સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 13 June 2018

જળસંચયના તાયફા વચ્ચે વંથલીની ઉબેણ નદીમાં પકડાયું કરોડોનું ખનીજ ચોરી કૌભાંડ - મોડાસા ભાજપમાં ભુકંપ:અપક્ષના ટેકાથી સતા જાળવી રાખ્યાના કલાકો બાદ ભાજપના છ સભ્યોના રાજીનામાં - સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે ૩૧ ઓક્ટોબરે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફુંકશેઃ - કેન્દ્રની યોજના : મહિને ૮૪ રૂ. આપો અને વર્ષે ૨૪૦૦૦ મેળવો! - પ્રધાનમંત્રી આવાસ યોજના : સબસીડીવાળા ઘરોના કાર્પેટ એરિયામાં વધારો - પાયમાલી માટે નોટબંધી જવાબદાર : વીડિયોકોને પીએમ મોદી પર ફોડ્યું ઠીકરું - જામખંભાળિયાના મામલતદારની સિંઘમ સ્ટાઇલ : રેકોર્ડ જમા નહીં કરાવતા 5 ગામના તલાટીઓ સામે વોરંટ ઇસ્યુ કરાવ્યા - મોદી સરકારની આર્થિક નીતિથી જનતામાં ભારે નિરાશા : RBI સર્વેક્ષણ - વચનો 'અચ્છે દિન'ના આપ્યા પણ આવ્યા 'બુરે દિન' - વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકને નાદાર જાહેર કરતી એનસીએલટી - મગફળીકાંડમાં સરકારી તંત્રની મિલીભગત કૃષિમંત્રી ફળદુ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે - સરકારના બધા જ વિભાગો-જિલ્લાઓ પર સીધી CM રાખશે સીધી નજર - CMએ કાફલો રોકી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


જળસંચયના તાયફા વચ્ચે વંથલીની ઉબેણ નદીમાં પકડાયું કરોડોનું ખનીજ ચોરી કૌભાંડ

 વંથલીનાં ખેડૂત પર હુમલાની ઘટના બાદ નિદ્રાંધીનતંત્રએ હરકતમાં આવી કાર્યવાહી કરી
જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના તલીયાધર ગામેથી પસાર થતી ઉબેણ નદીમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. તંત્રએ સ્થળ પરથી 2 લોડર, 36 ટ્રેકટરને ઝડપી લઇ કુલ 1.64 કરોડનો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન અન્ય ટ્રેકટર ચાલકો નાસી જતા તેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. તાજેતરમાં વંથલીમાં બનેલી ઘટના બાદ તંત્રએ હરકતમાં આવી કામગીરી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં વંથલીમાં ખનીજ ચોરીની ઘટનાએ માઝા મૂકી હતી. રેત માફીયાઓનો આંતક પણ દિન પ્રતિદિન વધી રહ્યો હતો. આવા રેત માફિયા સામે અવાજ ઉઠાવનાર નયન કલોલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવના ઉગ્ર પડઘા પડયા હતા અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ તાલુકાના તલીયાધર ગામે ઉબેણ નદીમાં થતું હતું ગેરકાયદે ખનન
બાદમાં પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. બાદમાં આ મામલે સ્થિતી વધુ તંગ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને લીઝ રદ કરી દીધી હતી. ત્યાર બાદ તંત્રઅે ખનીજ માફિયા સામે કાર્યવાહી શરૂ કરી હતી. દરમીયાન જૂનાગઢ તાલુકાના તલીયાધર ગામેથી પસાર થતી ઉબેણ નદીમાંથી રેતી ચોરી થતી હોવાની બાતમી મળતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીની સૂચનાથી પ્રાંત અધિકારી જવલંત રાવલ અને તેની ટીમ,મામલતદાર ગ્રામ્ય અને ખાણખનીજ વિભાગે પોલીસ પ્રોટેકશન સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 2 લોડર તેમજ 36 ટ્રેકટર મળી આવતા કુલ મળી 1.64 કરોડનો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે.
ડ્રાઇવરો , માલિકો હાજર થઇ ગયા
રેતી ચોરીમાં વપરાતી સાધન સામગ્રી ઝપ્ત કરતા તેના ડ્રાઇવરો અને માલીકોમાં દોડધામ મચી ગઇ હતી. ડ્રાઇવરો તેમજ માલીકો હાજર થઇ ગયા હતા. હવે તેમની પાસેથી દંડની રકમ વસુલ કરવામાં આવશે. દંડની રકમ ભર્યા બાદ વાહનો મુકત કરવામાં આવશે. - એ.વી. આંકોલકર,ખાણ ખનીજ વિભાગના અધિકારી
દંડની રકમ વસુલ કરવામાં આવશે
જે વાહનો પકડાયા છે તેમના માલીકોને દંડ ફટકારવામાં આવશે. એક ટ્રેકટરના 25000 રૂપિયા અને લોડરના 50000 લેખે દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત રેતીની ચોરીની રકમ પણ નક્કી કરવામાં આવશે. રેતીમાં કેટલી રેતી કાઢવામાં આવી તેનું ચેકિંગ, માપણી કરવામાં આવશે અને 1 મેટ્રીક ટન દિઠ 240 રૂપીયા લેખે રકમ ઉમેરવામાં આવશે.
નાસી છૂટેલાની શોધખોળ 
રેત ચોરી અંગે પાડેલા દરોડા દરમિયાન 36 ટ્રેકટર અને 2 લોડરને ઝપ્ત કરી લેવાયા છે. જયારે 8 થી વધુ ટ્રેકટર ચાલકો નાસી છૂટયા છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
તાજું જ ખોદાણ કરેલ હોવાનું જણાય છે
આ સ્થળેથી ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવતી હતી. જોકે તાજું જ ખોદાણ હોવાનું જણાઇ રહ્યું છે. 2 ટ્રેકટર ભરેલા હતા અને બાકીના ભરવાની તૈયારીમાં હતા ત્યાંજ તંત્ર ત્રાટકયું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-seized-of-rs-1-gujarati-news-5893768-NOR.html?ref=ht

મોડાસા ભાજપમાં ભુકંપ:અપક્ષના ટેકાથી સતા જાળવી રાખ્યાના કલાકો બાદ ભાજપના છ સભ્યોના રાજીનામાં 
હજુ પણ ચાર જેટલા ભાજપાના સદસ્યો રાજીનામા આપે તેવી શક્યતા કનિદૈ લાકિઅ મોડાસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપાએ અપક્ષોની મદદથી સત્તા જાળવી રાખી હતી,તેના કલાકોમાં જ ભાજપાના નારાજ સદસ્યોએ પ્રમુખની કનિદૈ લાકિઅ પસંદગી સામે અકિલા ઉઠાવ્યો હતો અને છ સદસ્યોએ રાજીનામા ધરી દીધા હતા. ૧૮ બેઠકો ધરાવનાર ભાજપાના છ સદસ્યોના રાજીનામાથી ભાજપામાં ભૂકંપ જેવી સ્થિતિ કનિદૈ લાકિઅ સર્જાઈ છે. હજુ પણ ચાર જેટલા ભાજપાના સદસ્યો રાજીનામા આપે તેવી શક્યતાઓ છે અકીલા ત્યારે આગામી દિવસોમાં મોડાસા પાલિકામાં સત્તાના સમીકરણો કનિદૈ લાકિઅ બદલાય તો નવાઈ નહી.    મોડાસા નગરપાલિકામાં ૩૬ બેઠકો પૈકિ ભાજપા પાસે ૧૮,કોંગ્રેસ પાસે ૧૦ અને અપક્ષમાંથી ૮ સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા.બહુમતી કનિદૈ લાકિઅ માટે ૧૯ બેઠકોનો જાદુઈ આંકડો કોઈની પાસે ના હોય પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી. ભાજપા માટે સત્તા મેળવવા અપક્ષો ઉપર મદાર રાખવામાં કનિદૈ લાકિઅ આવ્યો હતો અને આખરે પાંચ અપક્ષ સદસ્યોના ટેકાથી ર૩ મત સાથે સત્તા જાળવી રાખી હતી. જો કે ભાજપામાં છેલ્લા એક માસથી પ્રમુખપદ માટે ૧૩ અને પાંચ કનિદૈ લાકિઅ સદસ્યોના જૂથ વહેચાયા હતા. બંને જૂથોએ પ્રમુખપદ માટે એડીચોટીનુ જોર લગાવી દઈ ભાજપાના હાઈ કમાન્ડ સુંધી રજુઆતો કરી પરંતુ પાર્ટીએ પ્રમુખ તરીકે કનિદૈ લાકિઅ સુભાષભાઈ શાહની પસંદગી કરતાં ૧૩ સદસ્યોનુ જૂથ નારાજ થયુ હતુ (8:46 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-06-2018/80154

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે ૩૧ ઓક્ટોબરે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફુંકશેઃ 
પાટીદારોની કનિદૈ લાકિઅ નારાજગી દૂર કરવા મદદ કરશે અમદાવાદઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્‍ટેચ્યુ ઓફ યુનિટીનું ૩૧મી ઓક્ટોબરના રોજ કનિદૈ લાકિઅ તેમના હસ્‍તે અકિલા અનાવરણ કરવામાં આવશે. ખંડી પુરુષ સરદાર પટેલનું આ 182 મીટર ઉંચું સ્ટેચ્યુ દુનિયાનું સૌથી વિશાળ સ્ટેચ્યુ હશે. એટલું જ નહીં, કનિદૈ લાકિઅ આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાની સાથે પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીનું પ્રચાર અકીલા અભિયાન પણ શરુ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ કનિદૈ લાકિઅ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે શરુ કરાવ્યો હતો. સરદારના 143મા જન્મદિને તેનું અનાવરણ કરવામાં આવશે. ચીફ સેક્રેટરી જેએન સિંઘે જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે , 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો, અને તેનું કનિદૈ લાકિઅ અનાવરણ તેમના જ હાથે થશે. 31મી ઓક્ટોબરે થનારો આ કાર્યક્રમ માત્ર સરદારના સ્ટેચ્યુને જ ખૂલ્લું મૂકવાનો નહીં હોય. તેના દ્વારા પાટીદાર સમુદાયને કનિદૈ લાકિઅ પોતાના તરફ ફરી આકર્ષિત કરવાનો પ્રયાસ પણ હશે. મહત્વનું છે કે, અનામતની માગ સાથે પાટીદારો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, અને ભાજપથી કનિદૈ લાકિઅ તેઓ હાલમાં ખફા છે. ભાજપને આશા છે કે, સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદારોની નારાજગી દુર કરવામાં મદદ કરશે. આ સ્ટેચ્યુનું ખાતમૂર્હુત 31 ઓક્ટોબર, 2013ના રોજ પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. તેને સરદાર સરોવર ડેમથી 3.32 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. 3000 કરોડ રુપિયાના આ પ્રોજેક્ટને પીપીપી મોડેલ પર બનાવાઈ રહ્યો છે. એલએન્ડટી દ્વારા આ સ્ટેચ્યુનું નિર્માણ થઈ રહ્યું છે. તેનું કામ શરુ થયું ત્યારે પીએમ મોદીએ આખા ભારતમાંથી તેના માટે ખેડૂતોને લોખંડનું દાન કરવા અપીલ કીર હતી. આ સ્ટેચ્યુ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી ગુજરાત સરકારને આશા છે. 182 મીટર ઉંચા આ સ્ટેચ્યુમાં લિફ્ટ દ્વારા ઉપર સુધી જઈ શકાય તેવી પણ વ્યવસ્થા છે, અને ત્યાંથી સરદાર સરોવર ડેમનો નયનરમ્ય નજારો જોઈ શકાશે. (6:27 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-06-2018/80128

કેન્દ્રની યોજના : મહિને ૮૪ રૂ. આપો અને વર્ષે ૨૪૦૦૦ મેળવો!
 ૧૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધી માસિક પેન્શન દર મહિને મળતું રહેશે નવી દિલ્હી તા. ૧૩ : અટલ પેન્શન કનિદૈ લાકિઅ યોજના (APY)ને વર્ષ ૨૦૧૫માં નરેન્દ્ર મોદી સરકારે લોન્ચ કરી હતી. આ પેન્શન યોજના મુખ્યત્વે બિનસંગઠિત ક્ષેત્ર પર કેન્દ્રિત છે અને રોકાણકારો ખૂબ કનિદૈ લાકિઅ ઓછી રકમનું અકિલા રોકાણ કરી સારી એવી રકમ પાછી મેળવી શકે છે. એક વ્યકિતને ઓછામાં ઓછું માસિક રિટર્ન પ્રાપ્ત કરવા માટે ૧૮થી ૪૦ વર્ષની ઉંમર કનિદૈ લાકિઅ વચ્ચે પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરવાનું રહે છે. ત્યાર બાદ તેને ૧૦૦૦ અકીલા રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા સુધી માસિક પેન્શન દર મહિને મળતું રહેશે. જોકે કનિદૈ લાકિઅ રિટર્ન એ વ્યકિત કઈ ઉંમરે અને કેટલું રોકાણ કરવાનું શરૂ કરે છે, તેની પર નિર્ભર કરે છે. આ યોજના અંતર્ગત વ્યકિત ત્રણ રીતે ચુકવણી કનિદૈ લાકિઅ કરી શકે છે – માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક. આનો અર્થ એ છે કે, ૬૦ વર્ષની ઉંમર બાદ ૨૦૦૦ રૂપિયા દર મહિને મળશે. એનએસડીએલની વેબસાઇટના મુજબ, કનિદૈ લાકિઅ ૪૨ વર્ષ માટે રોકાણ કરી તમે પેન્શન ૨૪,૦૦૦ રૂપિયા સુધી વધારી શકો છો. તે માટે વ્યકિતને બસ એક બેંક કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલવાનું કનિદૈ લાકિઅ રહેશે. APY ફોર્મ ઓનલાઇન ઉપરાંત તમામ બેંકોની વેબસાઇટ પર મળી રહે છે. યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકે ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરવાનું રહેશે. તેમાં કનિદૈ લાકિઅ જરૂરી જાણકારી ભર્યા બાદ ફોર્મ નજીકની બેંકમાં જમા કરાવવાનું રહેશે. આ સાથે જરૂરી કાગળો પણ ફોર્મમાં સંલગ્ન કરવાના રહેશે. ૬૦ વર્ષની ઉંમર બાદ APYમાંથી બહાર નીકળી શકો છો. પેન્શનની કુલ રકમ વ્યકિતને ૧૦૦ ટકા વાર્ષિકીકરણની સાથે આપવામાં આવશે. કોઈ પણ કારણસર સબ્સક્રાઇબરનું જો મૃત્યુ થઈ જાય તો પેન્શનની રકમ તેના પતિ કે પત્નીને મળશે અને બંનેનું મૃત્યુ થાય તો પેન્શન કોર્પસ તેના નોમિનીને તે રકમ પાછી આપી દેશે. ૬૦ વર્ષ પહેલાં યોજનામાંથી બહાર નીકળી નહિ શકો. જોકે કેટલીક પરિસ્થિતિઓ, જેવી કે લાભાર્થીનું મોત થાય કે ગંભીર બીમારી થાય તો, યોજનામાંથી બહાર નીકળી શકાય છે. APY ૧૮-૪૦ વર્ષ વચ્ચે ભારતના તમામ નાગરિકો પર લાગુ થાય છે. એટલે કે કોઈ પણ વ્યકિત તેનો લાભ લઈ શકે છે. આધાર પ્રાથમિક કેવાયસી હશે. યોજનાના સંચાલનની સરળતા માટે ગ્રાહકોને આધાર અને મોબાઇલ નંબર મેળવવા માટે કહેવામાં આવે છે. (10:05 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-06-2018/135795


પ્રધાનમંત્રી આવાસ યોજના : સબસીડીવાળા ઘરોના કાર્પેટ એરિયામાં વધારો
 ૨૧૦૦ વર્ગ ફુટના ઘર માટે પણ સબસીડી આપશે મોદી સરકારઃ MIG-1ના ઘરો માટે કાર્પેટ એરિયા વધારી કનિદૈ લાકિઅ ૧૬૦ વર્ગ મીટર અને MIG-2 શ્રેણી માટે ૨૦૦ વર્ગ મીટર કરી દેવાયો નવી દિલ્હી તા. ૧૩ : જો તમારી વાર્ષિક આવક રુ. ૧૮ લાખ સુધી હોય અને તમને કનિદૈ લાકિઅ ત્રણ અથવા ચાર અકિલા બેડરૂમવાળો ૨૧૦૦ ચો.ફૂ.નો ફલેટ અથવા ઘર ખરીદવા માગો છો તો હવે તમને પણ રૂ. ૨.૩૦ લાખની વ્યાજ સબ્સિડી મળશે. મોદી સરકારે હવે કનિદૈ લાકિઅ નવું ઘર ખરીદતા લોકો માટે મોટા ઘરનો વિકલ્પ પણ ખોલી નાખ્યો છે. મંગળવારે આવાસ અકીલા અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મધ્યમ આવક સમૂહ(MIG) કનિદૈ લાકિઅ માટે વડાપ્રધાન આવાસ યોજના(PMY) અંતર્ગત વ્યાજ સબસિડીનો લાભ મેળવવાપાત્ર ઘરોના કાર્પેટ એરિયામાં ૩૩% જેટલો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે કનિદૈ લાકિઅ ક્રેડિટ લિંક સબસિડી યોજનાના(CLSS) ક્ષેત્રમાં આવતા મધ્યમ આવક સમૂહની પહેલી કેટેગરી MIG-1 ઘરનો કાર્પેટ એરિયા વધારીને ૧૬૦ ચો.મી. અને MIG-2 કેટેગરીના કનિદૈ લાકિઅ ઘરનો કાર્પેટ એરિયા વધારીને ૨૦૦ ચો.મી. કરી દીધો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી MIG-1 કેટેગરીના ઘરમાં ૧૨૦ ચો.ફૂટ કાર્પેટ એરિયા અને કનિદૈ લાકિઅ MIG-2 કેટેગરીના ઘરમાં ૧૫૦ ચો. ફૂટ કાર્પેટ એરિયા નક્કી કરવામાં આવ્યો હતો. મોદી સરકારની ક્રેડિટ લિંક સબસિડી યોજના અંતર્ગત MIG-1 કેટેગરીના કનિદૈ લાકિઅ ખરીદદારોને ૨.૩૫ લાખ રુપિયા અને MIG-2 કેટેગરીના ઘર ખરીદદદારોને ૨.૩૦ લાખ રૂપિયા સબસિડીનો સીધો ફાયદો મળે છે. હકીકતમાં સરકારે ગત વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન આવસ યોજના એવા લોકો માટે લાગૂ કરી હતી જેમની વાર્ષિક આવક ૬-૧૨ લાખ રૂપિયા હોય અને બીજી શ્રેણીમાં ૧૨-૧૮ લાખ રૂપિયા વાર્ષિક આવક હોય. જે પૈકી ૬-૧૨ લાખ વાર્ષિક આવક ધાવતા લોકોને સરકારે MIG-1 કેટેગરીમાં રાખ્યા હતા. આ લોકો માટે સ્કીમ એ રીતે હતી કે જો આ કેટેગરીમાં આવતા લોકો લોન દ્વારા ઘર ખરીદે છે તો તેમની લોનની કુલ રકમના ૯ લાખ રૂપિયા પર જે પણ વ્યાજ લાગશે તે પૈકી ૪% વ્યાજ સરકાર સબસિડીના રૂપમાં આપશે. આ જ રીતે બીજી શ્રેણીના લોકો માટે એ નક્કી કરવામાં આવ્યું હતું કે જો તેઓ લોન લઈને મકાન ખરીદે છે તો ૧૨ લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર ૩% વ્યાજ સબસિડી રૂપે સરકાર ચૂકવશે. હવે નવા નિયમ મુજબ વાર્ષિક ૬-૧૨ લાખ આવક ધરાવતા MIG-1 કેટેગરીના લોકો ૧૬૦ ચો.મીટર(૧૭૨૨ ચો.ફૂ.)નો ફલેટ કે ઘર ખરીદી પર આ સબસિડી મેળવી શકશે. જયારે ૧૨-૧૮ લાખ સુધીની આવક ધરાવતા MIG-2 કેટેગરીના લોકો હવે ૨૦૦ ચો.મીટર(૨૧૫૩ ચો.ફૂ.)નો ફલેટ ખરીદીને પણ આ યોજનાનો લાભ લઈ શકશે.(૨૧.૫) (10:02 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-06-2018/135792


પાયમાલી માટે નોટબંધી જવાબદાર : વીડિયોકોને પીએમ મોદી પર ફોડ્યું ઠીકરું
 નવી દિલ્હી: વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 39,000 કરોડ રૂપિયાના દેવા માટે વડાપ્રધાન કનિદૈ લાકિઅ નરેન્દ્રભાઈ મોદી, સુપ્રીમ કોર્ટ અને બ્રાઝીલ સરકાર પર ઠીકરું ફોડ્યું છે. ગત સપ્તાહે રૂપિયા આપનારાઓની અરજી સ્વીકાર કર્યા બાદ નેશનલ કનિદૈ લાકિઅ કંપની લો ટ્રિબ્યૂનલ અકિલા વીડિયોકોન સામે બેન્ક્રપ્સી લો અંતર્ગત સુનાવણી કરી રહ્યું છે. આ લોન આપનારાઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ સામેલ છે. કનિદૈ લાકિઅ લોન આપનારાઓની માગ છે કે, આગામી 6 મહિનામાં કંપનીની બોલી લગાવવામાં આવે.   પોતાના અકીલા બચાવમાં વીડિયોકોને પણ અરજી કરી છે. કંપનીનું કહેવું કનિદૈ લાકિઅ છે કે, વડાપ્રધાન દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને કારણે કેથોડ રે ટ્યૂબનો સપ્લાય બંધ થઈ ગયો અને એ કારણે ટેલીવિઝનનો બિઝનેસ ઠપ થઈ ગયો. બ્રાઝીલમાં કનિદૈ લાકિઅ રેડ ટેપને કારણે ગેસ અને ઓઈલ બિઝનેસ પ્રભાવિત થયો અને સુપ્રીમ કોર્ટ દ્વારા લાઈસન્સ કેન્સલ કરાયા બાદ ટેલિકોમ્યુનિકેશન્સ બિઝનેસ પણ કનિદૈ લાકિઅ રોકાઈ ગયો.    અત્રે ઉલ્લેખનીય છે કે, ગત પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 96 ટકાનો ઘટાડો થયો છે. મંગળવારે તેના એક શેરની કિંમત માત્ર 7.56 રૂપિયા કનિદૈ લાકિઅ રહી. આ રીતે કંપની દેવાળું ફૂંકવાના આરે આવી ગઈ છે (12:12 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-06-2018/135785

જામખંભાળિયાના મામલતદારની સિંઘમ સ્ટાઇલ : રેકોર્ડ જમા નહીં કરાવતા 5 ગામના તલાટીઓ સામે વોરંટ ઇસ્યુ કરાવ્યા 
જામખંભાળિયામાં મામલતદાર સિંઘમ સ્ટાઇલ અપનાવી કનિદૈ લાકિઅ પાંચ ગામના તલાટી સામે વોરંટ ઇસ્યુ કરાવ્યા છે તલાટીને બે દિવસમાં રેકોર્ડ જમા કરાવવા કારણદર્શક નોટિસ આપી હતી પરંતુ બે દિવસ બાદ પણ રેકોર્ડ કનિદૈ લાકિઅ જમા ન થતા આખરે અકિલા પીએસઆઇને ધરપકડ વોરંટ ઇશ્યુ કરવા હુકમ કરવામાં આવ્યો છે. વોરંટ ઇસ્યુ કરતા જ તમામ તલાટીઓ મામલતદાર સમક્ષ હાજર થઇ ગયા હતા. કનિદૈ લાકિઅ તલાટીઓના મતે તમામ રેકોર્ડ રજૂ કરવા છતાં ખોટી કાર્યવાહી કરાઇ છે. મામલતદારે અકીલા ભાણ ખોખરી, માંઝા મોટા આંબલા, મોવાણ, આંબરડી ગામના તલાટીઓ કનિદૈ લાકિઅ સામે વોરંટ ઇશ્યુ કર્યા હતા.    મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયા તાલુકાના ૫ તલાટી કમ મંત્રીઓને ૬ નંબરના રેકર્ડ રજુ કનિદૈ લાકિઅ નહીં કરતા મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરી જેલમાં ધકેલવા આદેશ કરાયો છે જેના પગલે તલાટી કમ મંત્રીઓમાં હોબાળો મચી ગયો છે. આ આદેશના કનિદૈ લાકિઅ પગલે તાબળતોબ ૪ તલાટી કમ મંત્રીઓ યુનિયનના હોદેદાર સાથે મામલતદાર સમક્ષહાજર થયા છે. અને રેકર્ડ જમા કરવવા અંગે સ્પષ્ટતા કરી છે. કોણ અને ક્યાં કનિદૈ લાકિઅ ગામના છે. તલાટી કમ મંત્રી મોટા આંબલા- કૃષ્ણ સિંહ જાડેજા મોવાણ-વિજય મકવાણા આંબરડી-એન.પી.ચેતરિયા ભાણ ખોખરી- દીપકભાઈ અંજારા માંઝા-વી.એન.ગોદિયા (9:23 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-06-2018/89562

મોદી સરકારની આર્થિક નીતિથી જનતામાં ભારે નિરાશા : RBI સર્વેક્ષણ - વચનો 'અચ્છે દિન'ના આપ્યા પણ આવ્યા 'બુરે દિન' 

- સર્વેક્ષણ મુજબ ૪૮ ટકા લોકોનું માનવું છે કે દેશની આર્થિક સ્થિતિ અતિ ખરાબ, ૭૯.૨ ટકા જનતા મોંઘવારી વધ - દેશના ૪૪.૨ ટકા લોકો કહે છે કે રોજગારીમાં સરકારે નિરાશ કર્યા, પરિસ્થિતિ કથળી રહી છે નવી દિલ્હી, તા. 12 જૂન 2018, મંગળવાર આરબીઆઇ દ્વારા જારી એક સરવે મોદી સરકાર માટે આગામી લોકસભાની ચૂંટણીમાં ખતરાની ખંટડી સમાન છે. આ સરવેમા જણાવવામાં આવ્યું છે કે   ૭૨.૮ ટકા લોકોએ જણાવ્યુ છે કે મોદી સરકારના કાર્યકાળમાં જનતાની આવકમાં ૦ ટકાનો વધારો થયો છે, એટલે કે તેઓની આવરમાં કોઇ જ ફરક નથી પડયો. જ્યારે ૭૯.૨ લોકોએ જણાવ્યું હતું કે મોંઘવારીને કારણે તેમને ભારે નુકસાન થયું છે. સાથે ૭૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે એક વર્ષમાં મોંઘવારીમાં મોટા પ્રમાણમાં વધારો થશે. જ્યારે માત્ર ૫.૫ ટકા લોકોએ જ કહ્યું હતંુ કે એક વર્ષમાં મોંઘવારી ઓછી થશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કન્ઝ્યુમર કોન્ફિડેંસ સરવે કરાવવામા આવ્યો હતો. જેમાં મોદી સરકારના સારા અને નબળા પાસા સામે આવ્યા છે. આરબીઆઇએ મે માસમાં આ સરવે કરાવ્યો હતો. દેશની અર્થવ્યવસ્થા અંગે લોકો શું વિચારી રહ્યા છે તે જાણવા માટે છ મેટ્રો શહેરોમાં આ સરવે કરાવવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ, ચેન્નાઇ, કોલકાતા અને હૈદરાબાદનો સમાવેશ કરાયો હતો. સરવેમાં લોકો પાસેથી ચાર મુદ્દાઓને લઇને માહિતી લેવામાં આવી હતી જેમાં રોજગારી, મોંઘવારી, આવક અને ખર્ચનો સમાવેશ કરાયો હતો. લોકોને વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં શું પરિસ્થિતિ રહેશે તેને લઇને સવાલો પૂછવામાં આવ્યા હતા. સરવેમાં આવક અંગે ૫૦.૮ લોકોએ જણાવ્યું હતું કે એક વર્ષમાં આવકમા વધારો થઇ શકે છે. ૩૮.૯ લોકોને આવી કોઇ આશા નથી. જ્યારે બીજી તરફ મોદી સરકારના કાર્યકાળમાં ૪૮.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની આવકમાં કોઇ જ ફરક નથી પડયો. તો વળી ૨૩.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની આવકમાં વધારો તો નથી થયો પણ ઉલટા મોદી સરકારના કાર્યકાળમાં ઘટાડાનો સામનો કરવો પડયો છે. ખર્ચ અંગે પણ લોકોએ નિરાશાજનક અભિપ્રાય આપ્યો છે. ૮૪.૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે આગામી વર્ષ સુધી તેમના ખર્ચમાં વધારો થશે. અને ૭૯.૨ ટકા લોકોએ જણાવ્યું છે કે મોંઘવારીએ માજા મુકી છે. એનો મતલબ એમ થયો કે લોકો મોંઘવારીને કારણે પણ નારાજ છે અને આવા લોકોની સંખ્યા ૭૯.૨ ટકા છે. તેવી જ રીતે રોજગારી પણ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. જોકે રોજગારીને લઇને પણ જનતા ખુશ નથી. દેશમાં ૪૪.૧ ટકા લોકોનું માનવું છે કે રોજગારીની સ્થિતિ હાલ કફોડી છે અને તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની આર્થિક સ્થિતિ અંગે સરવેમાં હાલ દેશમાં મોદી સરકારના કાર્યકાળમાં આર્થિક સ્થિતિ પણ કફોડી જ છે અને તેમાં કોઇ જ સુધારો નથી થયો. એટલે કે ખુદ આરબીઆઇના સરવેમાં જ મોદી સરકાર ખુલ્લી પડી ગઇ છે અને જે દાવા કરાયા હતા તે પણ અધુરા હોવાનું પુરવાર થયું છે. આર્થિક નીતિયોં પર સરકારની રેટિંગ -૧૬.૧ આર્થિક નીતિયોંને લઇને સરકારની રેટિંગ માઇનસ ૧૬.૧ આવી છે, એટલે કે આર્થિત નીતિયોમાં પણ મોદી સરકાર નિષ્ફળ રહી છે તેમ આ સરવેના તારણમાં બહાર આવ્યું છે. ૨૦૧૪ના સરવે હાલમા મે ૨૦૧૮ના સરવેની સરખામણી કરવામાં આવી છે જેના આધારે આ ઘટાડો નોંધાયો છે. અને એવા વોકોની સંખ્યા વધી છે કે જેઓ માની રહ્યા છે કે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થવાને બદલે હાલત કથળી ગઇ છે. ૨૦૧૪માં ૩૦.૨ ટકા લોકોનું માનવુ હતું કે નોકરીઓમાં વધારો થઇ રહ્યો છે. જોકે હવે આટલો સમય વિત્યા બાદ જનતા નિરાશ છે અને ૪૪.૧ ટકા લોકોનું કહેવું છે કે રોજગારીમાં કોઇ જ વધારો નથી થયો.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/modi-government-s-economic-policies-disappointment-among-the-people-rbi-survey

વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકને નાદાર જાહેર કરતી એનસીએલટી
 -રૃા.૫૩૮૩ કરોડના બેંકલોન કૌભાંડમાં (પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.12 જુન 2018,મંગળવાર આંધ્રબેંકની રૃા.૫૩૮૩ કરોડની બાકી વસૂલાત અંગે સ્ટર્લિંગ ગુ્રપ ઓફ કંપનીની સ્ટર્લિંગ બાયોટેકને નાદાર જાહેર કરવાની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કરવામાં આવી હતી. જેને માન્ય રાખી સ્ટર્લિંગ ગુ્રપના સંચાલકોની નાદારી જાહેર કરી છે તે બાદ હવે મિલકત હરાજીની પ્રક્રિયા શરૃ થશે. વડોદરાની સ્ટર્લિંગ ગુ્રપ ઓફ કંપનીના સંચાલકો નીતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ બોગસ કંપનીઓ ઊભી કરીને વિવિધ રાષ્ટ્રિય કૃત બેંકોમાંથી બોગસ પુરાવાના આધારે કરોડો રૃપિયાની લોનો મેળવી હતી. બેંકની લોનો મેળવી તેનાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા અને સાંડેસરાએ હવાલાથી એ નાણાં પરત દેશમાં લાવ્યા હતા. જે અંગે થોડા સમય પહેલાં સી.બી.આઇ.માં અલગ-અલગ ગેરરીતીઓ અંગે ત્રણ ફરિયાદ દાખલ થઇ હતી. સ્ટર્લિંગ ગુ્રપની સ્ટર્લિંગ બાયોટેકની બાકી રૃા.૫૩૮૩ કરોડની લોનની વસૂલાત માટે આંધ્રબેંકે સીબીાઇમાં ફરિયાદ આપી હતી. જે બાદ ફરીએકવાર સ્ટર્લિંગ ગુ્રપમાં ઇન્કમટેક્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ વિગેરે એ દરોડા પાડયાં હતાં. સ્ટર્લિગ ગુ્રપના લોન કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે. જેમાં ઈ.ડી.એ. તાજેતરમાં રૃા.૪૭૦૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી. આ સમય દરમ્યાન લોનની બાકી રકમ રૃા.૫૩૮૩ કરોડની વસૂલાત નહી થતાં આંધ્રબેંકે તાજેતરમાં એનસી એલટીમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે સ્ટર્લિગ ગુ્રપની રૃા.૫૩૮૩ કરોડની બાકી લોનના કારણે આંધ્ર બેંક ઉપરાંત યુકો બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેંક  અને બેંક ઓફ બરોડાને નુકશાન થઈ રહ્યું છે. આ બેંક લોનની બાકી રકમની વસૂલાત માટે સીબીઆઈમાં ફરિયાદ થઈ તે અંગાઉ સાંડેસરા બંધુ ફરાર થઈ ગયા હતા. જેથી હવે તેઓ આ લોનની રકમ ભરપાઈ કરી શકે તેમ નથી.  જેને ધ્યાનમાં રાખી સ્ટેલિંગ બાયોટેકને નાદાર જાહેર કરવામાં આવે જેથી આગળની કાર્યવાહી કરી શકાય. આ અંગે સુનાવણી બાદ એનસીએલટીએ સ્ટર્લિગ ગુ્રપને  નાદાર જાહેર કરતો હુકમ જારી કરી બેંકની બાકી વસૂલાત માટે   આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. બોગસ પુરાવાના આધારે જંગી લોન લેવાઈ હોવાથી બેંકોને નૂકસાન જશે સ્ટર્લિંગ ગુ્રપની બાકી નાણાંની વસૂલાત માટે આંધ્ર બેંકે તાજેતરમાં વિવિધ બેંકોના અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી. જેમાં બેંકોએ સ્ટર્લિંગ બાયોટેકને રૃા.૫૩૮૩ કરોડની જે લોન આપી છે તે એકાઉન્ટ  એનપીએ જાહેર થયું છે. જેથી હવે એનસી એલ.ટી.ના હુકમ બાદ સ્ટર્લિંગ બાયોટેકની મિલકતોની જાહેર હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવા ચર્ચા વિચારણા થઈ હતી. સ્ટર્લિગ ગુ્રપની કંપનીની બાકી લોન સામે જે મિલકતોની હરાજી કરાશે તે મિલકતોની બજાર કિંમત કરતા વધુ કિંમત દર્શાવી ખોટા પુરાવાને આધારે બેંકોમાથી લોનો મેળવવામાં આવી હોવાથી મિલકતોના વેચાણ પછી પુરતી રકમ મેળશે નહી જેથી બેંકોએ લોનની મોટી રકમ માંડવાળ કરવી પડે તેવી સ્થિતિ સર્જાવાની સંભાવના હોવાનું કંપનીના જાણકાર વર્તુળોનું કહેવું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/nclt-announces-vadodara-s-sterling-biotech-as-a-bankrupt-lender


મગફળીકાંડમાં સરકારી તંત્રની મિલીભગત કૃષિમંત્રી ફળદુ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે
 -ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટ સામે નાફેડના ચેરમેનના પ્રહારો -નાફેડની મંજૂરી લીધા વિના ગુજરાત સરકારે સુવિધા વગરના ગોડાઉનો ભાડે લીધા, કૌભાંડ છાવરવા ધૂળ-માટી-ભરેલી રાજકોટ,  તા.૧૨ જુન 2018, મંગળવાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ શાપર-વેરાવળ, ગોંડલ સહિતના સ્થળોએ આગ લાગવાના બનાવમાં સરકારી તંત્રનું મોટુ કારસ્તાન હોવાનો આક્ષેપ આજરોજ અહીં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મગફળીમાં માટી અને ધૂળ ભેળવીને સ્થાનિક સેન્ટરોએ મગફળી ખરીદી હતી. તેમાં ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન અને ગુજકોટના અધિકારીઓ પણ સંડોવાયા હોવાથી કૌભાંડોને છૂપાવવા માટે ગોડાઉનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે આકરા પગલાં લેવા જોઈએ.   રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહીના દરમિયાન મગફળીની ખરીદીમાં ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની આકરા શબ્દોમાં ઝાટકણી નાફેડના ચેરમેન દ્વારા કાઢવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મગફળીની સાચવણી માટે નાફેડની મંજૂરી બાદ ગોડાઉન ભાડે કરવા જોઈએ પરંતુ આ પ્રકારના નીતિ નિયમોનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી. સરકારે એક કમીટી બનાવીને જે લોકોને ગોડાઉન ભાડે આપવાનું કામ સોંપ્યું છે તેમાં પોલંપોલ જોવા મળી છે. અગાઉ ૧૪ ગોડાઉન તો એવા જોવા મળ્યા હતા જે સંપુર્ણપણે ખુલ્લામાં હતા. નિયમ મુજબ ગોડાઉનને ફરતી દિવાલ હોવી જોઈએ. હવા-ઉજાસ હોવા જોઈએ સિક્યુરીટી હોવી જોઈએ તે પ્રકારના કોઈ નિયમોનું પાલન કર્યા વગર મગફળી માટેની ખરીદીની જવાબદારી જેને સોંપવામાં આવી હતી તે 'ગુજકોટ' અને ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશને ગોડાઉન ભાડે રાખ્યા છે. આ ગોડાઉનો ભાડે રાખવામાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે. મગફળીમાં ધૂળ-માટી ભેળવીને સરકારને ટેકાના ભાવે મગફળી પધરાવી કરોડો રૃા.નું જે કૌભાંડ થયું છે તેનો ઘટસ્ફોટ કરતાં વાઘજીભાઈએ ઉમેર્યું હતું કે સરકારે દરેક જિલ્લામાં કે તાલુકામાં ખરીદીની જવાબદારી માર્કેટીંગ યાર્ડને આપી છે. આ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ખરીદીને તે મગફળી ગુણવતાવાળી છે કે નહીં? તે જોવાની જવાબદારી ગુજકોટ કે વેરહાઉસીંગની હોય છે તેણે મગફળી ગુણવતાવાળી છે તેવું પ્રમાણપત્ર આપવાનું હોય છે. કમનશીબે આ બે એજન્સીના માણસો જ ભળી ગયા હોવાથી કોઈએ મગફળીની ગુણવતા જોઈ નથી. પરિણામે મગફળીના ગોડાઉન તો સળગ્યા રાજકોટમાં મગફળી સાચવવા માટે જે બારદાન આવ્યા હતા. તેમાં પણ આગ લગાડી દેવામાં આવી હતી જેને કારણે સરકારને લાખો રૃા.નું નુકશાન થયું છે. ટેકના ભાવે મગફળીની ખરીદી ઉપરાંત ચણાં, રાયડો, તુવેર સહિતની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી નાફેડ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે છતાં ગુજરાત સરકારે આ એજન્સી ઉપર ભરોસો રાખવાને બદલે ભાજપ સમર્પિત જે આગેવાનો ગુજકોટ, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન સાથે સંકળાયેલા છે. તેઓને ખરીદવાની છૂટ આપી હતી. જેને કારણે ૮ લાખ ટન મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડ થયા છે તેમ કહી તેઓએ રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ આ પ્રકારના કૌભાંડમાં નાફેડના અધિકારીઓને જવાબદાર ગણે છે તે વાતમાં તથ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. રાજકોટ ખાતે પત્રકારો સાથેની પ્રશ્નોતરી દરમિયાન નાફેડના ચેરમેને મગફળીની ખરીદીમાં સરકારી અધિકારીઓ અને ભાજપ સમર્પિત આગેવાનોની સંડોવણી હોવાનો ખુલ્લો આક્ષેપ કરી આ પ્રકારના કૌભાંડમાં નાફેડના અધિકારીઓ સામેલ હોય તો તેની સામે પણ પગલા લેવા જોઈએ તેમ જણાવ્યું હતું. આ કૌભાંડ બાદ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અનેક પત્રો લખી મગફળીની ખરીદીના કારણે સરકારની આબરૃનું લીલામ થયું હોવાનું જણાવ્યું હોવા છતાં આજ સુધી અસરકારક પગલા લેવામાં નહીં આવતા નાછૂટકે આ વિગતો જાહેર કરવી પડી હોવાનું જણાવ્યું હતું. ખેડૂત ક્યારેય મગફળીના નામે ધૂળ અને માટી ભરેલો માલ ન વેંચે આ માટે માત્રને માત્ર ગુજરાત સરકારના અધિકારીઓ જવાબદાર છે તેમ પુનરોચ્ચાર કરી તેઓએ આકરા પગલાં લેવાની હિમાયત કરી હતી. મગફળી પાછળ ૩૪૦૦ કરોડના આંધણ પછી જ નાફેડને કેમ ડહાપણ આવ્યું? મગફળીની ખરીદી પાછળ રૃા. ૩૪૦૦ કરોડથી વધુ માતબર રકમ વપરાઈ ગયા પછી જ નાફેડના ચેરમેનને ગુજરાત સરકારનો ભ્રષ્ટ વહીવટ કેમ યાદ આવ્યો? તેવો સુચિત પ્રશ્નાર્થ ગુજકોટના સુત્રોએ ઉઠાવ્યો હતો. રાજકોટ ખાતે પત્રકારોને મગફળીને સાચવવા માટે ગોડાઉન ભાડે રાખવામાં  ગુજકોટ ્દ્વારા ગંભીર બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ વાઘજીભાઈ દ્વારા કરવામાં આવતો હતો. તેની સામે વળતા પ્રહારમાં ગુજકોટના સુત્રોએ જણાવ્યું હતું કે નાફેડના ચેરમેને દોષનો ટોપલો અમારા ઉપર ઢોળવાને બદલે પોતાનું નેટવર્ક સુધારવાની જરૃર છે. નાફેડ પાસે સ્ટાફની અછત છે. તમામ કામો કોન્ટ્રાક્ટ મારફતે જ થાય છે જેમાં કોઈ પ્રકારની ચોક્સાઈ જળવાતી નથી. મગફળી કાંડના નામે જે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તે ૩૪૦૦ કરોડથી વધુ રકમ વપરાઈ ગઈ પછી જ શા માટે કરવામાં આવે છે? મગફળીની ખરીદી શરૃ કરતા પહેલા નાફેડે આ મુદ્દે કેમ અસરકાર નીતિ અપનાવી ન્હોતી? ખેડૂતોના નામે રાજકારણ રમવાને બદલે નાફેડ જેવી સંસ્થા પહેલા પોતાનું ઘર સરખું કરે તે જરૃરી હોવાનું જણાવાયું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/agriculture-minister-faldu-misleading-the-government-machinery-in-groundnut


સરકારના બધા જ વિભાગો-જિલ્લાઓ પર સીધી CM રાખશે સીધી નજર

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સી.એમ ડેશ બોર્ડ દ્વારા સરકારના પબ્લિક ડિલિંગ વિભાગોનું સીધું મોનિટરીંગ CMOથી થશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈના અંત સુધીમાં જોડાઈ જશે. મુખ્યમંત્રીએ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
તમામ જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરાશે
રૂપાણીએ જણાવ્યું હતું કે, બધા જ જિલ્લા કલેક્ટરો ડીડીઓ એસ.પીને દર મહિને 8થી 10 મુદ્દાઓ ફોક્સ પોઇન્ટ તરીકે આપીને એ અંગે એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે. આવા ફોકસ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટેની હેલ્થી કોમ્પિટિશન થશે અને અધિકારીઓની એફિસિયન્સીનું સતત મોનટરીંગ પણ શક્ય બનશે. આના પરિણામે કાર્યદક્ષતા વધશે. આ ડેશ બોર્ડમાં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સંદર્ભમાં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલસ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કામગીરી અંગે સતત સૂચના અને દેખરેખ રખાય છે.
તમામ પ્રોજેક્ટ્સ પર સીધી નજર રખાશે
આ ડેશ બોર્ડ સરકારનું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતાથી ટેકનોલોજીના ઉપયોગથી ગુડ ગવરનન્સનો નવીન પ્રયોગ બન્યો છે. રૂપાણીએ જણાવ્યું કે, સર્વેલન્સ સિસ્ટમથી રાજ્યમાં કયા સ્થળે કઇ સ્થિતિ છે? તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. ઉપરાંત નેશનલ પેરામીટર્સમાં પણ મોનિટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. મોટા પ્રોજેક્ટના અમલીકરણ ફોલોઅપ અંગે પણ ડેશ બોર્ડ ઉપયોગી બનશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, સીએમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે અને તે અનુસાર વિભાગો તથા જિલ્લાઓ કામગીરી કરશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-cm-cm-watch-on-all-government-offices-by-cm-dese-board-NOR.html?ref=ht

CMએ કાફલો રોકી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા

કાફલો રોકાવી 108 મારફતે બંને ઇજાગ્રસ્ત યુવકોને ગાંધીનગર સિવિલમાં લઇ જવા માટેના આદેશો કર્યા
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના સાલસ સ્વભાવને લઇને જાણિતા છે. અગાઉ અનેકવાર પોતાનો કાફલો રોડ વચ્ચે રોકાવી ચૂક્યા છે. ત્યારે આજે મંગળવારે વધુ એકવાર રૂપાણી અમદાવાદ જઇ રહ્યા હતા. ત્યારે સુઘડ પાસે બાઇક સવાર બે યુવકને અકસ્માત થતા તાત્કાલિક પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખેસડવાની કાર્યવાહી કરાવી હતી.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે સવારે અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે સુઘઢ અમિયાપુર પાસે બે બાઇક સવાર યુવક 36 વર્ષિય નીતિન નાવડિયા (રહે. સરગાસણ) અને 45 વર્ષિય દિપસિંહ સલાટ ઇજાગ્રસ્ત થયા હતા.

સુઘડ પાસે બાઇકસવાર બે યુવકને અકસ્માત નડ્યો હતો
તે સમય દરમિયાન જ સીએમ રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે કાફલો રોકાવી 108 મારફતે બંને ઇજાગ્રસ્ત યુવકોને ગાંધીનગર સિવિલમાં લઇ જવા માટેના આદેશો કર્યા હતા. બંને યુવકોને લઇને સિવિલના આરએમઓ ડૉ. રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે સવારે બે યુવકોને તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જેમાં એકને માથામાં ઇજા થઇ હતી અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. અન્ય યુવાનને પગે ફ્રેક્ચર થયુ હતુ. બંને યુવકોને સર્જન દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ઇજા ગંભીર હોવાથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી દિપસિંહ ગાંધીનગરનીખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-two-young-people-had-an-accident-near-the-neat-cm-helped-him-gujarati-news-5893780-PHO.html?ref=ht


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment