સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 20 June 2018

પાણી માટે વલખાં મારતા ગુજરાતને નીતિ આયોગે આપ્યો જળ સંચાલનમાં નં. 1 રેન્ક - બીજથી લઇને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ: મોદી - સરકાર પોતાની નિષ્ફળતા અંગે બહાના કાઢી શકે નહીં :જવાબદારી લેવી જ જોઈએ: :નીતિ અયોગ - સાયબર ક્રાઇમની તપાસ માટે મને બોલાવશે તો હું સામેથી જઇશ, સરકાર મારી ધરપકડ કરશે તો હું જામીન પણ નહીં લઉં:હાર્દિક પટેલની તડાફડી - અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે સો ફુટ લાંબુ પોસ્‍ટર બનાવીને ફી નિયમનની સરકારની જાહેરાતો બતાવી અનોખો વિરોધઃ વાલીઓમાં ભભૂકતો રોષ - ગુજરાતના છાત્રોનો મેડીકલ કવોટા હડપ કરવાનું ષડયંત્ર ! - જિલ્લા પંચાયત કોંગ્રેસમાં બળવોઃ આહીર-પાટીદાર મહિલા વચ્ચે જંગ - આજે - કાલે ભાજપ ધાક - ધમકી - સત્તાનો દુરૂપયોગ ન કરે તે માટે મુ.સચિવ - DGPને કોંગ્રેસનો પત્ર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


પાણી માટે વલખાં મારતા ગુજરાતને નીતિ આયોગે આપ્યો જળ સંચાલનમાં નં. 1 રેન્ક

ભયાનક જળસંકટના આરે ઊભેલા ગુજરાતને 'મોસાળમાં મા પિરસે'ની જેમ નીતિ આયોગે જળ સંચાલનમાં 1લો ક્રમ આપ્યો
 અમદાવાદઃ નીતિ આયોગે હજી ગત સપ્તાહે જ દેશમાં જળ સંવર્ધન-સંચાલન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે અને તેમાં જળ સંસાધનના સંચાલન ક્ષેત્રે 100માંથી 75 રેન્ક સાથે 1લો ક્રમ આપ્યો. પરંતુ હકીકત તો એ છે કે આખું ગુજરાત રાજ્ય અત્યારે પાણીના એક-એક ટીપાંને બચાવવા માટે વલખાં મારી રહ્યું છે. ખુદ રાજ્ય સરકારે પાણી બચાવોની ઝુંબેશ શરૂ કરી છે અને રાજ્યમાં એકેય જળાશય એવું નથી બચ્યું જેમાં પાણીની સપાટી ઊંચી હોય. હવે સ્થિતિ તો એવી છે કે એકાદ સપ્તાહમાં વરસાદ નહીં આવે તો ગુજરાતના માથે ભયંકર જળસંકટ ઊભું થવાનું છે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા જળ તેમજ જળસ્ત્રોતોનું ભયંકર મિસમેનેજમેન્ટ જવાબદાર છે. આમછતાં નીતિ આયોગના અહેવાલમાં આ તમામ ગંભીર પરિસ્થિતિની ધરાર અવગણના કરીને 'મોસાળમાં મા પિરસે' જેવો ઘાટ કરીને ગુજરાતને જળ સંચાલન ક્ષેત્રે દેશમાં નંબર વન રેન્ક આપી દીધો. હવે જો આવા ભયાનક જળસંકટના આરે ઊભેલા ગુજરાત રાજ્યમાં જળ સંચાલનની શ્રેષ્ઠ સ્થિતિ હોવાનું નીતિ આયોગને લાગતું હોય તો તેનો મતલબ એ થયો કે દેશના બાકીના રાજ્યોમાં તો પાણીની આના કરતા પણ ખરાબ સ્થિતિ છે.

આમેય આ 'પાણી' રૂપાણીનું નથી!
નીતિ આયોગનો આ અહેવાલ પ્રસિદ્ધ થયો એટલે આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરખપદુડા થઈને ટ્વીટ પણ કરી નાંખી અને ગુજરાત જળ સંસાધનના સંચાલન ક્ષેત્રે દેશમાં નંબર વન હોવાનું જણાવી પોતાની છાતી પણ ગજ-ગજ ફુલાવી દીધી. નીતિ આયોગનો રિપોર્ટ વર્ષ 2015-16 અને 2016-17ની કામગીરીના આધારે આવ્યો છે. હવે આ રિપોર્ટમાં જે માપદંડના આધારે ગુજરાતને નંબર વન રેન્ક અપાયો છે તે માની લઈએ તો પણ તેમાં રૂપાણી સરકારે કરેલી કોઈ કામગીરીને શ્રેય નથી જતો. જળ સંવર્ધનની આ કામગીરી અગાઉના મુખ્યમંત્રીના કાર્યકાળમાં થઈ હતી અને તે માટેનો શ્રેય તેમને આપવો પડે.
ગુજરાતના 23 ટકા ગામોમાં પાણીનું કનેક્શન નથી છતાં નીતિ આયોગે ટોચનો ક્રમ આપ્યો

નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દેશના ગ્રામિણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા તેમજ પાણી પૂરવઠાની દૃષ્ટિએ ગુજરાત 1લા ક્રમે આવે છે. જ્યારે શહેરી વિસ્તારમાં પાણી પૂરવઠો પૂરો પાડવાની બાબતમાં ગુજરાત દેશમાં 4થા ક્રમે છે. જ્યારે હકીકત તો એ છે કે આજે પણ ગુજરાતના 23 ટકા ગામોમાં પીવાના પાણીનું કનેક્શન જ નહીં હોવાનું ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરાયેલા પાણી પૂરવઠાના અહેવાલમાં કબૂલ્યું છે. આજે ગુજરાતના ૧,૩૮૨ ગામડાંઓમાં લોકો હેન્ડપંપથી પાણી ઉલેચીને પીવે છે. છે. પાણી પુરવઠા વિભાગ હજુય આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનો નાંખી શકી નથી. તેમાં પણ રાજ્યના અરવલ્લીના ૧૭૬ ગામો, દાહોદના ૧૨૨, છોટા ઉદેપુરના ૪૪૪ ગામો, પંચમહાલના ૧૦૫ ગામો અને સાબરકાંઠાના ૧૬૬ ગામડાઓમાં પાણીની પાઇપલાઇન પહોંચી શકી નથી. આજે પણ કેટલાક ગામડાઓમાં પાણી મેળવવા માટે બે-પાંચ કિમી સુધી ચાલવું પડે છે. રાજ્ય સરકારે એવી કબૂલાત કરી છે કે, ભૌગોલિક પરિસ્થિતીને જોતાં પાણીની પાઇપલાઇન પહોંચાડી શકાય તેમ નથી. અન્ય વિસ્તારમાં પાઇપલાઇન પહોંચાડતા એકાદ બે વર્ષનો સમય હજુય લાગી શકે છે.
સિંચાઈ પૂરવઠાના ઠેકાણા નથી છતાં નીતિ આયોગે સિંચાઈમાં 4થો ક્રમ આપ્યો

નીતિ આયોગે જે ધારાધોરણો અનુસાર ગુજરાતને સિંચાઈ પૂરવઠામાં 4થો ક્રમ આપ્યો છે તેના કોઈ ઠેકાણા નથી. એકતરફ ગુજરાતના 3500થી વધુ ગામોમાં સિંચાઈની વાત તો જવા દો, પીવાના પાણીના ઠેકાણા નથી. રાજ્ય સરકાર હજી સુધી 8200 ગામોમાં સિંચાઈના પાણી માટેની પાઈપલાઈન બિછાવી શકી નથી કે કેનાલનું કામ પણ પૂરું કરી શકી નથી. હજી સરકારના પોતાના અંદાજ અનુસાર આ ગામો સુધી પાઈપલાઈન નેટવર્ક બિછાવતા તેને ત્રણેક વર્ષનો સમય લાગી શકે છે. આવામાં ગુજરાત સરકારને કયા ધારાધોરણના આધારે દેશમાં પીવાના પાણી અને તેમાં પણ સિંચાઈ પૂરવઠા ક્ષેત્રે 4થો ક્રમ અપાયો છે તે એક પ્રશ્ન છે.
ગુજરાતના બધા જળાશયો ખાલી, નીતિ આયોગે જળાશય પ્રસ્થાપનમાં 4થો રેન્ક આપ્યો

નીતિ આયોગના રિપોર્ટ મુજબ આખા દેશમાં અત્યારે ભૂગર્ભજળ તથા જળાશયોના સંવર્ધન અને પ્રસ્થાપનની બાબતમાં નાગાલેન્ડની કામગીરી સૌથી શ્રેષ્ઠ છે જેને 1લો ક્રમ અપાયો છે. પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે ગુજરાતને 4થો ક્રમ આપવામાં આવ્યો છે. હવે હકીકત તો એ છે કે ભરઉનાળે ગુજરાતના બધા જળાશયો ખાલીખમ થઈ ગયા છે. અત્યારે રાજ્યના એકેય બંધમાં પાણી બચ્યું નથી. ખુદ સરદાર સરોવર ડેમનું તળિયાનું 10 ટકા પાણી કે જેને ડેડવોટર કહેવામાં આવે છે તેને હાલ વાપરવામાં આવી રહ્યું છે અને તે પણ ખૂટી પડવાના આરે છે. રાજ્ય સરકારના જ અહેવાલ અનુસાર અત્યારે રાજ્યના 2000થી વધુ ગામોમાં પીવાનું પાણી નથી અને જળાશયો તળિયા ઝાટક છે. આવામાં નીતિ આયોગે મોસાળમાં મા પિરસે જેવો ઘાટ રચીને ગુજરાતને ટોપ-5માં સ્થાન આપ્યું છે.
ગુજરાતમાં ભૂગર્ભજળના તળ નીચા ગયા ત્યાં ભૂગર્ભજળ સંકલન ક્ષેત્રે 5મો રેન્ક

નીતિ આયોગે પોતાના આ અહેવાલમાં ગુજરાતને ભૂગર્ભજળ સંકલન ક્ષેત્રે સમગ્ર દેશમાં 5મો ક્રમ આપ્યો છે. જ્યારે કે ખુદ રાજ્ય સરકારના અહેવાલમાં ચોંકાવનારી કબૂલાત કરવામાં આવી છે કે રાજ્યના ઘણા જિલ્લામાં ભૂગર્ભજળ એટલા નીચે ઉતરી ગયા છે કે તેના કારણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સંખ્યાબંધ ગામોમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને આ કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો પેદા થયો છે. મહેસાણા રાજ્યમાં પણ આવી જ સ્થિતિ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-1-worst-water-scarcity-in-gujarat-but-niti-aayog-ranks-it-no-NOR.html?ref=ht

બીજથી લઇને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે
 નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. મોદીએ કહ્યું, "કૃષિ માટે સરકાર બજેટમાં નિશ્ચિત રકમની ફાળવણી કરે છે. 2014 થી 2019 માટે અમે આ ફાળવણીની રકમ બમણી કરી દીધી છે, જે કૃષિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે." મોદીએ એમ પણ કહ્યું કે, બીજથી લઇને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ છે.
'ખેડૂત ભાઈઓએ છેલ્લાં 70 વર્ષના રેકોર્ડ તોડ્યાં'
- મોદીએ કહ્યું, "આપણા ખેડૂત ભાઈઓએ છેલ્લાં 70 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. છેલ્લાં 48 મહિનામાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે. ખાદ્યાન્ન ઉત્પાદન 280 મિલિયન ટન થયું છે. કઠોળના ઉત્તાદનમાં પણ 10.5 % નો વધારો થયો છે. 'બ્લૂ રિવોલ્યુશન' હેઠળ મત્સ્ય ઉછેરમાં 26 ટકાનો વધારો થયો છે, જ્યારે પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં 24%નો વધારો થયો છે."
- "અમારો પ્રયાસ કે ખેડૂતોને ખેતીની સંપૂર્ણ પ્રક્રિયામાં દરેક પ્રકારની મદદ મળે. એટલે કે પાકના તૈયાર થવાની બજારમાં તેના વેચાણ સુધી, બીજથી લઇને બજાર સુધી સરકાર કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે નિર્ણય થઇ રહ્યા છે, યોજનાઓ બનાવવામાં આવી રહી છે."
- "ખેડૂતોને સારી ક્વોલિટીના બિયારણ મળે, તે માટેની રકમ માટે તેઓ મૂંઝાય નહીં એ માટે ખેડૂત લોનની રકમ વધારવામાં આવી છે. યુરિયા અને અન્ય ખાતર આજે સરળતાથી મળી રહ્યું છે, કાળા બજારી નથી થઇ રહીં."
"પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ 100 યોજનાઓ પૂરી થઈ છે. દરેક ખેતરને પાણી મળે એ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે."

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-pm-modis-interaction-with-farmers-from-across-the-country-via-video-conferencing-gujarati-news-5899062-NOR.html?ref=ht


સરકાર પોતાની નિષ્ફળતા અંગે બહાના કાઢી શકે નહીં :જવાબદારી લેવી જ જોઈએ: :નીતિ અયોગ
 અર્થતંત્ર યુપીએ દ્વારા વારસામાં મળેલ સમસ્યાથી બહાર આવી ગયું છે હવે કંઈપણ કનિદૈ લાકિઅ માટે સરકાર જવાબદાર   નવી દિલ્હી :સરકાર પોતાની નિષ્ફળતા અંગે ઉઠતા સવાલોને લઈને છાશવારે દોષનો ટોપલો અગાઉની કોંગ્રેસ સરકાર પર નાંખવામાં કનિદૈ લાકિઅ આવે છે ત્યારે અકિલા આ વાતને છેદ ઉ઼ડાડી દેતાં નીતિ આયોગનું કહેવું છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ વિશે બહાના કાઢી શકે નહિ. તેણે પોતાની નિષ્ફળતાની કનિદૈ લાકિઅ જવાબદારી લેવી જ પડશે   નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું અકીલા છે કે,” દરેક સરકારના લેખાં જોખાં તેણે કરેલા કાર્યો પરથી કનિદૈ લાકિઅ કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય અર્થતંત્રને યુપીએ દ્વારા વારસામાં મળેલી સમસ્યાઓમાંથી બહાર આવી ગયું છે. અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે તે કનિદૈ લાકિઅ માટે સરકાર જ જવાબદાર છે. ”   કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને તેના વરિષ્ઠ નેતાઓ શાસનમાં નિષ્ફળતા, નીતિવિષયક પેરાલિસિસ અને અર્થતંત્રની બરબાદી કનિદૈ લાકિઅ માટે અવારનવાર અગાઉની કોંગ્રેસની સરકારોને જવાબદાર ઠેરવતાં રહ્યાં છે. પરંતુ હવે દેશમાં નીતિઓ ઘડતી સર્વોચ્ચ સથા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કનિદૈ લાકિઅ કુમારે જણાવ્યું છે કે, “કેન્દ્રની મોદી સરકાર હવે તેની નિષ્ફળતાઓ માટે અગાઉના કોંગ્રેસના શાસનના બહાના કાઢી શકે તેમ નથી. મોદી સરકારે પોતાની કનિદૈ લાકિઅ નિષ્ફળતાઓની જવાબદારી લેવી જ પડશે.”   (9:59 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-06-2018/136408

સાયબર ક્રાઇમની તપાસ માટે મને બોલાવશે તો હું સામેથી જઇશ, સરકાર મારી ધરપકડ કરશે તો હું જામીન પણ નહીં લઉં:હાર્દિક પટેલની તડાફડી
 અમદાવાદઃ પાસના કન્‍વીનર કનિદૈ લાકિઅ અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે રાજ્ય સરકાર દ્વારા મુખ્‍યમંત્રીના રાજીનામાની અફવાને પગલે આ પ્રકરણની તપાસ સાયબર ક્રાઇમ કનિદૈ લાકિઅ દ્વારા કરવામાં અકિલા આવનાર હોવાની જાહેરાત કર્યા બાદ હાર્દિક પટેલે સરકાર સામે તડાફડી કરી છે. રાજ્યની રૂપાણી સરકાર અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન કનિદૈ લાકિઅ પટેલ સામે સોશિયલ મીડિયા તેમજ પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા રાજીનામા અને અકીલા આંતરિક કલહને લગતી ટીપ્પણીઓ વાઈરલ કરવાના મામલે ભીંસમાં કનિદૈ લાકિઅ મૂકાયેલા ભાજપ સરકાર આ આખા મામલે સરકારને અસ્થિર કરવાનાનો ગુના સબબ સાયબર ક્રાઇમને તપાસ સોંપ્યાની બે દિવસને અંતે હાર્દિક પટેલે એવો ટોણો માર્યો કનિદૈ લાકિઅ હતો કે, જો તટસ્થ તપાસ થશે પ્રધાનના જ લોકો પકડાશે. સરકારમાં તાકાત હોય તો આ મામલે સાચી તપાસ કરી બતાવે. હાર્દિક પટેલે આ અંગે વધુમાં જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે, સાયબર ક્રાઇમની તપાસમાં સરકારે જે કરવું હોય તે કરી શકે છે. જો મને બોલાવશે તો હું તપાસ માટે સામેથી જઈશ. સરકાર મારી ધરપકડ કરશે કનિદૈ લાકિઅ તો હું જામીન પણ લઈશ નહીં.  જો સરકારે ખરેખર તપાસ કરવી હોય તો છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં જુઠ્ઠાણાઓ ફેલાવનારી કનિદૈ લાકિઅ ભાજપ સરકાર સામે કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 જૂનના રોજ રાજકોટમાં હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. 13 જૂનના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને આગામી સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. જેમાં હાર્દિકે પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ સીએમના દાવેદાર માટે લીધા હતા.  હાર્દિક પટેલના આ દાવા સામે ખૂદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રદીયો આપવાની સાથો સાથ પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સરકારને બદનામ કરવાથી માંડીને અસ્થિર કરવા માટેનું એક ષડ્યંત્ર ચાલી રહ્યું હોવાનું માનીને આ અંગેની તપાસ સાયબર ક્રાઈમને સોંપવામાં આવી છે. (7:46 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80626

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે સો ફુટ લાંબુ પોસ્‍ટર બનાવીને ફી નિયમનની સરકારની જાહેરાતો બતાવી અનોખો વિરોધઃ વાલીઓમાં ભભૂકતો રોષ
 ફોટોઃ amdavad valio no કનિદૈ લાકિઅ anokho virodh અમદાવાદઃ અહીંના  એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી કલ્બ પાસે ફિ નિયમનને લઈ વિરોધ બાબતે વાલીઓ દ્ગારા 100 ફુટ લાંબુ એક પોસ્ટર બનાવવામાં કનિદૈ લાકિઅ આવ્યું અકિલા હતું જેમાં સરકારે ફી નિયમન માટે કરેલી તમામ જાહેરાતોને દર્શાવવામાં આવી હતી. તે સાથે જ વાલીઓ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કનિદૈ લાકિઅ પણ કરવામાં આવ્યા હતા અને વાલીઓ દ્ગારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકાર વાલીઓના પગમાં પડે છે અને ચૂંટણી બાદ કનિદૈ લાકિઅ સંચાલકોના ખોળામાં બેસે છે. (7:51 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80630

ગુજરાતના છાત્રોનો મેડીકલ કવોટા હડપ કરવાનું ષડયંત્ર ! 
આવુ ગુજરાત મોડલ.....? ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો.... : ખાનગી કોચીંગ કલાસનું મસમોટુ કૌભાંડ? કનિદૈ લાકિઅ શાળામાં ડમી નામ રખાયાની શંકા : વાલીમંડળ દ્વારા દેખાવો : રાજય સરકાર ગુજરાતી છાત્રોને ન્યાય અપાવવા પ્રચંડ માંગ : શહેર માધ્યમિક શિક્ષક સંઘની કનિદૈ લાકિઅ વાલી મંડળ દ્વારા અકિલા આંદોલનનો બુંગીયો ડોમીસાઇલ કાયદા સંદર્ભે અન્યાય થતો હોય મેડિકલ એડમિશન ઇચ્છુક સેંકડો વાલીઓ-વિદ્યાર્થીઓએ રાજકોટ કનિદૈ લાકિઅ શહેર માધ્યમિક સંઘના નેજા હેઠળ દેખાવો યોજયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં વાલી મંડળના અકીલા ડો.દિનેશભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ પટેલ, રામભાઈ ગરૈયા, દેવભાઈ કનિદૈ લાકિઅ પાંધી અને સવજીભાઈ બાલાસરા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) રાજકોટ : ગુજરાતનું મોડલ સમગ્ર દેશમાં ખૂબ જાણીતુ છે. ત્યારે ગુજરાતના કનિદૈ લાકિઅ છાત્રોના અધિકાર ઉપર હવે તરાપ લાગી રહી છે. ગુજરાતી છાત્રો કદાચ મેડીકલ પ્રવેશ મેળવવામાં અન્ય પ્રાંતના વિદ્યાર્થીઓ ફાવી જાય તો નવાઈ નહિં કનિદૈ લાકિઅ ત્યારે સમગ્ર ગુજરાત રાજયમાં હવે વાલીમંડળ દ્વારા ઉગ્ર આંદોલનનો બુંગીયો ફૂંકાયો છે. આજે રાજકોટના બહુમાળી ભવન ખાતે તબીબી પ્રવેશ વાંચ્છુક કનિદૈ લાકિઅ છાત્રો અને તેના વાલીઓએ દેખાવ યોજીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.  દેખાવોમાં જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.દિનેશ ચૌહાણ, અલ્પેશભાઈ પટેલ, કનિદૈ લાકિઅ રામભાઈ ગરૈયા, દેવભાઈ પાંધી, સવજીભાઈ બાલાસરા સહિતના ૨૫૦થી વધુ વાલીઓ એકઠા થઈ અને વિરોધ વ્યકત કર્યો હતો. રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘ અને વાલી મંડળ દ્વારા મેડીકલ કવોટાનો ગુજરાતી છાત્રો માટે અબાધીત અધિકાર રહે તે માટે લડત શરૂ કરી છે. શહેર માધ્યમિક શિક્ષક સંઘે આંદોલન ચાલુ કર્યુ છે, એક યાદીમાં ઉમેર્યા પ્રમાણે,મેડિકલ એડમિશન માટે ૮૫% સ્ટેટ કવોટા માંથી માત્ર ગુજરાતના વતની હોય તેવા વિદ્યાર્થીને એડમિશન આપવાનું હોય છે જયારે ૧૫% સીટ નેશનલ કવોટા માટે હોય છે. પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર એક મોટું ષડયંત્ર રચીને પ્રાઇવેટ કોચીંગ કલાસીસ કે જેઓ બહારના રાજયોના વિદ્યાર્થીના એડમિશન ધો.૧૧-૧૨ માટે કોઇ પણ સ્કૂલમાં માત્ર ડમી નામ રાખી ગુજરાત માંથી પરીક્ષા અપાવે છે. અને લગભગ દર વર્ષે ૫૦૦ થી ૬૦૦ એડમિશન સ્ટેટ કવોટા માંથી આવા બહારના રાજયો માંથી ગુજરાતના બાળકોની મેડિકલ સીટો જુંટવી જાય છે. વધુમાં યાદીમાં જણાવ્યુ હતું કે ગુજરાત સરકારે ડોમિસાઇલ એટલે કે મુળ ગુજરાતનો રહેવાસી હોય તેવા વિદ્યાર્થી માટે કાયદો બનાવ્યો પરંતુ બહારનાં રાજયોના ૫૦૦ જેટલા એડમિશન લઇ ગયા. દરેક રાજયે પોતાના ડોમિસાઇલ માટે કાયદો બનાવ્યો છે. જેમાં સ્ટેટ કવોટાના ૮૫% એડમિશન જે તે રાજયના બાળકોને મળે પરંતુ ગુજરાતનું કટઓફ અન્ય રાજય કરતા નીચું હોય અન્ય પ્રોફેશનલ કોચીંગ કલાસ માલીકો આવું સેટીંગ કરીને ખુબ મોટી ફી ઉઘરાવીને ગુજરાતની સ્ટેટ કવોટા માંથી આપણો હકક છીનવી જાય છે. આ બાબતે આજે બહુમાળી ભવન ચોકમાં મોટી સંખ્યામાં વાલીઓ-વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા, અને દેખાવો યોજી જે તે જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી.(૩૭.૧૨) (3:24 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/19-06-2018/97990


જિલ્લા પંચાયત કોંગ્રેસમાં બળવોઃ આહીર-પાટીદાર મહિલા વચ્ચે જંગ
 દેખીતી ખાટરિયા જુથની બહુમતી છતા ભાજપે ઝંપલાવ્યું: કાલે મોટી ભાંગફોડની તૈયારી : કોંગ્રેસના કનિદૈ લાકિઅ ઉમેદવાર અલ્પાબેન ખાટરિયા સામે કોંગ્રેસના જ ભાનુબેન તળપદાની ઉમેદવારીઃ કિરણબેન આંદીપરાનો ટેકોઃ ઉપપ્રમુખ પદ માટે સુભાષભાઇ માંકડિયા સામે ધ્રુપદબા કનિદૈ લાકિઅ મેદાને અકિલા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસના બળવાખોર મનાતા ભાનુબેન ધીરૂભાઈ તળપદાએ તથા ઉપપ્રમુખ પદ માટે ધ્રુપદબા જાડેજાએ કનિદૈ લાકિઅ ફોર્મ રજૂ કરેલ તે પ્રસંગની તસ્વીર(૨-૩૧) : જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે કોંગ્રેસવતી અકીલા અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયા અને ઉપપ્રમુખ પદ માટે કનિદૈ લાકિઅ સુભાષભાઇ માંકડિયાએ ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા સમક્ષ ફોર્મ ભરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરિયા) રાજકોટ, તા. ૧૯ :. કોંગ્રેસ કનિદૈ લાકિઅ શાસિત જિલ્લા પંચાયતમાં આખરે બળવાનું બ્યુંગલ ફુંકાયુ છે. ભાજપના બે સભ્યો હોવા છતા ભાજપે આવતીકાલે ચૂંટણી વખતે કોંગ્રેસમાં મોટી ભાંગફોડ કનિદૈ લાકિઅ કરાવવાની આશા સાથે ઝંપલાવ્યુ છે. કોંગ્રેસના પ્રમુખ પદના સત્તાવાર ઉમેદવાર અલ્પાબેન ખાટરીયા અને ઉપપ્રમુખ પદ માટે સુભાષભાઈ માંકડીયાએ ફોર્મ ભર્યુ કનિદૈ લાકિઅ છે. તેની સામે ભાજપે પણ બે ફોર્મ ભરાવતા ગરમાવો આવી ગયો છે. દેખીતી રીતે ખાટરીયા-બાવળીયા જુથની બહુમતી છે. તેમના કેમ્પમાં ૨૪ સભ્યો હાજર હોવાનો કનિદૈ લાકિઅ દાવો છે. જો તેમાથી પુરતા સભ્યો ખડે તો જ કોંગ્રેસના બાગીઓને જીતની તક રહે છે. આવતીકાલે સવારે ૧૧ વાગ્યે કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણી માટેની સામાન્ય સભામાં બળાબળના પારખા થઈ જશે. કોંગ્રેસના અલ્પાબેન ખાટરીયા સામે કોંગ્રેસમાથી ચૂંટાયેલા અને છેલ્લા કેટલાક સમયથી બીનસત્તાવાર રીતે ભાજપ તરફ વળેલા ભાનુબેન ધીરૂભાઈ તળપદાએ ફોર્મ ભર્યુ છે. ભાનુબેનના ટેકામાં કોંગ્રેસના બીજા સભ્ય કિરણબેન કિશોરભાઈ આદિપરાએ સહી કર્યાનું ધીરૂભાઈએ જણાવ્યુ હતું. ઉપપ્રમુખ પદ માટે ભાજપ પક્ષના નેતા ધ્રુપદબા જાડેજાએ ફોર્મ ભર્યુ છે. તેને દરખાસ્તમાં ભાજપના સોનલબેન શિંગાળાએ ટેકો આપ્યો છે. ધીરૂભાઈના કહેવા મુજબ અત્યારે કોંગ્રેસના બે જ સભ્યો ખુલ્લામાં આવ્યા છે પરંતુ આવતીકાલે જીત માટે જરૂરી સભ્યનો ખુલ્લો ટેકો મળી રહેશે. ખાટરીયાના કેમ્પમાં રહેલા અને બહાર રહેલા ૧૫ થી ૨૦ સભ્યો ભાજપના સંપર્કમાં અને સહયોગમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયતના રાજકારણમાં અચાનક વળાંક આવી ગયો છે. ભાજપના બે સભ્યો ઉપરાંત કોંગ્રેસના અમુક સભ્યો સામે આવતા ચૂંટણીની નોબત આવી છે. આવતીકાલે જિલ્લા પંચાયતમાં નવો રાજકીય ઈતિહાસ રચાશે. (3:23 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/19-06-2018/97989

આજે - કાલે ભાજપ ધાક - ધમકી - સત્તાનો દુરૂપયોગ ન કરે તે માટે મુ.સચિવ - DGPને કોંગ્રેસનો પત્ર 
પ્રમુખ - ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપ ધમકી અને સત્તાનો ડર બતાવે કનિદૈ લાકિઅ છે અમદાવાદ તા. ૧૯ : જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કોંગ્રસે માંગણી કરી છે કોંગ્રેસે કનિદૈ લાકિઅ ભાજપ પર આક્ષેપ અકિલા કરીને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ કરતો પત્ર મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનર અને રાજયના પોલીસ વડાને લખ્યો કનિદૈ લાકિઅ છે.ઙ્ગ જેમાં ૧૯ અને ૨૦ જૂને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માગ સાથે ભાજપ અકીલા પર આક્ષેપ કર્યા છે.ઙ્ગઙ્ગ ઙ્ગ કોંગ્રેસે આક્ષેપ કર્યા કનિદૈ લાકિઅ છે કે, ભાજપ સરકાર ધાકધમકી અને સત્તાનો દુરૂપયોગ કરી રહી છે.ઙ્ગ જિલ્લા અને તાલુકા પંચાયતોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.ઙ્ગ જેથી ચૂંટણી પ્રક્રિયાની કનિદૈ લાકિઅ વીડિયોગ્રાફી કરવામાં આવે. મહત્વનું છે કે, તાલુકા-જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી કનિદૈ લાકિઅ છે. તેવામાં કોંગ્રેસને આશંકા છે કે, તેમના હસ્તક રહેલી તાલુકા-જિલ્લા પંચાયત પણ ભાજપ છીનવી ન લે તે માટે કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો કનિદૈ લાકિઅ છે. (૨૧.૧૪) (1:13 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80610


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment