામાં આવે છે
રાજકોટ: મુખ્યમંત્રી અમૃતમ યોજના 'મા અમૃતમકાર્ડ' હેઠળ ગરીબ દર્દીઓને રૂ.3 લાખ સુધીની તબીબી સારવાર વિનામૂલ્યે મળે છે. કોઇ પણ ચાર્જ વગર મા અમૃતમકાર્ડ આપવામાં આવે છે, પરંતુ રાજકોટમાં મહાનગરપાલિકાના નિંભર તંત્ર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે કોઇ પણ વ્યક્તિને 1500 રૂપિયામાં કાર્ડ કાઢી આપવામાં આવે છે. તવંગર સાથેના સંબંધો જાળવવા તેમને કોઇ પણ તકલીફ વગર કાર્ડ કાઢી અપાય છે. જ્યારે ગરીબ દર્દીઓ પાસેથી તોડ કરવામાં આવે છે.
આવા જ એક શ્રમિક યુવકને કાર્ડ કાઢી આપવાના બદલામાં રૂ.1500ની લૂંટ ચલાવવામાં આવતી હોવાનો 'દિવ્ય ભાસ્કરે' પર્દાફાશ કર્યો હતો. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હરકતમાં આવેલી મનપાએ ધવલ સહિતના કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શહેરના બેડીપરા વિસ્તારના ગંગેશ્વર મહાદેવ મંદિરના ક્વાર્ટર્સમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતાં મહેશ જયંતીભાઇ દાદુકિયા (ઉ.વ.34)ને મ્હોમાં કેન્સર હોવાનું દોઢેક મહિના પૂર્વે નિદાન થયું હતું. મજૂરી કરી પત્ની અને બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતાં મહેશ પર આભ ફાટ્યું હતું. કેન્સરની મોંઘી સારવાર કેવી રીતે મેળવવી તે બાબત તેના માટે ચિંતાનો વિષય હતો. મા અમૃતમ કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં રૂ.3 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે તેવી જાણ થતાં મહેશ દાદુકિયા સોમવારે સાંજે 4 વાગ્યે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઓફિસના ત્રીજા માળે આવેલા આરોગ્ય વિભાગમાં પહોંચ્યા હતા અને કાર્ડ મેળવવા અરજ કરી હતી.
કોર્પોરેશનના કર્મચારીએ કાર્ડ ક્યાંથી મળશે તે વિગતવાળું પેમ્પલેટ મહેશને આપ્યું હતું અને મહેશે તે પેમ્પલેટના આધારે સંતકબીર રોડ પરની કબીરવન સોસાયટીના કબીરવન આયુર્વેદ કેન્દ્રનો મંગળવારે સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાં તાળાં ઝૂલતા હોવાથી તેમાં દર્શાવેલા ધવલ નામના કર્મચારીના મોબાઇલ પર સંપર્ક કરતાં ધવલે પોતે બહાર હોવાનું કહી રાત્રે ફોન કરશે તેમ કહ્યું હતું.
રાત્રે આઠેક વાગ્યે ધવલે ફોન કરી મહેશને રામનાથપરામાં બોલાવ્યો હતો અને તાત્કાલિક કાર્ડ કાઢી આપશે, અને કાર્ડ મળ્યા બાદ રૂ.1500 આપવા પડશે તેમ કહી ભગવતીપરાના સેન્ટરના કર્મચારીને ફોન કરી મહેશને કાર્ડ કાઢી આપવા કહ્યું હતું. જો કે કાર્ડ મળ્યા બાદ રકમ ધવલને આપવાનું નક્કી થયું હતું. મજૂરી કરી પેટિયું રળતા અને રૂ.1500ના ભાડાની ઓરડીમાં રહેતા મહેશ માટે કાર્ડના રૂ.1500 આપવા મુશ્કેલ બન્યા હતા. કાર્ડ કાઢી આપવાના રૂ.1500 ઉઘરાવાતા હોવાની જાણ થતાં 'દિવ્ય ભાસ્કર'ની ટીમે કેસ સંભાળ્યો હતો.
બુધવારે બપોરે ચાર વાગ્યે મહેશ ભગવતીપરાના કેન્દ્ર પર પહોંચ્યો હતો અને ત્યાં હાજર કર્મચારી શાહરુખે ધવલને ફોન કરી મહેશ આવી ગયાની જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. કાર્ડ મળતાંની સાથે જ મહેશે ફોન કરતાં ધવલે ફરીથી પોતે બહાર હોવાનું અને રૂ.1500 કેસરી પુલના છેડે મોચીબજાર તરફ આવેલી બાલાજી કોલ્ડ્રીંક્સ નામની દુકાનના સંચાલક કિશોરભાઇને પૈસા આપી દેવાનું કહ્યું હતું. બીજીબાજું 'દિવ્ય ભાસ્કરે' આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીને જાણ કરતાં કમિશનર પાનીએ આરોગ્ય અને વિજિલન્સની ટીમને સ્થળ પર મોકલી હતી.
મહેશ દાદુકિયાએ કોલ્ડ્રીંકસની દુકાને જઇ કિશોરભાઇને રૂ.2 હજારની નોટ આપી હતી અને ધવલે પૈસા આપવાનું કહ્યું છે. તેમ કહેતાં જ કિશોરભાઇએ પૈસા સ્વીકાર્યા હતા અને ધવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જો કે તે સાથે જ વિજિલન્સની ટીમે દુકાન સંચાલક કિશોરભાઇને ઉઠાવી લીધા હતા.
ગરીબ દર્દીઓને લૂંટતા લૂંટારુઓ સામે મ્યુનિસિપલ કમિશનર પાનીએ આકરૂં વલણ દાખવ્યું હતું અને તાકીદે આ અંગે પોલીસ ફરિયાદનો આદેશ કરતાં આરોગ્ય વિભાગના અધિકારી ચુનારાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધવલ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
મા અમૃતમ કાર્ડ કોને મળી શકે ?
રાજ્ય સરકારે શરૂ કરેલી મા અમૃતમ યોજનાને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનામાં અતિ ગંભીર બીમારીઓમાં સહાય આપવા માટે મા અમૃતમ કાર્ડ મેળવવું ફરજિયાત હોય છે. આ કાર્ડ માટે વાર્ષિક 2 લાખ રૂપિયા આવક હોય તેવા પરિવારોને જ મળવા પાત્ર છે. આવકનો દાખલો મામલતદાર તથા કોર્પોરેટર પાસેથી કઢાવવાનો હોય છે. આ ઉપરાંત જો બીપીએલ લાભાર્થી હોય તો બીપીએલ કાર્ડની ઝેરોક્ષ, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને આધારકાર્ડ રજૂ કરવું ફરજિયાત છે. કાર્ડધારકને ખાનગી દવાખાનામાં સારવાર મળે છે.
સોમવારે સાંજે 4 વાગ્યે

મહેશ દાદુકિયાએ અમૃતમ કાર્ડ મેળવવા મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના ત્રીજામાળે કાર્ડ માટે સંપર્ક કર્યો. કચેરી તરફથી સેન્ટર અને ત્યાંના સંચાલકના મોબાઇલ નંબર સહિતનું પેમ્પલેટ આપી કહેવાયું કે અહીંથી કાર્ડ કાઢી અપાશે.

મંગળવારે બપોરે

કબીરવન કેન્દ્રના સંચાલક ધવલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેણે સાંજે સંપર્ક કરશે તેમ કહી ફોન કાપી નાખ્યો.

મંગળવારે રાત્રે 8 વાગ્યે

ધવલે ફોન કરી મહેશને રામનાથપરા બોલાવ્યો અને કાર્ડના બદલામાં રૂ.1500ની માગ કરી

બુધવારે 4 વાગ્યે

- ધવલની સૂચના મુજબ મહેશ કેન્દ્ર પર પહોંચ્યો અને બીજો સૂત્રધાર શાહરૂખે ગણતરીની મિનિટોમાં જ કાર્ડ કાઢી આપ્યું.

- કાર્ડ મળી ગયા બાદ ધવલે કેસરી પુલ પાસે આવેલી બાલાજી કોલ્ડ્રીંક્સ દુકાને કિશોરભાઇને રૂ.1500 આપવા કહ્યું. મહેશે રૂ.2000 આપ્યા.

-  આરોગ્ય-વિજિલન્સની ટીમ સાથે 'દિવ્ય ભાસ્કર'ની ટીમ કોલ્ડ્રીંકસની દુકાને પહોંચી કિશોરને વિજિલન્સની ટીમે ઉઠાવી લઇ મનપા કચેરીએ લઇ જવાયો. નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ ફરિયાદની તજવીજ શરૂ કરી.
આરોગ્ય વિભાગના કર્મચારીની શંકાસ્પદ ભૂમિકા પેમ્પલેટમાં કૌભાંડના સૂત્રધારના નંબર લખ્યા હતા
 
મા અમૃતમકાર્ડ માટે આરોગ્ય વિભાગને કામ સોંપવામાં આવ્યું છે. મનપાના સેન્ટ્રલ ઝોન ખાતે ત્રીજા માળે બેસતા આરોગ્ય વિભાગના રૂમ નં.1માં નોકરી કરતા કર્મચારી જૂના પેમ્પલેટ આપી રહ્યા છે. જે પેમ્પલેટમાં નામ અને મોબાઇલ નંબર છે તે વ્યક્તિ કાર્ડ કઢાવવા માટે 1500 રૂપિયા લઇ રહ્યા છે.

આરોગ્ય વિભાગની કચેરીમાં રહેલા ટેબલમાંથી જૂના પેમ્પલેટ મળી આવતા સમગ્ર પ્રકરણમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સામેલ હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. પેમ્પલેટમાં મુખ્ય સૂત્રધારના કોન્ટેક્ટ નંબર તેમજ સરનામું લખેલા હતા. પેમ્પલેટ એકથી દોઢ વર્ષ જૂના હોવાનું આરોગ્ય વિભાગનું કહેવાનું છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-in-the-sting-operation-of-bhaskar-rs-1500-it-can-be-removed-by-anyone-the-amritam-card-gujarati-news-5909964-PHO.html?ref=ht


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment